ઇન્દ્રાગ્ની : બે યમજ ભાઈઓ, ઋગ્વેદનાં 11 સૂક્તોમાં દેવતાયુગ્મ તરીકે પ્રશસ્તિ પામેલા છે. સાથે મળીને તેમણે દાસ-નગર-ધ્વંસ, નદી-કારાગાર-મુક્તિ, દસ્યુ-વધ, રાક્ષસ-અપસારણ વગેરે અનેક પરાક્રમો કર્યાં છે. वज्रबाहु, वृत्रघ्नौ, मधोनौः, यज्ञ-ऋत्विजौ, कवी, सदस्यती વગેરે સમાન વિશેષણો ધરાવનાર ઇન્દ્ર-અગ્નિ, તેમના ઘનિષ્ઠ સંબંધને અનુલક્ષીને, એક વાર अश्विनौ તરીકે પણ સંબોધાયા છે.

જયાનંદ દવે