૧૪.૧૬

ભારતની જૈવ વિવિધતાથી ભારતીય અંગ્રેજી સાહિત્ય

ભારતની જૈવ વિવિધતા

ભારતની જૈવ વિવિધતા ભારતની સજીવ સૃષ્ટિમાં દેખાતું વૈવિધ્ય. આમ તો ભારત દેશ પ્રકૃતિ, આબોહવા, સમાજ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા માટે પ્રખ્યાત છે. મુખ્યત્વે ઉષ્ણ કટિબંધ (tropical) પ્રદેશના ભારત વિસ્તારનાં વિભિન્ન પ્રાકૃતિક અને આબોહવાકીય અનુકૂળ પરિબળોને લીધે સજૈવ સૃષ્ટિ અત્યંત વૈવિધ્યપૂર્ણ રહેલી છે. બૃહદ્ વિવિધતા (megadiversity) ધરાવતા જૂજ પ્રદેશોમાં ભારતની ગણના…

વધુ વાંચો >

ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ

ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ : ભારતીય ભૂસ્તરોને તેમના ઇતિહાસના સંદર્ભમાં મૂલવતાં, ભારતના સમગ્ર વિસ્તારમાં મળતા વિવિધ કાળના ખડકોને મુખ્ય ચાર સમૂહોમાં વહેંચી શકાય : (1) આર્કિયન સમૂહ, (2) પુરાણા સમૂહ, (3) દ્રવિડ સમૂહ અને (4) આર્ય સમૂહ. આ ચારેય સમૂહોને એપાર્કિયન (આર્કિયન-પશ્ચાત્) અસંગતિ, વિંધ્યપશ્ચાત્ અસંગતિ અને ઊર્ધ્વ કાર્બોનિફેરસ અસંગતિ જેવા નિક્ષેપ-વિરામ…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947 : 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિલીનીકરણની સમસ્યા સૌથી વધારે ઉગ્ર બનતી રહી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોમાં તે આડખીલીરૂપ બની રહેલી છે. ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965 : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલું બીજું ખુલ્લું યુદ્ધ. ભારત પર પાકિસ્તાનના લશ્કરી આક્રમણને કારણે બંને દેશો વચ્ચેની સરહદો સળગી ઊઠી. પ્રારંભે એપ્રિલ, 1965માં પાકિસ્તાને કચ્છના રણના વિસ્તારમાં આક્રમણ કર્યું અને પછી પાકિસ્તાનના લાહોર-સિયાલકોટ અને ભારતના છાંબ-જોરિયન વિસ્તાર સુધી ઑગસ્ટમાં આ સંઘર્ષ વિસ્તર્યો. ભારતીય સૈન્ય લાહોર…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971

ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971 : બાંગ્લાદેશના મુક્તિ આંદોલનના પરિપ્રેક્ષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ. 1947માં ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રોના ઉદય પછી પશ્ચિમ પાકિસ્તાને સરકારી હોદ્દાઓ પરની નિમણૂકો, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, અંદાજપત્રીય ફાળવણી વગેરેમાં ભેદભાવભરી નીતિઓ અખત્યાર કરી. પૂર્વ પાકિસ્તાનના નાગરિકો જાણે કે બીજા દરજ્જાના નાગરિકો હોય અને…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999

ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999 : આ યુદ્ધ મુખ્યત્વે કાશ્મીરના કારગિલ અને દ્રાસ વિસ્તારમાં લડાયું. કાતિલ ઠંડીને કારણે કારગિલ વિસ્તાર સાથેનો સંપર્ક શિયાળામાં તૂટી જતો. અતિશય ઠંડીને કારણે દર વર્ષની જેમ 1998ના શિયાળામાં આ વિસ્તારમાંથી ભારતીય લશ્કરી પહેરો ખસેડી લેવાયો હતો, જેને કારણે પાકિસ્તાનની ઘૂસણખોરી માટે આ વિસ્તાર સાવ ખુલ્લો…

વધુ વાંચો >

ભારત ભવન

ભારત ભવન : મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે આવેલું સાંસ્કૃતિક સંકુલ. 1980ના દશકામાં તેનો મૂળ વિચાર ઉદભવ્યો હતો અને તેની સ્થાપના થઈ હતી. સ્થાપના પછી આ ભવનમાંનાં સંગ્રહસ્થાન, ગ્રંથાલય, રંગભૂમિ તથા સંગીતકેન્દ્રે સાંપ્રત કલા પરત્વે દૂરગામી પ્રભાવ સર્જ્યો છે. સમસ્ત દેશ તેમ પરદેશમાંથી લલિત કલાઓ તથા રંગમંચીય કલાઓના કલાકારો માટે તે આકર્ષણ-કેન્દ્ર…

વધુ વાંચો >

ભારતભૂષણ

ભારતભૂષણ (જ. 14 જૂન 1923; અ. 27 જાન્યુઆરી, 1992) : હિન્દી ચલચિત્રોના, કવિ, શાયર અને સંતની ભૂમિકાઓ દ્વારા નામના પ્રાપ્ત કરનાર અભિનેતા. મેરઠના વકીલ મોતીલાલ અગ્રવાલને ઘેર તેઓ જન્મેલા. તેમનો સ્વભાવ જન્મથી જ વિદ્રોહી હતો. આ સ્વભાવના કારણે તેમને તેમના આર્યસમાજી પિતા સાથે બનતું નહોતું. તેઓ ઘર છોડીને અલીગઢમાં દાદી…

વધુ વાંચો >

ભારતમાં અંગ્રેજી રાજ

ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ. ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ,…

વધુ વાંચો >

ભારતમાં જૈવ તકનીકી

ભારતમાં જૈવ તકનીકી માનવહિતાર્થે જૈવિક તંત્રોના યોગ્ય સંચાલન માટે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં અપનાવવામાં આવેલી તકનીકી. માનવ-સ્વાસ્થ્ય, કૃષિવિજ્ઞાન, પશુપાલન, સજૈવ અણુઓનું ઉત્પાદન, પ્રદૂષણમુક્ત પર્યાવરણની જાળવણી જેવાં વિવિધ ક્ષેત્રોમાં જૈવ તકનીકી અગત્યની નીવડી છે. દૂધમાંથી પનીર અને માખણ જેવી ચીજોના નિર્માણથી માંડી ગુનામાં વિશિષ્ટ વ્યક્તિ અપરાધી હોવાની સાબિતી પુરવાર થાય…

વધુ વાંચો >

ભારતયુદ્ધ

Jan 16, 2001

ભારતયુદ્ધ : પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. જન્માંધ ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના અનાથ પુત્રો વચ્ચે પૈતૃક રાજવારસા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો. આખરે એ સંઘર્ષ યુદ્ધમાં પરિણમ્યો. આ યુદ્ધ ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચે થયું હતું, પરંતુ એમાં એ બંને પક્ષના સહયોગમાં ભારતના લગભગ સર્વ રાજાઓ સંડોવાયા હતા. ધૃતરાષ્ટ્ર…

વધુ વાંચો >

ભારત સેવાશ્રમ સંઘ

Jan 16, 2001

ભારત સેવાશ્રમ સંઘ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવધર્મ અને સમાજસેવાને વરેલું લોકહિતૈષી સંગઠન, જેમાં સંન્યાસીઓ અને નિઃસ્વાર્થી કાર્યકર્તા ભ્રાતૃભાવથી ઈ. સ. 1917થી અવિરત જનકલ્યાણનાં કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની સ્થાપના યોગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી (1896–1941)એ પોતાના જન્મસ્થાન બાજિતપુરા(જિ. ફરીદપુર, બાંગ્લાદેશ)માં સ્મશાનની નિકટના સ્થાનમાં વનદેવી દુર્ગાના સ્થાનક પાસે આશ્રમ બનાવીને ત્યાં…

વધુ વાંચો >

ભારતીદાસન્

Jan 16, 2001

ભારતીદાસન્ (જ. 21 એપ્રિલ 1891, પૉંડિચેરી; અ. 21 એપ્રિલ 1964) : ખ્યાતનામ તમિળ કવિ. મૂળ નામ કનક સુબ્બુરત્નમ્. પૉંડિચેરીમાં અભ્યાસ. 1908માં તમિળ વિદ્વાન પરીક્ષામાં પ્રથમ આવ્યા. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા પણ તેઓ જાણતા હતા. તેમણે પૉંચેરીમાં કાલ્વે કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. 1908માં તમિળ કવિ ભારતીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી ખૂબ પ્રભાવિત…

વધુ વાંચો >

ભારતી, ધર્મવીર

Jan 16, 2001

ભારતી, ધર્મવીર (જ. 1926, અલ્લાહાબાદ; અ. 1998) : હિંદી ભાષાના લેખક. પિતા ચિરંજીવલાલ શર્મા અને માતા ચંદાદેવી. આઠમા ધોરણમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં મામાની છત્રછાયામાં અભ્યાસ કર્યો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો અને અભ્યાસમાં વિઘ્ન આવ્યું. 1945માં બી.એ.માં સર્વાધિક ગુણ મેળવી ‘ચિંતામણિ ઘોષ મંડલ’ પુરસ્કાર મેળવ્યો. એમ.એ. કર્યા…

વધુ વાંચો >

ભારતીભૂષણ

Jan 16, 2001

ભારતીભૂષણ : ગુજરાતી સાહિત્યનું ત્રૈમાસિક. 1887માં બાળાશંકર કંથારિયાએ તે શરૂ કરેલું. 1895 સુધીમાં તેના અઢાર અંક પ્રગટ થયા હતા. બાળાશંકરની ગઝલો અને ઊર્મિકાવ્યો ‘ભારતીભૂષણ’માં જ પ્રગટ થયેલાં. આ સામયિકમાં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લખાતા લેખો પણ છે. અનુવાદો પણ તેમાં પ્રગટ થતા. ‘મૃચ્છકટિક’નો કાન્તે કરેલો અનુવાદ ‘ભારતીભૂષણ’માં છપાયેલો.…

વધુ વાંચો >

ભારતીય અંગ્રેજી સાહિત્ય

Jan 16, 2001

ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની…

વધુ વાંચો >