૪.૧૦

કરમરકર, રાધુથી કરીમગંજ

કરંજ

કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…

વધુ વાંચો >

કરંજિયા આર. કે.

કરંજિયા આર. કે. (જ. 15 સપ્ટેમ્બર 1912; અ. 1 ફેબ્રુઆરી 2008, મુંબઈ) : જાણીતા ભારતીય પત્રકાર તથા ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકના તંત્રી. શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક (1932). કૉલેજની કારકિર્દી દરમિયાન નિબંધ તથા વક્તૃત્વની સ્પર્ધાઓમાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતાં. મુંબઈનાં અંગ્રેજી દૈનિકોમાં પ્રકાશિત છૂટક લેખોને મળેલી લોકપ્રિયતાથી પત્રકારત્વ તરફ આકર્ષાયા. ‘સન્ડે…

વધુ વાંચો >

કરા

કરા (hails) : આકાશમાંથી પડતા કુદરતી બરફના ટુકડા. ઠરેલા પાણી  નરમ – તુષારહિમ (rime) અને બરફથી રચાતા સખત કણો અથવા ગોળીઓ(pellets)ના સ્વરૂપે પૃથ્વીપટ ઉપર થતી વાતાવરણીય વર્ષા. કરાનો વ્યાસ 5 મિમી.થી લઈને કેટલાક વિશિષ્ટ કિસ્સામાં 10થી 12 સેમી. જેટલો હોય છે. હવામાનશાસ્ત્રીઓ 5 મિમી.થી નાના વ્યાસના કરાનું હિમગોળીઓ (snow pellets)…

વધુ વાંચો >

કરાઇકલ

કરાઇકલ (Karaikal) : ભારતના સંઘપ્રદેશ પોંડિચેરીના ચાર જિલ્લાઓ પૈકીનો એક તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 10o 51’થી 11o 00 ઉ. અ. અને 79o 43’થી 79o 52′ પૂ. રે. વચ્ચેનો 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પોંડિચેરીથી દક્ષિણે 150 કિમી.ને અંતરે આવેલો છે. તેની…

વધુ વાંચો >

કરાચી

કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ સૌથી મોટું શહેર, બંદર ને તેની પૂર્વ રાજધાની. તે સિંધુના ત્રિકોણાકાર પ્રદેશથી વાયવ્યે અરબી સમુદ્રને કિનારે 24o 5′ ઉ. અ. અને 67o પૂ. રે. ઉપર આવેલું છે. તે કિયામારી અને મનોરા ટાપુઓ અને ઑઇસ્ટર બાધક ખડકો(reef)ને કારણે વાવાઝોડાં તથા સમુદ્રી તોફાનોથી રક્ષાયેલું કુદરતી બંદર…

વધુ વાંચો >

કરાજાન – હર્બર્ટ ફૉન

કરાજાન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા) : વિશ્વવિખ્યાત ઑપેરા-સંચાલક અને ઑર્કેસ્ટ્રા સંચાલક. બાળપણમાં જ પિયાનોવાદનમાં નિપુણતા હાંસલ કરી. સાલ્ઝબર્ગ ખાતેની સંગીતશાળા મોત્સાર્ટિયમમાં વધુ અભ્યાસ કરી 1927માં સંચાલક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1927થી 1941 સુધી જર્મનીના ઉલ્મ અને આખેન નગરોમાં તથા 1938થી 1945 સુધી બર્લિન…

વધુ વાંચો >

કરાડ (કરહટનગર)

કરાડ (કરહટનગર) : મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલો તાલુકો અને શહેર. ભૌગોલિક સ્થાન : 17o17′ ઉ. અ. અને 74o 12′ પૂ. રે. તેની વાયવ્યે 9 કિમી. ઉપર વસંતગઢ, ઈશાન ખૂણે 6 કિમી. ઉપર સદાશિવગઢ અને અગ્નિ ખૂણે 6 કિમી. ઉપર આગમશિવગઢ છે. તેની નજીક કૃષ્ણા-કોયનાનો સંગમ થાય છે અને તે પુણે-બૅંગલોરના…

વધુ વાંચો >

કરામિતા (પંથ)

કરામિતા (પંથ) : મુસ્લિમોના શિયા પંથના એક પેટા-પંથનો ઉપપેટા-પંથ. અબ્દુલ્લા નામના એક ઇસ્માઇલી પ્રચારકે ઇરાકના હમ્દાન કરમત નામના એક કિસાનને નવમી સદીમાં પોતાના પંથના પ્રચારક તરીકે તૈયાર કર્યો હતો. આ કરમતે એક નવા સામાજિક-ધાર્મિક પંથની શરૂઆત કરી હતી. તેના અનુયાયીઓ કરામિતા (‘કરમત’નું બહુવચન) કહેવાય છે. આ પંથની પ્રવૃત્તિઓ સ્થાનિક ખેડૂતો…

વધુ વાંચો >

કરાર

કરાર : બે અથવા તેના કરતા વધુ પક્ષો વચ્ચે પછી તે વ્યક્તિ, પેઢી કે સંસ્થા હોય, કોઈ કાર્ય અથવા કૃત્ય કરવા કે ન કરવા સંબંધી સ્વેચ્છાથી થયેલ અને કાયદા દ્વારા લાગુ કરવા યોગ્ય ગણાય તેવી સમજૂતી. કરારમાં જોડાનાર એક પક્ષ કોઈ મોંબદલાની અવેજીમાં કોઈ કૃત્ય અથવા કાર્ય કરવા સંમત થાય…

વધુ વાંચો >

કરારનો ધારો (ભારતીય) – 1872

કરારનો ધારો (ભારતીય), 1872 વ્યક્તિએ આપેલાં ‘વચન’ કયા સંજોગોમાં તેને બંધનકર્તા બને તે નિર્ધારિત કરતો ભારતમાં અમલ ધરાવતો ધારો. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે થયેલી સમજૂતીમાંથી ઉદભવતા ફરજસ્વરૂપના વિવિધ વ્યવહારોના આધારે પ્રસ્થાપિત થતા કાયદેસર સંબંધોની વ્યાખ્યા તથા તેને આનુષંગિક બાબતોનો આ કાયદામાં સમાવેશ થાય છે. વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આવા ‘કાયદેસર સંબંધો’ સ્થાપે એટલે…

વધુ વાંચો >

કરમરકર રાધુ

Jan 10, 1992

કરમરકર, રાધુ (જ. 1919; અ. 5 ઑક્ટોબર 1993) : ભારતીય ચલચિત્ર ઉદ્યોગના નિષ્ણાત સિનેછાયાકાર. હિંદી ચલચિત્રોના જાણકાર અને જિજ્ઞાસુ પ્રેક્ષકો સિને અભિનેતા રાજ કપૂરની સિને-નિર્માણ સંસ્થા આર. કે. ફિલ્મ્સના સિનેમેટોગ્રાફર તરીકે જ કરમરકરને મુખ્યત્વે જાણે છે. આ નિર્માણસંસ્થાની પ્રતિષ્ઠા બાંધવામાં કૅમેરા-સંચાલક તથા નિર્દેશક તરીકે તેમનું મોટું પ્રદાન છે. પ્રારંભમાં કોલકાતા…

વધુ વાંચો >

કરમરકર વિનાયક પાંડુરંગ

Jan 10, 1992

કરમરકર, વિનાયક પાંડુરંગ (જ. 2 ઑક્ટોબર 1891, સાસવને, જિલ્લો કોલાબા, મહારાષ્ટ્ર; અ. 13 જૂન 1967, મુંબઈ) : ભારતના વિખ્યાત શિલ્પકાર. બાલ્યાવસ્થામાં જ શિલ્પકલા પ્રત્યે અભિરુચિ પેદા થઈ. સુપ્રસિદ્ધ જર્મન શિલ્પકાર ઑટો રૉશફિલ્ડની કલાથી પ્રભાવિત થયા અને તેમની પાસેથી શિલ્પકાર થવાની પ્રેરણા મળી. શરૂઆતનું શિક્ષણ વતનમાં પૂરું કર્યા પછી મુંબઈ આવ્યા…

વધુ વાંચો >

કરમોડી (કમોડી – દાહ)

Jan 10, 1992

કરમોડી (કમોડી, દાહ) (blast) : ડાંગરમાં Pyricularia oryzae નામની ફૂગથી થતો રોગ. આ રોગ દુનિયાના 85 દેશોમાં નોંધાયેલ છે. સૌપ્રથમ ચીનમાં 1637માં અને ભારતમાં 1931માં તે નોંધાયેલ છે. ડાંગર ઉગાડતા દરેક દેશમાં તે વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે જે કેટલીકવાર 90 % સુધી હોય છે. આ ફૂગના આક્રમણથી પાનગાંઠ, પુષ્પવિન્યાસદંડ,…

વધુ વાંચો >

કરલકખણ (કરલક્ષણ)

Jan 10, 1992

કરલકખણ (કરલક્ષણ) : અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા રચાયેલી સામુદ્રિકશાસ્ત્રવિષયક પદ્યબદ્ધ લઘુ કૃતિ. આમાં પ્રાકૃત ભાષાની 61 ગાથાઓમાં કરલક્ષણ અર્થાત્ હાથમાં દેખાતાં લક્ષણો કે હસ્તરેખાઓનો અભ્યાસ કરાયો છે. હસ્તરેખાઓનું મહત્વ, પુરુષોનાં લક્ષણો, પુરુષોનો જમણો અને સ્ત્રીઓનો ડાબો હાથ જોઈને કરી શકાતું ભવિષ્યકથન વગેરે વિષયોની આમાં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. વિદ્યા, કુળ,…

વધુ વાંચો >

કરવત

Jan 10, 1992

કરવત : કાષ્ઠ, પથ્થર કે ધાતુને કાપવા માટે હાથ કે યંત્ર વડે ચાલતાં ઓજારો. આદિ માનવે ચકમકના પથ્થરમાંથી બનાવેલ કરવતને મળતું ઓજાર તેણે વિકસાવેલાં ઓજારોમાં સૌપ્રથમ હોવાની શક્યતા છે. બધા જ પ્રકારની કરવતોમાં V-આકારના દાંતાવાળી ધાર ધરાવતું પાનું (blade) હોય છે. દાંતા એકાંતરે ડાબા-જમણી વાળેલા હોય છે જેથી કરવત અટક્યા…

વધુ વાંચો >

કરવેરા

Jan 10, 1992

કરવેરા વ્યક્તિ, વ્યક્તિઓના સમૂહ અથવા સંસ્થા દ્વારા નાણાં અને કોઈવાર માલસામાન તથા સેવાનું રાજ્યને ફરજિયાત પ્રદાન. કરની વસૂલાતને અનુરૂપ સરકાર તરફથી કરદાતાને બદલો ન મળે છતાં પણ તેણે કર ભરવો પડે છે. ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાન(quid pro quo)નો સિદ્ધાંત કરને લાગુ પડતો નથી. સામાન્ય રીતે કરદાતાને જાનમાલનું રક્ષણ…

વધુ વાંચો >

કરવેરા-આયોજન

Jan 10, 1992

કરવેરા-આયોજન : કાયદામાં આપવામાં આવેલી કરમુક્તિઓ તથા રાહતો અને કાયદા હેઠળ ઉપલબ્ધ છૂટછાટોનો લાભદાયી ઉપયોગ કરદાતા દ્વારા કરવાનું આયોજન. કરનિર્ધારણના પાયા ઉપર કરવેરાનું પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર એમ બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તદનુસાર આવક કર, સંપત્તિ કર, બક્ષિસ કર વગેરે પ્રત્યક્ષ કર કહેવાય છે અને આબકારી શુલ્ક,…

વધુ વાંચો >

કરવેરા-સત્યાગ્રહ (સુરત)

Jan 10, 1992

કરવેરા-સત્યાગ્રહ (સુરત), 1860 : નવા આવકવેરા સામે સૂરતના વેપારીઓએ કરેલો સત્યાગ્રહ. 29 નવેમ્બર 1860ના રોજ સૂરતના વેપારીઓએ સરકાર દ્વારા નવા દાખલ કરવામાં આવેલા આવક-વેરાનો વિરોધ કર્યો. એ દિવસે લગભગ 3,000થી 4,000 જેટલા લોકોએ બુરહાનપુર ભાગોળ પાસે ભેગા મળીને જાહેર કર્યું કે તેઓ આવકવેરાનાં પત્રકો નહિ ભરે અને જ્યાં સુધી આવકવેરો…

વધુ વાંચો >

કરસનદાસ મૂળજી

Jan 10, 1992

કરસનદાસ મૂળજી (જ. 25 જુલાઈ 1832; મુંબઈ, અ. 28 ઑગસ્ટ 1871, લીંબડી, સૌરાષ્ટ્ર) : ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નીડર પત્રકાર અને લેખક. મૂળ વતન મહુવા પાસેનું વડાળ ગામ. માતાનું અવસાન થયું અને પિતાએ બીજું લગ્ન કરવાથી, મોસાળમાં માતાની કાકી પાસે ઊછર્યા. મુંબઈમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી, એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

કરસન્ટાઇટ

Jan 10, 1992

કરસન્ટાઇટ : ભૂમધ્યકૃત પ્રકારનો ખડક (hypabyssal rock). મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉત્પન્ન થતો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિર્ભૂત ખડકોમાં જોવા મળતી કણરચનાની વચ્ચેની હોય છે. તેથી નરી આંખે તેના બંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક વડે તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ…

વધુ વાંચો >