૯.૧૮

દૂધરાજથી દૃષ્ટિદોષ વક્રીભવનીય

દૂધરાજ

દૂધરાજ (The Paradise Flycatcher) : ભારતની શોભારૂપ, પરી જેવું સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ Terpsiphone paradisi  ફળ મોનાર્ચિની છે. હિંદીમાં તેને ‘શાહ બુલબુલ’, ‘દૂધરાજ’, ‘હુસેની બુલબુલ’, માદાને ‘સુલતાના બુલબુલ’ એવાં વિવિધ નામોએ ઓળખવામાં આવે છે. તે અંગ્રેજીમાં rocket bird, window bird અને robin birdના નામે ઓળખાય છે. તલવાર જેવી લાંબી…

વધુ વાંચો >

દૂધ, લહૂ, ઝહર

દૂધ, લહૂ, ઝહર (1971) : ડોગરી વાર્તાકાર મદનમોહન શર્મા-(જ. 1934)નો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાંની બાર વાર્તાઓમાંથી આઠ વાર્તામાં લપાતા-છુપાતા વેશે આવતા મૃત્યુનો વિષાદ છે; બીજી બે વાર્તામાં મૃત્યુથી જન્મતા આઘાતની વાત છે અને બીજી બે હળવી શૈલીમાં લખાઈ છે. એ બધી વાર્તાની વસ્તુમાંડણી કસબપૂર્વક થયેલી છે, પરંતુ એ તમામમાં નૈતિક…

વધુ વાંચો >

દૂધ-શર્કરા

દૂધ-શર્કરા : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ.

વધુ વાંચો >

દૂધી

દૂધી : (તુંબડું) દ્વિદળી વર્ગના કુકરબીટેસી કુળની મોટી વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria(Mol.) Standl. syn.L. leucantha Rusby; L. Vulgaris ser. (સં. અલાબુ, ઇશ્વાકુ, દુગ્ધતુંબી; મ. દુધ્યા, ભોંપળા, હિં. કદૂ, લૌકી, તુંબી; બં. લાઉ, કધૂ; ક.હાલગુંબળ, શિસોરે; તા. શોરાક્કાઈ; અં. બૉટલ ગુઅર્ડ) છે. દૂધી ઘણી મોટી, રોમમય, આરોહી કે…

વધુ વાંચો >

દૂધેલી

દૂધેલી (નાગલા કે રાતી દૂધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Euphorbia hirta Linn. syn. E. pilulifera auct. non Linn. (સં. દુગ્ધિકા, પય:સ્વિની, સ્વાદુપર્ણી; હિં. બડી દૂધી, લાલ દૂધી; બં. છોટ ખિરાઈ; મ. મોઠી નાયરી, ગોવર્ધન; ક. દૂધલે; તે. પિન્નપાલચેટ્ટુ; અં. સ્નેકવીડ, કૅટસ્ હેર) છે. તે…

વધુ વાંચો >

દૂબે, શ્યામચરણ

દૂબે, શ્યામચરણ (જ. 25 જુલાઈ 1922; અ. 1996) : ભારતના ખ્યાતનામ માનવશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે મધ્યપ્રદેશની ‘કુમાર જાતિ’ પર પોતાનો શોધનિબંધ લખ્યો અને તે માટે તેમને યુનિવર્સિટી તરફથી મૉરિસ મેમોરિયલ શિષ્યવૃત્તિ મળી હતી. વ્યાખ્યાતા તરીકે નાગપુર, લખનૌ અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. તે પછી…

વધુ વાંચો >

દૂબ્વા, મેરી યુજિન

દૂબ્વા, મેરી યુજિન (જ. 28 જાન્યુઆરી 1858, એડ્સન, નેધરલૅન્ડ; અ. 16 ડિસેમ્બર 1940, ડી બેડલીર) : ડચ શરીરજ્ઞ, નૃવંશશાસ્ત્રી અને ભૂસ્તરવિજ્ઞાની. તેમણે વાનર અને માનવ વચ્ચેની કડીસ્વરૂપ જાવામૅનના અવશેષો શોધી કાઢ્યા હતા. તેમની કારકિર્દી ઍમસ્ટરડૅમ યુનિવર્સિટીના શરીરવિજ્ઞાનના વ્યાખ્યાતા તરીકે 1886થી શરૂ થઈ. તેમણે પૃષ્ઠવંશીઓમાં સ્વરપેટીની તુલનાત્મક અંત:સ્થ રચના વિશે સંશોધનો…

વધુ વાંચો >

દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે

દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે (જ. 14 જુલાઈ 1800, અલેસ, ફ્રાન્સ; અ. 10 એપ્રિલ 1884, કૅન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ. જીનીવામાં ઔષધાલયમાં નોકરી કરતાં કરતાં રસાયણ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તે દરમિયાન કેટલાક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું પ્રોત્સાહન મળવાથી તે પૅરિસ જઈ ત્યાંના ઇકૉલે પૉલિટેકનિકમાં મદદનીશ તરીકે જોડાયા અને 1835 સુધીમાં તે…

વધુ વાંચો >

દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ

દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ (જ. 1 સપ્ટેમ્બર 1881, ઠાસરા, જિ. ખેડા; અ. 3 ડિસેમ્બર 1960, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, કવિ, સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ, વતન અમદાવાદ. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં, માધ્યમિક કેળવણી વડોદરા, ઉચ્ચતર અભ્યાસ બહાઉદ્દીન કૉલેજ (જૂનાગઢ) અને ગુજરાત કૉલેજ (અમદાવાદ). બી.એ. 1906, એમ. એ. 1910. એમ.એ. અભ્યાસ દરમિયાન નારાયણ મહાદેવ…

વધુ વાંચો >

દૂરદર્શન

દૂરદર્શન : ભારતની ટેલિવિઝન પ્રસારણ-સંસ્થા. સ્ટુડિયો અને ટ્રાન્સમીટરની વ્યવસ્થા, કાર્યક્રમનું વૈવિધ્ય અને દર્શકોની વિશાળ સંખ્યાને કારણે દૂરદર્શન વિશ્વની એક વિશાળ પ્રસારણ-સંસ્થા છે. 1959ની 15મી સપ્ટેમ્બરે દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયો. અઠવાડિયાના બે દિવસ દિલ્હીની આજુબાજુનાં વીસ ગામોમાં કૃષિ અને શિક્ષણ…

વધુ વાંચો >

ર્દષ્ટિચકતીની ક્ષીણતા

Mar 18, 1997

ર્દષ્ટિચકતીની ક્ષીણતા (optic atrophy) : આંખમાંથી ર્દષ્ટિની સંવેદના લઈ જતી ર્દષ્ટિચેતા(optic nerve)ની ચકતીના ક્ષીણ થવાનો અને અંધાપો લાવતો વિકાર. ર્દષ્ટિપટલ(retina)માંના ચેતાતંતુઓ એકઠા થઈને ર્દષ્ટિચકતી (optic disc) બનાવે છે અને ત્યાંથી તે ર્દષ્ટિચેતા રૂપે મગજ તરફ જાય છે. ર્દષ્ટિચેતા 1 મિમી. જેટલી આંખના ગોળાની દીવાલમાં, 25 મિમી. જેટલી આંખના ગોખલા અથવા…

વધુ વાંચો >

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય

Mar 18, 1997

ર્દષ્ટિદોષ, વક્રીભવનીય (error of refraction) : આંખમાંનાં પારદર્શક માધ્યમોમાં થતા વિષમ વક્રીભવનને કારણે ઝાંખું દેખાવાનો વિકાર થવો તે. પ્રકાશનાં કિરણો જ્યારે પારદર્શક માધ્યમ બદલે ત્યારે તે વાંકાં વળે છે. તેને વક્રીભવન (refraction) કહે છે. તે સિદ્ધાંતનો આંખમાં ઉપયોગ કરાયેલો છે. બહારથી આવતા પ્રકાશનાં કિરણોને યોગ્ય રીતે વાંકાં વાળીને ર્દષ્ટિપટલના પીતબિંદુ…

વધુ વાંચો >