૭.૦૪

ચલમથી ચંદ્રનગર

ચલમ

ચલમ (જ. 18 મે 1894, ચેન્નાઈ; અ. 4 મે 1979, અરુણાચલમ્) : સુપ્રસિદ્ધ તેલુગુ નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ વેંકટચલમ્ ગુડિપતિ હતું. તેમનો જન્મ ચેન્નાઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમ્મુરી શંભાશિવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેનાલી અને કાકિનાડામાં લીધા…

વધુ વાંચો >

ચલાવયવતા (tautomerism)

ચલાવયવતા (tautomerism) : કાર્બનિક સંયોજનોના બંધારણીય સમઘટકોનું પ્રત્યાવર્તી અન્યોન્ય આંતરરૂપાંતર (reversible interconversion). આવાં રૂપાંતરણોમાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં પ્રોટૉનનું સ્થાનફેર થતું હોવાથી તેને પ્રોટોટ્રૉપી કહે છે. ઍલાઇલિક, વૅગ્નર-મીરવાઇન વગેરે પ્રક્રિયાઓમાં ઋણાયન (anion) સ્થાનફેર થતો હોઈ તેને ઍનાયનોટ્રૉપી કહે છે. આ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ પરિવર્તનશીલ હોવાથી તે ચલાવયવી પુનર્વિન્યાસ કહેવાય છે. અગાઉ થૉર્પ…

વધુ વાંચો >

ચલાળા

ચલાળા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દાના ભગતની જગ્યાને લીધે જાણીતું થયેલ મથક. તે 21° 25’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ધારીથી 19 કિમી. અને અમરેલીથી 25.75 કિમી. દૂર છે. ખીજડિયા-ધારી-વેરાવળ રેલવે ઉપરનું સ્ટેશન છે અને બસવ્યવહાર દ્વારા અમરેલી, બગસરા, ધારી, રાજુલા અને જાફરાબાદ…

વધુ વાંચો >

ચલીહા, બિમલાપ્રસાદ

ચલીહા, બિમલાપ્રસાદ (જ. 26 માર્ચ 1912, શિવસાગર; અ. 8 ફેબ્રુઆરી 1971, ગુવાહાટી) : અસમના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સ્વાધીનતાસેનાની. પિતા કાલીપ્રસાદ જાણીતા વકીલ તથા ચાના બગીચાના માલિક. શિક્ષણ વતનમાં તથા કોલકાતામાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં શિક્ષણ પડતું મૂક્યું. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ કારાવાસ ભોગવ્યો (1921). સ્વયંચાલિત ચરખાની શોધ કરી;…

વધુ વાંચો >

ચલીહા, સૌરભકુમાર

ચલીહા, સૌરભકુમાર (જ. 1930, ગુવાહાટી; અ. 25 જૂન 2011, ગુવાહાટી) : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અસમિયા વાર્તાકાર. તેમનું મૂળ નામ સુરેન્દ્રનાથ મેધિ હતું. ‘ચલીહા સૌરભકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી 1950માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી ઑનર્સ સાથે અને ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અસમ ઇજનેરી…

વધુ વાંચો >

ચવક

ચવક : આયુર્વેદિક ઔષધિ. સં. चविका, चव्य; હિં. चवक; લૅ. Piper chaba. ચવકમાં પીપરીમૂળ જેવા કફવાત-દોષશામક, પિત્તવર્ધક, દીપન, પાચન, વાતાનુલોમન, યકૃદુત્તેજક, કૃમિઘ્ન તથા હરસનાશક જેવા ખાસ ગુણ છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, ઝાડા, ઉદરરોગ, કિડની(વૃક્ક)ના રોગો, ઉધરસ, શ્વાસ, જૂની શરદી, જળોદર, ઊલટી, કફજ પ્રમેહ, મેદરોગ, સંગ્રહણી, ક્ષય તથા મદ્યવિકારને મટાડે…

વધુ વાંચો >

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ (જ. 12 માર્ચ 1914, દેવરાષ્ટ્રે, જિલ્લો સાતારા; અ. 25 નવેમ્બર 1984, નવી દિલ્હી) : મહારાષ્ટ્રના અગ્રણી મુત્સદ્દી, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960) તથા ભારતના સંરક્ષણપ્રધાન. સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ.; એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ…

વધુ વાંચો >

ચશ્માં

ચશ્માં : ચશ્માંનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઈ. સ. 150માં કલાડિઅસ ટૉલેમસે ગ્રીક અને રોમન લોકોને કાચના વાસણમાં પાણી ભરીને એ વાસણનો ઉપયોગ પદાર્થને મોટો કરીને જોવામાં થતો હોવાનું નોંધ્યું છે. 1270માં માર્કો પોલોએ ચીનના લોકો દૃષ્ટિ સુધારવા માટે દૃગકાચનો ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારથી પ્રથમ બહિર્ગોળ કાચનો…

વધુ વાંચો >

ચહલ, યજુવેન્દ્રસિંહ

ચહલ, યજુવેન્દ્રસિંહ (જ. 23 જુલાઈ 1990, જીંદ, હરિયાણા) : જમણેરી લેગસ્પીનર યજુવેન્દ્રસિંહ ભારતનો એક માત્ર એવો ખેલાડી છે જેણે ચેસ અને ક્રિકેટ બંનેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 16 વર્ષથી નાની વયના ખેલાડીઓ માટે રમાતી વિશ્વ યુવા ચૅમ્પિયનશિપમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારબાદ ચેસ માટે સ્પોન્સરર ન મળતાં…

વધુ વાંચો >

ચહેરાનો વિપત્તિકારક ચેપ

ચહેરાનો વિપત્તિકારક ચેપ : ચહેરા પર લાગતો જોખમી ચેપ. ચહેરામાં લોહીનું પરિભ્રમણ પુષ્કળ હોય છે. વળી નાકના ટેરવા અને હોઠોની આસપાસના ભાગમાંની શિરાઓ (veins) ચહેરાના સ્નાયુઓ તથા નેત્રકોટર(orbit)માંની નસો સાથે જોડાયેલી હોય છે અને તે દ્વારા ચહેરો ખોપરીની અંદર મગજની આસપાસ આવેલી શિરાઓ સાથે પણ જોડાણ ધરાવે છે. મગજની નીચલી…

વધુ વાંચો >

ચંદન (સુખડ)

Jan 4, 1996

ચંદન (સુખડ) : દ્વિદળી વર્ગના સેન્ટેલેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Santalum album Linn. (સં. હિં. મ. ચંદન; ક. શ્રીગંધમારા; તે. ચંદનમુ; તા. મલા. ચંદનમારં; ફા. સંદલ; અ. સંદલે, અબાયદ; અં. સેંડલવૂડ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું (8–10 મી. ઊંચું) અર્ધ-પરોપજીવી (semi-parasite), સદાહરિત (evergreen) અને પાતળી શાખાઓ ધરાવતું વૃક્ષ…

વધુ વાંચો >

ચંદનબલાલાક્ષાદિ તૈલ

Jan 4, 1996

ચંદનબલાલાક્ષાદિ તૈલ : આયુર્વેદિક ઔષધ. રક્તચંદન, બલા (ખરેટી) મૂળ, લાખ તથા ખસ – આ દરેક દ્રવ્ય 16–16 ભાગ લઈ તેનો જવકૂટ ભૂકો કરી, તેમાં 256 ગણું પાણી ઉમેરી, તેનો ચોથા ભાગે શેષ રહે તેવો (64 ભાગ રહે તેવો) ઉકાળો કરી ગાળી લેવામાં આવે છે. પછી 32 ભાગ તલનું તેલ લઈ,…

વધુ વાંચો >

ચંદ બરદાઈ

Jan 4, 1996

ચંદ બરદાઈ (જ. 1146 (?), લાહોર; અ. 1191, ગઝની) : ડિંગલ ભાષામાં લખેલા ‘પૃથુરાજરાસો’ મહાકાવ્યના રચયિતા. હિંદીભાષી લોકો તેમને હિંદીના પ્રથમ મહાકવિ માને છે. વીરરસથી ભરપૂર આ પ્રસિદ્ધ ગ્રંથની 60 કરતાં વધુ હસ્તપ્રતો મળી આવી હતી; તે સોળમી સદીની હોય તેમ માનવામાં આવે છે. તેમાં કઈ નકલ પ્રમાણભૂત ગણવી તે…

વધુ વાંચો >

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ

Jan 4, 1996

ચંદરયા, મણિલાલ પ્રેમચંદ (જ. 1 માર્ચ, 1929 જ. નૈરોબી-) : ભારતીય મૂળના કેન્યાના ઉદ્યોગપતિ અને આફ્રિકન વ્યાપાર જગતના રાજા. તેમના પિતા સૌરાષ્ટ્રના વતની હતા, પરંતુ વેપાર માટે નૈરોબી ગયા. ત્યાં પ્રોવિઝન્સની દુકાન કરી પછી કેન્યા ગયા. તેમણે નાગરામાં પ્રોવિઝન્સ સ્ટોરની સ્થાપના કરી પછી મોમ્બાસામાં તેનો વિસ્તાર કર્યો. મણિલાલે નૈરોબી અને…

વધુ વાંચો >

ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ

Jan 4, 1996

ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ (જ. 1 માર્ચ 1929, નૈરોબી, કેન્યા) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ કેન્યામાં લીધું હતું. ભારતમાં આવીને 1949માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (રસાયણ અને ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવ્યા બાદ 1950માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાંથી બી. એસ. (એન્જિનિયરિંગ) અને 1951માં એમ. એસ.(એન્જિનિયરિંગ)ની પદવીઓ પ્રાપ્ત કરી. 1951માં આફ્રિકા પરત આવી…

વધુ વાંચો >

ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર

Jan 4, 1996

ચંદરવાકર, પુષ્કર પ્રભાશંકર (જ. 16 ફેબ્રુઆરી 1921, ચંદરવા, જિ. અમદાવાદ; અ. 16 ઑગસ્ટ 1995, અમદાવાદ) : ‘ર. ર. ર.’, ‘પુષ્પજન્ય’, ‘સુધીર ઘોષ’ તખલ્લુસો. ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક. તેમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચંદરવા, બોટાદ અને લીંબડીમાં. 1939માં મૅટ્રિક થયા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે 1944માં બી.એ.…

વધુ વાંચો >

ચંદા

Jan 4, 1996

ચંદા : ગુજરાતી નવલકથા ‘જનમટીપ’(ઈશ્વર પેટલીકર)ની નાયિકા. ઠાકરડા કોમની આ ખેડૂતકન્યા સાંઢ નાથીને શૌર્ય દાખવે છે, ચોક્કસ આગ્રહો સાથે જીવે છે, વેઠે છે અને કુટુંબને તારે છે. નારીની કુટુંબનિષ્ઠા અને પુરુષસમોવડું પરાક્રમ દાખવતી ચંદા ગ્રામજીવનની વાસ્તવિકતા ઉપર ઊભી રહીને લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. સાંઢ નાથનાર ચંદાની સગાઈ તૂટે છે અને…

વધુ વાંચો >

ચંદાવરકર, સર નારાયણ ગણેશ

Jan 4, 1996

ચંદાવરકર, સર નારાયણ ગણેશ (જ. 2 ડિસેમ્બર 1855, હોનાવર, કર્ણાટક; અ. 14 મે 1923, બૅંગાલુરુ) : અગ્રણી સમાજસુધારક, ધારાશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ. 1871માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા 1876માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે જ કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. 1881માં સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા અને વકીલાત શરૂ કરી.…

વધુ વાંચો >

ચંદૂર, માલતી

Jan 4, 1996

ચંદૂર, માલતી (જ. 21 ડિસેમ્બર 1930, નુઝવિદ, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ; અ. 21 ઑગસ્ટ 2013, ચેન્નાઇ, તમિળનાડુ) : આંધ્રનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર તથા અનુવાદક. તેમને તેમની તેલુગુ નવલકથા ‘હૃદયનેત્રી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નુઝવિદ અને એલરુમાં લીધું. તેમણે કૉલેજશિક્ષણ મેળવ્યું નથી.…

વધુ વાંચો >

ચંદેલ વંશ અને રાજ્ય

Jan 4, 1996

ચંદેલ વંશ અને રાજ્ય : ચંદ્રથી ઉત્પન્ન થયેલ મનાતા ચંદ્રત્રેય નામના ઋષિના વંશજો. રજપૂતોની 36 શાખાઓમાં ચંદેલાની ગણતરી કરવામાં આવે છે. આ વંશના શરૂઆતના રાજાઓ કનોજના ગૂર્જર પ્રતિહાર વંશના સામંતો જેવા હતા. ચંદેલ રાજવંશની સ્થાપના નન્નુક નામના રાજાએ ઈસુની નવમી સદીની પ્રથમ પચીશી દરમિયાન કરી હતી. એનું મુખ્ય મથક ખર્જુરવાહક…

વધુ વાંચો >