૧.૦૨
અખરોટથી અગ્નિરોધન
અખરોટ
અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…
વધુ વાંચો >અખંડ આનંદ
અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત…
વધુ વાંચો >અખાડાપ્રવૃત્તિ
અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…
વધુ વાંચો >અખિલન
અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી…
વધુ વાંચો >અખિલ ભારત શાળાકીય રમતોત્સવ
અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે. 1. …
વધુ વાંચો >અખેગીતા
અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…
વધુ વાંચો >અખેપાતર
અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…
વધુ વાંચો >અખો
અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…
વધુ વાંચો >અખ્તર-મોહિઉદ્દીન
અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…
વધુ વાંચો >અગરવાલા, જ્યોતિપ્રસાદ
અગરવાલા, જ્યોતિપ્રસાદ (જ. 17 જૂન 1903 તેઝપુર, અસમ ; અ. 17 જાન્યુઆરી 1951 તેઝપુર, અસમ) : આસામના રાષ્ટ્રભક્ત કવિ અને સ્વાતંત્ર્યસેનાની. ‘હિંદ છોડો’ આંદોલન વખતે ભૂગર્ભમાં રહીને કામ કરેલું. સ્વાતંત્ર્યોત્તર સમયની ભારતની પરિસ્થિતિથી થયેલી વેદના એમનાં અનેક ગીતોમાં મુખરિત થયેલી છે. તેમનાં લખાણોમાં જ્વલંત દેશપ્રેમ અને વર્ગવિહીન સમાજરચના માટેની ઝુંબેશ…
વધુ વાંચો >અગસ્ત્ય
અગસ્ત્ય : એક પ્રસિદ્ધ ઋષિ. ઉર્વશી નામની અપ્સરાના રૂપદર્શનથી કામપીડિત બનેલ મિત્ર અને વરુણ (મિત્રાવરુણ) દેવનું શુક્ર સ્ખલિત થતાં તેમાંથી જન્મેલ અગસ્ત્ય ઋષિનું એક નામ મૈત્રાવરુણિ પણ છે. તે ઉપરાંત ઔર્વશેય, કુંભમાંથી પેદા થયેલ હોવાથી કુંભયોનિ, ઘટોદ્ભવ વગેરે નામ પણ છે. ઋગ્વેદનાં ઘણાં સૂક્તોના દ્રષ્ટા આ અગસ્ત્યનાં પત્નીનું નામ લોપામુદ્રા…
વધુ વાંચો >અગસ્ત્ય હરિતકી
અગસ્ત્ય હરિતકી : આયુર્વેદિક ઔષધ. ચાટણ જેવું આ ઔષધ હરડે, જવ, દશમૂળની દસ ઔષધિઓ, ચિત્રક, પીપરીમૂળનાં ગંઠોડાં, અઘેડો, કચૂરો, કૌંચા, શંખાવલી, ભારંગી, ગજપીપર, બલામૂળ, પુષ્કરમૂળ, ઘી, તલનું તેલ, ગોળ, મધ તથા લીંડીપીપરના ચૂર્ણમાંથી તૈયાર થાય છે. માત્રા : એકથી બે નંગ હરડે તથા 5થી 10 ગ્રામ જેટલો અવલેહ સવારમાં એક…
વધુ વાંચો >અગળવિળક્કુ
અગળવિળક્કુ : 1961નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલી તમિળ ભાષાની ચરિત્રપ્રધાન નવલકથા. લેખક વરદરાજન. એમાં ચન્દ્રન નામના પાત્રની જીવનકથા વેલાઇયન નામનું એક પાત્ર કહે છે. સુમન્ના નામનો ધનાઢ્ય પુરુષ પુત્ર ચન્દ્રનને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જવાની રજા આપતો નથી. એને દહેશત છે, કે શહેરના વાતાવરણમાં છોકરો બગડી જશે. પરંતુ…
વધુ વાંચો >અગાધ જીવજન્ય નિક્ષેપ
અગાધ જીવજન્ય નિક્ષેપ (pelagic deposits) : સમુદ્રના અગાધ ઊંડાઈવાળા ક્ષેત્ર(abyssal zone)માં જીવંત સૃષ્ટિના અવશેષ રૂપે થતો નિક્ષેપ. Pelagic શબ્દ ગ્રીક શબ્દ Pelagos અર્થાત્ ખુલ્લો સમુદ્ર (open sea) એ ઉપરથી ઊતરી આવેલો છે. આ નિક્ષેપમાં સૂક્ષ્મ જીવાણુઓના અવશેષો, કેટલાક એકકોષી કે બહુકોષી વનસ્પતિના અવશેષો તેમજ કેટલાક પ્રાણીઓના અવશેષોનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >અગાધ નિક્ષેપ
અગાધ નિક્ષેપ (abyssal deposits) : સમુદ્રની અમુક ઊંડાઈએ બનતો નિક્ષેપ. પૃથ્વીની સપાટીનાં વિવિધ સ્થાનો પર થતી પ્રાકૃતિક બળોની વિવિધ ક્રિયાઓને પરિણામે તૈયાર થતો નાનામોટા કણકદનો બનેલો શિલાચૂર્ણનો જથ્થો જુદા જુદા વાહકો દ્વારા આખરે સમુદ્ર કે મહાસાગર જળમાં જમા થાય છે. તેમાં વનસ્પતિજ–પ્રાણીજ અવશેષો પણ ભળે છે. સમુદ્ર કે મહાસાગરની જુદી…
વધુ વાંચો >અગાર (અગર-અગર, agar agar)
અગાર (અગર-અગર, agar – agar) : કુદરતમાં મળતું એક કાર્બોહાઇડ્રેટ વ્યુત્પન્ન (derivative) [D-ગેલૅક્ટોઝ β–(1 → 4), 3–6–એન્હાઇડ્રો–L–ગેલૅક્ટોઝ α–(1 → 3), + સલ્ફેટ ઍસિડ એસ્ટર સમૂહો]. તે આર્થિક રીતે અગત્યનાં ત્રણ પૉલિસૅકેરાઇડ પૈકીનું એક છે. અન્ય બે એલ્જિનેટ (alginate) અને કેરાજીનન (carrageenan) છે. જાપાન, રશિયા, અમેરિકા, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સમુદ્રનાં છીછરાં…
વધુ વાંચો >અગાવે
અગાવે : જુઓ, કેતકી.
વધુ વાંચો >અગાસિઝ, રોડોલ્ફ લૂઇ
અગાસિઝ, રોડોલ્ફ લૂઇ (જ. 28 મે 1807 સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 14 ડિસેમ્બર 1873 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન પ્રકૃતિવિજ્ઞાની. તેમણે મત્સ્ય અશ્મિ અને હિમયુગ વિશે પાયાનું કામ કરેલું. તે મ્યુનિક યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના સ્નાતક (1829) અને એર્લાંગેન યુનિવર્સિટીના ઔષધશાસ્ત્રના સ્નાતક હતા. તેમણે પૅરિસમાં જ્યોર્જિસ કુવિયેર સાથે તુલનાત્મક શરીરરચનાશાસ્ત્રમાં કામ કર્યું હતું. 1832માં સ્વિટ્ઝર્લૅન્ડની…
વધુ વાંચો >અગિયારી
અગિયારી : જરથુસ્ત્ર ધર્મનું પવિત્ર સ્થળ. અગિયારીના, તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશ-એ-આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ જઈ શકતા નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી. સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ…
વધુ વાંચો >