૧.૦૪

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇથી અજીવજનન

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ

અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ : 1984નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ ફિલ્મ. કથા તથા દિગ્દર્શન : બાલચન્દ્રન. નિર્માતા : કવિથાલય પ્રોડક્શન્સ. મુખ્ય કલાકારો : સરિથા, રાજેશ, દેહલી ગણેશ, પવિત્રા, અહલ્યા, પ્રભાકર. થેનગોજન ફટાકડાની દુકાનમાં મજૂરી કરે છે. એનો બાપ બ્રહ્મનારાયણમ્ આંધળો હોવાથી, એ સ્વાતંત્ર્યસેનાની હોવા છતાં દીકરીની કમાણી પર જ…

વધુ વાંચો >

અચ્છન મહારાજ

અચ્છન મહારાજ (જ. 1893, લમુહા, જિ. સુલતાનપુર; અ. 1946, લખનૌ) : સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર. સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર બિરજુ મહારાજના પિતા. એમણે કથક નૃત્યની તાલીમ એમના પ્રસિદ્ધ નૃત્યકાર કાકા મહારાજ બિન્દાદીન પાસેથી લીધેલી. બિન્દાદીનને સંતાન ન હોવાથી એમણે ભત્રીજા અચ્છનને પોતાનો નૃત્યકલાનો વારસો આપ્યો. અચ્છન મહારાજે કાકાનો કલાવારસો જાળવી રાખ્યો; એટલું…

વધુ વાંચો >

અચ્યુતાનંદ દાસ

અચ્યુતાનંદ દાસ (15મી-16મી શતાબ્દી) : પંચસખામાંના સૌથી નાના, ભવિષ્યદર્શન કરાવતા પ્રસિદ્ધ પુસ્તક ‘માળિકા’ના ઊડિયા લેખક. 1955માં ઉડિસા (આજનું ‘ઓડિસા’ રાજ્ય)માં બહુ મોટાં પૂર આવ્યાં હતાં. ‘માળિકા’માં આ પૂરની આગાહી કરતી પંક્તિઓ છે. સમાજસેવક તરીકે પણ અચ્યુતાનંદ ખ્યાતિ પામ્યા હતા. કૈબર્ત અને ગોપાળ જાતિના લોકોને મંત્ર તથા શાસ્ત્ર શીખવાનો નિષેધ હતો.…

વધુ વાંચો >

અછબડા

અછબડા (chicken pox) : બેથી છ વર્ષનાં બાળકોને ઝીણી ફોલ્લીઓ અને ફોલ્લા કરતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. તે જોતજોતામાં વાવડનું રૂપ ધારણ કરે છે. વેલરે 1953માં બતાવેલું કે આ જ રોગના વિષાણુથી હર્પિસ ઝોસ્ટર નામનો વ્યાધિ પણ થાય છે. તેથી તેને અછબડા-ઝોસ્ટર વિષાણુ કહે છે. દર્દીના શ્વસનમાર્ગમાં અને ફોલ્લાની રસીમાં…

વધુ વાંચો >

અછાદ્ય

અછાદ્ય : બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપોનાં બહારનાં આવરણ. જ્યારે જર્જરિત થયેલા સ્તૂપનાં સમારકામ થતાં ત્યારે મૂળ બંધાયેલ ઇમારતને જરા પણ અડક્યા સિવાય તેની બહાર બીજું આવરણ ઊભું કરીને ફરીથી ઇમારત ચણવામાં આવતી. આવી ઊભી કરાયેલી ઇમારત, જે આવરણ તરીકે જ ઉપયોગમાં આવતી, તેને અછાદ્ય કહેવામાં આવતી. સારનાથનો સ્તૂપ આનું એક ઉદાહરણ…

વધુ વાંચો >

અછિદ્ર ખડકો

અછિદ્ર ખડકો : છિદ્રાળુ ખડકોથી વિરુદ્ધ સખત ઘટ્ટ અને પાસાદાર ખડકો. મુખ્યત્વે આ ખડકોમાં કે પડ ઉપર, દબાણથી કે ગરમીની પ્રક્રિયાથી કે જ્વાળામુખી, ધરતીકંપ યા અંદરની હિલચાલથી વિકૃતીકરણ થાય છે તેથી ખડકો વધુ સખત અને સંગઠિત થાય છે, ઘનતા વધે છે તો કેટલીક વખત છિદ્રો પુરાઈ જાય છે. આવા ખડકોમાં…

વધુ વાંચો >

અછૂત કન્યા

અછૂત કન્યા (1936) : લોકપ્રિય હિન્દી ચલચિત્ર. કથા : હિમાંશુ રૉયની. દિગ્દર્શન : ફ્રેન્ઝ ઑસ્ટિન. મુખ્ય અભિનય : દેવિકારાણી અને અશોકકુમાર. નિર્માતા : બૉમ્બે ટૉકીઝ. હરિજન દુખિયાની પુત્રી કસ્તૂરી અને બ્રાહ્મણ મોહનલાલનો પુત્ર પ્રતાપ એકબીજાના પ્રેમમાં છે. ગામડાંના લોકો એનો વિરોધ કરે છે; એટલું જ નહિ, પણ બંનેના બાપ એકબીજા…

વધુ વાંચો >

અજ

અજ : ભારતીય ઇતિહાસમાં અજ નામના અનેક રાજાઓ થઈ ગયા. ઋગ્વેદના સાતમા મંડળમાં વર્ણવેલા દાશરાજ્ઞ યુદ્ધમાં સુદાસના શત્રુનું નામ અજ હતું. અજ નામે એક પાંડવપક્ષીય રાજા પણ હતો. પ્રિયવ્રત વંશના ઋષભદેવના કુળમાં જન્મેલા પરિહર્તા અને સ્તુતિના મોટા પુત્રનું નામ અજ હતું. વિજયકુળમાં થયેલા બલાકાશ્વ રાજાના પુત્રનું નામ અજ હતું. અજ…

વધુ વાંચો >

અજગર

અજગર (Python) : એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે ખંડોના દેશોમાં મળી આવતો સૌથી મોટો બિનઝેરી સર્પ. ઉપસમુદાય પૃષ્ઠવંશી, વર્ગ સરીસૃપ. શ્રેણી : સ્ક્વૅમાય, ઉપશ્રેણી ઓફિડિયા, કુળ બોઇડે, પ્રજાતિ પાયથૉન. અજગર અંગેની સૌપ્રથમ જાણકારી સેબાએ 1734માં આપી. ભારતમાં બે જાતિના અજગર વસે છે : પી. રેટિક્યુલેટસ અને પી. મૉલ્યુરસ. રેટિક્યુલેટસ આશરે 6થી…

વધુ વાંચો >

અજન્યુતા (Apogamy)

અજન્યુતા (Apogamy) : વાહકપેશીધારી વનસ્પતિઓના સામાન્ય જીવનચક્રમાં બે અવસ્થાઓ એકાંતરે ગોઠવાયેલી હોય છે : (1) દ્વિગુણિત (diploid) બીજાણુજનક (sporophyte) અને (2) એકગુણિત (haploid) જન્યુજનક (gametophyte). આ બંને અવસ્થાઓ તેમના જીવનચક્રમાં નિયમિતપણે એકાંતરણ કરે છે. આ એકાંતરણ બે મહત્ત્વની ક્રિયાઓ દ્વારા થાય છે : (1) ફલન (fertilization) અને (2) અર્ધીકરણ અથવા અર્ધસૂત્રીભાજન…

વધુ વાંચો >

અજલીય દ્રાવકો

Jan 4, 1989

અજલીય દ્રાવકો (nonaqueous solvents) જળ સિવાયનાં દ્રાવકો. અજલીય દ્રાવકોનો ઉપયોગ સંશ્લેષણ, વિશ્લેષણ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવામાં આવતાં તેઓની અગત્ય વધી છે. પાણીમાં ન થઈ શકે તેવી પ્રક્રિયાઓ અજલીય દ્રાવકોમાં સફળતાપૂર્વક કરી શકાય છે. દા.ત., પ્રવાહી એમોનિયામાં AgCl અને Ba(NO3)2ની પ્રક્રિયા કરતાં BaCl2ના અવક્ષેપ મળે છે. અજલીય દ્રાવકોમાં ઍસિડ-બેઝ, અવક્ષેપન…

વધુ વાંચો >

અજવાણી, લાલસિંઘ હઝારીસિંઘ

Jan 4, 1989

અજવાણી, લાલસિંઘ હઝારીસિંઘ (જ. 17 જુલાઈ, 1899, ખૈરપુર, સિંધ (પાકિસ્તાન); અ. 18 એપ્રિલ, 1967) : અર્વાચીન સિંધી ભાષાના વિદ્વાન વિવેચક તથા નિબંધકાર. સિંધીની સાથે અંગ્રેજી ભાષાનું ઊંડું જ્ઞાન. ભારતના વિભાજન પછી મુંબઈની નૅશનલ કૉલેજમાં આચાર્ય. તેમનાં અંગ્રેજીમાં રચેલાં પુસ્તકો ‘ઇમ્મૉર્ટલ ઇન્ડિયા’ અને ‘હિસ્ટરી ઑવ્ સિંધી લિટરેચર’ છે, તેમની ઊંડી અને…

વધુ વાંચો >

અજંતા

Jan 4, 1989

અજંતા (જ. 2 મે 1929, કેસાનાકુરુ ગામ, જિ. પશ્ચિમ ગોદાવરી, તેલંગાણા (જૂનું આંધ્રપ્રદેશ); અ. 25 ડિસેમ્બર 1998.) : વિખ્યાત તેલુગુ કવિ, ચિત્રકાર અને પત્રકાર. તેમનું મૂળ નામ પેનુમર્તી વિશ્વનાથ શાસ્ત્રી. ‘અજંતા’ તેમણે ગ્રહણ કરેલું તખલ્લુસ હતું. નાર્સાપુરમ ગામમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તે પછી તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની પદવી…

વધુ વાંચો >

અજંતાની ગુફાઓ

Jan 4, 1989

અજંતાની ગુફાઓ પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિમી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર…

વધુ વાંચો >

અજાતશત્રુ

Jan 4, 1989

અજાતશત્રુ :મગધના હર્યંક વંશનો પ્રસિદ્ધ રાજા. બિંબિસાર(શ્રેણિક)નો પુત્ર, જે જૈન પરંપરામાં કૂણિક તરીકે ઓળખાયો છે. એણે એના પિતાને કેદ કરેલા ને એ પુત્રના હાથે કે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો હતો. અજાતશત્રુએ કોસલના રાજા પ્રસેનજિતને હંફાવ્યો ને કાશીની જાગીર પાછી મેળવી. પછી અમાત્ય વસ્સકારને વૈશાલી મોકલી ભેદનીતિ વડે લિચ્છવીઓમાં ફાટફૂટ પડાવી.…

વધુ વાંચો >

અજાતિવાદ

Jan 4, 1989

અજાતિવાદ : પ્રકૃતિનું વાસ્તવિક રૂપાંતર કોઈ પણ રીતે ન થઈ શકે તેવો ગૌડપાદનો સિદ્ધાંત. એ ગૌડપાદના સિદ્ધાંતોમાં મુખ્ય છે. એમની તત્ત્વચર્ચાનું એ કેન્દ્ર છે. જાતિ-ઉત્પત્તિની માન્યતામાં રહેલી અસંગતિ દર્શાવવા માટે ગૌડપાદ અનેક દલીલો રજૂ કરે છે. તેમની દલીલો સમજવા માટેનો ચાવીરૂપ સિદ્ધાંત એ છે કે પ્રકૃતિનો અન્યથાભાવ, વાસ્તવિક રૂપાન્તર, કોઈ…

વધુ વાંચો >

અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ

Jan 4, 1989

અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ શ્વસન : પ્રકાશશક્તિને શોષીને રાસાયણિક બંધ ઊર્જા-ATP ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણ બે પ્રકારના જોવા મળે છે : (1) જારકજન્ય, (2) અજારકજન્ય. જારકજન્ય પ્રકાશસંશ્લેષણ વનસ્પતિ અને સાયનોજીવાણુમાં જોવા મળે છે જ્યારે અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ હરિતજીવાણુ, જાંબલી જીવાણુ અને હેલીઓબૅક્ટેરિયા(Heliobacteria)માં જોવા મળે છે. અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ કરતા જીવાણુઓમાં…

વધુ વાંચો >

અજારક શ્વસન

Jan 4, 1989

અજારક શ્વસન : હવાની હાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને જારક અથવા વાયુજીવી કહેવામાં આવે છે. હવાની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને અજારક અથવા અવાયુજીવી કહેવામાં આવે છે. અમુક જીવાણુઓ વિકલ્પી તરીકે એટલે કે O2 હાજરી અથવા ગેરહાજરીમાં જીવે છે. O2 હાજરીમાં જીવતા જીવાણુઓ જારક શ્વસન કરે છે અને O2ની ગેરહાજરીમાં જીવતા જીવાણુઓ…

વધુ વાંચો >

અજિત કેસકમ્બલ

Jan 4, 1989

અજિત કેસકમ્બલ (અજિત કેશકંબલી) : બુદ્ધના સમકાલીન ચિંતક. બુદ્ધના ઉદયનો સમય તત્ત્વચિંતનના ઇતિહાસમાં ઊથલપાથલનો સમય હતો એમ લાગે. તત્ત્વચિંતનમાં જાણે કે જુવાળ આવ્યો હતો. ક્રાન્તિકારી વિચારો અસ્તિત્વમાં આવ્યા, જે એક રીતે તો ઔપનિષદ વિચારના આત્યંતિક પરિણામસ્વરૂપ હતા એમ કહી શકાય. જૈન ગ્રંથોમાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનિકવાદ તથા વૈનયિકવાદમાં સમાવિષ્ટ કરી શકાય…

વધુ વાંચો >

અજિતકૌર

Jan 4, 1989

અજિતકૌર (જ. 16 નવેમ્બર 1934, લાહોર, પાકિસ્તાન) : પંજાબી કથાલેખિકા. તેમણે અનેક વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમાં મુખ્ય છે ‘ગુલબાનો’ (1963), ‘બુત્ત શિકન’ (1966), ‘માલિક દી મૌત’ (1966), ‘ધૂપવાલા શેહર’ (1972), ‘સેવિયન ચિદિયન’ (1981) અને ‘મૌત અલીબાબા દી’ (1984). મુખ્ય વિષયવસ્તુ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ છે, જેનું તેમણે નિખાલસતાથી નિરૂપણ…

વધુ વાંચો >