૧૪.૨૫

ભૂમિપુત્રથી ભૂવિક્ષેપી પવન

ભૂમિપુત્ર

ભૂમિપુત્ર (સ્થા. 1953) : સર્વોદય વિચારધારાને વરેલું વિચારપત્ર. 1951માં વિનોબાજીના ભૂદાન-ગ્રામદાન આંદોલનનો આરંભ થયો. એ આંદોલનને  ગુજરાતમાં ઉપાડી લેનાર કાર્યકરો શરૂમાં કોઈ પ્રસ્થાપિત મંડળ વિના જ કામ કરતા હતા. દર મહિને સાતમી તારીખે મળતી કાર્યકરોની ‘સપ્તમી સભા’ દ્વારા ગુજરાતના સમગ્ર કામનું સંયોજન થતું હતું. આ કાર્યકરોના આંદોલનને વેગ આપવા તેમના…

વધુ વાંચો >

ભૂમિમિત્ર

ભૂમિમિત્ર : મગધનો કણ્વવંશનો રાજા. ઈ. પૂ. 75માં વસુદેવ નામના અમાત્યે તેના માલિક દેવભૂમિને મારી નંખાવીને મગધમાં નવો વંશ સ્થાપ્યો. તે વંશ તેના ગોત્ર પરથી કણ્વ કે કણ્વાયન તરીકે જાણીતો થયો. આ વંશમાં વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશાર્મણ નામે રાજા થઈ ગયા. પુરાણોમાં જણાવ્યા મુજબ આ વંશને આંધ્રોએ ફગાવી દીધો…

વધુ વાંચો >

ભૂમીય પરિબળો

ભૂમીય પરિબળો : જુઓ ‘મૃદા’

વધુ વાંચો >

ભૂમીય સજીવો

ભૂમીય સજીવો : જુઓ ‘મૃદા’

વધુ વાંચો >

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology)

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો (landforms), તેમાં વખતોવખત થતા રહેતા ફેરફાર, ઘસારાચક્ર, તેમનાં વર્ણન તેમજ અર્થઘટન કરતી ભૂસ્તરશાસ્ત્રની શાખા. પૃથ્વી ગોળાકાર ગણાતી હોવા છતાં તેની સપાટી ખૂબ જ અસમતળ અને અનિયમિત છે. સપાટીની આ અનિયમિતતા ભૂપૃષ્ઠમાં ચાલતાં રહેતાં આંતરિક અને બાહ્ય બળોને કારણે ઉદભવતી હોય છે. પૃથ્વી પર…

વધુ વાંચો >

ભૂરસાયણશાસ્ત્ર

ભૂરસાયણશાસ્ત્ર (Geochemistry) : પૃથ્વીના બંધારણમાં રહેલાં રાસાયણિક તત્વો સાથે તથા આ તત્વોનું પરિવર્તન કરતી રહેતી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. ભૂરસાયણશાસ્ત્રનો મુખ્ય હેતુ પૃથ્વીના ત્રણ વિભાગો – ખંડીય પોપડાનું, સમુદ્રીય પોપડાનું અને ભૂમધ્યાવરણનું તેમજ ભૂગર્ભજળ, સપાટીજળ અને વાતાવરણનું રાસાયણિક બંધારણ નક્કી કરવાનો હોય છે. ખડકો, ખનિજો અને જળનાં બંધારણ નક્કી…

વધુ વાંચો >

ભૂરાજકારણ

ભૂરાજકારણ : વિશ્વના રાજકીય વિકાસને તથા ઘટનાઓને ભૌગોલિક અર્થમાં – ભૂમિના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ. ભૂરાજકારણના સિદ્ધાંતો અનુસાર વિશ્વ મર્યાદિત પ્રમાણમાં ભૂમિ ધરાવે છે અને તમામ દેશો ભૂમિ મેળવવા સ્પર્ધા અને સંઘર્ષ કરતા હોય છે. આથી ભૂરાજકારણની ર્દષ્ટિએ વિદેશનીતિ સૌથી મહત્વની બાબત છે. ભૂરાજકારણમાં ભૂગોળવિદો, ઇતિહાસકારો ને રાજ્યશાસ્ત્રીઓ વિદેશનીતિ પરના ભૂગોળના…

વધુ વાંચો >

ભૂરાસાયણિક નિરીક્ષણ

ભૂરાસાયણિક નિરીક્ષણ (Geochemical Prospecting) : પૃથ્વીના પોપડાના ખડકોમાં ભંડારાયેલાં આર્થિક મહત્વ ધરાવતાં ખનિજોની ખોજ માટે કરવામાં આવતાં રાસાયણિક પૃથક્કરણો દ્વારા ઉપલબ્ધ ખનનયોગ્ય માહિતી મેળવવા માટેની પદ્ધતિ. હાથ પર લેવામાં આવતાં ખોજસંશોધનોમાં ભૂસ્તરીય અને ભૂભૌતિક નિરીક્ષણોની સાથે સાથે ભૂરાસાયણિક પદ્ધતિઓ પણ અખત્યાર કરવામાં આવે છે. સોળમા સૈકામાં ખનિજીય ઝરાઓ અને ભૂગર્ભીય…

વધુ વાંચો >

ભૂરાસાયણિક વિતરણ (તત્વોનું)

ભૂરાસાયણિક વિતરણ (તત્વોનું) : પૃથ્વીના ભૂપૃષ્ઠ (crust), પ્રાવરણ (mantle) અને અંતર્ભાગ (ગર્ભભાગ) જેવાં મુખ્ય ક્ષેત્રો(zone)માં રાસાયણિક તત્વોનું વિતરણ. તે પૃથ્વી અને સૂર્યમાલા(solar system)ના પૂર્વ ઇતિહાસ અને તે પછીના ઉદ્વિકાસ (evolution) પર આધારિત છે. આ ઘટનાઓ ઘણા લાંબા સમય પહેલાં બનેલી હોઈ ખરેખર શું બન્યું હશે તેનો સીધો પુરાવો પ્રાપ્ય ન…

વધુ વાંચો >

ભૂરાં કાંસિયાં

ભૂરાં કાંસિયાં : ડાંગરની એક ગૌણ જીવાત. આ જીવાતનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળમાં કરવામાં આવેલ છે. શાસ્ત્રીય નામ Lepigma pygmaea B. છે. આ કીટક સમચતુષ્કોણ આકારના, નાના, ઘેરા લીલાશ પડતા ભૂરા રંગના, સુંવાળા, લગભગ 6 મિમી. લંબાઈના અને પહોળાઈમાં 3 મિમી. જેટલા હોય છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ…

વધુ વાંચો >

ભૂરાં ફૂદાં

Jan 25, 2001

ભૂરાં ફૂદાં : તુવેર, ચોળા, વાલ અને કેટલાક અન્ય કઠોળના પાકને નુકસાન કરતાં ફૂદાં. રોમપક્ષ શ્રેણીની આ જીવાત લેમ્પિડ્સ બોઇટિક્સના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. આ જીવાતની ફૂદીની પાંખની પ્રથમ જોડ ભૂરા રંગની હોવાથી તે ભૂરાં પતંગિયાં તરીકે ઓળખાય છે. ગોળ ટપકાંવાળી તેની બીજી જોડ પાંખની પાછળની ધારે હોય છે અને…

વધુ વાંચો >

ભૂલે બિસરે ચિત્ર

Jan 25, 2001

ભૂલે બિસરે ચિત્ર (1959) : પ્રસિદ્ધ હિંદી નવલકથાકાર ભગવતીચરણ વર્માની બૃહદ્ નવલકથા. તેમાં 1850–1930ના સમયપટને આવરી લેતી 4 પેઢીઓની બદલાતી જીવનર્દષ્ટિની કથા છે. મુનશી શિવલાલનો પુત્ર જ્વાલાપ્રસાદ અંગ્રેજ કલેક્ટરની કૃપાથી નાયબ મામલતદાર બને છે, તો જ્વાલાપ્રસાદનો પુત્ર ગંગાપ્રસાદ સીધો નાયબ કલેક્ટર બની જાય છે. તેનો પુત્ર જ્ઞાન બધાથી જુદો પડી…

વધુ વાંચો >

ભૂવિક્ષેપી પવન

Jan 25, 2001

ભૂવિક્ષેપી પવન (geostrophic wind) : સૈદ્ધાંતિક ર્દષ્ટિએ આદર્શ ગણાતા  વાતાવરણના આ પવનો છે. પૃથ્વીની ચક્રગતિની અસરથી ‘કોરિયોલિસ’ બળ નામનું આભાસી બળ પેદા થાય છે. ચક્રગતિના અસરકારક વધારા સાથે ‘કૉરિયૉલિસ’ બળમાં વધારો થાય છે. વિષુવવૃત્ત ઉપર આ બળ શૂન્ય હોય છે અને ધ્રુવો ઉપર મહત્તમ હોય છે. ‘કૉરિયૉલિસ’ બળને લીધે પવનની…

વધુ વાંચો >