ઇતિહાસ – ભારત
હુવિષ્ક (હુષ્ક)
હુવિષ્ક (હુષ્ક) (શાસનકાળ ઈ. સ. 106–138) : વિદેશી કુષાણ વંશનો ભારતના કેટલાક પ્રદેશોનો રાજા. કલ્હણના ‘રાજતરંગિણી’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે કાશ્મીર ઉપર તુરુષ્ક (તુર્કિશ) જાતિના ત્રણ રાજાઓ હુષ્ક (હુવિષ્ક), જુષ્ક અને કનિષ્ક 2જો સંયુક્ત રાજ્ય કરતા હતા. તેમણે પોતાના નામ પરથી હુષ્કપુર (આધુનિક ઉષ્કર), જુષ્કપુર (આધુનિક ઝુકુર) અને કનિષ્કપુર (આધુનિક કનીસપોર)…
વધુ વાંચો >હુષ્કપુર
હુષ્કપુર : પ્રાચીનકાલમાં સિથિયન રાજા હુષ્કે સ્થાપેલ નગર. કલ્હણના જણાવ્યા પ્રમાણે તે અશોક મૌર્યના વંશમાંથી ઊતરી આવેલો અને દામોદર સુદના મરણ પછી કાશ્મીરનો શાસક બન્યો હતો. રાજા હુષ્ક પછી જુષ્ક અને કનિષ્ક તેના ઉત્તરાધિકારીઓ બન્યા. રાજા હુષ્ક નવી નવી ઇમારતો બંધાવવાનો અને નગરો વસાવવાનો શોખીન હતો. તેથી તેણે અત્યારના બારામુલ્લા…
વધુ વાંચો >હૂણ
હૂણ : ઈસવી સન પૂર્વે 2જી સદીમાં મધ્ય એશિયામાં ચીનની સરહદે વસતી જંગલી તથા ઝનૂની જાતિના લોકો. તેઓ બળવાન, હિંસક અને યુદ્ધપ્રિય હતા. ચાલતાં કે દોડતાં તેઓ વિચિત્ર અવાજ કરતા તથા પોતાના ચહેરા રંગીને બિહામણા દેખાતા. તેઓ હિંસા અને વિનાશ કરવામાં તલ્લીન રહેતા. તેમણે યૂએ ચી લોકોને વાયવ્ય ચીનમાંથી હાંકી…
વધુ વાંચો >(ફાધર) હેરાસ
(ફાધર) હેરાસ (જ. 11 સપ્ટેમ્બર 1888, બાર્સિલોના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1955, મુંબઈ, ભારત) : પુરાતત્વવિદ, ઇતિહાસકાર અને સ્પૅનિશ જેસ્યુઇટ પાદરી. તેઓ 1904માં જેસ્યુઇટ બન્યા પછી પાદરી થવા માટેનો અભ્યાસ કર્યો. તેમણે ઓરીહ્યુલામાં 3 વર્ષ ઇતિહાસ ભણાવ્યો. 1920માં તેમને કૅથલિક પાદરીનું પદ આપવામાં આવ્યું. 1922માં તેઓ ભારતમાં આવ્યા અને મુંબઈમાં…
વધુ વાંચો >હેસ્ટિંગ્સ લૉર્ડ
હેસ્ટિંગ્સ, લૉર્ડ (જ. 9 ડિસેમ્બર 1754, કાઉન્ટી ડાઉન, આયરલૅન્ડ; અ. 28 નવેમ્બર 1826, ઑવ્ નેપલ્સ) : 1813થી 1823 સુધી ભારતનો ગવર્નર જનરલ અને ભારતમાં બ્રિટિશ લશ્કરનો કમાન્ડર-ઇન-ચીફ. ઈ. સ. 1771માં તે લશ્કરમાં જોડાયો. તેણે અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ(1775–81)માં અંગ્રેજોની તરફેણમાં ભાગ લીધો હતો. તેથી તેને ઉમરાવપદ મળ્યું હતું. 1793માં તેને અર્લ ઑવ્…
વધુ વાંચો >હૈદરઅલી
હૈદરઅલી (જ. 1722, બુડીકોટ, દક્ષિણ ભારત; અ. 7 ડિસેમ્બર 1782, ચિત્તુર, દક્ષિણ ભારત) : લશ્કરના ઘોડેસવારમાંથી બનેલો કાર્યદક્ષ સેનાપતિ અને મૈસૂરનો શાસક. રાજ્યના સર્વાધિકારી નંજરાજે, ગોળીબારમાં તેની હોશિયારી જોઈને 1749માં તેને 50 ઘોડેસવારોનો નાયક નીમ્યો. ત્રિચિનોપલી પરની ચડાઈમાં તેની બહાદુરી અને નીડરતાની કદર કરીને તેને 1500 ઘોડેસવાર, 3000ના પાયદળ તથા…
વધુ વાંચો >હૈદરાબાદ (ભારત)
હૈદરાબાદ (ભારત) : આંધ્રપ્રદેશનું પાટનગર, ભારતનાં મોટાં શહેરો પૈકીનું છઠ્ઠા ક્રમે આવતું શહેર તથા મહત્વનું વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 17° 25´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.. વિસ્તાર : 562 ચોકિમી.. તે મુંબઈથી અગ્નિકોણમાં આશરે 600 કિમી.ને અંતરે તથા ચેન્નાઈથી વાયવ્યમાં આશરે 500 કિમી.ને અંતરે આવેલું છે. હૈદરાબાદનું…
વધુ વાંચો >હૈદરાબાદ રાજ્યનું વિલીનીકરણ
હૈદરાબાદ રાજ્યનું વિલીનીકરણ : દક્ષિણ ભારતમાં આવેલું નિઝામનું હૈદરાબાદ રાજ્ય દેશનું સૌથી મોટું દેશી રાજ્ય હતું. મીર કમરુદ્દીને ઈ. સ. 1724માં સ્વતંત્ર રાજ્ય તરીકે તેની સ્થાપના કરી હતી. આ રાજ્યનો વિસ્તાર 1,31,200 ચોકિમી.થી વધારે હતો અને તેની વસ્તી 1,60,00,000 હતી. તેની વાર્ષિક આવક રૂપિયા 26 કરોડની હતી. આ રાજ્યને પોતાનું…
વધુ વાંચો >હૈલાકાંડી (Hailakandi)
હૈલાકાંડી (Hailakandi) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો નાનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 41´ ઉ. અ. અને 92° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1327 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચાર જિલ્લો, પૂર્વમાં કચાર જિલ્લાનો ભાગ અને મિઝોરમ રાજ્ય, દક્ષિણે મિઝોરમ…
વધુ વાંચો >હૈહયો
હૈહયો : યાદવવંશની એક શાખા. (વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, મહાભારત વગેરે ગ્રંથોમાંથી હૈહયોના ઉલ્લેખો મળે છે.) હૈહયો માળવાની દક્ષિણે આવેલા પ્રદેશમાં આબાદ થયા હતા. તેમના રાજા મહિષ્મંતે માહિષ્મતી નગર સ્થાપ્યું અને તેને પાટનગર બનાવ્યું. માહિષ્મતી નગર અવન્તિજનપદમાં આવેલ હતું. મહિષ્મંતનો વારસ રાજા ભદ્રશ્રેણ્ય આક્રમક હતો. તેણે પૌરવોનું રાજ્ય જીતી લીધું. રાજા ભદ્રશ્રેણ્યે…
વધુ વાંચો >