૬(૧).૨૬

ગાંધી રંભાબહેન મનમોહનથી ગિલ ગુલઝાર સિંઘ

ગાંધી, રંભાબહેન મનમોહન

ગાંધી, રંભાબહેન મનમોહન (જ. 27 એપ્રિલ 1911, સરવાળ, તાલુકો ધંધૂકા; અ. 29 માર્ચ 1986) : ગુજરાતી નાટ્યકાર, ગીતલેખક, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક અને હાસ્યલેખક. 1926માં મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યાં. 1937માં અર્થશાસ્ત્ર અને માનસશાસ્ત્ર સાથે કર્વે યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. રાષ્ટ્રભાષામાં કોવિદ થયેલાં. અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદીનાં જ્ઞાતા. 1949થી 1953…

વધુ વાંચો >

ગાંધી, રાજમોહન દેવદાસ

ગાંધી, રાજમોહન દેવદાસ (જ. 7 ઑગસ્ટ 1935, દિલ્હી) : જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય. તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હીમાં મૉડર્ન સ્કૂલ તથા સેંટ સ્ટીવન્સ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ સાપ્તાહિક હિમ્મત, મુંબઈના…

વધુ વાંચો >

ગાંધી રાજીવ

ગાંધી, રાજીવ (જ. 10 ઑગસ્ટ 1944, મુંબઈ; અ. 21 મે 1991, શ્રીપેરામ્બદુર, તામિલનાડુ) : ભારતના સૌથી યુવાન વડાપ્રધાન, આર્થિક ઉદારીકરણની નીતિની શરૂઆત કરનાર તથા નવી ટૅક્નૉલૉજીને આવકારીને ભારતને એકવીસમી સદીમાં પ્રવેશ કરાવવાની ઉમેદ રાખનાર નેતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલા કુટુંબમાં તેમના વડદાદા મોતીલાલ નહેરુ, તેમના નાના જવાહરલાલ નહેરુ, માતા ઇન્દિરા ગાંધી…

વધુ વાંચો >

ગાંધી, રામચંદ્ર

ગાંધી, રામચંદ્ર (જ. 9 જૂન 1937, ચેન્નાઇ; અ. 13 જૂન 2007, નવી દિલ્હી) : અગ્રણી દાર્શનિક અને આજન્મ શિક્ષક. પિતાનું નામ દેવદાસ (ગાંધી) અને માતાનું નામ લક્ષ્મી જે ચક્રવર્તી રાજગોપાલાચારીનાં પુત્રી હતાં. તેમનું સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં અને ઉચ્ચ શિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં થયેલું. તેમણે…

વધુ વાંચો >

ગાંધી, રાહુલ

ગાંધી, રાહુલ (જ. 19 જૂન, 1970, દિલ્હી, ભારત) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(આઈએનસી)ના નેતા. વર્ષ 2004થી વર્ષ 2019 સુધી ત્રણ વાર ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી અને વર્ષ 2019થી 23 માર્ચ, 2023 સુધી કેરળની વાયનાડ બેઠક પરથી સાંસદ. હાલ સૂરતની જ્યુડિશિયલ કોર્ટે માનહાનિના એક કેસમાં તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા છે અને બે…

વધુ વાંચો >

ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ

ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ (જ. 23 ઑગસ્ટ 1894, દાઠા, ગોહિલવાડ; અ. 29 માર્ચ 1976) : પ્રસિદ્ધ જૈન પંડિત. પ્રાથમિક શિક્ષણ વતનમાં, પછી વારાણસીની યશોવિજય જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં આશરે આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિનો ઊંડો અભ્યાસ કર્યો. પાછા ફરી ચારેક વર્ષ અધ્યાપન-સંશોધનની છૂટક નોકરીઓ કરી. થોડો સમય બિકાનેરમાં…

વધુ વાંચો >

ગાંધી વિદ્યાપીઠ, વેડછી

ગાંધી વિદ્યાપીઠ, વેડછી : ગાંધીવાદી કેળવણીકાર જુગતરામભાઈની 40 વર્ષની સાધના અને આરાધનાને પરિણામે આકાર પામેલી સંસ્થા. 1967માં તેની સ્થાપના થઈ તેના ચાર દાયકા પહેલાં આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે ચૂનીભાઈ મહેતા અને જુગતરામભાઈ દવેએ વેડછીમાં આશ્રમ સ્થાપી ખાદી અને બુનિયાદી શિક્ષણનાં માધ્યમો દ્વારા આદિવાસીઓમાં શિક્ષણ અને સ્વાવલંબનનું સંસ્કાર-સિંચન કરવા માંડ્યું હતું.…

વધુ વાંચો >

ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ

ગાંધી, શામળદાસ લક્ષ્મીદાસ (જ. 1897, રાજકોટ; અ. 8 જૂન 1953, મુંબઈ) : જૂનાગઢની આરઝી હકૂમતના સરનશીન અને પત્રકાર. ગાંધીજીના મોટા ભાઈ લક્ષ્મીદાસ ઉર્ફે કાળિદાસ ગાંધીના મોટા પુત્ર. માતાનું નામ નંદકુંવરબા અને પત્નીનું નામ વિજયાબહેન. તેમને કિશોર અને હેમંત નામના બે પુત્રો અને પુષ્પા તથા મંજરી નામની બે પુત્રીઓ હતી. કિશોર…

વધુ વાંચો >

ગાંધી, સંજય

ગાંધી, સંજય (જ. 14 ડિસેમ્બર 1946, મુંબઈ; અ. 23 જૂન 1980, દિલ્હી) : ઇન્દિરા અને ફિરોઝ ગાંધીના નાના અને અત્યંત મહત્વાકાંક્ષી પુત્ર. તે કૉલેજ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી ત્યારે સંજય ગાંધી 27 વર્ષની નાની વયે માતાની પડખે ઊભા રહ્યા. દિલ્હીમાં તુર્કમાન ગેટ અને…

વધુ વાંચો >

ગાંધી, સોનિયા

ગાંધી, સોનિયા (જ. 9 ડિસેમ્બર 1946, લુસિયાના, ઇટાલી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં વિદ્યમાન (2006) મહિલા-પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પત્ની. ઇટાલીમાં જન્મેલાં અને ઊછરેલાં સોનિયા ગાંધીનું મૂળ નામ એડવિગે ઍન્ટૉનિયા અલ્બિના માઇનો હતું. પિતા સ્ટેફાનો માઇનો તથા માતા પાઓલા માઇનો. મકાનોના કૉન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા પિતા સાથે કિશોરાવસ્થા સુધી આરબાસાનો…

વધુ વાંચો >

ગિરજાદેવી

Jan 26, 1994

ગિરજાદેવી (જ. 8 મે 1929, વારાણસી; અ. 24 ઑક્ટોબર 2017, કોલકાતા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ ગાયનની સાથે ઠૂમરી, દાદરા, ગઝલ તથા ટપ્પા ગાયનનાં નિપુણ કલાકાર. પિતા બાબા રામદાસ રાય સંગીતના અનન્ય પ્રેમી અને સંગીતના પંડિત હતા. ગિરજાદેવી પર ઘરના સંગીતમય વાતાવરણનો પ્રભાવ બાળપણથી જ હતો. સંગીતના પાઠ નાનપણમાં…

વધુ વાંચો >

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી)

Jan 26, 1994

ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી) : મુખ્યત્વે બાળકોને અનુલક્ષીને રચાયેલું સંગ્રહાલય. 1934માં સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં, તેના પુરાતત્વીય સંગ્રહનાં પગરણ થયાં પછી આ મ્યુઝિયમની સ્થાપના 1955માં થઈ. પુરાતત્વ અને મ્યુઝિયમમાં રસ ધરાવનાર પ્રતાપરાય ગિરધરભાઈ મહેતાએ સૌપ્રથમ 1921માં અમરેલીની આ પ્રકારની અગત્ય તરફ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે પુરાતત્વીય ઉત્ખનનમાંથી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન…

વધુ વાંચો >

ગિરનાર

Jan 26, 1994

ગિરનાર : ગુજરાતનો એક ઊંચામાં ઊંચો અને પવિત્ર ગણાતો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે.. તે જૂનાગઢની પૂર્વમાં 3.62 કિમી. દૂર આવેલો છે. ગિરનાર વાસ્તવિક રીતે ગિરિમાળાનો એક સમૂહ છે, જેમાં અનેક ડુંગર-ડુંગરીઓ છે. તેમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા એ પાંચ…

વધુ વાંચો >

ગિરનારા, દયાશંકર વસનજી

Jan 26, 1994

ગિરનારા, દયાશંકર વસનજી (જ. 1864, જૂનાગઢ; અ. 27 નવેમ્બર 1909, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના અભિનેતા. માતાનું નામ વ્રજકુંવર હતું. એમના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. તે પાંચ વર્ષની નાની વયે હલકદાર કંઠે ભજનો ગાતા. સાત વર્ષની વયે શાળાપ્રવેશના પ્રથમ દિને એમણે સુરદાસનું પદ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો’ આંસુ સાથે…

વધુ વાંચો >

ગિરમીટ

Jan 26, 1994

ગિરમીટ (hand auger) : લાકડામાં મોટા અને લાંબા બોલ્ટ બેસાડવા સારુ ઊંડાં કાણાં પાડવા માટે વપરાતું, સુથારીકામમાં વપરાતાં વિવિધ હાથ-ઓજારોમાંનું એક. આ ઓજારનો મુખ્ય ભાગ પોલાદના લાંબા સળિયામાંથી બનાવેલ 40થી 60 સેમી. લાંબી દાંડી હોય છે. દાંડીનો ઉપરનો ભાગ વધુ જાડો અને ચોરસ બનાવવામાં આવે છે. આ ભાગ હાથો ભરાવવાના…

વધુ વાંચો >

ગિરિદિહ

Jan 26, 1994

ગિરિદિહ : ઝારખંડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 11´ ઉ. અ. અને 86° 18´ પૂ. રે.ની આજુબાજુનો 4,887 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવાડા અને જામુઈ, પૂર્વ તરફ જામુઈ અને દેવઘર, અગ્નિ તરફ ડુમકા, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન

Jan 26, 1994

ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન : લાખો વર્ષના સમયગાળા દરમિયાન થયેલી પર્વતરચના. ગિરિનિર્માણ ભૂસંચલન એ પર્વતરચનાની એવા પ્રકારની તબક્કાવાર ઘટના છે, જેમાં વિવિધતાવાળાં વિરૂપક બળોની અસર હેઠળ પર્વત-હારમાળાઓનું ઉત્થાન થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઘનિષ્ઠ રીતે વિરૂપતા પામેલા જાતજાતની ગેડવાળા, સ્તરભંગ તેમજ ધસારા રચનાવાળા ખડકપટ્ટાઓની રચના થાય છે. પૃથ્વીના પટ પર જોવા…

વધુ વાંચો >

ગિરિપ્રવચન

Jan 26, 1994

ગિરિપ્રવચન : બાઇબલના ઉત્તરાર્ધ, નવા કરારમાં પહેલા પુસ્તક માથ્થીના શુભસંદેશમાંનાં પાંચથી સાત સુધીના ત્રણ અધ્યાયો. ગિરિપ્રવચન બાઇબલના ધર્મસંદેશનો અર્ક અને સાર છે. તેમાં માનવજીવન વિશેની સર્વોત્કૃષ્ટ ભાવના, ઉચ્ચ આદર્શો તથા પ્રભુમય જીવન વિશે પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. સાદી, સચોટ અને મર્મવેધક ભાષામાં અપાયેલો આ સંદેશ નીતિમત્તા, ધર્મ અને આધ્યાત્મિકતાનો…

વધુ વાંચો >

ગિરિરાજ કિશોર

Jan 26, 1994

ગિરિરાજ કિશોર (જ. 8 જુલાઈ 1937, મુઝફ્ફરપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ફેબ્રુઆરી 2020, ન્યૂદિલ્હી ) : હિંદીના જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક તથા નવલકથાકાર. તેમની ઉત્તમ નાટ્યકૃતિ ‘ઢાઈ ઘર’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં…

વધુ વાંચો >

ગિરિ, રામચંદ્ર

Jan 26, 1994

ગિરિ, રામચંદ્ર (જ. 1905, તુરા, ગારો હિલ્સ) : નેપાળી સાહિત્યકાર. તેમના ‘સમાજદર્પણ’ નામના મહાકાવ્યને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ નાના હતા ત્યારથી જ આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. રાષ્ટ્રીય નવચેતનાના પગલે શાળાકીય અભ્યાસ છોડી દઈ તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવી વસ્યા હતા. અહીં તેઓ સંસ્કૃત તથા કાંતણ…

વધુ વાંચો >