૨૦.૨૯

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલથી વૈંપટિ, ચિન્ન સત્યમ્

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…

વધુ વાંચો >

વૈદ્ય બાપાલાલ ગ. શાહ

વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં…

વધુ વાંચો >

વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન

વૈદ્ય બાબુભાઈ પ્રાણજીવન (જ. 23 જુલાઈ 1909, દ્વારકા; અ. ?) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, સામાજિક અને રાજકીય કાર્યકર. તખલ્લુસ : ‘બિપિન વૈદ્ય’, ઈ. ન., બા. પિતા દ્વારકામાં સરકારી ડૉક્ટર. પ્રાથમિક શિક્ષણ જેતપુર અને પાદરાની શાળામાં. માધ્યમિક શિક્ષણ જેતપુરમાં. 19271930 દરમિયાન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કરેલો. પણ વચ્ચે એક વર્ષ…

વધુ વાંચો >

વૈદ્ય વિજયરાય કલ્યાણરાય

વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ…

વધુ વાંચો >

વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ

વૈદ્ય, વિશ્વનાથ પ્રભુરામ (જ. 26 ફેબ્રુઆરી 1863, પોરબંદર; અ. 11 ડિસેમ્બર 1940, મુંબઈ) : ગુજરાતી વિવેચક, તત્ત્વચિંતક, ધારાશાસ્ત્રી, ચરિત્રલેખક. પ્રશ્ર્નોરા નાગર બ્રાહ્મણ. એમના પૂર્વજોની અટક વ્યાસ. પરંપરાગત વૈદ્યવિદ્યાનો વારસો ઊતરી આવેલો. પિતા પ્રભુરામ પ્રતિષ્ઠિત વૈદ્ય. વિશ્વનાથની પ્રાથમિક કેળવણી પોરબંદરમાં. 1870માં પિતાએ મુંબઈમાં સ્થાયી થઈ વૈદું આરંભ્યું; તેથી વિશ્વનાથની માધ્યમિક અને…

વધુ વાંચો >

વૈદ્ય, સરોજિની શંકર

વૈદ્ય, સરોજિની શંકર (જ. 1933, પુણે) : મરાઠી લેખિકા. તેમણે પુણેમાંથી એમ.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી નાટ્યાચાર્ય દિવાકરના વિવેચનાત્મક અભ્યાસ અંગે પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગનાં પ્રાધ્યાપિકા અને અધ્યક્ષા તરીકે સેવાનિવૃત્ત થયાં. તેમણે ઓગણીસમી અને વીસમી સદીના મહારાષ્ટ્રના સામાજિક- સાંસ્કૃતિક અભ્યાસના વિશેષ અધ્યયનનું ક્ષેત્ર પસંદ કર્યું. સાહિત્યનાં પ્રખર…

વધુ વાંચો >

વૈધિક શિક્ષણ (formal education)

વૈધિક શિક્ષણ (formal education) : નિશ્ચિત ઉદ્દેશોને લક્ષમાં રાખીને વિધિવત્ રીતે અપાતું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ માળખાગત હોય છે. તેમાં પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાસપદ્ધતિ, પરીક્ષાપદ્ધતિ વગેરે બધું નક્કી કરેલું હોય છે. વિદ્યાર્થીઓએ અને શાળા-કૉલેજે તેને વળગી રહેવું પડે છે. ભારતની પ્રાથમિક…

વધુ વાંચો >

વૈનગંગા (Wainganga)

વૈનગંગા (Wainganga) : મધ્યભારતની મહત્ત્વની નદી. આ નદી મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલી સાતપુડા હારમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. તે શિવની જિલ્લાના તેનાં ઉદભવસ્થાનમાંથી થોડાક અંતર માટે પૂર્વ તરફ વહી, શિવનીમાંડલા અને શિવનીબાલાઘાટ જિલ્લાઓની સરહદ રચે છે, જ્યાં તે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તે બાલાઘાટ અને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા…

વધુ વાંચો >

વૈન્યગુપ્ત

વૈન્યગુપ્ત : ગુપ્ત સમ્રાટ બુધગુપ્તનો ઉત્તરાધિકારી. તે ઈ. સ. 495માં પાટલિપુત્રની ગાદીએ બેઠો. એણે ઈ. સ. 495થી 507 સુધી શાસન કર્યું. બુધગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય પોતાની એકતા જાળવી શક્યું નહિ. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં વૈન્યગુપ્તનું તથા પશ્ચિમ ભાગમાં ભાનુગુપ્તનું શાસન હતું. વૈન્યગુપ્તના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સિક્કાઓમાં સોનાની…

વધુ વાંચો >

વૈભારગિરિ

વૈભારગિરિ : બિહાર રાજ્યના પટણા જિલ્લામાં રાજગૃહ કે રાજગિરિ પાસે આવેલી પર્વતમાળા. રામાયણ, મહાભારત, બૌદ્ધ પાલિ સાહિત્ય તથા અન્ય સાહિત્યમાંથી વૈભારગિરિ વિશે માહિતી મળે છે. ભગવાન બુદ્ધને ચારેય બાજુથી પહાડીઓથી ઘેરાયેલ આ પ્રાકૃતિક સ્થળ ઘણું પસંદ હતું. તેથી તેઓ સંબોધિ મેળવ્યા પહેલાં પણ રાજગૃહ આવ્યા હતા. અજાતશત્રુના શાસનકાળમાં વૈભારગિરિની સાતપર્ણી…

વધુ વાંચો >

વૈશેષિક દર્શન

Mar 1, 2005

વૈશેષિક દર્શન : પ્રાચીન ભારતીય આસ્તિક દર્શન. પ્રસિદ્ધ છ દર્શનો(ષડ્દર્શન)માંનું તે એક છે. ‘વૈશેષિક’ નામ ‘વિશેષ’ શબ્દ ઉપરથી બન્યું છે. ‘વિશેષ’ નામનો સ્વતંત્ર પદાર્થ માનતું હોવાથી આ દર્શનનું નામ ‘વૈશેષિક’ પડ્યું છે. આ દર્શનના પ્રણેતા કણાદ ઋષિ છે. કણાદે ‘વૈશેષિક સૂત્ર’ની રચના કરી છે. તેનો સમય ઈ. સ.ની પ્રથમ શતાબ્દી…

વધુ વાંચો >

વૈશ્વદેવ

Mar 1, 2005

વૈશ્વદેવ : જુઓ યજ્ઞ.

વધુ વાંચો >

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ)

Mar 1, 2005

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ) : તાજેતરના દસકાઓમાં પૃથ્વીના વાતાવરણ તથા સમુદ્રના સરેરાશ તાપમાનમાં થયેલો વધારો. વીસમી સદીમાં પૃથ્વીની નજીકના વાતાવરણના સરેરાશ તાપમાનમાં 0.6  0.2° સે.નો વધારો થયો છે. આબોહવાના પરિવર્તન અંગેના પ્રવર્તમાન વૈજ્ઞાનિક અભિપ્રાય પ્રમાણે ‘છેલ્લાં 50 વર્ષમાં થયેલા મોટા ભાગના તાપમાનના વધારા માટે માનવપ્રેરિત પ્રવૃત્તિઓ કારણભૂત છે’. તાપમાનમાં થયેલી…

વધુ વાંચો >

વૈશ્વિક તિથિપત્ર

Mar 1, 2005

વૈશ્વિક તિથિપત્ર : અફર રીતે વિશ્વને લાગુ પાડી શકાય તેવું તિથિઓની વિગતોવાળું પત્ર (પંચાંગ). પ્રવર્તમાન તિથિપત્રો-(calendars)ને બે પ્રમુખ પ્રકારોમાં વહેંચી શકાય : એક તો સૌર પ્રકારના અને બીજા ચંદ્રના કળાચક્ર સાથે સંકળાયેલા ચાંદ્ર પ્રકારના. સૌરપદ્ધતિ અનુસારનાં તિથિપત્રોમાં વર્ષની અવધિ પૃથ્વીની સૂર્યફરતી કક્ષાના સમયકાળ સાથે સંકળાયેલ હોઈને ~ 365 દિવસ મનાય…

વધુ વાંચો >

વૈષ્ણવ દર્શન

Mar 1, 2005

વૈષ્ણવ દર્શન : ભગવાન વિષ્ણુને મુખ્ય માનતી પ્રાચીન ભારતીય વિચારધારા. બધાં વૈષ્ણવ દર્શનો, વિષ્ણુ દેવતાને, પરબ્રહ્મથી અભિન્ન માને છે. મુખ્ય વૈષ્ણવ દર્શનો આ પ્રમાણે છે : (1) રામાનુજ વૈષ્ણવ દર્શન, (2) નિમ્બાર્ક વૈષ્ણવ દર્શન, (3) મધ્વ વૈષ્ણવ દર્શન, (4) વલ્લભ વૈષ્ણવ દર્શન, (5) ચૈતન્ય વૈષ્ણવ દર્શન. અહીં દરેકનો સંક્ષિપ્ત પરિચય…

વધુ વાંચો >

વૈષ્ણોદેવી

Mar 1, 2005

વૈષ્ણોદેવી : જમ્મુ-કાશ્મીર રાજ્યના ઊધમપુર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ગુફા–તીર્થ. આ તીર્થરચના અંગે એવી માન્યતા છે કે દેવીએ સ્વયં ત્રિશૂળનો પ્રહાર કરીને શિલામાં ગુફાનું નિર્માણ કર્યું હતું. આ દેવીતીર્થ સિદ્ધપીઠ મનાય છે. ગુફામાં પ્રવેશ માટે શરૂઆતમાં ખૂબ ઝૂકીને અથવા સૂતે સૂતે પ્રવેશ કરવો પડે છે. એમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની…

વધુ વાંચો >

વૈષ્ણવ સંપ્રદાય

Mar 1, 2005

વૈષ્ણવ સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. હિંદુ વૈદિક ધર્મમાં મુખ્યત્વે ત્રણ સંપ્રદાયો છે : (1) વૈષ્ણવ, (2) શૈવ અને (3) શક્તિને પ્રાધાન્ય આપતો શાક્ત સંપ્રદાય. વૈષ્ણવ સંપ્રદાયના મુખ્યત્વે પાંચ પેટા પ્રકારો છે : (1) રામાનુજ વૈષ્ણવ સંપ્રદાય, (2) નિમ્બાર્ક વૈષ્ણવ સંપ્રદાય, (3) મધ્વ વૈષ્ણવ સંપ્રદાય, (4) વલ્લભ વૈષ્ણવ સંપ્રદાય…

વધુ વાંચો >

વૈંપટિ, ચિન્ન સત્યમ્

Mar 1, 2005

વૈંપટિ, ચિન્ન સત્યમ્ (જ. 15 ઑક્ટોબર 1929, કુચીપુડી ગામ) : દક્ષિણ ભારતની કુચીપુડી નૃત્યશૈલીને શાસ્ત્રીય દરજ્જો અપાવનાર નૃત્યકાર. પિતા વેંકટ ચેલ્લૈયા અને માતા વરલક્ષ્મમ્મા. બાળપણથી અન્ય કલાકારો સાથે સતત રહીને નૃત્યનાટિકાઓમાં સક્રિય ભાગ લીધો. નૃત્યની પ્રારંભિક તાલીમ બે પિતરાઈ ભાઈઓ તાડેપલ્લે પેરૈયા શાસ્ત્રી તથા વેંકટ પેદા સત્યમ્ પાસેથી લીધી. વળી…

વધુ વાંચો >