૨.૦૮

આરોગ્ય-વીમોથી આર્થસ પ્રતિક્રિયા

આર્કિમીડીઝનો સિદ્ધાંત

આર્કિમીડીઝનો સિદ્ધાંત : આર્કિમીડીઝે શોધેલો ભૌતિક વિજ્ઞાનનો ઉત્પ્લાવન(buoyancy)નો નિયમ. આ નિયમ અનુસાર સ્થિર તરલ-(fluid-વાયુ કે પ્રવાહી)માં, કોઈ પણ વસ્તુને સંપૂર્ણત: કે અંશત: ડુબાડતાં, તેની ઉપર ઊર્ધ્વ દિશામાં એક ઉત્પ્લાવક બળ (buoyant force) લાગે છે; જેની માત્રા (magnitude) વસ્તુ વડે સ્થળાંતરિત થતા તરલના વજન જેટલી હોય છે. સંપૂર્ણત: ડુબાડેલી વસ્તુ માટે…

વધુ વાંચો >

આર્કિમીડીઝ સ્ક્રૂ

આર્કિમીડીઝ સ્ક્રૂ : આર્કિમીડીઝે પાણી ચડાવવા માટે શોધેલો અને પ્રાચીન સમયથી વપરાતો એક પ્રકારનો પંપ. એક સળિયાની ફરતે સ્ક્રૂના આંટાની જેમ ભૂંગળી વીંટાળીને આ તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં આની રચનામાં લાકડું, લાકડાની નમ્ય (flexible) પટ્ટીઓ તથા પાણી ચૂએ નહિ (જલઅભેદ્ય, water-proof) તે માટે ડામર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. સમગ્ર પ્રયુક્તિને…

વધુ વાંચો >

આર્કિમીડીઝ સ્ક્રૂવાહક

આર્કિમીડીઝ સ્ક્રૂવાહક : આર્કિમીડીઝ સ્ક્રૂના સિદ્ધાંત અનુસાર કોલસા, રાખ વગેરેનું વહન કરવા માટે વપરાતું સાધન. ખાસ કરીને કોલસાથી ચાલતાં વિદ્યુતમથકોમાં આ સાધનનો ઉપયોગ થાય છે. આર્કિમીડીઝ સ્ક્રૂ, આર્કિમીડીઝ નામના ગ્રીક વૈજ્ઞાનિકે ઈસુ પૂર્વેની ત્રીજી સદીમાં શોધ્યો હતો અને વહાણોમાં ભરાઈ જતા પાણીને ઉલેચવાના પંપ તરીકે તેનો ઉપયોગ થતો હતો. આ…

વધુ વાંચો >

આર્કિયન રચના

આર્કિયન રચના (Archaean System) : ભૂસ્તરીય કાળગણનાક્રમમાં સૌથી નીચે રહેલી પ્રી-કૅમ્બ્રિયન રચનાઓ પૈકીની પ્રાચીનતમ રચના. પૂર્વ-કૅમ્બ્રિયન કાળગાળાની દુનિયાભરની જૂનામાં જૂની તમામ ખડકરચનાઓ માટે આર્કિયન શબ્દપ્રયોગ પ્રયોજાયેલો છે. ભૂસ્તરીય કાળગણના માટેની ભૌતિક કાળમાપનપદ્ધતિઓ જેમ જેમ અખત્યાર કરાતી રહી છે, તેમ તેમ આ શબ્દપ્રયોગની અર્થ-ઉપયોગિતા પણ બદલાતી રહી છે.‘આર્કિયન’ને બદલે અગ્રગણ્ય નિષ્ણાતો…

વધુ વાંચો >

આર્કિયૉપ્ટેરિકસ

આર્કિયૉપ્ટેરિકસ : જીવાવશેષ સ્વરૂપમાં જાણીતું પક્ષી જેવું પ્રાણી. પૂર્વજ તરીકે જાણીતા કાગડાથી સહેજ મોટા કદનું પક્ષી. તે ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સરીસૃપ અને વિહગ વર્ગનાં લક્ષણોનો સમન્વય દર્શાવતું હોવાથી સંયોગી કડી (connectinglink) તરીકે ઓળખાય છે. ‘આર્કિયૉપ્ટેરિકસ’ શબ્દનો અર્થ થાય છે ‘આદિ પાંખો ધરાવનાર’. આ પ્રાણી ઊડી શકવા માટે સમર્થ ન હતું. પરંતુ…

વધુ વાંચો >

આર્કિયૉપ્ટેરિસ

આર્કિયૉપ્ટેરિસ (Archaeopteris) : પર્ણિકાઓ ઉપર બીજ જેવી રચના ધારણ કરતી અશ્મીભૂત (fossil) ત્રિઅંગી વનસ્પતિની પ્રજાતિ (genus). આ વનસ્પતિ કૅનેડા, માઇન, ન્યૂયૉર્ક, પેનસિલવેનિયા અને આયર્લૅન્ડના કલ્કેની પરગણામાંથી અપર ડિવોનિયન (3,450 લાખ વર્ષ પૂર્વે) ખડકોમાંથી મળી છે. અસમ બીજાણુતાની ઉત્પત્તિ અને વિકાસ દર્શાવતી આ વનસ્પતિ ત્રિઅંગીના સમબીજાણુવાળી સિલોફાઇટેલિસ અને લોઅર કાર્બોનિફેરસની અનાવૃત…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખજૂરાહો (મધ્યપ્રદેશ) : આઠમીથી બારમી સદી દરમિયાનનાં પાષાણ-શિલ્પોનો વિપુલ સંગ્રહ. ચંદ્રેલા વંશના રાજાઓના શાસન દરમિયાન બંધાયેલાં જૈન તથા હિંદુ મંદિરોમાંની શિલ્પકૃતિઓ અહીં પ્રદર્શિત કરાઈ છે. તે કૃતિઓ મંદિર-સ્થાપત્ય-શિલ્પના ઉત્તમ નમૂનારૂપ છે. ‘પશ્ચિમ જૂથ’ તરીકે ઓળખાતાં હિંદુ મંદિરો તરીકે લક્ષ્મણ મંદિર (954), વિશ્વનાથ મંદિર (999), ચિત્રગુપ્ત મંદિર અને સૌથી…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર (સ્થાપના 1922) : પુરાવસ્તુઓનો સંગ્રહ. 1913થી મહારાજા સિંધિયાની સૂચના પ્રમાણે ગ્વાલિયર આસપાસની પુરાવસ્તુઓ એકત્રિત કરવામાં આવી અને તે સર્વ પ્રદર્શિત કરવા માટે આ મ્યુઝિયમની સ્થાપના થઈ. આ મ્યુઝિયમમાં પ્રાચીન શિલ્પકૃતિઓ, શિલાલેખો, વિવિધ તામ્રપત્રો, અભિલિખિત મુદ્રાઓ, પાળિયા અને શિલાસ્તંભો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી તેમાં ગોઠવેલી વિવિધ ધાતુ-પ્રતિમાઓ…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, નાલંદા (બિહાર; સ્થાપના 1917) : પુરાતત્વીય ઉત્ખનનમાંથી મળેલા અવશેષોનો સંગ્રહ. મગધના પ્રાચીન પાટનગર રાજગૃહ તથા તેના ઉપનગર નાલંદા, બોધિગયા, દિનાજપુર અને આસપાસનાં અન્ય સ્થળોએ કરેલ ઉત્ખનનમાંથી મળી આવેલાં સંખ્યાબંધ પાષાણશિલ્પો અને ધાતુશિલ્પો અહીં પ્રદર્શિત કરાયાં છે. માટીની પકવેલી શિલ્પકૃતિઓ (terracotta), મૃત્પાત્રો, વિવિધ સિક્કાઓ અને મુદ્રાઓ મુખ્ય વિભાગમાં સચવાયાં…

વધુ વાંચો >

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ (ઉત્તર પ્રદેશ; સ્થાપના 1910) : મૌર્ય કાળ(ઈ. પૂ. બીજી સદીથી તેરમી સદી)ની શિલ્પકૃતિઓ અને હાથકારીગરીનો વિપુલ સંગ્રહ. આ મ્યુઝિયમમાં વારાણસી પાસે આવેલા સારનાથના બૌદ્ધ વિહારોના ઉત્ખનનમાંથી મળી આવેલ બારમી સદી સુધીનાં પાષાણશિલ્પો, માટીની પક્વ શિલ્પકૃતિઓ, મૃત્પાત્રો, તકતીલેખો અને મુદ્રાઓ પ્રદર્શિત કરાયાં છે. આ મ્યુઝિયમમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક…

વધુ વાંચો >

આરોગ્ય-વીમો

Jan 8, 1990

આરોગ્ય-વીમો : સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા યોગ્ય નાણાંની ચુકવણીથી વ્યક્તિગત આરોગ્યનાં જોખમો વખતે રક્ષણ આપવાની વ્યવસ્થા. લોકશાહી રાષ્ટ્ર તરીકે ઇંગ્લૅન્ડમાં આ હેતુસરની રાષ્ટ્રીય આરોગ્ય યોજના (National Health Scheme) શરૂ થયેલી છે. આવી યોજનામાં પ્રત્યેક વ્યક્તિ પોતાને ભાગે આવતા હિસ્સાની ચુકવણી કરી રાજ્ય કે રાષ્ટ્ર દ્વારા સમાજની દરેક વ્યક્તિના આરોગ્યની…

વધુ વાંચો >

આરોગ્યશિક્ષણ

Jan 8, 1990

આરોગ્યશિક્ષણ : આરોગ્યપ્રદ ટેવો કેળવવા માટે અપાતું શિક્ષણ. આરોગ્યશિક્ષણના ત્રણ મુખ્ય હેતુઓ : (1) સામાન્ય પ્રજાને આરોગ્ય સંદેશો પહોંચાડવો તે. રોગ અને મૃત્યુને સામાન્યત: કુદરતી પ્રક્રિયાના ભાગ રૂપે ગણીને નિ:સહાય બેસી રહેવાને બદલે મોટા ભાગના રોગો અટકાવી શકાય છે અથવા તેની અસર ઓછી કરી શકાય છે, એવી વૈજ્ઞાનિક સમજ સામાન્ય…

વધુ વાંચો >

આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય

Jan 8, 1990

આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય આરોગ્યસેવાઓ એટલે મુખ્યત્વે આરોગ્યની જાળવણી અને વૃદ્ધિ કરવાનાં વિવિધ પગલાં લેવાનો કાર્યક્રમ. આરોગ્યની જાળવણી માટે અને રોગ, વિકાર કે વિકૃતિ ઉત્પન્ન થયે તેની સારવારની વ્યવસ્થા માટે સ્થપાયેલી અને કાર્યરત સંસ્થાઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાયના ભાગરૂપ છે. સંભવિત રોગ, વિકાર કે વિકૃતિને થતાં અટકાવવાં તેમજ સમાજના સર્વે…

વધુ વાંચો >

આરોચક (અરોચક, અરુચિ)

Jan 8, 1990

આરોચક (અરોચક, અરુચિ) : ખાવાપીવાની રુચિ ન થાય તે રોગ. વાત, પિત્ત અને કફને કોપાવનાર ખોરાક, શોક, ભય, અતિલોભ, ક્રોધ, અપથ્ય ભોજન વગેરે આ રોગનાં કારણો ગણાય છે. ભૂખ ન લાગવી અને મોઢામાં ખોરાકનો ખરો સ્વાદ ન જણાવો તે આ રોગનાં લક્ષણો છે. હિંગાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લવણ-ભાસ્કર ચૂર્ણ, અજમોદાદિ…

વધુ વાંચો >

આરોહી અને અવરોહી પાતબિન્દુઓ

Jan 8, 1990

આરોહી અને અવરોહી પાતબિન્દુઓ : ચન્દ્ર, ગ્રહ યા ધૂમકેતુની દક્ષિણથી ઉત્તર તરફ જતાં ક્રાન્તિવૃત્તને જે બિન્દુમાં કાપે તે આરોહી પાતબિન્દુ અને તેનાથી ઊલટી દિશામાં જતાં કાપે તે અવરોહી પાતબિન્દુ. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને ધૂમકેતુઓ આકાશમાં જે માર્ગે ફરતા દેખાય છે તે તેમના કક્ષામાર્ગ છે. સૂર્યના વાર્ષિક આકાશી માર્ગને ક્રાન્તિવૃત્ત કહેવામાં…

વધુ વાંચો >

આર્કટ

Jan 8, 1990

આર્કટ : ભારતના તમિળનાડુ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 120 50´ ઉ. અ. અને 790 16´ પૂ. રે. તે રાજ્યના ઈશાન ભાગમાં વેલ્લોર જિલ્લાના આર્કટ તાલુકામાં પાલાર નદી પર આવેલું છે. જે સમુદ્રની સપાટીથી 164 મી. જળ ઊંચાઈએ સ્થિતિ છે. જેનો વિસ્તાર 13.64 ચો. કિ. મી. છે. કોરોમાંડલ કિનારાનો…

વધુ વાંચો >

આર્કટિક મહાસાગર

Jan 8, 1990

આર્કટિક મહાસાગર : પૃથ્વીના ઉત્તર ધ્રુવ વિસ્તાર પર પથરાયેલો વિશ્વનો નાનામાં નાનો મહાસાગર. તે યુરોપ, એશિયા તથા ઉત્તર અમેરિકાની ઉત્તરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 14,090,000 ચોરસ કિમી. છે. ઉત્તર દિશાના છેક છેડા પર આવેલા આ મહાસાગરને સૂર્યની ઉષ્મા ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળતી હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન તે બરફના…

વધુ વાંચો >

આર્કટૉટિસ

Jan 8, 1990

આર્કટૉટિસ : લૅટિન Arctotis grandis L. કુળ Asteraceae (Compositae). સહસભ્યો : સૂરજમુખી, ગુલદાઉદી, ડેહલિયા, ભાંગરો વગેરે. એક કે દ્વિવર્ષાયુ, નાનો 40-60 સેમી. સુધી પથરાતો 50 સેમી. સુધી ઊંચો વધતો શિયાળુ મોસમી ફૂલછોડ. લાંબી ડાળીઓમાંથી ભૂરાશ પડતાં સફેદ પુષ્પો (જર્બેરા જેવાં) લટકતાં રહે છે. તેની પાંખડીઓ નીચે જોડાયેલી અને ઉપરથી છૂટી…

વધુ વાંચો >

આર્કિગ્રામ

Jan 8, 1990

આર્કિગ્રામ (1961) : સ્થાપત્યની નૂતન વિચારસરણી ધરાવતું યુવાન બ્રિટિશ સ્થપતિઓનું એક જૂથ. 1961માં બ્રિટનની સ્થાપત્યશાળાઓના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના વિચારમંથનમાંથી એક જ વિચારસરણી ધરાવતા ‘આર્કિગ્રામ’ નામના જૂથનો જન્મ થયેલો. તે વિચારસરણીનો પહેલો ગ્રંથ આર્કિટેકચરલ ટેલિગ્રામ તરીકે પ્રકાશિત થયેલો (1961), તેના પરથી આર્કિગ્રામ નામ પ્રચલિત થયેલું. આ યુવાનોનાં જૂથો રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક,…

વધુ વાંચો >

આર્કિમીડીઝ

Jan 8, 1990

આર્કિમીડીઝ (જ. ઈ. પૂ. 290, સિરેક્યૂઝ; અ. ઈ. પૂ. 212) : પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનો સૌથી મહાન ગણિતજ્ઞ અને શોધક. કારકિર્દીની શરૂઆતમાં થોડો સમય તે ઇજિપ્તમાં રહ્યા હતા, પણ મુખ્યત્વે તેમણે આખું જીવન સિરેક્યૂઝમાં જ ગાળ્યું હતું. ત્યાંના રાજા હીરોન(બીજા)ના તે અંગત મિત્ર હતા. આર્કિમીડીઝના જીવન અંગે ઘણી વિગતો મહદંશે દંતકથા…

વધુ વાંચો >