૪.૨૨

કામરાજ યોજનાથી કાયદો

કામરાજ યોજના (1963)

કામરાજ યોજના (1963) : પક્ષને સુર્દઢ કરવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારમાંનાં સત્તાસ્થાનોએથી રાજીનામું આપવાની કામરાજપ્રેરિત યોજના. કૉન્ગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામરાજ યોજના અમલમાં મુકાઈ હતી. અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિએ 10 ઑગસ્ટ 1963ના રોજ કામરાજ યોજના અંગેના ઠરાવને મંજૂરીની મહોર મારી હતી. તે અંગેનો પ્રસ્તાવ તે સમયના ચેન્નાઈ રાજ્યના…

વધુ વાંચો >

કામરાન

કામરાન : રાતા સમુદ્રકાંઠે આવેલો યેમેન હેઠળનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 150 30’ ઉ. અ. અને 420 30’ પૂ. રે.. તેની લંબાઈ 22 કિમી. (ઉ.-દ.) અને પહોળાઈ 10 કિમી. (પૂ.-પ.) જેટલી છે. ક્ષેત્રફળ 181 ચોકિમી. તેનું ભૂપૃષ્ઠ સમતળ છે. તે બાબ-અલ-માંડેબની સામુદ્રધુનીથી 320 કિમી. ઉત્તર તરફ આવેલો છે. અહીંનું જુલાઈ…

વધુ વાંચો >

કામરૂપ

કામરૂપ : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 260 30’ ઉ. અ. અને 900 00’ પૂ. રે.ની આજુબાજુનો 4,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જેની વસ્તી 15,17,202 (2011) છે. જ્યારે મેટ્રોપોલિટીનનો વિસ્તાર 1272 ચોકિમી. અને વસ્તી 12,60,409 (2011) છે. તેની ઉત્તરે ભુતાન, ઈશાનમાં દારાંગ જિલ્લો, પૂર્વમાં મોરીગાંવ…

વધુ વાંચો >

કામરેજ

કામરેજ : પ્રાચીન કર્મણિજ્જ અથવા કાર્મણેયનગર. આ નગર તાપી નદીના દક્ષિણ કિનારા પર, સૂરતથી પૂર્વમાં આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કામરેજ એ પાઘડીપને આશરે એકાદ કિલોમીટર લંબાઈ ધરાવતું જૂનું નગર છે. તેની એક બાજુ કોટને નામે જાણીતો જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી કામરેજના જૂના અવશેષો પ્રાપ્ત થાય છે તે…

વધુ વાંચો >

કામવાસના

કામવાસના : પુરુષ અને સ્ત્રી વચ્ચે રહેલા શારીરિક ભેદોથી માંડીને પુરુષત્વ (masculinity) અને સ્ત્રીત્વ (femininity) સૂચવતાં લક્ષણો તેમજ આંતરિક અને બાહ્ય જાતીય કામુક (sexual) વર્તનની પ્રેરક જાતીયવૃત્તિ. કામવાસના માનવીયતાનું તત્વ છે, ઈરણ (drive) છે, જે આત્મીયતા અને પ્રજોત્પત્તિને બળ પૂરું પાડે છે. લગ્નજીવનમાં કામવાસના મહત્વનો ભાગ ભજવે છે અને સંતોષકારક…

વધુ વાંચો >

કામશાસ્ત્ર

કામશાસ્ત્ર : મનુષ્યજીવનના ચતુર્વિધ પુરુષાર્થમાંના કામ-પુરુષાર્થનું શાસ્ત્ર. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને જીવનના પુરુષાર્થચતુષ્ટય – ચાર પ્રકારના પુરુષાર્થ માન્યા છે. તેમાં જીવન દરમિયાન ચાલતી માણસની બધી પ્રવૃત્તિઓનું લક્ષ્ય ધર્મ, અર્થ અને કામ હોય છે. શાસ્ત્રકારોએ તેને ત્રિવર્ગ એવું નામ આપ્યું છે. કામસૂત્રકાર વાત્સ્યાયને ગ્રંથના પ્રારંભે ત્રિવર્ગને નમસ્કાર…

વધુ વાંચો >

કામસૂત્ર

કામસૂત્ર (ઈ. ત્રીજી કે ચોથી સદી) : મહર્ષિ વાત્સ્યાયન-પ્રણીત કામશાસ્ત્રનો ઉપલબ્ધ પ્રાચીનતમ ગ્રંથ. માનવજીવનના લક્ષ્યભૂત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. પહેલા ત્રણ ‘ત્રિવર્ગ’ નામથી પ્રસિદ્ધ છે. ત્રિવર્ગના ત્રણેય પુરુષાર્થોનું ગૃહસ્થજીવનમાં સમાન મહત્વ હોઈ પ્રત્યેક પુરુષાર્થનું વિશદ વિવેચન કરતા અનેક ગ્રંથો સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. ‘કામ’ વિશે…

વધુ વાંચો >

કામાકુરા

કામાકુરા : પ્રશાંત મહાસાગરમાં આવેલા જાપાનના હોન્શુ ટાપુનું એક મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 350 19’ ઉ. અ. અને 1390 33’ પૂ. રે.. આ શહેર યોકોહામાથી નૈર્ઋત્યમાં 15 કિમી. અંતરે અને મ્યુરા દ્વીપકલ્પ પાસે આવેલું છે. ત્રણે બાજુએ ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીંની આબોહવા નરમ છે. દક્ષિણે સુંદર રેતીપટ (beach) આવેલો…

વધુ વાંચો >

કામા, ખુરશેદજી રુસ્તમજી

કામા, ખુરશેદજી રુસ્તમજી (જ. 11 નવેમ્બર 1831; અ. 20 ઑગસ્ટ 1909) : મુંબઈના પારસી સમાજ અને જરથોસ્તી ધર્મના આગેવાન. તે સામાજિક અને ધાર્મિક સુધારાના આગ્રહી હતા. જુનવાણી વિચારના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. પારસીઓ માટે ધર્મનું જ્ઞાન સુલભ બને એ માટે એમણે 1865માં ‘જરથોસ્ત દીનની ખોળ કરનારી મંડળી’ સ્થાપી હતી.…

વધુ વાંચો >

કામાગ્વે

કામાગ્વે : પૂર્વ મધ્ય ક્યૂબાનું રાજ્ય તથા તેની રાજધાની. આ શહેર હાલ ન્યુએવીટાસ તરીકે ઓળખાય છે. જેનો વિસ્તાર 75 ચોકિમી. છે. તે 1514માં સાન્ટા-મારિયા-દ-ટ્યુરેટો તરીકે ઓળખાતું હતું. 1528માં આ શહેરનું નામ કામાગ્વે કરવામાં આવ્યું હતું. અહીં પશુપાલન, શેરડી અને ખેતીની પ્રવૃત્તિ વધુ વિકાસ પામી છે. ક્યૂબાના આંતરિક પ્રદેશનું સૌથી મોટું…

વધુ વાંચો >

કામ્બ્લે, કિશન વિરપ્પા

Jan 22, 1992

કામ્બ્લે, કિશન વિરપ્પા (જ. 1 ઑક્ટોબર 1944, કોડામુરા, આંધ્રપ્રદેશ) : આંધ્રપ્રદેશમાં જન્મેલા મૂળ મહારાષ્ટ્રિયન આધુનિક ગુજરાતી ચિત્રકાર. મુંબઈમાં અભ્યાસ કરી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન પેઇન્ટિન્ગ મેળવ્યો. પછી અમદાવાદ આવી શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં 1965થી કલાશિક્ષક તરીકે જોડાયા અને અહીંથી 2000માં નિવૃત્ત થયા. આ દરમિયાન તેમણે અમદાવાદ…

વધુ વાંચો >

કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન

Jan 22, 1992

કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન (જ. 1948, શિરપુરજૈન, માલેગાંવ, મહારાષ્ટ્ર) : જાણીતા મરાઠી વાર્તાકાર, નવલકથાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘રાઘવવેળ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઘણી જ મુશ્કેલીઓ વેઠીને તેમણે પોતાની બી.એ. તથા બી.એડ્.ની પદવી મેળવી. અભ્યાસ પૂરો કરવા શાળાના ચોકીદાર તરીકે પણ કાર્ય કર્યું. ત્યારબાદ વાશિમમાં…

વધુ વાંચો >

કાયદાશાસ્ત્ર

Jan 22, 1992

કાયદાશાસ્ત્ર ન્યાયી સમાજવ્યવસ્થા અને જીવનમૂલ્યોનું જતન કરે તેવી વ્યવસ્થા માટેના કાયદાનું શાસ્ત્ર. કાયદાનું શાસન સુસંસ્કૃત સમાજ માટે અનિવાર્ય ગણાય છે. કાયદાના શાસનમાં કાયદાના નિયમો પ્રમાણે વ્યવસ્થિત રીતે ન્યાયી સમાજવ્યવસ્થા વિકસે અને માનવીય મૂલ્યોનું જતન થાય એવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આમ થવા માટે કાયદાના સુનિશ્ચિત સિદ્ધાંતો અને જોગવાઈઓ હોવાં જરૂરી…

વધુ વાંચો >

કાયદેસરનું ચલણ

Jan 22, 1992

કાયદેસરનું ચલણ : ચુકવણી માટે પરિપક્વ થયેલા દેવાની પતાવટ માટે યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે દેવાદાર દ્વારા રજૂ કરવામાં આવેલું એવું ચલણ, જે કાયદેસર હોવાથી લેણદારે સ્વીકારવું જ પડે છે. જે લેણદાર દેવાની પતાવટ સામે તેવું ચલણ સ્વીકારવાની ના પાડે તે પોતાનો ધારણાધિકાર (lien) ગુમાવે છે અને તે પછીના સમય…

વધુ વાંચો >

કાયદો

Jan 22, 1992

કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…

વધુ વાંચો >