૧૭.૧૨

રવિવર્મા રાજાથી રસખાન

રવિવર્મા, રાજા

રવિવર્મા, રાજા (જ. 29 એપ્રિલ 1848, કીલીપનૂર, કેરળ; અ. 2 ઑક્ટોબર 1906, કેરળ) : યુરોપીય પદ્ધતિથી તૈલરંગોમાં વિશાળ કદનાં કૅન્વાસ આલેખનાર ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર. અર્વાચીન ભારતીય ચિત્રકલાના પિતામહ. ત્રાવણકોરના રાજકુટુંબમાં જન્મ. બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી ને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ…

વધુ વાંચો >

રવિશંકર, પંડિત

રવિશંકર, પંડિત (જ. 7 એપ્રિલ 1920, વારાણસી) : વિશ્વવિખ્યાત સિતારવાદક. ચાર ભાઈઓમાં વિખ્યાત નર્તક ઉદયશંકર (1900-77) સૌથી મોટા અને રવિશંકર સૌથી નાના. મૂળ નામ રવીન્દ્રશંકર. પિતા શ્યામાશંકરે ઇંગ્લૅન્ડથી ‘બાર-ઍટ-લૉ’ અને જિનીવા વિશ્વવિદ્યાલયની રાજ્યશાસ્ત્રની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે ઝાલાવાડ રિયાસતના દીવાનપદે કામ કર્યું હતું અને…

વધુ વાંચો >

રવિશંકર મહારાજ

રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા…

વધુ વાંચો >

રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ)

રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ) (જ. 8 માર્ચ 1937, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. તેઓ પંજાબીમાં 1960માં બી.એ. (ઑનર્સ) અને પછી પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. અધ્યાપન અને લેખનકાર્ય શરૂ કર્યા બાદ તેમણે કૅનેડાના ડિસ્ટ્રિક્ટ રિસૉર્સ સેન્ટરના શિક્ષક-ગ્રંથપાલ તથા સંકલનકાર તરીકે કામગીરી કરી હતી. 1978થી તેમણે કૅનેડાના ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ પંજાબી…

વધુ વાંચો >

રશક્લિફ (Ruschcliffe)

રશક્લિફ (Ruschcliffe) : ઇંગ્લૅન્ડના નૉટિંગહામશાયરમાં આવેલો સ્થાનિક સરકારી જિલ્લો. તે દેશના દક્ષિણ ભાગમાં આવેલો છે અને મુખ્યત્વે વિશાળ ખેતીપ્રધાન વિસ્તાર ધરાવે છે. અહીં કૉટગ્રેવ ખાતે કોલસાની ખાણ આવેલી છે. રશક્લિફ સોઅર (Soar) પરના રૅટક્લિફ ખાતે બ્રિટનમાંનું મોટામાં મોટું ઊર્જામથક છે. આ જિલ્લો ટ્રેન્ટ બ્રિજ ક્રિકેટમેદાન, નૉટિંગહામ ફૉરેસ્ટ ફૂટબૉલ મેદાન અને…

વધુ વાંચો >

રશિયન ક્રાંતિ (1917)

રશિયન ક્રાંતિ (1917) : રશિયામાંથી ઝારશાહી દૂર કરીને સામ્યવાદી શાસન સ્થાપવા થયેલી ક્રાંતિ. વીસમી સદીના પ્રારંભ સુધી રશિયા ઝાર નામે ઓળખાતા શાસકોના આપખુદ, અત્યાચારી તથા શોષણખોર શાસનથી પીડાતું હતું. અઢારમા સૈકાના રશિયાનાં બે શાસકો – પીટર તથા સમ્રાજ્ઞી કૅથરિને રશિયાનું પાશ્ર્ચાત્ય ઢબે આધુનિકીકરણ કરવા વાસ્તે ગણનાપાત્ર સુધારા કર્યા હતા; પરંતુ…

વધુ વાંચો >

રશિયન ચલચિત્ર

રશિયન ચલચિત્ર : સોવિયેત સંઘ જ્યારે અખંડ હતું ત્યારે તેનાં 15 જેટલાં ગણરાજ્યોમાં જે ચિત્રોનું નિર્માણ થતું તે મોટા ભાગે રશિયન ચિત્રો કે સોવિયેત ચિત્રો તરીકે ઓળખાતાં, પણ સોવિયેત સંઘનું વિભાજન થયા બાદ ગણરાજ્યોનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને તેમનો પોતાનો નોખો ચલચિત્ર-ઉદ્યોગ છે. સોવિયેત સંઘમાં નિર્માણ પામેલાં રશિયન ચિત્રોનો…

વધુ વાંચો >

રશિયન ભાષા અને સાહિત્ય

રશિયન ભાષા અને સાહિત્ય રશિયાની સત્તાવાર ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. રશિયન સામ્રાજ્ય અને પૂર્વ સોવિયેત યુનિયનની તે લોકભાષા (lingua franka) કહેવાતી. જૂનાં સોવિયેત પ્રજાસત્તાકોમાં હજુ પણ તે માતૃભાષા ઉપરાંતની બીજી ભાષા તરીકે ભણાવાય છે. તે ‘ગ્રેટ રશિયન’ તરીકે પણ ઓળખાય છે, સ્લાવિક ભાષાઓની પૂર્વ શાખાની બેલારુશિયન અને યુક્રેનિયનની જેમ…

વધુ વાંચો >

રશિયન મ્યુઝિયમ

રશિયન મ્યુઝિયમ : સેંટ પીટર્સબર્ગમાં આવેલું રશિયન કલાના સંગ્રહનું અગત્યનું મ્યુઝિયમ. ઓગણીસમી સદીના પ્રારંભમાં સ્થપતિ કાર્લો રોસીએ સેંટ પીટર્સબર્ગમાં એક મહેલ બાંધવો શરૂ કરેલો. ‘મિખાઇલૉવ્સ્કી પૅલેસ’ નામ ઓળખાતા આ મહેલનું બાંધકામ 1823માં પૂરું થયેલું. 1891માં આ મહેલ ‘રશિયન મ્યુઝિયમ’માં ફેરવાયો અને ત્યાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન રશિયન કલાની કૃતિઓ જાહેર…

વધુ વાંચો >

રશિયા (રશિયન સમવાયતંત્ર)

રશિયા (રશિયન સમવાયતંત્ર) વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 42°થી 82° ઉ. અ. અને 20°થી 170° પૂ. રે. વચ્ચેનો 1,70,75,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 7,700 કિમી. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ 2,000થી 2,960 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક…

વધુ વાંચો >

રશિયા-જાપાન યુદ્ધ (1904-05)

Jan 12, 2003

રશિયા-જાપાન યુદ્ધ (1904-05) : રશિયા અને જાપાન વચ્ચે 1904-05માં થયેલું યુદ્ધ. ઈ. સ. 1868માં જાપાને નવું બંધારણ અપનાવ્યું અને સામંતશાહી નાબૂદ કરી એના સમ્રાટને સર્વસત્તાધીશ બનાવ્યો, એ પછી જાપાન શક્તિશાળી બનતું ગયું. પશ્ચિમમાં જે વૈજ્ઞાનિક શોધો થઈ હતી તે તેણે અપનાવી લીધી. એણે સેંકડો યુવાનોને શિક્ષણ અને તાલીમ માટે યુરોપ-અમેરિકાના…

વધુ વાંચો >

રશીદ, અબ્દુલ

Jan 12, 2003

રશીદ, અબ્દુલ (જુ.) (જ. 3 માર્ચ 1947) : પાકિસ્તાનના હૉકી ખેલાડી. તેઓ પાકિસ્તાનના સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. તમામ મહત્વની ટુર્નામેન્ટમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા – 1968નો ઓલિમ્પિક રમતોત્સવ (સાથેસાથે એ રમતમાં 1972માં રૌપ્ય તથા 1976માં કાંસ્ય ચન્દ્રકો પણ જીત્યા); વિશ્વકપ 1971; એશિયન ગેમ્સ 1970 અને 1974. તેઓ પાકિસ્તાન…

વધુ વાંચો >

રશીદ યાસ્મી

Jan 12, 2003

રશીદ યાસ્મી (જ.1897, ગહવારા, જિ. ગોલાન, સીરિયા; અ. 1952, તેહરાન) : ફારસી ભાષાના કવિ, લેખક, પત્રકાર, અનુવાદક અને વિવેચક. તેમનું મૂળ નામ ગુલામ રઝા અને પિતાનું નામ વલીખાં મીરપંચ હતું. તેમના વડીલો કુર્દ વંશના હતા. પિતા વિદ્યાપ્રેમી, સારા લહિયા, ચિત્રકાર, લેખક અને કવિ હતા. 8 વર્ષની ઉંમરે રશીદે તેમના પિતા ગુમાવ્યા. તેમના…

વધુ વાંચો >

રશીદુદ્દીન

Jan 12, 2003

રશીદુદ્દીન : મૉંગોલ શાસકનો અલાઉદ્દીન ખલજીના દરબારમાં આવેલ રાજદૂત. દિલ્હીના સુલતાનો જેમ બગદાદના ખલીફાઓને ધાર્મિક કારણોસર રાજી રાખતા હતા તેમ માગોલ રાજ્યકર્તાઓનાં આક્રમણોથી બચવા એમને પણ ખુશ રાખવા પ્રયત્નો કરતા હતા. મૉંગોલ રાજ્યકર્તા ઘાઝાન મહમૂદે (1295-1304) રશીદુદ્દીન નામના વિદ્વાનને પોતાના પ્રતિનિધિ તરીકે અલાઉદ્દીન ખલજીના દરબારમાં (1296-1316) હિંદ મોકલ્યો હતો. આ…

વધુ વાંચો >

રશોમોન

Jan 12, 2003

રશોમોન : ચલચિત્ર. ભાષા : જાપાની. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1950. નિર્માતા : જિંગો મિનોરા. પટકથા : અકિરા કુરોસાવા અને શિનોબુ હાશિમોટો. કથા : રિયોનોસુકે અકુટાગાવાની નવલકથા ‘રશોમોન’ અને ટૂંકી વાર્તા ‘યાબુ નો નાકા’ પર આધારિત. છબિકલા : કાઝુઓ મિયાગાવા. કળા-નિર્દેશન : સો માત્સુયામા. સંગીત : ફુમિયો હાયાસાકા. મુખ્ય…

વધુ વાંચો >

રસ

Jan 12, 2003

રસ પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાંત. રસ વિશેનો ખ્યાલ અતિ પ્રાચીન છે. સૌપ્રથમ રસ વિશેના શાસ્ત્રીય નિર્દેશો ભરત-નાટ્યશાસ્ત્ર(ના.શા.)માં પ્રાપ્ત થાય છે (ઈ. પૂ. 1લી સદી). કાવ્યશાસ્ત્રની અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય તથા અનુમિતિ એમ સઘળી પરંપરાઓ ‘રસ’નો સ્વીકાર વિના સંકોચે કરે છે. મતભેદો માત્ર રસની અભિવ્યક્તિના સંદર્ભમાં રહેલા છે.…

વધુ વાંચો >

રસકૌમુદી 

Jan 12, 2003

રસકૌમુદી  : જુઓ શ્રીકંઠ (જુઓ ગ્રંથ-21, પૃ. નં. 700)

વધુ વાંચો >

રસખાન

Jan 12, 2003

રસખાન (જ. 1540, દિલ્હી; અ. 1630) : હિંદી ભક્તકવિ. તેમના જીવન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ શાહી પરિવારમાં થયાનું કહેવાય છે. ‘દો સૌ વૈષ્ણવોં કી વાર્તા’ અનુસાર તે ગોસ્વામી વિઠ્ઠલનાથના શિષ્ય હતા અને તેમણે ગોસ્વામી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના બોધ પર આધારિત ભગવાન કૃષ્ણનાં ભક્તિગીતો રચ્યાં હતાં; પરંતુ ચંદ્રબલી પાંડેના…

વધુ વાંચો >