૨૦.૨૪

વૂડવર્થ, રૉબર્ટ એસ.થી વેઈસ, રેઈનર (Weiss, Rainer)

વૃંદગાન

વૃંદગાન : જુઓ કોરસ.

વધુ વાંચો >

વૃંદાવન

વૃંદાવન : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 77° 35´ પૂ. રે.. તે મથુરાથી ઉત્તરે આશરે 46 કિમી. દૂર યમુના નદીના જમણા કાંઠે વસેલું છે. અહીંનો સમગ્ર પ્રદેશ સમતળ છે અને શહેર સમુદ્રસપાટીથી આશરે 175 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ…

વધુ વાંચો >

વેઇટ-લિફ્ટિંગ

વેઇટ–લિફ્ટિંગ : વધુમાં વધુ વજન ઊંચકવાની રમતકળા. તેને ‘લોખંડી રમત’ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટ-લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પર્ધકે વજનસહિતના બારને ‘ટૂ હૅન્ડ્ઝ સ્નૅચ’ તથા ‘ક્લીન ઍન્ડ જર્ક’ પદ્ધતિથી ઊંચકવાનો હોય છે. દરેક ઊંચક પ્રકારમાં સ્પર્ધકને ત્રણ તક આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ વેઇટ-લિફ્ટિંગ ફેડરેશનની સ્થાપના ફ્રાન્સમાં પૅરિસ મુકામે થઈ હતી અને સૌપ્રથમ…

વધુ વાંચો >

વેઇટિંગ ફૉર ગોદો (ઓન આતોન્દન ગોદો)

વેઇટિંગ ફૉર ગોદો (ઓન આતોન્દન ગોદો) : નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત વિખ્યાત આયરિશ-ફ્રેન્ચ નાટ્યકાર સૅમ્યુઅલ બૅકેટની યશસ્વી નાટ્યકૃતિ. થિયેટર ઑવ્ ઍબ્સર્ડની પ્રતિનિધિરૂપ દ્વિઅંકી ટ્રેજિકૉમેડી. પ્રથમ અંકમાં બે પ્રૌઢ રખડુઓ એસ્ટ્રેગૉન અને વ્લાદિમિર, જે એકબીજાને ‘દીદી’ અને ‘ગોગો’ કહીને સંબોધે છે. સાંજના સમયે, ગામડાના રસ્તે એક વેરાન વૃક્ષ પાસે, ગોદો કે જેને…

વધુ વાંચો >

વેઇન, જ્હૉન રૉબર્ટ

વેઇન, જ્હૉન રૉબર્ટ (જ. 29 માર્ચ 1927, વૉર્સેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : 1982નું શરીરક્રિયાત્મક તથા ઔષધવિજ્ઞાન અંગેનું નોબેલ પારિતોષિક સુને બર્ગસ્ટ્રૉમ તથા બૅંગ્ટ ઇગ્માર સૅમ્યુઅલસન સાથે સંયુક્ત રૂપે મેળવનાર અંગ્રેજ જૈવવિજ્ઞાની. તેમણે પ્રોસ્ટેગ્લૅન્ડિન્સ અને તેને સંલગ્ન જૈવિક રીતે સક્રિય દ્રવ્યોની શોધ કરી, જેને કારણે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

વેઇલફેલિક્સ કસોટી

વેઇલફેલિક્સ કસોટી : વેઇલ (Weil Edmand) અને ફેલિક્સે (Felix Arthus) ઈ. સ. 1915માં કરેલું મહત્વનું સંશોધન. તેઓએ શોધ્યું કે રિકેટ્શિયાનાં પ્રતિદ્રવ્ય પ્રોટિયસની અમુક ઉપપ્રજાતિઓ સાથે પ્રક્રિયા કરે છે. શેફર અને ગોલ્ડિને (Shafer અને Goldin) 1965માં શોધ્યું કે પ્રોટિયસ વલ્ગેરિસ અને પ્રોટિયસ મિરાબિલીસ નામના જીવાણુઓ અને રિકેટ્શિયાની ઉપપ્રજાતિઓ OxK, Ox2 અને…

વધુ વાંચો >

વેઈસ, રેઈનર (Weiss, Rainer)

વેઈસ, રેઈનર (Weiss, Rainer) (જ. 29 સપ્ટેમ્બર 1932, બર્લિન, જર્મની) : લિગો સંસૂચક(detector)ના નિર્ણાયક પ્રદાન માટે તથા ગુરુત્વાકર્ષણ-તરંગોના નિરીક્ષણ માટે 2017નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. એ પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ કિપ થોર્ન અને બૅરી બેરીશ વચ્ચે વિભાજિત થયો હતો. રેઈનર વેઈસના પિતા ડૉક્ટર હતા અને…

વધુ વાંચો >

વૂડવર્થ, રૉબર્ટ એસ.

Feb 24, 2005

વૂડવર્થ, રૉબર્ટ એસ. (જ. 17 ઑક્ટોબર 1869, બેલચરટાઉન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા; અ. 4 જુલાઈ 1962, ન્યૂયૉર્ક) : વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી સંશોધક, સંયોજક તરીકે તેમની લાંબી કારકિર્દી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થયેલા અનેક સંશોધનલેખો ખંત, ચીવટ અને પ્રમાણભૂત માહિતીથી તૈયાર કરી તેમણે મનોવિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે પ્રારંભિક…

વધુ વાંચો >

વૂ તિ (Wu Ti)

Feb 24, 2005

વૂ તિ (Wu Ti) (જ. ઈ. પૂ. 156; અ. 29 માર્ચ ઈ. પૂ. 87) : ચીન દેશના પશ્ચિમી હાન વંશનો પ્રતાપી સમ્રાટ. ચીનના ઇતિહાસના અગ્રગણ્ય અને પ્રસિદ્ધ શાસકોમાંના એક. સોળ વર્ષની ઉંમરે ગાદીએ બેસીને હાન વંશમાં સૌથી લાંબું શાસન (ઈ. પૂ. 140 – ઈ. પૂ. 87) કર્યું. અન્ય રાજવંશોમાં થયેલા…

વધુ વાંચો >

વૂમેરા (Woomera)

Feb 24, 2005

વૂમેરા (Woomera) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના ટૉરેન્સ સરોવરની પશ્ચિમે આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31° 05´ દ. અ. અને 136° 55´ પૂ. રે.. આ સ્થળને રૉકેટ, મિસાઇલ તેમજ અવકાશી સંશોધન માટેના મથક તરીકે પસંદ કરવામાં આવેલું છે. બ્રિટન અને ઑસ્ટ્રેલિયા દ્વારા 1947માં વૂમેરાની સ્થાપના મિસાઇલ અને રૉકેટ-ચકાસણી માટે કરવામાં આવેલી…

વધુ વાંચો >

વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ

Feb 24, 2005

વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ (જ. 27 મે 1887, ટૉનબ્રિજ, કૅન્ટ, યુ.કે.; અ. 18 ઑક્ટોબર 1978, હૅલિફેક્સ, નૉવા સ્કૉટિયા, કૅનેડા) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ અજોડ ડાબોડી ગોલંદાજ હતા. તેમની ઝમકદાર બૅટિંગ તમામ ઊગતા ખેલાડીઓ માટે લાંબો સમય નમૂનારૂપ બની રહી. તેમનું કદ મોટું હતું અને તેઓ એક મહાન સર્વક્ષેત્રીય (all-rounder) ખેલાડી પણ…

વધુ વાંચો >

વૂલી, લિયૉનાર્ડ

Feb 24, 2005

વૂલી, લિયૉનાર્ડ (જ. 1880; અ. 1960) : પ્રખ્યાત બ્રિટિશ પુરાવિદ. પૂરું નામ સર વૂલી ચાર્લ્સ લિયૉનાર્ડ. ડૉ. વૂલીનું પ્રમુખ સંશોધન ‘ઉર’નું ખોદકામ ગણાય છે (1922-28). વર્તમાન ઇરાક(જૂનું નામ મેસોપોટામિયા)ના દક્ષિણે ફરાત નદીના કિનારે આવેલા સુમેરિયન નગર ‘ઉર’(Ur)નું વૂલીએ પદ્ધતિસરનું ખોદકામ કરી રાજા-રાણીની અકબંધ કબરો સહિતનું આખુંય માળખું પ્રકાશમાં આણ્યું. રાણી-રાજા(પ્રથમ…

વધુ વાંચો >

વૃક્ષોદ્યાન

Feb 24, 2005

વૃક્ષોદ્યાન : શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધન માટે ફક્ત કાષ્ઠમય (woody) વૃક્ષો અને ક્ષુપો જેમાં ઉછેરેલાં હોય તેવો અલાયદો પ્રદેશ. વનસ્પતિ-ઉદ્યાનો(botanical gardens)માં વનસ્પતિઓની સાથે સાથે શુષ્ક વાનસ્પત્યમ્ યાને વનસ્પતિ-સંગ્રહાલય (herbarium) પણ હોય છે તથા આનંદપ્રમોદનાં સાધનો પણ ગોઠવેલાં હોય છે. વૃક્ષોદ્યાનને જીવંત, કાષ્ઠમય વૃક્ષોનું સંગ્રહાલય કહી શકાય. અમેરિકાનું મોટામાં મોટું વૃક્ષોદ્યાન…

વધુ વાંચો >

વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર)

Feb 24, 2005

વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર) : નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રનો એક ખ્યાલ કે પદાર્થ. સર્વપ્રથમ આચાર્ય ભરત પોતાના ‘નાટ્યશાસ્ત્ર’માં એમ કહે છે કે ચાર નાટ્યવૃત્તિઓ એ કાવ્યની માતાઓ છે. પુરુષાર્થસાધક વ્યવહાર અને તેને સૂચવતા ક્રિયાકલાપ અને ચેષ્ટાઓ એટલે નાટ્યવૃત્તિ. ભરત કાયિક અને માનસિક ચેષ્ટાઓનો જ નાટ્યવૃત્તિમાં સ્વીકાર કરે છે, કારણ કે આવી…

વધુ વાંચો >

વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર)

Feb 24, 2005

વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર) : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં શબ્દના એક અર્થની અંદર બીજો નવો અર્થ પ્રગટ કરનારી શબ્દરચનાને વૃત્તિ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં પાંચ મુખ્ય વૃત્તિઓ માનવામાં આવી છે. એ સિવાય પણ બીજી વૃત્તિઓ છે. વૃત્તિ વિશે બીજો મત એવો છે કે જેના અર્થની સમજ આપવી પડે તેવી અસરવાળી શબ્દરચનાને…

વધુ વાંચો >

વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર)

Feb 24, 2005

વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર) : શાસ્ત્રનાં સૂત્રોની સમજ આપતી રચના. પ્રાચીન ભારતમાં દર્શનો, શાસ્ત્રગ્રંથો વગેરે સૂત્રશૈલીમાં રચાયાં છે. તેથી અલ્પ શબ્દોમાં ઘણો અર્થ સૂત્રકારોએ કહ્યો છે. સૂત્રમાં જે કોઈ સિદ્ધાન્તનો નિર્દેશ હોય તેને વિગતવાર સમજાવતી રચનાને વૃત્તિ કહે છે. અલબત્ત, તે ભાષ્ય કરતાં ટૂંકી હોય છે. વેદાંગ યાસ્ક્ના ‘નિરુક્ત’ પર દુર્ગાચાર્યની ‘ઋજ્વર્થા’,…

વધુ વાંચો >

વૃત્તિ-4 (શબ્દશક્તિ)

Feb 24, 2005

વૃત્તિ-4 (શબ્દશક્તિ) : વ્યાકરણશાસ્ત્ર, મીમાંસાશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ. શબ્દ પર થતી શબ્દનો અમુક અર્થ આપતી પ્રક્રિયા તે વૃત્તિ. આ શબ્દવૃત્તિના ત્રણ પ્રકારો છે : (1) અભિધા (2) લક્ષણા અને (3) વ્યંજના. એમાં પહેલી બે વૃત્તિઓ વ્યાકરણાદિ બધાં શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવી છે. ત્રીજી વ્યંજનાવૃત્તિ ફક્ત ધ્વનિવાદી આલંકારિકો જ સ્વીકારે…

વધુ વાંચો >