૨૫.૧૧

હિમનદી-નિક્ષેપોથી હિર્લેકર, શ્રીકૃષ્ણ હરિ

હિમનદી-નિક્ષેપો

હિમનદી-નિક્ષેપો : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમપ્રપાત

હિમપ્રપાત : જુઓ હિમનદીઓ

વધુ વાંચો >

હિમલર હેનરિક

હિમલર, હેનરિક (જ. 1900, મ્યૂનિક, જર્મની; અ. 1945) : જર્મનીના નાઝી નેતા અને પોલીસ વડા. 1925માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને 1929માં તે એસ. એસ. રક્ષક દળ(Schutzstaffel, protective force)ના વડા નિમાયા. હેનરિક હિમલર  આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું; પરંતુ તેમણે એ દળને પાર્ટીના…

વધુ વાંચો >

હિમશિલા

હિમશિલા : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમસ્રોતાન્તર અશ્માવલિ

હિમસ્રોતાન્તર અશ્માવલિ : જુઓ હિમનદીઓ.

વધુ વાંચો >

હિમ–હિમવર્ષા (snowsnowfall)

હિમ–હિમવર્ષા (snowsnowfall) : વર્ષા અથવા વૃષ્ટિનું એક સ્વરૂપ. તે અતિસૂક્ષ્મ હિમસ્ફટિકોના દળથી બનેલું હોય છે. આવા સ્ફટિકો ઠંડાં વાદળોમાં જલબાષ્પમાંથી વિકસતા હોય છે. વિકસ્યા પછી તે અન્યોન્ય અથડાય છે, જોડાય છે અને તેમાંથી હિમપતરીઓ રચાય છે. હિમપતરીઓનાં કદ જુદાં જુદાં હોય છે, ક્યારેક 100 જેટલા હિમસ્ફટિકો અન્યોન્ય જોડાય તો 25…

વધુ વાંચો >

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ : ઉત્તર ભારતમાં હિમાલયના ઢોળાવ પર આવેલું રાજ્ય. તેનું ‘હિમાચલ’ નામ હિમાલય ગિરિમાળા સાથે સંકળાયેલું છે. રાજ્યનો ઈશાન ભાગ હિમાચ્છાદિત ગિરિમાળાઓથી સુશોભિત છે. ઊંચાં શિખરો, હરિયાળા ઢોળાવો, ઊંડાં કોતરો અને ખીણપ્રદેશો, સરોવરો, નદીનાળાં, જળધોધ, જંગલો, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે તેને કુદરતે બક્ષેલી સમૃદ્ધિ છે. હિમાચલ પ્રદેશ તેની ઉત્તર સીમાએ…

વધુ વાંચો >

હિમાલય

હિમાલય ભારતની ઉત્તર સરહદે વિશાળ વિસ્તારમાં પથરાયેલું પર્વત સંકુલ. ભારતના ભૂરચનાત્મક એકમો પૈકીનો બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર. તેનાં ઊંચાઈવાળા ભાગો તેમજ ગિરિશિખરો કાયમ માટે હિમાચ્છાદિત રહેતાં હોવાથી તેનું નામ હિમાલય (હિમ + આલય = બરફનું સ્થાન) પડેલું છે.     નકશો : હિમાલયનું સ્થાન પ્રાકૃતિક લક્ષણો : હિમાલય એ એક સળંગ પર્વતમાળા નથી;…

વધુ વાંચો >

હિમાલયનું સ્થાપત્ય

હિમાલયનું સ્થાપત્ય : કાશ્મીરથી નેપાળ સુધીના અને તિબેટના હિમાલય વિસ્તારમાં આવેલાં સ્થાપત્યો. કાશ્મીરમાં આવેલું પ્રાચીન સ્થાપત્ય 600થી 1100 સદીનું છે. ભારતના બીજા પ્રદેશોની સ્થાપત્ય-શૈલીથી તે નોખું પડે છે. આ વિષયમાં સંશોધન કરનારા આધુનિક સંશોધકોમાં સૌપ્રથમ મોર્ક્રોફટ અને ટ્રેબેક હતા. તેમણે 1819થી 1825 દરમિયાન અહીંના ખીણવિસ્તારની સ્થળ-તપાસ કરી હતી. શ્રીનગરમાં આવેલ…

વધુ વાંચો >

હિમાલયનો પ્રવાસ (1924)

હિમાલયનો પ્રવાસ (1924) : કાકાસાહેબ કાલેલકર(દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – 1885–1981)નો વિખ્યાત પ્રવાસગ્રંથ. હિમાલયનો આ પ્રવાસ લેખકે ઈ. સ. 1912માં કર્યો હતો. તેમના સહપ્રવાસી હતા સ્વામી આનંદ (1887–1976) અને બીજા મિત્ર અનંત બુવા મરઢેકર. આ પ્રવાસનું વર્ણન 1924માં પુસ્તક રૂપે પ્રગટ થયું. તે પહેલાં સાબરમતી આશ્રમના એક હસ્તલિખિત સામયિકમાં લેખમાળા રૂપે…

વધુ વાંચો >

હિમાલયન્ત (1976)

Feb 11, 2009

હિમાલયન્ત (1976) : કોંકણી સાહિત્યકાર રવીન્દ્ર કેલકર (જ. 1925, ગોવા) રચિત કૃતિ. તેમની આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1977ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ નામી નિબંધકાર અને ગદ્યલેખક છે. રામ મનોહર લોહિયાનાં પ્રેરણા-પ્રોત્સાહનથી તેઓ 1946માં ગોવાના મુક્ત આંદોલનમાં જોડાયા અને શિક્ષણ અધૂરું છોડવું પડ્યું. 3 વર્ષ સુધી તેમણે આંદોલનમાં ભાગ…

વધુ વાંચો >

હિમીભવન (Glaciation) – હિમયુગો (Ice-Ages)

Feb 11, 2009

હિમીભવન (Glaciation) – હિમયુગો (Ice-Ages) : ઠંડી આબોહવાની અસર હેઠળ ભૂમિ કે સમુદ્રપટ પર બરફના જથ્થાની મોટા પાયા પર આવરણ રૂપે એકત્રિત થતા જવાની ઘટના. આ ઘટનામાં હિમનદીઓ, હિમાવરણ, હિમચાદરો બનવાની તેમજ તેમનાથી થતી ઘસારાજન્ય અને નિક્ષેપજન્ય ક્રિયાઓનો પણ સમાવેશ થઈ જાય છે. ખંડો અને સમુદ્ર-મહાસાગરોનાં વિશિષ્ટ લક્ષણોના ભૂસ્તરીય અભ્યાસ…

વધુ વાંચો >

હિરણ્યકશિપુ 

Feb 11, 2009

હિરણ્યકશિપુ  : કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું. હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર…

વધુ વાંચો >

હિરણ્યકેશ અથવા સત્યાષાઢ શ્રૌતસૂત્ર

Feb 11, 2009

હિરણ્યકેશ અથવા સત્યાષાઢ શ્રૌતસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.

વધુ વાંચો >

હિરણ્યકેશિ ધર્મસૂત્ર

Feb 11, 2009

હિરણ્યકેશિ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.

વધુ વાંચો >

હિરણ્યગર્ભ

Feb 11, 2009

હિરણ્યગર્ભ : ઋગ્વેદ (10–121), શુક્લ યજુર્વેદ વાજસનેયી સંહિતા (અ-32), શૌનકીય અથર્વવેદ (4/27) અને તાંડ્ય બ્રાહ્મણ(9–9–12)માં મળતું હિરણ્યગર્ભ કે પ્રજાપતિનું સૂક્ત. આ સૂક્તના પ્રજાપતિ કે ‘ક’ ઋષિ છે. ત્રિષ્ટુભ છંદ છે. સમગ્ર વિશ્વના સ્રષ્ટા પ્રજાપતિ તે હિરણ્યગર્ભ નામે બ્રહ્મણસ્પતિ (10.32), વિશ્વકર્મા (10, 81–82), આમ્ભૃણી વાક્ (10–125), વૃષભધેનુ (3–38–7) વગેરે નામે ઓળખવામાં…

વધુ વાંચો >

હિરણ્યનાભ

Feb 11, 2009

હિરણ્યનાભ : (1) ડૉ. રાયચૌધરીના મતાનુસાર પાછળના વૈદિક ગ્રંથોમાં જણાવેલ મહાકોશલ. તે કોશલનો રાજા હતો અને કાશી તેની સત્તા હેઠળ હતું. કોશલનો રાજા કંસ મહાકોશલનો પુરોગામી હતો. તે પ્રસેનજિતનો પિતા અને પુરોગામી હતો. તેણે તેની પુત્રી કોશલદેવી મગધના રાજા બિંબિસાર સાથે પરણાવી હતી. (2) સૂર્યવંશીય ઇક્ષ્વાકુ કુલોત્પન્ન વિધૃતિ નામના રાજાનો…

વધુ વાંચો >

હિરાકુડ બંધ

Feb 11, 2009

હિરાકુડ બંધ : ઓરિસામાં વહેતી મહાનદી પર સંબલપુરથી આશરે 15 કિમી. અંતરે ઉત્તરમાં હિરાકુડ સ્થળે 1956માં બાંધવામાં આવેલો બંધ. આ બંધની નજીકમાં તિરકપાડા અને નરાજ ગામે બીજા બે સહાયકારી બંધનું નિર્માણકાર્ય પણ કરવામાં આવેલું છે. ભારત સ્વતંત્ર થયા બાદ શરૂ થયેલી બહુહેતુક નદી-પરિયોજનાઓ પૈકી આ યોજના સર્વપ્રથમ હાથ પર લેવાયેલી.…

વધુ વાંચો >

હિરેક્લિટસ (Heraclitus)

Feb 11, 2009

હિરેક્લિટસ (Heraclitus) : સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીક ચિન્તકો પૈકી ઈ. પૂ. છઠ્ઠી સદીના આયોનિયન ચિન્તક. હિરેક્લિટસ ખૂબ પ્રભાવક ચિન્તક હતા. હિરેક્લિટસ આયૉનિયાના શહેર ઇફિસસ(Ephesus)માં રહેતા હતા. (તેનો અત્યારના ટર્કીમાં સમાવેશ થાય છે.) મિલેટસ (Miletus) અને ઇફિસસ બંને નજીક નજીકનાં શહેરો હતાં. સૌપ્રથમ પાશ્ચાત્ય તત્વચિન્તકોમાં જેની ગણના થાય છે તેવા થેઈલ્સ,…

વધુ વાંચો >

હિરોશિમા

Feb 11, 2009

હિરોશિમા : હૉન્શુ ટાપુના અગ્નિકાંઠે આવેલું જાપાનનું શહેર. વહીવટી પ્રાંત હિરોશિમાનું એ જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 34° 24´ ઉ. અ. અને 132° 27´ પૂ. રે.. પશ્ચિમ હૉન્શુમાં ઓટા અને કિયો નદીના ત્રિકોણપ્રદેશ વચ્ચે રચાયેલા બેટ પર તે વસેલું છે. 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સર્વપ્રથમ અણુબૉમ્બ ત્યાં નાખવાને…

વધુ વાંચો >