૯.૨૨

દેહવ્યાપી ફૂગરોગથી દ્રવસ્થૈતિક પ્રેષણ

દોશી, બાલકૃષ્ણ

દોશી, બાલકૃષ્ણ (જ. 26 ઑગસ્ટ, 1927, પુણે; અ. 24 જાન્યુઆરી 2023, અમદાવાદ) : જાણીતા ભારતીય સ્થપતિ. ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ…

વધુ વાંચો >

દોશી, વાલચંદ હીરાચંદ

દોશી, વાલચંદ હીરાચંદ (જ. 23 નવેમ્બર 1882, સોલાપુર; અ. 8 એપ્રિલ 1953, સિદ્ધપુર) : દેશભક્ત ઉદ્યોગપતિ. રૂનો વેપાર તેમજ ધીરધારનો ધંધો કરનાર જૈન વેપારીને ઘેર વાલચંદ હીરાચંદનો જન્મ થયો હતો. તેમણે ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. બી.એ.(અર્થશાસ્ત્ર)ની અંતિમ પરીક્ષા આપ્યા વગર, પિતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી,…

વધુ વાંચો >

દોષો (કાવ્યના)

દોષો (કાવ્યના) : કાવ્યના આત્મા રસને હાનિકારક તત્ત્વો. અનૌચિત્ય એ જ કાવ્યદોષનું મૂળ છે. રસની પ્રતીતિમાં વિઘાત કરે તે રસદોષ, વિલંબ કરે તે અર્થદોષ અને અવરોધ કરે તે શબ્દદોષ – એવા ત્રણ મુખ્ય પ્રકારો થઈ શકે. આ રીતે રસને સીધી હાનિ પહોંચાડે તે રસદોષ છે. વીર રસમાં શૂરવીર યોદ્ધાને બદલે…

વધુ વાંચો >

દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા

દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા : શુદ્ધાદ્વૈત સંપ્રદાયના વલ્લભાચાર્ય(1479—1531)ના પુત્ર વિઠ્ઠલનાથ(1515–1585)ના શિષ્યોનાં જીવનચરિત્રો. વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયમાં તેનું ઘણું મહત્વ છે. તેને ગુરુના વચનની જેમ શ્રદ્ધેય ગણવામાં આવે છે. આ કૃતિના રચયિતા વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથ હતા એવી સર્વસામાન્ય માન્યતા પ્રવર્તે છે; પરંતુ તેમાં ગોકુલનાથનો ઉલ્લેખ વિશેષ ભક્તિભાવ સાથે કરવામાં આવેલો છે  તે…

વધુ વાંચો >

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર

દૉસ્તોયેવ્સ્કી, ફ્યોદોર (જ. 30 ઑક્ટોબર 1821; અ. 28 જાન્યુઆરી 1881) : રશિયન નવલકથાકાર. સાંપ્રત મનોવિજ્ઞાનનાં ઘણાં તારણોની પુરોગામી ભૂમિકા પૂરી પાડનાર, અસ્તિત્વવાદી સમસ્યાઓની આગોતરી સૃષ્ટિ રચી આપનાર અને આધુનિકતાવાદી ઝુંબેશના ઉદગમ-અણસાર દાખવનાર સમર્થ લેખક. મૉસ્કોમાં જાહેર મ્યુનિસિપલ હૉસ્પિટલના એક ડૉક્ટરનાં સાત સંતાનોમાંનું બીજું સંતાન. હૉસ્પિટલના કંપાઉંડમાં જ રહેઠાણ, આથી ગરીબાઈ,…

વધુ વાંચો >

દોહા

દોહા : ઈરાની અખાત ઉપર કતાર દ્વીપકલ્પના પૂર્વ કિનારે આવેલું કતાર રાજ્યની રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 25° 17´ ઉ અ. અને 51° 32´ પૂ. રે.. 1950 સુધી તો તે માછીમારોનું નાનું ગામ હતું. પેટ્રોલિયમ મળી આવ્યા પછી ઔદ્યોગિક વિકાસ થતાં  હવે તેનો વિસ્તાર 234 ચોકિમી. વાળું અને…

વધુ વાંચો >

દોહાકોશ

દોહાકોશ (ઈ. સ. 755–780) : સિદ્ધ સરહપા કે સરહપાદની રચનાઓના સંકલનરૂપ દોહાઓનો સંગ્રહ. તિબેટની ભોટભાષા કે ભૂતભાષામાંથી આ ગ્રંથ અપભ્રંશ ભાષામાં રૂપાંતરિત કરાયેલો છે. લગભગ 300 પદ્યોના બનેલા આ સંગ્રહમાં દોહાની સાથે સોરઠા, ચોપાઈ અને ગીતિઓ પણ આપવામાં આવી છે. આ ગીતો કે ગીતિઓની રચના આઠમીથી શરૂ કરી બારમી સદીમાં…

વધુ વાંચો >

દ્યાવાપૃથિવી

દ્યાવાપૃથિવી : વ્યક્તિગત દેવતાઓ ઉપરાંત, યુગલદેવતાઓ વિશેની, વૈદિક પુરાકથાશાસ્ત્રગત, વિશિષ્ટ પરંપરાના પરિણામસ્વરૂપ ડઝનેક યુગલોમાંનું મુખ્ય દેવતાયુગલ છે. આ દેવતાદ્વન્દ્વ સમાસની વિશેષતા એ છે કે એમાંના બંને શબ્દો દ્વિવચનમાં હોય છે. વળી, ‘દ્યૌ:’ (દ્યુલોક, સ્વર્ગ) અને ‘પૃથિવી’ એ બે દેવતાઓનાં યુગલસ્વરૂપવાળાં છ સૂક્તો ઋગ્વેદમાં મળે છે, જ્યારે એકલી ‘પૃથિવી’નું એક જ…

વધુ વાંચો >

દ્યાવાપૃથ્વી (1957)

દ્યાવાપૃથ્વી (1957) : કન્નડ કાવ્યસંગ્રહ. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘પદ્મશ્રી’ (1961માં) કન્નડ લેખક વિનાયક ગોકાકની આ રચનાને સાહિત્ય એકૅડેમીના 1960ના વર્ષની શ્રેષ્ઠ કન્નડ કૃતિ તરીકે પુરસ્કાર આપવામાં આવેલો. એમના પાંચ કાવ્યસંગ્રહોમાં આ એમનો અંતિમ તથા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ છે. ‘દ્યાવાપૃથ્વી’માં એના નામ પ્રમાણે પૃથ્વી તથા આકાશનાં સૌમ્ય, રૌદ્ર, લઘુ તેમજ વિરાટ સ્વરૂપોમાં…

વધુ વાંચો >

દ્યુતિ-તાપમાન

દ્યુતિ-તાપમાન (brightness temperature) : જે તાપમાને કોઈ એક તરંગલંબાઈએ શ્યામ-પદાર્થની તેજસ્વિતા વિકિરક સપાટીની તેજસ્વિતા જેટલી થાય તે તાપમાન. સામાન્ય રીતે આ તરંગલંબાઈ 0.655 mm લેવામાં આવે છે. આ રીતે માપેલા તાપમાન અને સ્પેક્ટ્રમી ઉત્સર્જકતા (emissivity) ∈ = 0.655 તથા વીનના વિકિરણના નિયમ ઉપરથી વસ્તુના સાચા તાપમાનની ગણતરી કરી શકાય છે. જો…

વધુ વાંચો >

દેહવ્યાપી ફૂગરોગ

Mar 22, 1997

દેહવ્યાપી ફૂગરોગ : શરીરની અંદરના અવયવોમાં ફૂગના લાગેલા ચેપથી થતો રોગ. ફૂગ કોષકેન્દ્રોવાળા સૂક્ષ્મજીવો છે. જીવાણુઓ(bacteria)માં આદિકોષકેન્દ્ર હોય છે અને તેથી તેમને આદિકોષકેન્દ્રી (prokaryotic) સૂક્ષ્મજીવો કહે છે. તેઓમાં કોષકેન્દ્ર સ્પષ્ટપણે અલગ જોવા મળતું નથી. ફૂગ જેવા કોષકેન્દ્રવાળા સકોષકેન્દ્રી (eukaryotic) સૂક્ષ્મજીવોમાં સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષકેન્દ્ર તથા તેનું આવરણ (કેન્દ્રકલા, nuclear…

વધુ વાંચો >

દૈમાબાદ

Mar 22, 1997

દૈમાબાદ : મહારાષ્ટ્રમાં પ્રવરા નદીના કાંઠે આવેલ તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતું સ્થળ. તે અહમદનગરથી ઉત્તરે આશરે 60 કિમી. અને શ્રીરામપુરથી દક્ષિણે 15 કિમી. દૂર છે. ત્યાંનો તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતો ટેકરો 6 મી. ઊંચો છે. તેના જુદા જુદા સમયના ત્રણ સ્તરોમાંથી વિવિધ અવશેષો મળ્યા છે. પહેલા કાલખંડના લોકો કર્ણાટકના બ્રહ્મગિરિના અવશેષોને મળતાં…

વધુ વાંચો >

દૈયડ

Mar 22, 1997

દૈયડ (Magpie Robin) : ગુજરાતનું શ્રેષ્ઠ ગાયક પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Copsychus saularis. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Corvidae કુળમાં થાય છે. તેનું પેટા-કુળ છે : ગાયક (Turdinae). હિંદીમાં તેને દૈયડ અથવા દૈયા કહે છે. નર દૈયડ ઊજળો કાબરો એટલે કાળા અને ધોળા રંગનો હોય છે. તે હંમેશાં…

વધુ વાંચો >

દૈયા, સાંવર

Mar 22, 1997

દૈયા, સાંવર (જ. 10 ઑક્ટોબર 1948, બીકાનેર; અ. 30 જુલાઈ 1992, બીકાનેર) : રાજસ્થાની લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘એક દુનિયા મ્હારી’ને 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી બી.એડ્.ની ડિગ્રી મેળવી. તેમણે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. તેઓએ માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે…

વધુ વાંચો >

દો આંખેં બારહ હાથ

Mar 22, 1997

દો આંખેં બારહ હાથ (1957) : પારિતોષિક વિજેતા નોંધપાત્ર હિન્દી ચલચિત્ર. ગુનેગારો જન્મથી ગુનેગાર નથી હોતા, પરિસ્થિતિ તેમને ગુનેગાર બનાવે છે. તેમને સુધરવાની તક મળે તો તેઓ સારા નાગરિક બની શકે છે એવું માનતા એક આદર્શવાદી જેલર અને છ ખૂંખાર કેદીઓની કથાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું હેતુપ્રધાન ચલચિત્ર. નિર્માણ વર્ષ :…

વધુ વાંચો >

દો ચટ્ટાનેં

Mar 22, 1997

દો ચટ્ટાનેં (1965) : હિંદી કવિ હરિવંશરાય બચ્ચનનો કાવ્યસંગ્રહ. ઉત્તરછાયાવાદી હિંદી ઊર્મિકવિતાના તેઓ લોકપ્રિય કવિ ગણાય છે. આ કાવ્યસંગ્રહમાં 1962થી 64 દરમિયાન રચાયેલાં 53 કાવ્યો છે. આમાં સૌથી મહત્ત્વનું કાવ્ય છે ‘દો ચટ્ટાનેં’ અથવા ‘સિસિફસ વિ. હનુમાન.’ આ લાંબા કાવ્યમાં ગ્રીક પુરાણકથાના પાત્ર સિસિફસ તથા હનુમાનના પાત્રનું પ્રતીક તરીકે કાવ્યપ્રયોજન…

વધુ વાંચો >

દોડ

Mar 22, 1997

દોડ : એક પ્રકારની મેદાની રમત. વિશેષત: સ્પર્ધામાં દોડવું તે. ‘દોડવું’ એ પ્રાણીમાત્રની સ્વાભાવિક પ્રવૃત્તિ છે અને અનાદિ કાળથી માનવી દોડતો આવ્યો છે. આધુનિક ઑલિમ્પિક રમતોમાં વિવિધ પ્રકારની દોડસ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રૅક ઉપર થતી દોડસ્પર્ધાઓને અંતરની ર્દષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ટૂંકી ઝડપી દોડ (sprints)…

વધુ વાંચો >

દોદ દગ

Mar 22, 1997

દોદ દગ : અખ્તર મોહ્યુદ્દીનની આધુનિક કાશ્મીરી નવલકથા. ‘દોદ દગ’માં ભારતવિભાજન અને કાશ્મીરના પણ પાકિસ્તાની આક્રમણને કારણે ભાગલા પડ્યા તેના પરિણામે  કાશ્મીરી પ્રજાનું જીવન કેવું વેરવિખેર થઈ ગયું તથા કાશ્મીરી પરિવારોમાં જે નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તેનું સચોટ બયાન એક પરિવારને કેન્દ્રમાં રાખીને અપાયું છે. નવલકથામાં એમણે રાજકારણને પ્રજાદ્રોહી ગણાવ્યું…

વધુ વાંચો >

દૉનાતેલો

Mar 22, 1997

દૉનાતેલો [Donatello] (જ. 1386; અ. 1466) : ફ્લૉરેન્સના રેનેસાં શિલ્પી. તેઓ શિલ્પી લૉરેન્ઝો ગિબેર્તીના શિષ્ય હતા. ગૉથિક પરંપરાની અસરમાંથી મુક્ત થતાં તેમને ઠીકઠીક વાર લાગી. ભુલાઈ ગયેલા પેગન (ગ્રીકો-રોમન) વિશ્વમાંથી વિષયો લઈને તેનો પંદરમી સદીમાં રેનેસાં યુગમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ શિલ્પી હતા. માન્તેન્યા [mantegna], બેલિની અને માઇકલ ઍન્જલો સુધ્ધાં…

વધુ વાંચો >

દો બીઘા જમીન

Mar 22, 1997

દો બીઘા જમીન : હિંદી ચલચિત્ર. બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીના ચલચિત્રસર્જક દ સીકાનાં સર્જનોમાં નિરૂપિત નવયથાર્થવાદથી પ્રભાવિત થઈને ભારતમાં જે ચલચિત્રો બન્યાં તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બિમલ રૉય દિગ્દર્શિત ‘દો બીઘા જમીન’ મહત્વપૂર્ણ સર્જન છે. નિર્માણ વર્ષ : 1953, શ્વેત અને શ્યામ, ભાષા : હિંદી, નિર્માણસંસ્થા : બિમલ રૉય પ્રોડક્શન,…

વધુ વાંચો >