૧.૦૨

અખરોટથી અગ્નિરોધન

અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ

અગ્નિકૃત ખડકોનું વર્ગીકરણ (classification of igneous rocks) : અગ્નિકૃત ખડકોના વર્ગીકરણનો વિષય ખડકવિદ્યાની એક અગત્યની સમસ્યા ગણાય છે. જુદા જુદા ખડકશાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્ગીકરણો સૂચવેલાં છે, પરંતુ તે પૈકીનું એક પણ સર્વમાન્ય બની શક્યું નથી; આ ખડકોના વર્ગીકરણ માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને કારણે પણ…

વધુ વાંચો >

અગ્નિચક્ર

અગ્નિચક્ર : યોગશાસ્ત્ર અનુસાર માનવદેહમાં મેરુદંડ જ્યાં પાયુ અને ઉપસ્થની વચ્ચે જોડાતો ભાગ છે ત્યાં એક ત્રિકોણચક્ર રચાય છે, જેને અગ્નિચક્ર કહેવામાં આવે છે. આ અગ્નિચક્રમાં સ્વયંભૂલિંગ છે જેને સાડા ત્રણ આંટાથી વીંટાઈને કુંડલિની શક્તિ સૂતી રહે છે. હઠયોગ અનુસાર મહાકુંડલિની શક્તિ વિશ્વમાં વ્યાપ્ત છે. વ્યક્તિમાં તેના રૂપને કુંડલિની કહે…

વધુ વાંચો >

અગ્નિજિત માટી

અગ્નિજિત માટી (fire clay) : કુદરતમાં મળી આવતી એક પ્રકારની માટી, જે ઊંચા તાપમાને પીગળીને કાચમય (glassy) ન બનતાં ગરમીનો પ્રતિકાર કરે છે. આવા પ્રકારની માટીમાં લોહદ્રવ્ય અને સોડિયમ/પોટૅશિયમના ક્ષારો ગેરહાજર હોય છે. સામાન્યત: અગ્નિજિત માટી જળકૃત ઉત્પત્તિજન્ય હોય છે. તેમાં આલ્કલી દ્રવ્યો બિલકુલ હોતાં નથી; હોય તો નજીવા પ્રમાણમાં…

વધુ વાંચો >

અગ્નિતુંડી વટી

અગ્નિતુંડી વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, અજમો, હરડે, બહેડાં, આંબળાં, સાજીખાર, જવભાર, ચિત્રક, સિંધાલૂણ, જીરું, સંચળ, વાવડિંગ, મીઠું, સૂંઠ, મરી અને લીંડીપીપર એ દરેકને સરખા ભાગે લઈને તેમાં બધાંયના વજન જેટલું શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ મેળવી જંબીરી લીંબુના રસમાં ખૂબ ઘૂંટીને મરીના દાણા જેવડી ગોળીઓ બનાવવામાં…

વધુ વાંચો >

અગ્નિપથ યોજના

અગ્નિપથ યોજના : દેશના યુવાનોને લશ્કરમાં ભરતી થવાની તક આપતી કેન્દ્ર સરકારની યોજના. 14મી જૂન, 2022ના રોજ ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને ટૂર ઑફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અગ્નિપથ યોજના અંતર્ગત દેશનાં 18થી 21 વર્ષનાં યુવાનો અને યુવતીઓ સૈન્યમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે…

વધુ વાંચો >

અગ્નિ પર ચલન

અગ્નિ પર ચલન : સાંકડી ખાઈમાં તળિયે પાથરેલા અંગારાઓના પાતળા થર પર ચાલવાની પ્રથા. ભારતીય ઉપખંડ, મલેશિયા, જાપાન, ચીન, ફિજી, તાહિતી, ન્યૂઝીલૅન્ડ, મોરિશિયસ, બલ્ગેરિયા, સ્પેન વગેરેમાં પ્રચલિત ધાર્મિક પ્રણાલી. પ્રાચીન ભારત, ચીન અને ગ્રીસમાં પણ આ પ્રણાલીનું અસ્તિત્વ હતું. પૂજારી, સાધુઓ અથવા ભક્તો કેટલીક વાર અંગારાઓના જાડા થર પર પણ…

વધુ વાંચો >

અગ્નિપરીક્ષા

અગ્નિપરીક્ષા : અસમિયા નાટ્યકૃતિ. દંડીનાથ કલિતા(1890–1950)નું આ નાટક વ્યંગાત્મક છે. નાટકની પાર્શ્વભૂમિ રામાયણના સમયની છે. એમણે એમાં રામાયણનાં લગભગ બધાં જ મુખ્ય પાત્રો તથા પ્રસંગો લઈને નાટ્યોચિત ગૂંથણી કરી છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ‘ભટ્ટિકાવ્યમ્’ અને કૃત્તિવાસના રામાયણનો આધાર લઈને તેમણે કેટલાંક દૃશ્યોનું નિર્માણ કર્યું છે. પાત્રચિત્રણ અભિનયક્ષમ દૃશ્યોની યોજનામાં એમની…

વધુ વાંચો >

અગ્નિપુરાણ

અગ્નિપુરાણ : અઢાર પુરાણોમાંનું એક. તેનો ક્રમ આઠમો છે. ડૉ. હઝરા છેલ્લે ઉપલબ્ધ થયેલાં વહ્નિપુરાણોને જ મૌલિક અગ્નિપુરાણ માને છે, કારણ કે અગ્નિના મહિમાનું પ્રતિપાદન અગ્નિપુરાણમાં નથી, પણ વહ્નિપુરાણમાં છે અને નિબંધગ્રન્થોમાં અગ્નિપુરાણને નામે જે અવતરણો આપવામાં આવ્યાં છે તે અગ્નિપુરાણમાં નહિ, પણ વહ્નિપુરાણમાં છે. હાલના અગ્નિપુરાણમાં પાંચરાત્ર વૈષ્ણવ પૂજાઓનું…

વધુ વાંચો >

અગ્નિમાંદ્ય (અજીર્ણ)

અગ્નિમાંદ્ય (અજીર્ણ) : અપચાનો રોગ. જીવનનો આધાર છે આહાર. માણસ જે આહાર લે છે તે દેહમાં પચ્યા પછી, તેમાંથી જ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવવા માટે જરૂરી રસ, રક્તાદિ ધાતુઓ તથા ઓજસ્ બને છે. શરીરમાં દાખલ થયેલા આહારને પચાવવાનું મહત્ત્વનું કાર્ય હોજરી, ગ્રહણી તથા આંતરડાંમાં રહેલ ‘જઠરાગ્નિ’ કરે છે. જઠરાગ્નિ…

વધુ વાંચો >

અગ્નિમિત્ર

અગ્નિમિત્ર : શુંગ વંશના રાજા પુષ્યમિત્રનો પુત્ર. એનું રાજ્ય વિદિશામાં હતું. એણે યજ્ઞસેનના પિતરાઈ માધવસેનને પોતાના પક્ષમાં લઈ વિદર્ભ પર આક્રમણ કર્યું અને યજ્ઞસેનને હરાવી માધવસેનને વિદર્ભનું અર્ધું રાજ્ય અપાવ્યું. માધવસેનની બહેન માલવિકા રાજા અગ્નિમિત્રને પરણી. તેને અનુલક્ષીને કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્રમ્’ નામે નાટક લખ્યું. એમાં જણાવ્યા અનુસાર અગ્નિમિત્રનું વર્ચસ્, દક્ષિણમાં વિદર્ભ…

વધુ વાંચો >

અખરોટ

Jan 2, 1989

અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…

વધુ વાંચો >

અખંડ આનંદ

Jan 2, 1989

અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત…

વધુ વાંચો >

અખાડાપ્રવૃત્તિ

Jan 2, 1989

અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…

વધુ વાંચો >

અખાના છપ્પા

Jan 2, 1989

અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે…

વધુ વાંચો >

અખિલન

Jan 2, 1989

અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી…

વધુ વાંચો >

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ

Jan 2, 1989

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે. 1.         …

વધુ વાંચો >

અખેગીતા

Jan 2, 1989

અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…

વધુ વાંચો >

અખેપાતર

Jan 2, 1989

અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…

વધુ વાંચો >

અખો

Jan 2, 1989

અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…

વધુ વાંચો >

અખ્તર-મોહિઉદ્દીન

Jan 2, 1989

અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…

વધુ વાંચો >