૩.૦૭

ઉન્નાવથી ઉપરવાસ (કથાત્રયી)

ઉન્નાવ

ઉન્નાવ : ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 07’થી 27o 02′ ઉ. અ. અને 80o 03’થી 81o 03′ પૂ.રે.ની વચ્ચેનો આશરે 4,558 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરદોઈ, ઈશાન અને પૂર્વમાં લખનૌ, દક્ષિણમાં રાયબરેલી તથા પશ્ચિમે કાનપુર જિલ્લાઓ આવેલા છે. કાનપુરથી અલગ પડતી…

વધુ વાંચો >

ઉન્નીનિલિસદેશમ્

ઉન્નીનિલિસદેશમ્ : આશરે ચૌદમી સદીમાં લખાયેલું મલયાળમ ભાષાનું પ્રથમ સંદેશકાવ્ય. કાલિદાસના ‘મેઘદૂત’ના અનેક અનુકરણ થયાં તેમાં આ સર્વપ્રથમ છે. ઉન્નીનિલ એ સંદેશવાહક નહિ, પણ નાયિકા પોતે જ છે. કોઈક અનિષ્ટ તત્વ (યક્ષી) રાતે નાયિકાની પથારીમાંથી નાયકને ઉઠાવી જઈ 100 માઈલ દૂરના સ્થળે મૂકી આવે છે. નાયિકા વૈકોમ ખાતે છે અને…

વધુ વાંચો >

ઉન્માદ

ઉન્માદ : સામાન્ય ભાષામાં ગાંડપણ તરીકે ઓળખાતો રોગ. વ્યક્તિની રોજિંદી વર્તણૂક અસ્વાભાવિક બને, મન પરનું નિયંત્રણ ચાલ્યું જાય, મન વિકૃત બને; સાચાખોટાનો, સારા-નરસાનો અને યોગ્ય-અયોગ્યનો વિવેક કરી ન શકે તેવી સ્થિતિ આ રોગમાં થાય છે. મહર્ષિ ચરક અનુસાર મન, બુદ્ધિ, સંજ્ઞા, જ્ઞાન, સ્મૃતિ, ભક્તિ, શીલ, ચેષ્ટા, આચાર વગેરેનો વિભ્રમ એટલે…

વધુ વાંચો >

ઉન્માદ, વિપત્તિકારી

ઉન્માદ, વિપત્તિકારી (amok) : હિંસા કરવાના આવેગવાળો માનસિક વિકાર. ‘ઍમોક’નો અર્થ ‘ભીષણ યુદ્ધ કરવું’ એવો થાય છે. આ પ્રકારની તકલીફમાં વ્યક્તિ આક્રમણકારી વર્તન કરે છે. મોટાભાગે પુરુષમાં તે જોવા મળે છે. વ્યક્તિ છરી અથવા બંદૂક જેવા હથિયાર સાથે, ગુસ્સામાં આવીને ગાંડા માણસની માફક ચારેબાજુ દોડ્યા કરે છે. કોઈ પણ કારણ…

વધુ વાંચો >

ઉન્સુરી

ઉન્સુરી (જ. ?; અ. 1039-40) : સુલતાન મહમૂદ ગઝનવીના રાજકવિ. મૂળ નામ અબુલ કાસિમ હસન બિન અહમદ. ‘ઉન્સુરી’ તખલ્લુસ. એવું કહેવાય છે કે સુલતાનના દરબારમાં 400 કવિઓ રહેતા હતા, તેમાં ઉન્સુરી મુખ્ય હતા. એણે ફારસીમાં રચેલા 180 શેરના કસીદામાં સુલતાન મહમૂદનાં યુદ્ધો અને વિજયોને આવરી લીધેલાં. સુલતાને એને રાજકવિ બનાવ્યા.…

વધુ વાંચો >

ઉપગુપ્ત

ઉપગુપ્ત : બૌદ્ધ ધર્મના સિદ્ધ પુરુષ. તેઓ શુદ્ર વર્ણના હતા; પરંતુ 17 વર્ષની વયે દીક્ષા લઈને યોગબળથી કામવિજય પ્રાપ્ત કર્યો. તેમને સમાધિ અવસ્થામાં ભગવાન બુદ્ધનાં દર્શન થયાનું મનાય છે. બુદ્ધનિર્વાણ પછી લગભગ સો વર્ષે થયેલા ઉપગુપ્તના વખતમાં બૌદ્ધોનો પ્રથમ મહાસાંઘિક સંપ્રદાય પ્રવર્ત્યો. તેમણે મથુરામાં એક સ્તૂપ બંધાવેલો. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર…

વધુ વાંચો >

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3)

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3) : 22.7 મીટર ઊંચાઈ અને 17 ટનનું વજન ધરાવતું ભારતનું પ્રમોચન વાહન જેની દ્વારા 40 કિગ્રા. વજનનો ઉપગ્રહ પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરી શકાય છે. આ પ્રમોચન-વાહનમાં ઘન બળતણથી કાર્ય કરતા રૉકેટના ચાર તબક્કા છે. તેનાં અન્ય મુખ્ય ઉપતંત્રોમાં, પ્રક્ષેપન દરમિયાન રૉકેટના જુદા જુદા તબક્કાને યથાસમય…

વધુ વાંચો >

ઉપગ્રહ-પ્રસારણ

ઉપગ્રહ-પ્રસારણ : કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ધ્વનિ, ચિત્ર, સંકેતો, આંકડાઓ કે માહિતીનું પ્રસારણ. પૃથ્વીના ભ્રમણ સાથે એકધારો સતત અંતરે ઘૂમતો ઉપગ્રહ પૃથ્વી પરના કેન્દ્રથી સંકેતો ઝીલી વિશાળ વિસ્તારોમાં પાછા ફેંકે છે. ઉપગ્રહમાં એવી વ્યવસ્થા પણ હોય છે કે દ્વિમાર્ગી ટેલિફોન, ટેલેક્સ વગેરે માટે એકથી વધુ સંદેશાઓની સમાંતરે આપ-લે કરી શકાય. આ…

વધુ વાંચો >

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ : ઉપગ્રહ દ્વારા દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ માટે કરવામાં આવતો પ્રયોગ તે(Satellite Instructional Television Experiment – SITE) ભારત અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાના સહકારથી, 1 ઑગસ્ટ, 1975થી 31મી જુલાઈ, 1976ના એક વર્ષના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં અમેરિકન ઉપગ્રહ ATS-6 અને ઇસરો દ્વારા નિર્માણ કરેલ ભૂમિસ્થિત તંત્ર અને…

વધુ વાંચો >

ઉપગ્રહ સંદેશાવ્યવહાર

ઉપગ્રહ સંદેશાવ્યવહાર : માઇક્રોવેવ રેડિયો સંચારની એક પદ્ધતિ. વધુ ચેનલક્ષમતા મેળવવા માટે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા માઇક્રોવેવ રેડિયો-તરંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ તરંગો સીધી લીટીમાં ગતિ કરે છે. આયનમંડળ (ionosphere) વડે તેમનું પરાવર્તન થતું નથી, પણ તેને ભેદીને તે આરપાર નીકળી જાય છે. માઇક્રોવેવ તરંગોના આવા ગુણધર્મોને લીધે સંચારનો…

વધુ વાંચો >

ઉપગ્રહો, કુદરતી

Jan 7, 1991

ઉપગ્રહો, કુદરતી (Satellites, Natural) : સૂર્યમંડળના ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા આકાશી પદાર્શો. બુધ અને શુક્ર સિવાયના ગ્રહોને, એક કે એકથી વધારે ઉપગ્રહ છે. મંગળને બે અને પૃથ્વીને એક (ચંદ્ર) ઉપગ્રહ છે; જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનને બે કરતાં વધુ ઉપગ્રહો છે. સૌથી છેલ્લા ગ્રહ પ્લુટોને એક ઉપગ્રહ છે. ઉપગ્રહો…

વધુ વાંચો >

ઉપગ્રહો, કૃત્રિમ

Jan 7, 1991

ઉપગ્રહો, કૃત્રિમ : જુઓ અંતરીક્ષ અન્વેષણો.

વધુ વાંચો >

ઉપચયન (oxidation)

Jan 7, 1991

ઉપચયન (oxidation) : ઑક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રસાયણના વિકાસની શરૂઆતની આ વ્યાખ્યા ગણાય. પરમાણુના બંધારણની માહિતી સ્પષ્ટ થતાં રાસાયણિક પ્રક્રિયામાં થતા પાયાના ફેરફારોની માહિતી મળી અને તેથી ઉપરની વ્યાખ્યા વધુ વ્યાપક બની. ઉપચયનથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા અપચયન (reduction) છે. આ બંને પ્રક્રિયાઓ એકબીજીની પૂરક હોઈ હમેશાં સાથે સાથે…

વધુ વાંચો >

ઉપજાતીયતા (subspeciation)

Jan 7, 1991

ઉપજાતીયતા (subspeciation) : એક જ જાતિ (species)ના હોવા છતાં પ્રાકૃતિક પસંદગીની અસર હેઠળ, વિવિધ જૂથોમાં વહેંચાઈ જવું તે. બે જૂથના સભ્યો વચ્ચેના સહવાસથી અવંધ્ય સંતાનો પેદા થતાં હોય અને કાળક્રમે આ જૂથો એકબીજાં સાથે મિલન પામી શકતાં હોય તો એ તમામ જૂથોના સભ્યો એક જ જાતિનાં ગણાય છે. શરૂઆતમાં અવરોધો…

વધુ વાંચો >

ઉપજીવ્ય-ઉપજીવક ભાવ

Jan 7, 1991

ઉપજીવ્ય-ઉપજીવક ભાવ : જેને આધારે જિવાય, અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવ્ય; અને જે અન્યને આધારે જીવે કે અન્યને લીધે જેના અસ્તિત્વનો આવિર્ભાવ થાય તે ઉપજીવક. કોશ અનુસાર ઉપજીવ્ય એટલે આશ્રય, આધાર કે કારણ; અને ઉપજીવક એટલે આશ્રયી, આધારે રહેનાર કે કાર્ય. ઉપજીવ્ય-ઉપજીવક ભાવ એ કાર્યકારણ ભાવ છે અથવા પ્રયોજ્ય-પ્રયોજક ભાવ…

વધુ વાંચો >

ઉપદંશ (syphilis)

Jan 7, 1991

ઉપદંશ (syphilis) : લિંગીય (sexual) સંસર્ગથી ફેલાતો ચેપી રોગ. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી પણ કહે છે. તે ટ્રીપોનેમા પેલિડમ (Treponema Pallidum) નામના કુંતલાણુ (spirochetes) તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુંબન દ્વારા અથવા તો ઉપદંશના દર્દીનું લોહી…

વધુ વાંચો >

ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ (metalloids or semi-metals)

Jan 7, 1991

ઉપધાતુઓ અથવા અર્ધધાતુઓ (metalloids or semi-metals) : આવર્ત-કોષ્ટકમાં ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના અંતરિયાળ ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો ધરાવતાં તત્વો. બોરોન, સિલિકન, જર્મેનિયમ, આર્સેનિક, ઍન્ટિમની, સેલેનિયમ અને ટેલુરિયમ વગેરે આ પ્રકારમાં આવે. તે આમ તો ચકચકિત અને ધાતુ જેવાં દેખાય છે, પણ બરડ હોય છે. તે ધાતુ અને અધાતુ વચ્ચેના…

વધુ વાંચો >

ઉપનિષદ

Jan 7, 1991

ઉપનિષદ વેદવિદ્યાની ચરમ સીમા જેમાં જોવા મળે છે તે વેદના અંતિમ ભાગમાં નિરૂપિત જ્ઞાન. વેદનાં પ્રથમ ચરણોમાં એટલે કે સંહિતામાં પ્રાર્થનામંત્રો કે ઉપાસના છે. દ્વિતીય ચરણોમાં એટલે કે બ્રાહ્મણોમાં યજ્ઞવિધિ છે. આરણ્યકોરૂપી તૃતીય ચરણોમાં વાનપ્રસ્થ જીવનને લગતી વિગતો છે અને અંતિમ ચરણરૂપ ઉપનિષદોમાં જ્ઞાન કે મોક્ષની વિચારણા છે. આમ જીવનના…

વધુ વાંચો >

ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ)

Jan 7, 1991

ઉપનિષદ બ્રાહ્મણ (મંત્રબ્રાહ્મણ) : તાણ્ડ્ય બ્રાહ્મણ અને ષડ્વિંશ બ્રાહ્મણ એ બે મોટાં બ્રાહ્મણો સિવાયનાં તંડિશાખાનાં નાનાં નાનાં બ્રાહ્મણો. આર્ષેય, દેવતાધ્યાય, સામવિધાન અને મંત્રબ્રાહ્મણ અથવા ઉપનિષદ બ્રાહ્મણ વગેરે એક મોટા બ્રાહ્મણના ભાગો હશે એમ વિદ્વાનોની ધારણા છે. આ નાનાં બ્રાહ્મણો, ઋષિ, મંત્ર, દેવતા, વિનિયોગ આદિની અનુક્રમણીઓના સ્વરૂપનાં છે. તેથી તેમના વિષય-વૈશિષ્ટ્યને…

વધુ વાંચો >

ઉપપીઠ

Jan 7, 1991

ઉપપીઠ : મંદિરોની દીવાલનો નીચલો ભાગ જે પીઠનો એક ભાગ હોય છે. દીવાલોના થરોની રચનામાં તે સમાયેલો હોય છે. દક્ષિણનાં મંદિરોમાં આ પીઠમાં જુદા જુદા થરો હોય છે. તેને ઉબપીઠમ્ કહેવામાં આવે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >