૫.૦૫

કુનૂરથી કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો

કુરુઓ

કુરુઓ : ઐલવંશમાં અગ્રિમ સ્થાન પામેલા ભારતીય આર્યોની એક ટોળી. કુરુના નામ પરથી તેમનો પ્રદેશ ‘કુરુક્ષેત્ર’ તરીકે ઓળખાયો. એનું પાટનગર મેરઠ પાસે ગંગાતટે આવેલું હસ્તિનાપુર હતું. એમના વંશમાં શંતનુ નામે પ્રતાપી રાજા થયા. એમના પુત્ર વિચિત્રવીર્યની બે રાણીઓને ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામે ક્ષેત્રજ પુત્ર થયા. ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચેનો સંઘર્ષ…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા)

કુરુક્ષેત્ર (સાહિત્ય : નવલકથા) : ગુજરાતી નવલકથાસર્જક દર્શકની એક મહત્વની નવલકથા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લખાયેલી કૃષ્ણવિષયક કૃતિઓમાં ‘કુરુક્ષેત્ર’ એક નવું ઉમેરણ છે. ‘કુરુક્ષેત્ર’માં દર્શકે મુખ્યત્વે બે હેતુ તાક્યા છે : એક તો મહાભારતના કૃષ્ણનું (ભગવાન તરીકે નહિ, પણ) લોકોત્તર મહામાનવ તરીકે નિરૂપણ. બીજો હેતુ આર્ય-અનાર્ય વચ્ચે લગ્નસંબંધ દ્વારા સાંસ્કૃતિક એકતાની…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય)

કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય) : ગુજરાતી કવિ ન્હાનાલાલે કરેલો મહાકાવ્યનો પ્રયોગ. અર્વાચીન ગુજરાતી કવિતામાં ન્હાનાલાલ પૂર્વે પણ મહાકાવ્ય રચવાના પ્રયત્નો થયેલા. નર્મદ, દોલતરામ, ભીમરાવ, ગોવર્ધનરામ વગેરેએ કર્યા છે તેમાં ‘એપિક’ સર્જવાનો ન્હાનાલાલનો આ સભાન પ્રયત્ન વિશેષ ધ્યાનાર્હ છે. એમની લાક્ષણિક ડોલનશૈલીમાં મહાકાવ્યનું આ વસ્તુનિર્માણ કરતાં ખાસ્સાં બત્રીસ વર્ષ લાગેલાં. કવિના…

વધુ વાંચો >

કુરુદેશ

કુરુદેશ : પૌરાણિક પરંપરા અનુસાર ઉત્તરે સરસ્વતી અને દક્ષિણે ર્દષદ્વતી વચ્ચે આવેલો પ્રદેશ. વેદકાળ દરમિયાન કુરુ રાજ્યમાં હાલનાં થાણેશ્વર, દિલ્હી અને અપર ગંગા-દોઆબનો સમાવેશ થતો. વેદસંહિતાઓ, બ્રાહ્મણ, ઉપનિષદ અને સૂત્રકાળમાં કુરુક્ષેત્ર એ મુખ્ય સ્થળ હતું, જે કુરુપાંચાલોનો પ્રદેશ કહેવાતો. તેની દક્ષિણે ખાંડવ, ઉત્તરે તુર્ધ્ન અને પશ્ચિમે પરીણા આવેલાં હતાં. વશો…

વધુ વાંચો >

કુરુ-પાંચાલો

કુરુ-પાંચાલો : પ્રાચીન ભારતની શક્તિશાળી ચંદ્રવંશી જાતિઓ. તે એકબીજાની મિત્ર અને મદદગાર હતી. વૈદિક સમયમાં કુરુ વંશ અને ભરત વંશના લોકો એક બનીને કુરુ તરીકે ઓળખાયા, જ્યારે તુર્વસુ અને ક્રિવી વંશના લોકો સંયુક્ત બનીને પાંચાલો તરીકે ઓળખાયા. એ પછી કુરુ અને પાંચાલ એક બનીને કુરુ-પાંચાલો તરીકે ઓળખાયા. બ્રાહ્મણો રચાયાં તે…

વધુ વાંચો >

કુરુવંશ

કુરુવંશ : બ્રાહ્મણ સાહિત્યમાં વર્ણવેલી એક મહત્વની પ્રજા. મોટા ભાગના બ્રાહ્મણગ્રંથ ‘કુરુઓ’ની સત્તાના પ્રદેશ કુરુ-પાંચાલમાં રચાયા હતા. ‘કુરુ’ સંજ્ઞા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં હમેશાં ‘કુરુ-પાંચાલ’ એવા જોડિયા નામે પ્રયોજાયેલી છે. ભાષા અને યજ્ઞ પદ્ધતિ પણ આ પ્રદેશમાં ઉત્તમ હતી. અહીં રાજસૂય યજ્ઞોનું પણ યજન થયેલું. ઉપનિષદોમાં કુરુ-પાંચાલના બ્રાહ્મણોની વિશિષ્ટતા જોવા મળે…

વધુ વાંચો >

કુરુષ

કુરુષ : પાર્સ(ઈરાન)ના હખામની વંશના સ્થાપક. કુરુષે (જેને ગ્રીક ભાષામાં Cyrus – કિરુસ – કહ્યો છે ને જેનો રાજ્યકાલ લગભગ ઈ. પૂ. 558-530 હતો) ગેડ્રોસિયા (મકરાણ) થઈ સિંધુ દેશ (સિંધ) જીતવા કોશિશ કરી, પણ તેમાં તે નિષ્ફળ ગયો. પરંતુ એ ગંધાર દેશનો ઘણો ભાગ જીતી લેવામાં સફળ થયો. ત્યારે સિંધુ…

વધુ વાંચો >

કુરુંતોગૈ

કુરુંતોગૈ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી) : સંઘકાલીન એટ્ટતોગૈમાં પ્રાચીનતમ તમિળ કૃતિ. ‘કુરુંતોગૈ’નો શાબ્દિક અર્થ છે લઘુકવિતાઓનો સંગ્રહ. એમાં 205 સંઘકાલીન કવિઓનાં 401 પ્રણય ગીતો સંગ્રહાયાં છે. આ ગીતો રચનારા કવિઓમાં કેટલાક ચોલ, ચેર તથા પાંડેય રાજાઓ સાથે સંબંધ ધરાવે છે. પદો ચારથી આઠ પંક્તિઓ સુધીનાં હોય…

વધુ વાંચો >

કુરૂપ્પ જી. શંકર

કુરૂપ્પ, જી. શંકર (જ. 3 જૂન 1901, નાયત્તોટ્ટ, કેરળ; અ. 2 ફેબ્રુઆરી 1978, ત્રિવેન્દ્રમ) : પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કારના પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. એમનો જન્મ કેરળમાં આદ્ય શંકરાચાર્યના જન્મસ્થાન કલાડી પાસેના એક નાના ગામમાં. પિતા નેલ્લીક્કપ્પીલી શંકર વારિયાર અને માતાવદક્કાની લક્ષ્મીકુટ્ટી…

વધુ વાંચો >

કુનૂર

Jan 5, 1993

કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો…

વધુ વાંચો >

કુન્તક

Jan 5, 1993

કુન્તક (950-1050 આસપાસ) : કુન્તક, કુન્તલ કે કુન્તલક વગેરે અભિધાનોથી જાણીતા કાશ્મીરી વિદ્વાન. કાવ્યનો આત્મા વક્રોક્તિ છે એ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરતાં તેમણે પોતાના ગ્રંથનું શીર્ષક ‘વક્રોક્તિજીવિત’ આપ્યું હોવાથી વક્રોક્તિજીવિતકાર તરીકે તે પ્રસિદ્ધ છે. 950 પહેલાં થયેલા રાજશેખરનો કુન્તકે ઉલ્લેખ કર્યો છે અને 1050 પછી થયેલા મહિમ ભટ્ટે કુન્તકનો નામોલ્લેખ કર્યો…

વધુ વાંચો >

કુન્દકુન્દાચાર્ય

Jan 5, 1993

કુન્દકુન્દાચાર્ય (ત્રીજી-ચોથી સદી ?) : અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથોના કર્તા. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પછી આદરપૂર્વક જેનું નામ લેવામાં આવે છે તે આચાર્ય કુન્દકુન્દ પરંપરા મુજબ પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. પરંતુ વિદ્વાનો તેમને ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માને છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના કોંડકુંડપુરના નિવાસી હતા. આથી…

વધુ વાંચો >

કુન્દુર્તી આંજનેયુલુ

Jan 5, 1993

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’…

વધુ વાંચો >

કુન્દેરા મિલાન

Jan 5, 1993

કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્ ઝાહરાદા શીરા’ (‘મૅન : ઍ બ્રૉડ…

વધુ વાંચો >

કુન્હીરામન્ કાનાઈ

Jan 5, 1993

કુન્હીરામન્, કાનાઈ (જ. 1937, કેરળ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે. તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. ત્યાં…

વધુ વાંચો >

કુપરિન ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ

Jan 5, 1993

કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે,…

વધુ વાંચો >

કુપવારા

Jan 5, 1993

કુપવારા (Kupwara) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 34° 20′ ઉ. અ. અને 74° 20′ પૂ. રે.ની આજુબાજુનો 2,379 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મુઝફફરાબાદ, પૂર્વમાં બારામુલા, દક્ષિણે અને પશ્ચિમે મુઝફફરાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક કુપવારા શ્રીનગરથી વાયવ્યમાં આશરે…

વધુ વાંચો >

કુપેરિન ફ્રાંસ્વા

Jan 5, 1993

કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ…

વધુ વાંચો >

કુપ્કા ફ્રૅન્ટિસૅક

Jan 5, 1993

કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે. પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ…

વધુ વાંચો >