૧.૦૨

અખરોટથી અગ્નિરોધન

અખરોટ

અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…

વધુ વાંચો >

અખંડ આનંદ

અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત…

વધુ વાંચો >

અખાડાપ્રવૃત્તિ

અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…

વધુ વાંચો >

અખાના છપ્પા

અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે…

વધુ વાંચો >

અખિલન

અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી…

વધુ વાંચો >

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે. 1.         …

વધુ વાંચો >

અખેગીતા

અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…

વધુ વાંચો >

અખેપાતર

અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…

વધુ વાંચો >

અખો

અખો ( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ) જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ…

વધુ વાંચો >

અખ્તર-મોહિઉદ્દીન

અખ્તર-મોહિઉદ્દીન (જ. 17 એપ્રિલ 1928, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર; અ. 2001) : કાશ્મીરી લેખક. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા પછી કાશ્મીર સરકારની નોકરીમાં જોડાયા. તેઓ કાશ્મીર સરકાર તરફથી પ્રગટ થતા શબ્દકોશના નિર્દેશક હતા અને જમ્મુ-કાશ્મીરની અકાદમીના અધ્યક્ષ હતા. તેઓ ટૂંકી વાર્તાના લેખક તરીકે પ્રસિદ્ધ છે. એમની ‘પોંડ્રીચ’ વાર્તાને આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં…

વધુ વાંચો >

અખ્તલ, અલ્

Jan 2, 1989

અખ્તલ, અલ્ : ઇરાકમાં થઈ ગયેલા ઉમય્યા વંશના એક ખ્યાતનામ કવિ. મૂળ નામ ગિયાસ બિન ગૌસ. તે ધાર્મિક વિધાનોના વિરોધી અને ઉમય્યા વંશના જોરદાર સમર્થક હતા. ધર્મ પર તેમને તિરસ્કાર હતો. એક વખત પત્ની એક પાદરીનાં પવિત્ર વસ્ત્રોને માનાર્થે ચુંબન કરવા ધસી, પણ તે જેના પર પાદરી બિરાજમાન હતા તે…

વધુ વાંચો >

અખ્યાતિ (પૂર્વમીમાંસા)

Jan 2, 1989

અખ્યાતિ (પૂર્વમીમાંસા) : ભ્રાંતિજ્ઞાન. પ્રભાકર મિશ્ર નામના મીમાંસક ભ્રાંતિજ્ઞાનને ‘અખ્યાતિ’ કહે છે. તેઓ માને છે કે ભ્રાંતિ એ પ્રત્યક્ષજ્ઞાન અને સ્મૃતિજ્ઞાન એમ બે જ્ઞાનોનું મિશ્રણ છે. રજ્જુ-સર્પ અને શુક્તિ-રજત (છીપ-ચાંદી) એ તેનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે. ‘આ રજત (રૂપું) છે (ઇદં રજતમ્). એ ભ્રાંતિજ્ઞાનના વિધાનમાં ‘આ’ (ઇદમ્-અંશ) તરીકે નિર્દિષ્ટ થતી વસ્તુ…

વધુ વાંચો >

અગખાણ

Jan 2, 1989

અગખાણ (1950) : પંજાબી વાર્તાસંગ્રહ. પંજાબીના જાણીતા લેખક કર્તારસિંહ દુગ્ગલના આ સંગ્રહની લગભગ બધી વાર્તાઓ ભારતવિભાજનને કારણે જે ભયાનક તથા કરુણ પરિસ્થિતિ સર્જાઈ તેની પાર્શ્વભૂમિમાં લખાઈ છે. એમાંની વાર્તાઓમાં રાવળપિંડીના હત્યાકાંડથી માંડીને મહાત્મા ગાંધીજીની હત્યા સુધીની ઘટનાઓની ગૂંથણી કરી છે. એમની વાર્તાઓમાં એમણે ઉદારદૃષ્ટિ રાખી છે અને શીખ, હિંદુ, મુસ્લિમ…

વધુ વાંચો >

અગત્યના વાયુઓ

Jan 2, 1989

અગત્યના વાયુઓ : નાઇટ્રોજન (N2)  હવામાં તે 78.06% રહેલો છે. આ નિષ્ક્રિય વાયુ છે. વાતાવરણમાં હોવાથી પ્રાણવાયુ (ઑક્સિજન)ની દાહક અસર ઓછી થાય છે. પ્રોટીનનિર્માણ માટે આ મહત્ત્વનું તત્ત્વ છે. તેમાંથી અનેક પ્રકારનાં રાસાયણિક ખાતર બનાવવામાં આવે છે. પ્રાણીઓને પ્રોટીનવાળા ખોરાકમાંથી જરૂરી નાઇટ્રોજન મળી રહે છે. શીતક તરીકે પણ તે ઉપયોગી…

વધુ વાંચો >

અગથિયો

Jan 2, 1989

અગથિયો : દ્વિદળી વર્ગના ફૅબેસી કુળમાં આવેલા પૅપિલિયોનોઇડી ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesbania grandiflora (L.) Pers. (સં. अगस्त्य, अगस्ति; હિં. अगस्ता, अगथिया; મ. અગસ્થા; બં. બક; અં. સૅસ્બેન.) છે. પાનરવો, કેસૂડો, ગ્લાયરીસીડીઆ તેનાં કુટુંબી વૃક્ષો. નરમ, પોચા, બટકણા, હલકા લાકડાવાળું વૃક્ષ. 8થી 10 મી. ઊંચાઈ. તેનું સંયુક્ત પર્ણ 15થી…

વધુ વાંચો >

અગર

Jan 2, 1989

અગર : વનસ્પતિના એક્વિલેરિએસી કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aquilaria agallocha Roxb. (સં. अगुरु, अगारु; હિં. अगर; અં. Aloe wood/Eagle wood) છે. તેને અગાઉ થાયમેલીએસી કુળની ગણવામાં આવતી હતી પરંતુ તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને આધારે તેને હવે એક્વિલેરિએસી કુળમાં મૂકવામાં આવેલ છે. વૃક્ષરૂપ. પર્ણો એકાંતરિત, સાદાં. પાર્શ્ર્વ શિરાઓ ઘણી…

વધુ વાંચો >

અગર (રસાયણ)

Jan 2, 1989

અગર (રસાયણ) : જુઓ, અગાર.

વધુ વાંચો >

અગરતલા

Jan 2, 1989

અગરતલા : ભારતના ત્રિપુરા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર.આ શહેર હાઓરા નદીને કિનારે વસેલું છે. ભૌગોલિક સ્થાન અને આબોહવા : 23 50´ ઉ. અ. અને 91 23´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની પૂર્વે આશરે 2 કિમી. દૂર બાંગ્લાદેશની સીમા આવેલી છે. આ શરેહની ઉત્તરે ડુંગરાળ હારમાળા આવેલી છે. અહીંની…

વધુ વાંચો >

અગરબત્તીનો રોગ

Jan 2, 1989

અગરબત્તીનો રોગ : ડાંગરનો ઉડબત્તા રોગ. ડાંગરનો આ રોગ ઇફેલિસ ઓરાઇઝી (Ephelis oryzae Syd) નામની ફૂગથી થાય છે. આ રોગથી ઝાંખી, નાની, સખત અને સીધી ડૂંડી છોડની ફૂટમાંથી બહાર આવે છે જેમાં દાણા ચોટેલા હોય છે, પણ દાણાનો વિકાસ થતો નથી. રોગયુક્ત બીજ, થોડું મોડું વાવેતર, સહયજમાન પાક (સાથે ઉગાડેલો…

વધુ વાંચો >

અગરવાલા, ચંદ્રકુમાર

Jan 2, 1989

અગરવાલા, ચંદ્રકુમાર (જ. 28 નવેમ્બર 1867 કલંગપુર જિ. શોણિતપુર, આસામ ; અ. 2 માર્ચ 1938 ગુવાહાટી, આસામ) : અસમિયા કવિ અને સાહિત્યકાર. વતન આસામના શોણિતપુર જિલ્લાનું કલંગપુર ગામ. દાદા નવરંગ અગરવાલા રાજસ્થાનમાંથી આસામમાં આવી વસેલા. પિતા હરિવિલાસ સાહિત્યરસિક હતા. એમણે આસામના સંત શંકરદેવની અસમિયા હસ્તપ્રતો પ્રકાશિત કરેલી. ચંદ્રકુમારે લક્ષ્મીનાથ બેઝબરુઆ અને…

વધુ વાંચો >