અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

પ્રાકૃતાનન્દ

પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે…

વધુ વાંચો >

પ્રાકૃતાનુશાસન

પ્રાકૃતાનુશાસન : એ નામનું પ્રાકૃત વ્યાકરણ. તેના લેખક બારમા શતકના બંગાળી પુરુષોત્તમ દેવ. બે વાર પ્રકાશિત : (1) શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા સંપાદિત, પૅરિસ, 1938. ફ્રેંચ ભૂમિકામાં તેની તુલનાત્મક છણાવટ સારી રીતે થઈ છે. (2) મનમોહન ઘોષ દ્વારા સંપાદિત રામશર્માકૃત ‘પ્રાકૃતકલ્પતરુ’ના પરિશિષ્ટ 1 રૂપે, એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954. પ્રારંભ…

વધુ વાંચો >

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920)

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920) : ઉત્તર ગૌર્જર અપભ્રંશનાં ગદ્યપદ્યનો સંગ્રહ. માત્ર પ્રથમ ભાગ જ પ્રસિદ્ધ થયો છે. ગાયકવાડ ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે એની સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત વિભાગના ગ્રંથપાલ સી. ડી. દલાલે ઉત્તર ગૌર્જર અપભ્રંશની પ્રથમ ખંડમાં 14 પદ્યરચનાઓ, બીજા ખંડમાં 7 ગદ્યરચનાઓ અને પરિશિષ્ટમાં 10 રચનાઓ આપીને ‘પ્રાચીન…

વધુ વાંચો >

બરુવા, વેણીમાધવ

બરુવા, વેણીમાધવ (જ. 31 ડિસેમ્બર 1888, પહારતલી, જિ. ચિત્તાગૉંગ, બાંગ્લાદેશ; અ. 24 માર્ચ 1948, કલકત્તા) : ભારતીય વિદ્યાના વિદ્વાન. વેણીમાધવ ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા. એમણે 1911માં બરહામપુરની કૃષ્ણનાથ કૉલેજમાં અભ્યાસ કરીને પાલિ મુખ્ય વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ ક્રમે પસાર કરી.  1913માં કલકત્તા યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષામાં પાલિ મુખ્ય વિષય સાથે…

વધુ વાંચો >

બૃહત્કથા

બૃહત્કથા : પૈશાચી ભાષામાં પ્રાચીન ભારતીય વાર્તાકાર ગુણાઢ્યે રચેલો વાર્તાગ્રંથ. રામાયણ અને મહાભારતની સમકક્ષ ગણાતી ગુણાઢ્યની બૃહત્કથા પૈશાચી પ્રાકૃતમાં ‘વડ્ડકહા’ નામે રચાઈ હતી, જે મળતી નથી. પરંતુ તેનાં ત્રણ રૂપાંતરો આપણને પ્રાપ્ત થાય છે : (1) બુદ્ધસ્વામીકૃત અપૂર્ણ ‘બૃહત્કથા – શ્લોકસંગ્રહ’ (આઠમી-નવમી સદી), (2) ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથા-મંજરી’ (અગિયારમી સદી) અને (3)…

વધુ વાંચો >

બૃહત્કલ્પભાષ્ય

બૃહત્કલ્પભાષ્ય : જૈન ધર્મનું જાણીતું ભાષ્ય. ‘કલ્પસૂત્ર’ કે ‘બૃહત્કલ્પસૂત્ર’ જૈનોનું એક છેદસૂત્ર છે. તેને ‘કલ્પાધ્યયન’ પણ કહે છે. તેના ઉપરનું આ ભાષ્ય વિ. સં. 645(ઈ. સ. 589)માં સંઘદાસગણિ ક્ષમાશ્રમણે રચ્યું. આ ભાષ્ય તથા તેના ઉપરની મલયગિરિ અને ક્ષેમકીર્તિની ટીકાઓનું સંપાદન મુનિ પુણ્યવિજયજીએ કર્યું છે અને તે આત્માનન્દ જૈન સભા, ભાવનગરે…

વધુ વાંચો >

બૅનરજી, જિતેન્દ્રનાથ એન.

બૅનરજી, જિતેન્દ્રનાથ એન. : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત તથા પાલિના વિદ્વાન. કલકત્તા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ એન્શિયન્ટ ઇંડિયન કલ્ચર ઍન્ડ હિસ્ટરી તથા ડિપાર્ટમેન્ટ ઑવ્ પાલિ ઍન્ડ સંસ્કૃતના પ્રાધ્યાપક અને વિભાગીય વડા. કલકત્તા યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ભણાવતાં ભણાવતાં પ્રો. બૅનરજીને હિંદુ મૂર્તિશાસ્ત્રના વ્યવસ્થિત અને ઝીણવટભર્યા અભ્યાસ માટેની સામગ્રીની જરૂર જણાઈ આવી. તેમના…

વધુ વાંચો >

ભવભાવના

ભવભાવના (ઈ. સ. 1114) : પ્રાકૃત કથાગ્રંથ. કર્તા મલધારી હેમચન્દ્રસૂરિ. 531 ગાથાઓ. મેડતા અને છત્રપલ્લીમાં શ્રીમંત શ્રાવકોની વસ્તીમાં રહી ઈ. સ. 1114માં રચ્યો – 13,000 શ્લોકપ્રમાણની સ્વોપજ્ઞવૃત્તિ સાથે. ઋષભદેવ કેશરીમલજી જૈન શ્વેતામ્બર સંસ્થા, રતલામ દ્વારા બે ભાગમાં 1936માં પ્રકાશિત. 12 ભાવનાઓનું 12 દિવસમાં પઠન થાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…

વધુ વાંચો >

ભવિસયત્તકહા

ભવિસયત્તકહા (ભવિષ્યદત્તકથા) (દસમી સદી) : અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય. કર્તા ધનપાલ કે ધર્કટવણિક દિગંબર જૈન ધનપાલ, ‘પાઇયલચ્છી’ના લેખકથી જુદા. પ્રથમ કડવકના ચોથા શ્લોકમાં તેઓ પોતાને સરસ્વતીનું મહાવરદાન પામેલા કહે છે. આમાં હરિભદ્રસૂરિની ‘સમરાઇચ્ચકહા’ને નમૂના તરીકે સ્વીકારી લાગે છે અને કથાનકમાં મહેશ્વરસૂરિના પ્રાકૃત ‘પંચમીમાહાત્મ્ય’માંની છેલ્લી ભવિષ્યદત્તની કથાનો આધાર લેવાયો જણાય છે. આની…

વધુ વાંચો >

ભૃંગસંદેશ

ભૃંગસંદેશ : કાલિદાસના ‘મેઘદૂત’ જેવું પ્રાકૃતમાં રચાયેલું અજ્ઞાતકર્તૃક દૂતકાવ્ય. ‘સાહિત્યદર્પણ’માં ઉલ્લેખ પામેલાં પ્રાકૃત દૂતકાવ્યો ‘હંસસંદેશ’ અને ‘કુવલયાશ્વચરિત’ મળતાં નથી. આની પણ એક જ સાવ અધૂરી મલયાળમ લિપિમાં 17.78 સેમી. x 45.75 સેમી. (7´´ x 1½´)નાં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત ત્રિવેન્દ્રમ અર્થાત્ તિરુવનન્તપુરમની ‘ક્યૂરેટર્સ ઑફિસ લાઇબ્રેરી’માં ક્રમાંક 1471 अ ધરાવતી સચવાઈ…

વધુ વાંચો >