૩.૦૭

ઉન્નાવથી ઉપરવાસ (કથાત્રયી)

ઉપપુરાણ

ઉપપુરાણ : મહાપુરાણોથી પૃથક્ પુરાણગ્રંથો. વ્યાસમુનિ પાસેથી અઢાર પુરાણો સાંભળ્યા પછી ઋષિમુનિઓએ જે પુરાણો રચ્યાં તે ઉપપુરાણો કહેવાયાં; જોકે મોટાભાગનાં ઉપપુરાણોનો ઉલ્લેખ ‘પુરાણ’ તરીકે થાય છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય છે. ઉપપુરાણો તો મહાપુરાણોના ઉપભેદ છે એવી માન્યતા પ્રચલિત છે. સૌરપુરાણમાં સર્ગ, પ્રતિસર્ગ વગેરે પાંચ લક્ષણોને ઉપપુરાણનાં લક્ષણો કહ્યાં…

વધુ વાંચો >

ઉપભોક્તા(ગ્રાહક)ની સર્વોપરિતા

ઉપભોક્તા(ગ્રાહક)ની સર્વોપરિતા : બજારતંત્રનાં વલણો પર સીધી અસર કરવાની અબાધિત શક્તિ. ઉપભોક્તા(ગ્રાહક)વર્ગ આર્થિક સાધનોની વહેંચણી તથા તેમના ઉત્પાદનનું કદ અને સ્વરૂપ નિર્ધારિત કરવા કરી શકે છે. કોઈ પણ અર્થતંત્રમાં જે કેટલાક પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય છે તેમાંનો એક પ્રશ્ન છે : કઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવું ? મૂળભૂત…

વધુ વાંચો >

ઉપભોગીઓ (પર્યાવરણ)

ઉપભોગીઓ (પર્યાવરણ) (consumers, phagotrophs) : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર)

ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં નૈતિક અને રાજકીય તત્વચિંતનના ક્ષેત્રે પ્રભાવક બનેલી વિચારસરણી પશ્ચિમી તત્વજ્ઞાનના ઉપયોગિતાવાદ(utilitarianism)ના સિદ્ધાંત મુજબ કોઈ પણ કાર્ય નૈતિક ર્દષ્ટિએ યોગ્ય (right) છે કે અયોગ્ય (wrong) છે તે અંગેનો નિર્ણય તે કાર્યોનાં પરિણામો નૈતિક રીતે સારાં (good) છે કે ખરાબ (bad) છે તેને આધારે જ કરવો જોઈએ.…

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism)

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism) : ઉદારમતવાદની એક શાખા. આ વિચારસરણીનો ઉદય ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં થયો. તેના વિકાસમાં જેરીમી બેન્થમ, જેમ્સ મિલ, જૉન ઓસ્ટિન, જૉન સ્ટુઅર્ટ મિલ તથા હર્બર્ટ સ્પેન્સરનું ચિંતન ધ્યાન ખેંચે છે. ઉપયોગિતાવાદની ર્દષ્ટિએ મનુષ્યનો ઉદ્દેશ આનંદ-સુખ પ્રાપ્ત કરવાનો છે. મનુષ્યનું સુખ મનુષ્યોના સહયોગ અને સંપર્ક દ્વારા જ પ્રાપ્ત થઈ…

વધુ વાંચો >

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય

ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન…

વધુ વાંચો >

ઉપરવાસ (કથાત્રયી)

ઉપરવાસ (કથાત્રયી) (1975) : સાહિત્ય અકાદમી, દિલ્હીના પારિતોષિકની વિજેતા કૃતિ. ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરી(જન્મ 1938)ની આ નવલત્રયીના ત્રણ ભાગનાં નામ છે ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’. આ બૃહત્ નવલ છે. તેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામજીવનની અઢી-ત્રણ દાયકાની વિકાસગાથાનું આલેખન છે. સાબરમતીના ઉપરવાસથી નજીકના પોતાના વતનપ્રદેશને લેખકે આ કથાત્રયીની જીવંત પશ્ચાદભૂ…

વધુ વાંચો >

ઉન્નાવ

Jan 7, 1991

ઉન્નાવ : ઉત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 07’થી 27o 02′ ઉ. અ. અને 80o 03’થી 81o 03′ પૂ.રે.ની વચ્ચેનો આશરે 4,558 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરદોઈ, ઈશાન અને પૂર્વમાં લખનૌ, દક્ષિણમાં રાયબરેલી તથા પશ્ચિમે કાનપુર જિલ્લાઓ આવેલા છે. કાનપુરથી અલગ પડતી…

વધુ વાંચો >

ઉન્નીનિલિસદેશમ્

Jan 7, 1991

ઉન્નીનિલિસદેશમ્ : આશરે ચૌદમી સદીમાં લખાયેલું મલયાળમ ભાષાનું પ્રથમ સંદેશકાવ્ય. કાલિદાસના ‘મેઘદૂત’ના અનેક અનુકરણ થયાં તેમાં આ સર્વપ્રથમ છે. ઉન્નીનિલ એ સંદેશવાહક નહિ, પણ નાયિકા પોતે જ છે. કોઈક અનિષ્ટ તત્વ (યક્ષી) રાતે નાયિકાની પથારીમાંથી નાયકને ઉઠાવી જઈ 100 માઈલ દૂરના સ્થળે મૂકી આવે છે. નાયિકા વૈકોમ ખાતે છે અને…

વધુ વાંચો >

ઉન્માદ

Jan 7, 1991

ઉન્માદ : સામાન્ય ભાષામાં ગાંડપણ તરીકે ઓળખાતો રોગ. વ્યક્તિની રોજિંદી વર્તણૂક અસ્વાભાવિક બને, મન પરનું નિયંત્રણ ચાલ્યું જાય, મન વિકૃત બને; સાચાખોટાનો, સારા-નરસાનો અને યોગ્ય-અયોગ્યનો વિવેક કરી ન શકે તેવી સ્થિતિ આ રોગમાં થાય છે. મહર્ષિ ચરક અનુસાર મન, બુદ્ધિ, સંજ્ઞા, જ્ઞાન, સ્મૃતિ, ભક્તિ, શીલ, ચેષ્ટા, આચાર વગેરેનો વિભ્રમ એટલે…

વધુ વાંચો >

ઉન્માદ, વિપત્તિકારી

Jan 7, 1991

ઉન્માદ, વિપત્તિકારી (amok) : હિંસા કરવાના આવેગવાળો માનસિક વિકાર. ‘ઍમોક’નો અર્થ ‘ભીષણ યુદ્ધ કરવું’ એવો થાય છે. આ પ્રકારની તકલીફમાં વ્યક્તિ આક્રમણકારી વર્તન કરે છે. મોટાભાગે પુરુષમાં તે જોવા મળે છે. વ્યક્તિ છરી અથવા બંદૂક જેવા હથિયાર સાથે, ગુસ્સામાં આવીને ગાંડા માણસની માફક ચારેબાજુ દોડ્યા કરે છે. કોઈ પણ કારણ…

વધુ વાંચો >

ઉન્સુરી

Jan 7, 1991

ઉન્સુરી (જ. ?; અ. 1039-40) : સુલતાન મહમૂદ ગઝનવીના રાજકવિ. મૂળ નામ અબુલ કાસિમ હસન બિન અહમદ. ‘ઉન્સુરી’ તખલ્લુસ. એવું કહેવાય છે કે સુલતાનના દરબારમાં 400 કવિઓ રહેતા હતા, તેમાં ઉન્સુરી મુખ્ય હતા. એણે ફારસીમાં રચેલા 180 શેરના કસીદામાં સુલતાન મહમૂદનાં યુદ્ધો અને વિજયોને આવરી લીધેલાં. સુલતાને એને રાજકવિ બનાવ્યા.…

વધુ વાંચો >

ઉપગુપ્ત

Jan 7, 1991

ઉપગુપ્ત : બૌદ્ધ ધર્મના સિદ્ધ પુરુષ. તેઓ શુદ્ર વર્ણના હતા; પરંતુ 17 વર્ષની વયે દીક્ષા લઈને યોગબળથી કામવિજય પ્રાપ્ત કર્યો. તેમને સમાધિ અવસ્થામાં ભગવાન બુદ્ધનાં દર્શન થયાનું મનાય છે. બુદ્ધનિર્વાણ પછી લગભગ સો વર્ષે થયેલા ઉપગુપ્તના વખતમાં બૌદ્ધોનો પ્રથમ મહાસાંઘિક સંપ્રદાય પ્રવર્ત્યો. તેમણે મથુરામાં એક સ્તૂપ બંધાવેલો. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર…

વધુ વાંચો >

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3)

Jan 7, 1991

ઉપગ્રહ-પ્રમોચન વાહન-3 (S.L.V.-3) : 22.7 મીટર ઊંચાઈ અને 17 ટનનું વજન ધરાવતું ભારતનું પ્રમોચન વાહન જેની દ્વારા 40 કિગ્રા. વજનનો ઉપગ્રહ પૃથ્વીની નજીકની લંબ-વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરી શકાય છે. આ પ્રમોચન-વાહનમાં ઘન બળતણથી કાર્ય કરતા રૉકેટના ચાર તબક્કા છે. તેનાં અન્ય મુખ્ય ઉપતંત્રોમાં, પ્રક્ષેપન દરમિયાન રૉકેટના જુદા જુદા તબક્કાને યથાસમય…

વધુ વાંચો >

ઉપગ્રહ-પ્રસારણ

Jan 7, 1991

ઉપગ્રહ-પ્રસારણ : કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ધ્વનિ, ચિત્ર, સંકેતો, આંકડાઓ કે માહિતીનું પ્રસારણ. પૃથ્વીના ભ્રમણ સાથે એકધારો સતત અંતરે ઘૂમતો ઉપગ્રહ પૃથ્વી પરના કેન્દ્રથી સંકેતો ઝીલી વિશાળ વિસ્તારોમાં પાછા ફેંકે છે. ઉપગ્રહમાં એવી વ્યવસ્થા પણ હોય છે કે દ્વિમાર્ગી ટેલિફોન, ટેલેક્સ વગેરે માટે એકથી વધુ સંદેશાઓની સમાંતરે આપ-લે કરી શકાય. આ…

વધુ વાંચો >

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ

Jan 7, 1991

ઉપગ્રહ શિક્ષણપ્રયોગ : ઉપગ્રહ દ્વારા દૂરદર્શનના માધ્યમથી શિક્ષણ માટે કરવામાં આવતો પ્રયોગ તે(Satellite Instructional Television Experiment – SITE) ભારત અને અમેરિકાની ‘નાસા’ સંસ્થાના સહકારથી, 1 ઑગસ્ટ, 1975થી 31મી જુલાઈ, 1976ના એક વર્ષના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં અમેરિકન ઉપગ્રહ ATS-6 અને ઇસરો દ્વારા નિર્માણ કરેલ ભૂમિસ્થિત તંત્ર અને…

વધુ વાંચો >

ઉપગ્રહ સંદેશાવ્યવહાર

Jan 7, 1991

ઉપગ્રહ સંદેશાવ્યવહાર : માઇક્રોવેવ રેડિયો સંચારની એક પદ્ધતિ. વધુ ચેનલક્ષમતા મેળવવા માટે ઉચ્ચ આવૃત્તિ ધરાવતા માઇક્રોવેવ રેડિયો-તરંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ તરંગો સીધી લીટીમાં ગતિ કરે છે. આયનમંડળ (ionosphere) વડે તેમનું પરાવર્તન થતું નથી, પણ તેને ભેદીને તે આરપાર નીકળી જાય છે. માઇક્રોવેવ તરંગોના આવા ગુણધર્મોને લીધે સંચારનો…

વધુ વાંચો >