૯.૧૪

દાંત કચકચાવવાથી દિવેટિયા ભીમરાવ ભોળાનાથ

દિનકર

દિનકર (જ. 23 સપ્ટેમ્બર 1908, સિમરિયા મુંગેર જિલ્લો, બિહાર; અ. 24 એપ્રિલ 1974) : હિંદી ભાષાના અગ્રણી કવિ. મૂળ નામ રામધારી સિંહ. રાષ્ટ્રકવિનું બિરુદ પામેલા. ‘દિનકર’ તખલ્લુસ. ‘પદ્મભૂષણ’ (1959)ના સન્માન ઉપરાંત સાહિત્ય અકાદમી, દિલ્હી (1960) અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (1972)ના વિજેતા. ભાગલપુર યુનિવર્સિટીએ 1961માં ડિ.લિટ્ની માનદ ઉપાધિ આપેલી. ગરીબ ખેડૂત…

વધુ વાંચો >

દિનાજપુર

દિનાજપુર : બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમમાં હિમાલયની તળેટીમાં આવેલ રાજશાહી વહીવટી વિભાગનો જિલ્લો. નદીઓના કાંપથી રચાયેલાં ફળદ્રૂપ મેદાનોમાં આ જિલ્લો આવેલો છે. આ મેદાનોની વચ્ચે વચ્ચે થોડા ઊંચા ભાગો પણ આવેલા છે. બાલુર ઘાટનાં નદીઓના કાંપવાળાં ફળદ્રૂપ મેદાનોમાં ખાદ્યાન્ન તથા રોકડિયા પાકોનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેમાં શેરડી, શણ, તેલીબિયાં અને ડાંગરનો…

વધુ વાંચો >

દિબ્રુગઢ

દિબ્રુગઢ : આસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને…

વધુ વાંચો >

દિમિત્ર

દિમિત્ર (ઈ. સ. પૂ. ત્રીજી સદી) : એઉથીદિમનો પુત્ર અને બૅક્ટ્રિયાનો રાજા. ભારત અને બૅક્ટ્રિયાના રાજકીય ઇતિહાસમાં દિમિત્રનું યોગદાન ધ્યાનાર્હ રહ્યું છે. સિકંદર પછી ભારતમાં સિંધુ નદીની પૂર્વમાં ગ્રીક સત્તાને પ્રસારવા માટે દિમિત્ર જવાબદાર હતો. એના રાજ્યઅમલ દરમિયાન ભારતનો ગ્રીસ સાથેનો રાજકીય તેમજ સાંસ્કૃતિક સંબંધ ગાઢ બન્યો હતો. જોકે ભારતમાંની…

વધુ વાંચો >

દિયરવટું

દિયરવટું : પતિના મૃત્યુ બાદ તેની વિધવા સાથે પતિનો નાનો ભાઈ એટલે કે દિયર પરણે એવી પ્રથા. આ પ્રથા સદીઓથી વિભિન્ન સમાજોમાં જોવા મળે છે. દિયરવટાની પ્રથા વધુ સ્પષ્ટ રીતે વિધવાવિવાહની સાથે સંકળાયેલી છે. ભારતમાં વેદકાળમાં વિધવાને પોતાની મરજી મુજબ પુનર્વિવાહ કે નિયોગ કરવાની કે એકલી રહીને જીવવાની તક મળતી.…

વધુ વાંચો >

દિલીપકુમાર

દિલીપકુમાર (જ. 11 ડિસેમ્બર 1922, પેશાવર) : હિંદી ચલચિત્રોના એક અગ્રણી કલાકાર. મૂળ નામ યૂસુફખાન સરવરખાન પઠાણ. ‘ટ્રૅજેડી કિંગ’ તરીકે મશહૂર. પેશાવરના એક નાનકડા મહોલ્લા ખોદાદાદમાં ઉછેર. બાર ભાઈબહેનોમાં ચોથો નંબર. એક ભાઈ અયૂબની તબિયત ખરાબ થતાં પરિવાર મુંબઈમાં આવીને વસ્યો, જેથી અયૂબની સારામાં સારી સારવાર કરાવી શકાય, પણ અયૂબને…

વધુ વાંચો >

દિલ્હી

દિલ્હી : ભારતનું પાટનગર. 1956માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તથા 1991માં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઍક્ટ અન્વયે તેને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો અને વિધાનસભા બક્ષવામાં આવ્યાં. ત્યારથી તે દિલ્હી રાજ્યનું પણ પાટનગર છે. આ રાજ્ય 28° 23’ થી 28° 55’ ઉ. અ. અને 76° 05’થી 77° 25’ પૂ. રે. પર આવેલું છે.…

વધુ વાંચો >

દિલ્હી કૉલેજ

દિલ્હી કૉલેજ : ઉર્દૂ માધ્યમવાળી દિલ્હીની સૌપ્રથમ કૉલેજ. સ્થાપના 1825. દિલ્હી કૉલેજ મૂળ તો દિલ્હીમાં 1792માં સ્થપાયેલી ગાઝિયુદ્દીનની મદરેસાનું પરિવર્તન. ગાઝિયુદ્દીનની મદરેસા નવાબ નિઝામ-ઉલ-મુલ્ક આસિફ જાહના દીકરા નવાબ ગાઝિયુદ્દીનખાં ફીરોઝ જંગ બીજાએ શરૂ કરી હતી; તેની તાલીમી વ્યવસ્થા, અભ્યાસક્રમ, શિક્ષણ વગેરે ખૂબ પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યાં હતાં; પરંતુ તે વિશેની…

વધુ વાંચો >

દિલ્હી દરબાર

દિલ્હી દરબાર : બ્રિટનનાં રાજા-રાણીના રાજ્યાભિષેક પ્રસંગે ભારતમાં વિવિધ સમયે યોજાયેલા દરબાર. ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલીના અમલ દરમિયાન બ્રિટિશ પાર્લમેન્ટે ઈ. સ. 1876માં રૉયલ ટાઇટલ્સ ઍક્ટ પસાર કરીને ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાને ‘કૈસરે હિન્દ’ એટલે કે ભારતની સમ્રાજ્ઞીનો ઇલકાબ આપ્યો. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ લિટને રાણી વિક્ટોરિયા દ્વારા ‘કૈસરે હિન્દ’નો ખિતાબ…

વધુ વાંચો >

દિલ્હી સલ્તનત

દિલ્હી સલ્તનત કુત્બુદ્દીન અયબેક  (1206–1210)  : કુત્બુદ્દીન અયબેકને શિહાબુદ્દીન મોહમ્મદ ગોરીએ ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેના પ્રશંસનીય ગુણોને લીધે શિહાબુદ્દીને તેને લશ્કરની ટુકડીનો નાયક બનાવી અમીરોના વર્ગમાં દાખલ કર્યો અને ‘અમીરે આખૂર’ (શાહી તબેલાનો દારોગો) નીમ્યો. અયબેકે પોતાના માલિક સાથે રહીને ઘણી લડાઈઓમાં મહત્વપૂર્ણ કામગીરી કરી. ચૌહાણ રાજા પૃથ્વીરાજ સાથે…

વધુ વાંચો >

દાંત કચકચાવવા

Mar 14, 1997

દાંત કચકચાવવા (bruxism) : રાતના ઊંઘમાં દાંતને એકબીજા જોડે ઘસવાની ક્રિયા. જે વ્યક્તિને તે થતું હોય તેને માટે તે ખાસ મહત્વનું લક્ષણ (symptom) હોતું નથી; પરંતુ તેની સાથે સૂનારને તે ક્યારેક અકળાવે છે. સામાન્ય રીતે મનાય છે કે બાળકોમાં તેનું મુખ્ય કારણ આંતરડામાંનાં કૃમિ છે – ખાસ કરીને ઑક્ઝયુરિસ વર્મિક્યુલારિસ.…

વધુ વાંચો >

દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ

Mar 14, 1997

દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે…

વધુ વાંચો >

દાંતોં, ઝોર્ઝ ઝાક

Mar 14, 1997

દાંતોં, ઝોર્ઝ ઝાક (જ. 21 ઑક્ટોબર 1759, આર્સી સ્યુર ઓબ; અ. 5 એપ્રિલ 1794) : ફ્રાન્સની ક્રાંતિના અગ્રણી નેતા અને પ્રતિભાશાળી વક્તા. તેમણે 1784માં કાયદાનો અભ્યાસ પૂરો કર્યો અને કાનૂની વ્યવસાય માટે પૅરિસ આવ્યા. 1789માં દાંતોં એસ્ટેટ્સ-જનરલમાં ચૂંટાયા. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, સશક્ત નેતૃત્વ અને વાક્છટાને લીધે થોડા સમયમાં તે પૅરિસની ક્રાંતિકારી…

વધુ વાંચો >

દિકામારી

Mar 14, 1997

દિકામારી : દ્વિદળી વર્ગના રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia gummifera Linn. F. (સં. નાડી હિંગુ, હિંગુનાડિકા; હિં.બં.મ. ડિકામાલી; ગુ. દિકામારી, ક. કલહત્તિ, તા. ડિક્કેમલ્લી, તે ચિભહિંગ્વા, અ. કનખામ) છે. તે ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 1.5થી 1.8 મી. અને ઘેરાવો 30 સેમી.…

વધુ વાંચો >

દિક્પાલ

Mar 14, 1997

દિક્પાલ : દિશાનો રક્ષક. ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં છ દિશા અને તેના અધિપતિનો ઉલ્લેખ છે. આ અધિપતિમાં દેવત્વનું આરોપણ કરીને એનું અર્ચન શરૂ થયું. વાસ્તુશાસ્ત્રમાં દિક્પાલને દેવ ગણીને દેવાલયના મંડોવરમાં દિક્પાલની સેવ્યપ્રતિમા મૂકવાની પ્રથા આરંભાઈ જે પ્રકારાન્તરે આજે પણ અસ્તિત્વમાં છે. રામાયણ, મહાભારતમાં ચાર દિક્પાલોનો ઉલ્લેખ મળે છે. પાલિસાહિત્યમાં દિક્પાલ ‘મહારાજ’નું નામાભિધાન…

વધુ વાંચો >

દિગંબર કવિતા

Mar 14, 1997

દિગંબર કવિતા : આધુનિક ક્રાંતિકારી તેલુગુ કવિતા. પૂર્વનિશ્ચિત જીવનમૂલ્યોનો અસ્વીકાર કરીને સમગ્ર પ્રાચીનતાને ફગાવીને, નવા જીવનબોધનું મૂલ્યાંકન, દિગંબરપણે કશાય મુખવટા સિવાય કરવાના આશયથી આંધ્રના કેટલાક કવિઓએ દિગંબર પંથની સ્થાપના કરી. એ કવિઓમાં મુખ્ય હતા નગ્નમુનિ નિખિલેશ્વર, જ્વાલામુખી, ચેરખંડ રાજુ, ભૈરવપ્પા તથા મહાસ્વપ્ન. એમણે એમના નામથી નવો સંવત્સર ચલાવ્યો. ઋતુઓ અને…

વધુ વાંચો >

દિગંબર જૈન સંપ્રદાય

Mar 14, 1997

દિગંબર જૈન સંપ્રદાય : જૈન ધર્મનો એક સંપ્રદાય. જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે : (1) દિગંબર અને (2) શ્વેતાંબર. જૈન ધર્મના 24 તીર્થંકરોને બંને સ્વીકારે છે અને બંનેમાં ભક્તિ કે ઉપાસનામાં કશો ભેદ નથી; પરંતુ મુખ્ય ભેદ તેમનાં નામોમાંથી જ સ્પષ્ટ થાય છે. દિશારૂપી વસ્ત્ર પહેરનારા સાધુઓવાળો એ દિગંબર…

વધુ વાંચો >

દિગ્દર્શક

Mar 14, 1997

દિગ્દર્શક : દિશા ચીંધનાર એટલે કે નાટ્યમંચન માટે નાટકના લેખ(script)નું કલાશાસ્ત્રીય અર્થઘટન કરી, સમગ્ર નાટ્યમંડળી દ્વારા એની પ્રસ્તુતિનો આયોજક. લેખની પસંદગી, પાત્રવરણી, પાત્રસર્જન, રિયાઝ, સન્નિવેશ, રંગવેશભૂષા, પ્રકાશ અને સંગીતના આયોજનની સઘળી પ્રવૃત્તિમાં કેન્દ્રે રહી ભાવક-સંપર્ક અને સંબંધ માટે નિર્ણાયક નાટ્ય-અભિવ્યક્તિ અને અનુભાવનનાં સર્વ સૂત્રો સંભાળે તે દિગ્દર્શક. નાટ્ય-પ્રસ્તુતિના પ્રલંબ ઇતિહાસમાં…

વધુ વાંચો >

દિગ્બોઈ

Mar 14, 1997

દિગ્બોઈ : આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23’ ઉ. અ. અને 95° 38’ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ…

વધુ વાંચો >

દિદ્દા

Mar 14, 1997

દિદ્દા (દશમી સદીનો ઉત્તરાર્ધ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન અભિનવગુપ્તના પૌત્ર પર્વગુપ્તથી શરૂ થયેલા કાશ્મીરના એક રાજવંશની રાજમાતા અને ક્ષેમગુપ્ત(950)ની પત્ની. લોહર પ્રદેશના રાજા ખશ સિંહરાજની આ કુંવરી મહત્વાકાંક્ષી, ખટપટી, મેધાવી અને પ્રતિભાવંત હતી. ક્ષેમગુપ્ત આઠ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો ત્યારે તેનો પુત્ર અભિમન્યુ સગીર હતો. આથી રાજમાતા દિદ્દાએ વાલી…

વધુ વાંચો >