કુત્બે આલમ (જ. 1384; અ. 1452, અમદાવાદ) : સૂફી મતના પ્રચાર માટે અમદાવાદ આવેલા સંત. આખું નામ સૈયદ બુરહાનુદ્દીન અબૂ મુહમ્મદ બુખારી સુહરવર્દી. દસ વરસની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થવાથી તેમના કાકાએ ઉછેર્યા અને ધાર્મિક જ્ઞાન આપ્યું. સુલતાન અહમદશાહને ‘અહમદાબાદ અબ્દુલ આબાદ’ (પરમેશ્વરની કૃપાથી અમદાવાદ હમેશાં આબાદ રહેશે.) એવો આશીર્વાદ તેમણે આપ્યો હતો. તેમનો રોજો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં છે.

શિવપ્રસાદ રાજગોર