૨.૧૦

આર્સેનોપાયરાઇટથી આલ્કેલૉઇડ

આર્સેનોપાયરાઇટ

આર્સેનોપાયરાઇટ (Arsenopyrite, જર્મન પર્યાય Mispickel) : આર્સેનિકનું ખનિજ. રાસાયણિક બંધારણ : FeAsS અથવા FeS2. FeAs2, આયર્ન સલ્ફાર્સેનાઇડ. આર્સેનિક-46.0 %, ગંધક-19.7 %, લોહ-34.3 %. ક્યારેક લોહ, કોબાલ્ટથી વિસ્થાપિત થાય (3થી 4 %) તો ખનિજ ડાનાઇટ (danaite) નામે ઓળખાય છે. સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. અપારદર્શક. સ્ફટિકો મુખ્યત્વે પ્રિઝ્મેટિક અથવા ઊભા ચપટા, સીધા…

વધુ વાંચો >

આર્હા, યુહાની

આર્હા, યુહાની: (જ. 11 સપ્ટેમ્બર 1861; અ. 8 ઑગસ્ટ 1921) :  ફિન્લૅન્ડના લેખક. મૂળ નામ યોહાન્નેસ બ્રુફેલ્ટ. હેલસિંકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે ઘણા સમય સુધી પત્રકારત્વનો વ્યવસાય કરેલો. ‘યંગ ફિન્લૅન્ડ’ ઉદારમતવાદી પંથના તે સક્રિય સભ્ય હતા. બાવીસમે વર્ષે તેમણે સાહિત્યસર્જન આરંભ્યું. તેમણે ફ્રેંચ લેખકો દોદો અને મોપાસાંને આદર્શ ગણી વાસ્તવલક્ષી…

વધુ વાંચો >

આર્હેનિયસ સ્વાન્તે ઑગુસ્ત

આર્હેનિયસ, સ્વાન્તે ઑગુસ્ત (જ. 19 ફેબ્રુઆરી 1859, વિક, સ્વીડન; અ. 2 ઑક્ટોબર 1927, સ્ટૉકહોમ) : ભૌતિક રસાયણને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે વિકસાવનાર વૈજ્ઞાનિકો પૈકીના એક રસાયણવિદ. તેમણે પ્રતિપાદન કરેલ આયનીકરણ (ionization) સિદ્ધાંત રાસાયણિક સંયોજનોના બંધારણ તથા દ્રાવણમાં તેમની વર્તણૂક સમજવામાં અત્યંત મદદરૂપ છે, અને આ માટે તેમને 1903માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક…

વધુ વાંચો >

આલમઆરા (1931)

આલમઆરા (1931) : ભારતનું સર્વપ્રથમ બોલપટ. તેના નિર્માણ-દિગ્દર્શનનું શ્રેય એક પારસી ગુજરાતી સજ્જન અરદેશર ઈરાનીને ફાળે જાય છે. મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કું.ના એક ભાગીદાર અરદેશર ઈરાની ઈ. સ. 1930માં એક્સેલસિયર સિનેમાગૃહમાં થયેલ ‘શો બોટ’ નામની 40 % બોલતી વિદેશી ફિલ્મથી અત્યંત પ્રભાવિત થઈને બોલપટ ઉતારવા પ્રેરાયા. તેનાર સિંગલ સાઉન્ડ સિસ્ટમ…

વધુ વાંચો >

આલમખાં

આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ…

વધુ વાંચો >

આલમગીરનામા

આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ. આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું…

વધુ વાંચો >

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ (જ. 1920, અમદાવાદ; અ. 1982) : જાણીતા ચિત્રકાર. પિતા અમદાવાદની એક મિલમાં મૅનેજર. બાળપણથી જ અબ્દુર્રહીમને ચિત્રોનો શોખ. પાંચમી અંગ્રેજીનું શિક્ષણ લીધા બાદ કલાગુરુ કે. ના. કેળકર પાસે ચિત્રશિક્ષણ શરૂ કર્યું. 1935માં મુંબઈ ગયા અને 1940માં મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ…

વધુ વાંચો >

આલસાસ-લૉરેઇનની સમસ્યા

આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ…

વધુ વાંચો >

આલાઓલ

આલાઓલ (જ. 1592; અ. 1673) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ કર્યા. થોડા સમયમાં…

વધુ વાંચો >

આલાપ ઝિયા

આલાપ ઝિયા : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. ‘ઝિયા’ તખલ્લુસથી લખતા પરસરામ હીરાનંદનાં કાવ્યોનો આ સંગ્રહ છે. તેને 1958 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયું હતું. ભારતના વિભાજન પૂર્વેની તેમની કવિતામાં રાષ્ટ્રભક્તિ દૃષ્ટિગોચર થાય છે, તો વિભાજન પછીની કવિતામાં વિશૃંખલિત સિંધી સમાજની સામાજિક તથા આર્થિક વિષમતાઓનું ચિત્રણ છે. કાવ્યોમાં નિર્વાસિત શિબિરોની…

વધુ વાંચો >

આલાબામા

Jan 10, 1990

આલાબામા (Alabama) : યુ.એસ.ના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. તે આશરે 310થી 350 ઉ. અ. અને 850થી 880 20´ પ. રે. વચ્ચેનો 1,34,700 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ. દ. લંબાઈ 536 કિમી. અને પૂ. પ. પહોળાઈ 333 કિ.મી. જેટલી છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વે જ્યૉર્જિયા, દક્ષિણે ફ્લૉરિડા તથા પશ્ચિમે…

વધુ વાંચો >

આલાર કાલામ

Jan 10, 1990

આલાર કાલામ : બુદ્ધના પ્રથમ ગુરુ. ‘અરિયપરિવેસાનસુત્ત’માં બુદ્ધની આલાર સાથેની મુલાકાત વર્ણવી છે. આલારે બુદ્ધને આકિંચન્યાયતન સમાધિ શીખવી અને બુદ્ધે તેને સિદ્ધ કરી. પરંતુ બુદ્ધને તેટલાથી સંતોષ ન થયો અને તે આલારને છોડી ગયા. જ્યારે બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયું ત્યારે સૌપ્રથમ આલારને પોતાનો ઉપદેશ ઝીલવા યોગ્ય ગણી તેમને ઉપદેશ આપવાનો…

વધુ વાંચો >

આ લા રેશર્શે દુ તાં પેર્દુ

Jan 10, 1990

આ લા રેશર્શે દુ તાં પેર્દુ (A la recherche du temps perdu) (1913-1927) : ફ્રેન્ચ નવલકથા. માર્સેલ પ્રુસ્ત (1871-1922)ની આ શ્રેષ્ઠ કૃતિનું અંગ્રેજીમાં ‘રિમેબ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’ નામે ભાષાંતર (1922-1931) સી. કે. સ્કૉટ મોનક્રીફે કરેલું છે. આ મહાનવલ સાત ખંડોમાં પ્રગટ થઈ હતી. તેનું પૂર્ણ સુધારેલું ભાષાંતર 1981માં પ્રગટ થયેલું.…

વધુ વાંચો >

આલાલેર ઘરે દુલાલ

Jan 10, 1990

આલાલેર ઘરે દુલાલ (1858) : પ્યારીચાંદ મિત્રે લખેલી પહેલી બંગાળી નવલકથા. શીર્ષકનો અર્થ છે – ‘ધનિક કુટુંબનો લાડકો દીકરો’. કથાનક મૌલિક છે. એ કથા લેખકના જ ‘એક આનાર માસિક’માં 1855થી  1857સુધીના સમયગાળામાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહેલી. ગ્રંથાકારે તે 1858માં પ્રગટ થઈ હતી. એમાં એક ધન મેળવનાર, પણ શિક્ષણ અને…

વધુ વાંચો >

આ-લાવા

Jan 10, 1990

‘આ’ લાવા-(‘aa’ lava) અથવા ખંડ લાવા (block lava) : ‘આ’ લાવા-એક પ્રકારના લાવા સ્વરૂપનું હવાઇયન ભાષાનું નામ. તાજો પ્રસ્ફુટિત થયેલો, ઠરી રહેલો બેઝિક લાવા પ્રવાહ, ઘનસ્વરૂપે સ્થૂળ ફીણમાં ફેરવાય છે કે નહિ, તે સ્થિતિ પર આધારિત, એકબીજાથી વિરોધાભાસી લક્ષણોવાળાં બે પ્રકારનાં સ્વરૂપો ધારણ કરે છે : (1) ખંડ લાવા અને…

વધુ વાંચો >

આલુ

Jan 10, 1990

આલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. सं. आरुक; हिं. आलुका; ગુ. આલુ, જરદાલુ; અં. Apricot. આલુ(genus)નું લૅટિન નામ Prunus armeniaca છે. ગુલાબ (Rose), Rubus, Fragaria, Geum, સફરજન અને Pyrus અને Potentilla તેનાં સહસભ્યો છે. પરંતુ તે સર્વેમાંથી ફક્ત Potentilla નર્મદાના તટપ્રદેશમાં અને પાવાગઢ ઉપર ખાબોચિયાના કાંઠે મળે…

વધુ વાંચો >

આલુરી બૈરાગી

Jan 10, 1990

આલુરી બૈરાગી (જ. 1936 ) : તેલુગુ લેખક. આલુરી બૈરાગીના કવિતાસંગ્રહ ‘આગમગીતિ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1984 નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં અર્વાચીન ભક્તિ-કાવ્યો છે. ભાવોના વૈવિધ્ય સાથે ભક્ત અને ભગવાનના વિવિધ સંબંધોને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ઊર્મિઓનું નિરૂપણ થયેલું છે. એમાં સખાભાવ, દાસ્યભાવ ને પ્રિયતમનો પણ ભાવ છે. મોટાભાગનાં કાવ્યો…

વધુ વાંચો >

આલુરુ વ્યંકટરાવ

Jan 10, 1990

આલુરુ વ્યંકટરાવ (જ. 1880, બીજાપુર; અ. 1964) : કન્નડ લેખક. જન્મ ઉત્તર કર્ણાટકના બિજાપુરમાં. પ્રારંભિક શિક્ષણ બિજાપુરમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. ત્યાં જ સાવરકર, લોકમાન્ય ટિળક વગેરેનો પરિચય થયો. એમણે લોકમાન્યના ‘ગીતારહસ્ય’નો કન્નડમાં અનુવાદ કર્યો છે. એમણે કર્ણાટક માટે એક જુદી કૉંગ્રેસ તથા હોમરૂલ લીગની સ્થાપના કરેલી. 1906માં…

વધુ વાંચો >

આલે અહમદ ‘સુરૂર’

Jan 10, 1990

આલે અહમદ ‘સુરૂર’ (જ. 1911, બદાયૂન; અ. 9 ફેબ્રુઆરી 2002, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક, પ્રાધ્યાપક અને કવિ. પ્રાથમિક શિક્ષણ બદાયૂનમાં શરૂ થઈને પિતાની નોકરીના કારણે પીલીભીત, બિજનૌર અને સીતાપુરમાં ચાલુ રહ્યું. ઉચ્ચશિક્ષણ સેંટ જૉન્સ કૉલેજ આગ્રામાં. આલે અહમદને કાવ્યરચનાનો નાનપણથી જ શોખ હતો. આગ્રામાં કવિઓની સોબત અને મુલાકાતોથી…

વધુ વાંચો >

આલેખ

Jan 10, 1990

આલેખ (Graph) : અવલોકનો કે માહિતીની ભૌમિતિક રીતે રજૂઆત કરવાની પદ્ધતિ. અંતર અને દિશા તેનાં પાયાનાં તત્વો છે. (ક) કોર્તેઝીય પદ્ધતિ : સમતલના કોઈ એક બિંદુમાંથી પસાર થતી બે પરસ્પર લંબરેખાઓ લેવામાં આવે તો બિન્દુને ઊગમબિંદુ (origin) અને લંબરેખાઓને લંબયામાક્ષો (coordinate axes) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લંબરેખાઓ પૈકી…

વધુ વાંચો >