૪.૦૯

કપ્પસુત્ત (બૃહત્કલ્પ)થી કરમદી

કપ્પસુત્ત (બૃહત્કલ્પ)

કપ્પસુત્ત (બૃહત્કલ્પ) : જૈન મુનિઓના આચારવિચાર સંબંધી નિયમોના વિવેચન સમા છેદસૂત્રોમાં કલ્પ કે બૃહત્કલ્પ તરીકે જાણીતો ગ્રંથ. આને કલ્પાધ્યયન પણ કહેવામાં આવે છે. પજ્જોસણાકપ્પથી આ ભિન્ન છે. પ્રાચીન પ્રાકૃત ભાષામાં ગદ્યબદ્ધ આ ગ્રંથમાં સાધુ-સાધ્વીઓને માટે સાધક (કલ્પ = યોગ્ય) અને બાધક (અકલ્પ = અયોગ્ય) સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિનું વિસ્તૃત વિવેચન…

વધુ વાંચો >

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી)

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી) : પ્રાકૃત ભાષામાં રચાયેલું સંગીતરૂપક. માત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલાં નાટકોનો આ પ્રકાર સટ્ટક તરીકે ઓળખાય છે. આવા સટ્ટકોમાં તે આદ્ય અને વિશિષ્ટ સટ્ટક છે. તેની રચના સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ-નાટ્યકાર યાયાવરવંશીય કવિરાજ રાજશેખરે (ઈ. સ. દશમી સદી) કરી છે. ચાર જવનિકા અર્થાત્ અંકોના બનેલા ‘કપ્પૂરમંજરી’નું કથાવસ્તુ હર્ષની રત્નાવલીના…

વધુ વાંચો >

કફકેતુરસ

કફકેતુરસ : આયુર્વેદિક ઔષધિ. ઔષધદ્રવ્યો અને નિર્માણવિધિ : ફુલાવેલો ટંકણખાર, લીંડીપીપર, શંખભસ્મ અને શુદ્ધ વછનાગ. આ ચારેય દ્રવ્યો ખરલમાં સરખા ભાગે એકત્ર કરી, તેને આદુંના રસમાં ત્રણ દિવસ સુધી સતત ઘૂંટીને, તેની 1/4થી 1 રતીની માત્રાની ગોળીઓ બનાવાય છે. માત્રા : 1થી 2 ગોળી આદુંના રસ અથવા નાગરવેલના પાનના અથવા…

વધુ વાંચો >

કબજિયાત

કબજિયાત (constipation) : મળત્યાગ ન થવો અથવા શ્રમપૂર્વક પણ અપૂરતો મળત્યાગ થવો તે. અઠવાડિયામાં ત્રણથી ઓછી વખત, ધીમા દુખાવા સાથે, વિશેષ શ્રમપૂર્વક અથવા અપૂરતો મળત્યાગ થાય ત્યારે વ્યક્તિ કબજિયાતની ફરિયાદ કરે છે. કબજિયાત બે પ્રકારની હોય છે : ઉગ્ર (acute) અથવા ટૂંકા ગાળામાં ઉદભવતી તથા દીર્ઘકાલી (chronic) અથવા લાંબા સમયની.…

વધુ વાંચો >

કબડ્ડી

કબડ્ડી : ભારતનાં તમામ રાજ્યોમાં પ્રચલિત રાષ્ટ્રીય લોકરમત. સામા હરીફને ચપળતાથી પકડી લેવાના અને તેવી પકડમાંથી છટકી જવાના મુખ્ય કૌશલ્ય પર રચાયેલી આ રમતમાં શ્વાસ ઘૂંટવો એ પાયાની બાબત છે. બ્રિટિશ શાસનકાળથી ઉત્તર ભારતમાં તે ‘કબડ્ડી’ના નામથી, ચેન્નાઈ તરફ ‘ચેડુગુડુ’ના નામથી, બંગાળમાં ‘દોદો’ના નામથી તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં ‘હુતુતુતુ’ના નામથી પ્રખ્યાત છે;…

વધુ વાંચો >

કબર

કબર : શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર કરવામાં આવતું સ્મારક. તે બાંધકામની ર્દષ્ટિએ કાચું કે પાકું પણ હોઈ શકે. જે માનવ-સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે ત્યાં કબર પ્રકારનું આ સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઇજિપ્તના પિરામિડો એક રીતે જોઈએ તો કબરો જ છે. કારણ કે તે શબને માટે બાંધવામાં…

વધુ વાંચો >

કબાલા

કબાલા : વિશિષ્ટ યહૂદી રહસ્યવાદની સંજ્ઞા. (અંગ્રેજી જોડણી KABALA, KABBALAH, CABALA, CABBLA અથવા CABBALAH) : મૂળ હિબ્રૂમાં તેનો અર્થ છે ‘ટ્રૅડિશન’ એટલે કે પરંપરા. ઈસવી સનની બારમી સદી અને તે પછીના સમયમાં પ્રચલિત આ પરંપરા તત્વત: મૌખિક રહી છે, કેમકે એનાં વિધિવિધાનોમાં દીક્ષા સ્વયં કોઈ ગુરુ દ્વારા જ અપાય છે,…

વધુ વાંચો >

કબીર

કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત હતા. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન…

વધુ વાંચો >

કબીરપંથ

કબીરપંથ : કબીરના નામે અનુયાયીઓએ ઊભો કરેલો અને બાર મુખ્ય શાખા ધરાવતો પંથ. સંત કબીર પંથ સ્થાપવામાં માનતા નહોતા. તેમના શિષ્યોમાં મુખ્ય ધર્મદાસ, સુરતગોપાલ, બિજલીખાં, વીરસિંહ બધેલા, જીવા, તત્ત્વા, જગ્ગૂદાસ (જાગૂદાસ) આદિ હતા. આમાંના ધર્મદાસ પટ્ટશિષ્ય હતા. કબીરના મૃત્યુ પછી ધર્મદાસે કબીરપંથની એક શાખા છત્તીસગઢમાં ચલાવી અને સુરતગોપાલે કાશીવાળી શાખા…

વધુ વાંચો >

કબૂતર

કબૂતર : રાખોડી, સફેદ કે વિવિધ રંગોમાં, સમૂહમાં જોવા મળતું અને કૂવા, વાવ કે મકાનના ઝરૂખાની છત વગેરેમાં માળા બનાવતું એક શાંતિપ્રિય-નિર્દોષ પક્ષી. કબૂતર દુનિયાના ઘણાખરા દેશોમાં મળી આવે છે. સમૂહમાં ચણવાની તેની ટેવને કારણે તે હંમેશા બધાંને મનોરંજન પૂરું પાડે છે. તેનું વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય –…

વધુ વાંચો >

કમ્મપયડી (કર્મપ્રકૃતિ)

Jan 9, 1992

કમ્મપયડી (કર્મપ્રકૃતિ) : જૈન કર્મસિદ્ધાંતનો પ્રાકૃત ભાષાનો પ્રાચીન ગ્રંથ. એના રચયિતા શિવશર્મસૂરિ છે. તે એક પ્રતિભાસંપન્ન અને બહુશ્રુત વિદ્વાન હતા. એમનું કર્મ વિષયનું જ્ઞાન અત્યંત ગહન હતું. ‘કર્મપ્રકૃતિ’ ઉપરાંત કર્મગ્રંથ ‘શતક’ પણ એમની જ કૃતિ મનાય છે. ‘કર્મપ્રકૃતિ’માં 475 ગાથાઓ છે. આ ગાથાઓ અગ્રાયણીય નામક દ્વિતીય પર્વના આધારે સંકલિત કરાઈ…

વધુ વાંચો >

કયર

Jan 9, 1992

કયર : મલયાળમ નવલકથા. તફઝી શિવશંકર પિલ્લૈ(જ. 1912)ની આ છેલ્લી અને બૃહદ નવલકથા છે. આ નવલકથાએ લેખકને આંતરરાષ્ટ્રીય કીર્તિ અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારનું સન્માન અપાવ્યાં છે. આ કથામાં કેરળના આલપ્પી જિલ્લાના કાથી-વણકરો તથા કારીગરોના જીવનની ત્રણ પેઢીની વિશાળ ભૂમિકા છે. એક કલાકૃતિ તરીકે ભલે તે લેખકની શ્રેષ્ઠ નવલકથા ન ગણાય,…

વધુ વાંચો >

કયાલ

Jan 9, 1992

કયાલ : નાનાં ખાડીસરોવરો. ભારતનો પશ્ચિમ દરિયાકિનારો પ્રમાણમાં એકધારો વ્યવસ્થિત છે અને તેમાં થોડીક જ ગણીગાંઠી ખાડીઓ, ખાંચાખૂંચી અને ભૂશિર જોવા મળે છે. ફક્ત મલબાર કિનારા પર જ નાનાંમોટાં અસંખ્ય સરોવરો અને ખાડીસરોવરો નજરે પડે છે, જે આ કિનારાનું નોંધપાત્ર લક્ષણ બની રહે છે. અહીં કિનારાને સમાંતર, ખાસ કરીને કેરળને…

વધુ વાંચો >

કરકરો

Jan 9, 1992

કરકરો (Demoiselle Small Crane) : કુંજની જેમ ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Anthropoides virgo. તેનું કદ 76 સેમી.નું હોય છે. તેનો Gruiformes વર્ગ અને Gruidae કુળમાં સમાવેશ થાય છે. આ પંખી દર વરસે ચોમાસા બાદ યુરોપ અને મધ્ય એશિયામાંથી ભારતમાં આવે છે. તે કુંજ કરતાં…

વધુ વાંચો >

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર)

Jan 9, 1992

કરકંડચરિઉ (કરકંડુચરિત્ર) (ઈ. સ. 1009 આશરે) : અપભ્રંશ ભાષામાં રચાયેલું ધાર્મિક ચરિતકાવ્ય. લેખક મુનિ કનકામર. તે ચન્દ્રર્ષિગોત્રીય બ્રાહ્મણ હતા. ‘બુધ-મંગલદેવ’ તેમના ગુરુ હતા. વૈરાગ્ય ઉત્પન્ન થવાને લીધે કનકામર દિગંબર મુનિ બન્યા હતા. ‘કરકંડચરિઉ’ની રચના ‘આસાઈ’ (બુંદેલખંડ ?) નગરીમાં કરવામાં આવી હતી. તે 10 સંધિઓમાં વિભાજિત 198 કડવકોનું બનેલું છે. કરકંડ…

વધુ વાંચો >

કરકુમા (Curcuma L.) : જુઓ હળદર

Jan 9, 1992

કરકુમા (Curcuma L.) : જુઓ હળદર.

વધુ વાંચો >

કરચલો

Jan 9, 1992

કરચલો (crab) : ખારા કે મીઠા પાણીમાં વિવિધ આકાર અને કદમાં મળી આવતા દસ પગવાળા જળચર કવચધારી પ્રાણીઓનો એક સમૂહ. કરચલાનો આકાર મોટેભાગે ગોળ અગર ચોરસ હોય છે. શીર્ષ અને ઉરસ જોડાઈ ગયેલા હોય છે અને ઉદર શીર્ષોરસ સાથે જોડાયેલું દેખાય છે. તેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય…

વધુ વાંચો >

કરજની કબૂલાત

Jan 9, 1992

કરજની કબૂલાત (I.O.U.) : રોકડ કરજ ચૂકવવાની જવાબદારીની કબૂલાતરૂપે દેવાદાર તરફથી લેણદારને અપાતી લેખિત ચિઠ્ઠી. આવી ચિઠ્ઠી વચનચિઠ્ઠી નથી; છતાં આ ચિઠ્ઠી પરથી દાવો થઈ શકે છે અને દાવા સમયે ફક્ત રોકડ દેણાની સાબિતી તરીકે તે રજૂ કરી શકાય છે. આ ચિઠ્ઠી પર દસ્તાવેજની ટિકિટ લગાડવાની જરૂર હોતી નથી. સામાન્ય…

વધુ વાંચો >

કરણ

Jan 9, 1992

કરણ : આયુર્વેદ અનુસાર જે સાધનો વડે વૈદ્ય ચિકિત્સા કરે તે. વ્યાકરણની ર્દષ્ટિએ ક્રિયાવ્યાપારમાં ઉપકારક સાધન તે કરણ. ‘क्रियते अनेन इति करणम्’ એ વ્યુત્પત્તિપરક વ્યાખ્યા કરણ સામાન્યના અર્થમાં છે. વસ્તુત: ક્રિયાપ્રક્રમનું જે અસાધારણ કારણ તે ‘કરણ’ છે. ચિકિત્સાનો આરંભ કરતા પહેલાં વૈદ્યને જે જ્ઞાન હોવું જોઈએ તેમાં પ્રથમ ‘કારણ’ એટલે…

વધુ વાંચો >

કરણઘેલો

Jan 9, 1992

કરણઘેલો (1866) : લેખક નંદશંકર તુળજાશંકર મહેતાની ગુજરાતની પહેલી ગણનાપાત્ર નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એમાં સમકાલીન રંગો પણ સારી પેઠે પૂરેલા છે. લેખકે વૉલ્ટર સ્કૉટ જેવાની કૃતિથી પ્રેરાઈ આ કથા લખી છે. ઘટનાનિરૂપણ, એની ગૂંથણીની રીતિ, વર્ણનો તથા પાત્રનિરૂપણ પાશ્ચાત્ય નવલકથાની પરંપરા અનુસાર છે. પાટણનો રાજા કરણ વાઘેલો એના…

વધુ વાંચો >