૯.૦૩

ત્રિપાઠી ગોવર્ધનરામથી ત્રુટિજન્ય રોગો

ત્રિપાઠી, ગોવર્ધનરામ

ત્રિપાઠી, ગોવર્ધનરામ (જ. 20 ઑક્ટોબર 1855, નડિયાદ; અ. 4 જાન્યુઆરી 1907, નડિયાદ) : ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર. પ્રથમ મહાનવલ (epic novel) આપનાર સર્જક. પિતાનું નામ માધવરામ ને માતાનું નામ શિવકાશી હતું. બાળપણમાં મુનિ મહારાજના સમાગમથી વૈષ્ણવ ભક્તિના સંસ્કારો, દલપતરામની ચોપાઈથી જાગેલો કવિતાપ્રેમ, પાછળથી ‘કાવ્યદોહન’ આદિના વાચનથી સંવર્ધિત થતાં ર્દઢ થયેલા કાવ્ય-સંસ્કારો…

વધુ વાંચો >

ત્રિપાઠી, જગન્નાથ દામોદર

ત્રિપાઠી, જગન્નાથ દામોદર : જુઓ, સાગર.

વધુ વાંચો >

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર

ત્રિપાઠી, બકુલ પદ્મમણિશંકર (જ. 27 નવેમ્બર 1928, નડિયાદ; અ. 31 ઑગસ્ટ 2006, અમદાવાદ) : ગુજરાતી હાસ્યકાર અને નાટ્યકાર. તખલ્લુસ ‘ઠોઠ નિશાળિયો’ માતાનું નામ સૂર્યબાળા મગન લાલ વોરા અને પિતાનું નામ પદ્મમણિશંકર. 1944માં મૅટ્રિક; 1948માં બી.કૉમ.; 1952માં એમ.કૉમ. અને 1953માં એલએલ.બી.. 1953થી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં. 1988માં નિવૃત્ત થયા ત્યાં સુધી…

વધુ વાંચો >

ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય

ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય (જ. 1 જુલાઈ 1942, પાંડર જસરા, જિ. અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નિર્ઝરિણી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. તેમણે…

વધુ વાંચો >

ત્રિપાઠી, મન:સુખરામ

ત્રિપાઠી, મન:સુખરામ (જ. 23 મે 1840, નડિયાદ; અ. 30 મે 1907, નડિયાદ) : ગુજરાતના પ્રાચીનતાના પક્ષપાતી વિદ્વાન લેખક. પિતા  સૂર્યરામ, માતા ઉમેદકુંવર, જ્ઞાતિએ વડનગરા નાગર. આઠ વર્ષની વયે પિતાનું અવસાન. શિક્ષણ ખેડામાં. નડિયાદના સાક્ષરોમાં તેમનું સ્થાન મહત્વનું છે. મન:સુખરામ આમ તો ગોવર્ધનરામના કાકા થતા હતા પણ એમનો સંબંધ પિતા-પુત્ર જેવો…

વધુ વાંચો >

ત્રિપાઠી, રાધાવલ્લભ

ત્રિપાઠી, રાધાવલ્લભ (જ. 1949, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના વિદ્વાન સંશોધનકાર, વાર્તાકાર અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સંધાનમ્’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફક્ત 7 વર્ષની ઉંમરે તેમણે સંસ્કૃતમાં વાર્તાઓ લખવી શરૂ કરી હતી. તેમણે એમ.એ., પીએચ.ડી અને ડી.લિટ્.ની પદવીઓ મેળવ્યા બાદ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધનકાર્ય તેમજ…

વધુ વાંચો >

ત્રિપાઠી, સૂર્યકાન્ત

ત્રિપાઠી, સૂર્યકાન્ત : જુઓ, નિરાલા

વધુ વાંચો >

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર

ત્રિપાર્શ્વ કાચનું હોકાયંત્ર (prismatic compass) : ભૂસ્તરીય તેમજ ભૌગોલિક સર્વેક્ષણ – ક્ષેત્રીય અભ્યાસકાર્ય માટે ઉપયોગમાં લેવાતું સાધન. આ સાધનથી દિશા અને દિશાકોણ જાણી શકાય છે. ક્ષેત્રમાં પોતાના સ્થાનનું બિંદુ નકશામાં મૂકી આપવા માટે દિશાકોણનો વિશેષે કરીને ઉપયોગ થાય છે. એ રીતે જોતાં તે સાદા હોકાયંત્રનું સુધારા-વધારાવાળું સ્વરૂપ ગણાય. આ સાધન…

વધુ વાંચો >

ત્રિપિટક

ત્રિપિટક : બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો. तिपिटक (સં. त्रिपिटक)માં सुतपिटक, विनयपिटक, अभिधम्मपिटकનો સમાવેશ થાય છે. જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો.…

વધુ વાંચો >

ત્રિપુરા

ત્રિપુરા : ઈશાન ભારતનું પર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 24° ઉ. અ. અને 95° પૂ. રે.. ઈશાન ખૂણે આસામ અને મિઝોરમને બાદ કરતાં સમગ્ર રાજ્ય બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 10,492 ચોકિમી. છે. રાજ્યના ઈશાન ખૂણે પ્રાચીન ખડકો અને ચૂનાના પથ્થરોની રચના ધરાવતી લુસાઈ ટેકરીઓ છે. ઉત્તરમાં નદીની…

વધુ વાંચો >

ત્રિવેણી

Mar 3, 1997

ત્રિવેણી : વિવિધ લલિત અને મંચનકલાઓના સર્વાંગી ઉત્કર્ષના ધ્યેયને વરેલી વડોદરાની અગ્રગણ્ય કલાસંસ્થા. સ્થાનિક કલાકારોને કલાપ્રદર્શન અને અભિવ્યક્તિની તક અને સાધનો પૂરાં પાડવાના આશયથી ઑગસ્ટ, 1960માં સ્થાપના. પ્રા. માર્કન્ડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ, નટુભાઈ પટેલ, સૂર્યબાળા પટેલ, હરીશ પટેલ, પ્રદ્યુમ્ન ભટ્ટ, કુંજ પટ્ટણી, ગુલામનબી શેખ, પ્રતિભા પંડિત, હરકાન્ત શુક્લ જેવા કલાકારો;…

વધુ વાંચો >

ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર

Mar 3, 1997

ત્રિવેદી, અતિસુખશંકર કમળાશંકર (જ. 15 એપ્રિલ 1885, સૂરત; અ. 16 જાન્યુઆરી 1963, નવસારી) : ગુજરાતી નિબંધકાર અને તત્વજ્ઞાનના અધ્યાપક. પિતા પ્રસિદ્ધ વૈયાકરણ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. પિતાની નોકરીમાં બદલીઓ થતાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદા જુદા સ્થળોએ લીધું હતું. 1904માં બી.એ., 1906માં એમ.એ. અને 1907માં એલએલ.બી. થયા. વડોદરા કૉલેજમાં ફિલૉસૉફીના…

વધુ વાંચો >

ત્રિવેદી, અરવિંદ

Mar 3, 1997

ત્રિવેદી, અરવિંદ (જ. ઇન્દોર, મધ્યપ્રદેશ) : ગુજરાતી રંગભૂમિ-ચલચિત્રોના જાણીતા અભિનેતા. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ નાટકો–ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક હતા. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. અરવિંદે ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો હતો. પિતા લકવાગ્રસ્ત થયા પછી નાની ઉંમરે જ તેમની…

વધુ વાંચો >

ત્રિવેદી, અર્ચન

Mar 3, 1997

ત્રિવેદી, અર્ચન (જ. 19 મે 1966, વડોદરા, ગુજરાત) : નાટ્યવિદ, અભિનેતા, દિગ્દર્શક. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ તેમણે દર્પણ અકાદમીમાંથી ભવાઈમાં ડિપ્લોમાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યારથી તેઓ ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે એક કલાકાર તરીકે છેલ્લાં 30 વર્ષથી સક્રિય છે. ‘ગુજરાત સમાચાર’ – આઇ.એન.ટી. દ્વારા આયોજિત આંતરકૉલેજ…

વધુ વાંચો >

ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ

Mar 3, 1997

ત્રિવેદી, અશ્વિનકુમાર માધવલાલ (જ. 25 જાન્યુઆરી 1913, પાટણ (ઉ. ગુજરાત); અ. 11 ઑગસ્ટ 1971, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના સુપ્રસિદ્ધ સંશોધક–અધ્યાપક. પિતા માધવલાલ તથા માતા વિમુબહેનના સુપુત્ર અશ્વિનકુમારે નાનપણમાં જ માતા ગુમાવી દીધેલી. 1929માં મુંબઈ વિશ્વવિદ્યાલયની મૅટ્રિક્યુલેશનમાં ગણિતમાં ડિસ્ટિંકશન સાથે પાસ થઈ વડોદરા સાયન્સ કૉલેજમાંથી 1933માં બી.એસસી. તથા ડૉ. એમ.ડી. અવસારેના હાથ…

વધુ વાંચો >

ત્રિવેદી, ઉત્તમલાલ

Mar 3, 1997

ત્રિવેદી, ઉત્તમલાલ (જ. 16 ડિસેમ્બર 1872, અમદાવાદ; અ. 9 ડિસેમ્બર 1923) : ગુજરાતી સાહિત્યમાં ‘પંડિતયુગ’ના એક સત્વશીલ વિવેચક, ચિંતક અને અનુવાદક. પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ સદાલક્ષ્મી. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં. પિતા સૌરાષ્ટ્રના લીંબડી રાજ્યમાં દીવાન હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ લખતરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1887માં મૅટ્રિકની…

વધુ વાંચો >

ત્રિવેદી, ઉપેન્દ્ર

Mar 3, 1997

ત્રિવેદી, ઉપેન્દ્ર (જ. 14 જુલાઈ 1937, ઇન્દોર; અ. 4 જાન્યુઆરી 2015, વિલે પાર્લે, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા-નિર્માતા-નિર્દેશક. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો. પિતા લકવાગ્રસ્ત થયા પછી નાની ઉંમરે જ તેમની…

વધુ વાંચો >

ત્રિવેદી, ચંદુલાલ માધવલાલ (સર)

Mar 3, 1997

ત્રિવેદી, ચંદુલાલ માધવલાલ (સર) (જ. 2 જુલાઈ 1893, અમદાવાદ; અ. 14 માર્ચ 1980) : પ્રથમ ગુજરાતી રાજ્યપાલ. વતન કપડવંજ. જન્મ અમદાવાદમાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી 1913માં બી.એ. થયા. ઑક્સફર્ડ યુનિવર્સિટીની જ્હૉન કૉલેજમાં જોડાયા. ભારતીય સનદી સેવાની પરીક્ષા પસાર કરી 1917માં હિન્દના બ્રિટિશ શાસનમાં જોડાયા. ઉપસચિવના પદેથી એક પછી એક…

વધુ વાંચો >

ત્રિવેદી, ચિમનલાલ

Mar 3, 1997

ત્રિવેદી, ચિમનલાલ (જ. 2 જૂન, 1929, મુજપુર, તા. સમી, જિ. મહેસાણા) : ગુજરાતી સાહિત્યના – ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી, વિવેચક, સંપાદક અને સંનિષ્ઠ અધ્યાપક. ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રશિષ્ટ રુચિ ધરાવતા, વિદ્યાર્થીવત્સલ, વિદ્વાન પ્રાધ્યાપક તરીકે જે થોડા મહાનુભાવોને આદરભર્યું સ્થાન સમાજમાં મળ્યું છે તેમાંના એક તે શ્રી ચિમનલાલ ત્રિવેદી. પિતાનું…

વધુ વાંચો >

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર

Mar 3, 1997

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (જ. 29 નવેમ્બર 1919, અમદાવાદ; અ. 8 જાન્યુઆરી 1994, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના વિખ્યાત સંશોધક અને અધ્યાપક. પિતા જટાશંકરભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય. જયંતીભાઈએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ પિતાના માર્ગદર્શન નીચે ઘરે રહીને કરેલો તથા પાંચમા ધોરણથી નિશાળે જતા થયા. આર.સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને 1936માં તેઓ મૅટ્રિક થયા. વધુ…

વધુ વાંચો >