અક્કવુર નારાયણન્

કવિતાધ્વનિ (1985)

કવિતાધ્વનિ (1985) : મલયાળમ કાવ્યવિવેચનાનો ગ્રંથ. મલયાળમ વિવેચનસાહિત્યમાં આ કૃતિ એક મૂલ્યવાન ઉમેરો કરે છે. વીસમી સદીના સાતમા અને આઠમા દાયકાની મલયાળમ કવિતા તથા તેના આધુનિક પ્રવાહોનો તેમજ વ્યક્તિગત કવિની કાવ્યલાક્ષણિકતાઓનો આ ગહન અભ્યાસગ્રંથ છે. તેની લેખિકા એમ. લીલાવતી (જ. 1927) મલયાળમનાં અધ્યાપિકા છે. તેમણે દરેક કવિનું સહાનુભૂતિપૂર્વક મૂલ્યાંકન કર્યું…

વધુ વાંચો >

કાઝીન્ઝા કાલમ (1958)

કાઝીન્ઝા કાલમ (1958) : કેશવ મેનન કે. પી. રચિત મલયાળમ આત્મકથા. લેખક કૉંગ્રેસના સક્રિય કાર્યકર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક છે. એમણે ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધેલો. 1923માં એમણે ‘માતૃભૂમિ’ સમાચારપત્ર પ્રગટ કર્યું. 1927માં એ મલાયા ગયા અને ત્યાં વકીલાત શરૂ કરી. બીજા વિશ્વયુદ્ધ વખતે એ સિંગાપોરમાં નેતાજી સુભાષ બોઝના સંપર્કમાં આવ્યા…

વધુ વાંચો >

કાલમ્ (1969)

કાલમ્ (1969) : મલયાલમ સર્જક એમ. ટી. વાસુદેવન નાયરની 1970નો સાહિત્ય અકાદમી પુરસ્કારપ્રાપ્ત નવલકથા. ‘કાલમ્’નો અર્થ થાય છે સમય. કથાનું વસ્તુ કેરળની સાંપ્રતકાલીન રાજકીય, સામાજિક પરિસ્થિતિ છે, જેમાં બધા વર્ગના લોકોમાં અસહ્ય મોંઘવારી, દેશપ્રેમની ઓટ, કુટુંબનાં બંધનોની શિથિલતા વગેરેને કારણે પ્રવર્તેલી હતાશાનું નિરૂપણ કરાયું છે. કથાનાયક મધ્યમ વર્ગનો છે. એણે…

વધુ વાંચો >

કુચેલવૃત્તમ્

કુચેલવૃત્તમ્ (અઢારમી સદી) : મલયાળમ કવિતા. આ કાવ્ય કુચેલ અથવા સુદામા વિશે અઢારમી સદીના કવિ રામપુરત વારિયારે રચ્યું છે. મલયાળમ કવિતામાં છંદ વંચિપ્પાટ્ટુ અથવા નૌકાગીતનો સૌપ્રથમ  ઉપયોગ કર્યો છે. એમ કહેવાય છે કે કવિ ત્રિવેન્દ્રમના રાજાને મળવા જતા હતા ત્યારે એક જ રાતમાં માર્ગમાં આ કાવ્ય રચીને તેમણે તે રાજાને…

વધુ વાંચો >

કુટિયોઝિક્કલ

કુટિયોઝિક્કલ (1952) : મલયાલમ કવિ વૈલોટિયળ્ળિ શ્રીધર મેનન(1911–1985)રચિત ખંડકાવ્ય. શિક્ષિત મધ્યમ વર્ગની સમસ્યા આ કાવ્યમાં છે. આ કાવ્યનું વસ્તુ એક ગરીબ દારૂડિયો કવિની જમીન પચાવી પાડી તેની ઉપર ઝૂંપડું બાંધે છે તેને ત્યાંથી હટાવવાનો છે. કવિને આ માનવ સદૈવ ત્રાસરૂપ લાગે છે અને કવિ આનાથી લાચારી અનુભવે છે. કાવ્યનો સ્વપ્નદ્રષ્ટા…

વધુ વાંચો >

કુટ્ટિ કૃષ્ણ મારાર

કુટ્ટિ કૃષ્ણ મારાર (જ. 1900; અ. 1973) : મલયાળમ વિવેચક. નવોત્થાનકાળના મલયાળી વિવેચકોમાં મારાર સૌથી વધુ મૌલિક છે. મદ્રાસ યુનિ.માંથી તેમણે 1923માં સંસ્કૃતમાં સાહિત્યશિરોમણિની પદવી મેળવી. તેમની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, સૂક્ષ્મ અવલોકનશક્તિ અને સ્વતંત્ર વિચારસંપત્તિ તેમના સમકાલીનોમાં ઈર્ષ્યાપાત્ર બનેલ છે. સંસ્કૃત ભાષાના તે વિદ્વાન છે. તેમણે સાહિત્યિક કારકિર્દી કવિ તરીકે શરૂ…

વધુ વાંચો >

કુરૂપ્પ જી. શંકર

કુરૂપ્પ, જી. શંકર (જ. 3 જૂન 1901, નાયત્તોટ્ટ, કેરળ; અ. 2 ફેબ્રુઆરી 1978, ત્રિવેન્દ્રમ) : પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. એમનો જન્મ કેરળમાં આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાન કલાડી પાસેના એક નાના ગામમાં. પિતા નેલ્લીક્કપ્પીલી શંકર વારિયાર અને માતાવદક્કાની લક્ષ્મીકુટ્ટી…

વધુ વાંચો >

કુંચન નામ્બિયાર

કુંચન નામ્બિયાર (જ. 1700, કિબ્લીકુરિસ્સીમંગલમ્, જિ. પાલઘાટ, મધ્યકેરળ; અ. 1770) : મલયાળમ ભાષાના પહેલા લોકકવિ. ‘તુળ્ળૂલ’ નામે જાણીતી ર્દશ્યશ્રાવ્ય કવિતાનો પ્રકાર સૌપ્રથમ તેમણે પ્રયોજ્યો. એ ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માના રાજકવિ હતા. તે પોતે ખાસ તૈયાર કરેલા મંચ પર સાભિનય કાવ્યગાન કરતા. તેમણે ‘વેલ્કલી’, ‘પટચાની’ જેવાં લોકકલાસ્વરૂપો પ્રત્યક્ષ નિહાળ્યાં. ચાકયાહની કલાઓમાં…

વધુ વાંચો >

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર (જ. 1864; અ. 1913) : મલયાળમ કવિ. એ કેરલના વ્યાસ તરીકે ઓળખાતા. કોટુંગલ્લૂરના રાજવંશમાં પ્રસિદ્ધ સાહિત્યકારોના કુટુંબમાં જન્મ. ‘કવિભારતમ્’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામ્યા (1893). તેમના કાકા તથા મહેલના શિક્ષકો પાસેથી તેઓએ સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતમાં શિક્ષણ મેળવ્યું. મૂળ સંસ્કૃત કૃતિના છંદો યથાતથ રાખીને તેમણે મહાભારતનો…

વધુ વાંચો >

કૃષ્ણગાથા

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…

વધુ વાંચો >