૧૪.૧૦

ભટ્ટ, ઉદયશંકરથી ભટ્ટિ

ભટ્ટ, ગોપાલ

ભટ્ટ, ગોપાલ (જ. આશરે 5મી સદી પહેલાં) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના મૂર્ધન્ય ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમને ‘લૌહિત્ય ભટ્ટ ગોપાલ સૂરિ’ એવા નામે ઓળખવામાં આવે છે. ‘કાવ્યપ્રકાશ’ પર તેમણે લખેલી ટીકાનું નામ ‘સાહિત્યચૂડામણિ’ છે. ‘ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળા’માં આ ટીકા છપાઈ છે. તેના બે ભાગો અનુક્રમે 1926 અને 1930માં આર. હરિહર…

વધુ વાંચો >

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ

ભટ્ટ, ચંદ્રભાઈ કાલિદાસ (જ. 1904, સિસોદરા, જિ. ભરૂચ; અ. 11 નવેમ્બર 1988, મુંબઈ) : ઇતિહાસકાર, જીવનચરિત્ર-લેખક, નવલકથાકાર, શિક્ષક. તેમણે માધ્યમિક શિક્ષણ રાજપીપળામાં લીધું. 1929માં વડોદરાની કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના સ્નાતક થયા. તેમના ઉપર રાજા રામમોહન રાય, કાર્લ માર્ક્સ, મહાત્મા ગાંધી વગેરેના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. ભારતીય સામ્યવાદી પક્ષના વીસ વર્ષ સુધી સક્રિય…

વધુ વાંચો >

ભટ્ટ, ચંદ્રવદન

ભટ્ટ, ચંદ્રવદન (જ. 1915, રાંદેર, જિ. સૂરત) : મુંબઈની નૂતન વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિના અગ્રણી નાટ્યનિષ્ણાત. પ્રવીણ જોષી, કાંતિ મડિયા અને વિજય દત્ત જેવા નીવડેલા દિગ્દર્શકોના તેઓ નાટ્યગુરુ હતા. પત્ની નિહારિકા (જ. 10 સપ્ટેમ્બર 1929, સૂરત) નાટ્ય અને ચલચિત્ર સૃષ્ટિનાં યશસ્વી કલાકાર. મોઢા પર ચૂનો ને માથે દીવાબત્તી સાથે જીવનના ચાર…

વધુ વાંચો >

ભટ્ટ, ચંદ્રશંકર મણિશંકર

ભટ્ટ, ચંદ્રશંકર મણિશંકર (જ. 3 ઑગસ્ટ 1898, આમોદ; અ. 31 ડિસેમ્બર 1979, ભરૂચ) : દેશપ્રેમી ક્રાંતિવીર, તેજસ્વી વ્યાયામપ્રવર્તક અને સંનિષ્ઠ સમાજસેવક. પિતા મણિશંકર; માતા કાશીબહેન. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીના નિકટના સાથી તરીકે જીવનપર્યંત સામાજિક સેવામાં કાર્યરત રહ્યા. વ્યાયામશાળા-પ્રવૃત્તિના પ્રારંભમાં પુરાણી બંધુઓની સાથે રહી તેમણે વ્યાયામપ્રચાર અને વિકાસનું સંગીન કાર્ય…

વધુ વાંચો >

ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ

ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ (જ. 21 નવેમ્બર 1901, ભરૂચ; અ 10 જુલાઈ 1986, વેડછી, જિ. સૂરત) : ગુજરાતી કવિ, બાળવાર્તાલેખક, વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, સ્વાતંત્ર્યસેનાની. ચિમનભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ થોડો સમય કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક રહ્યા. ત્યાંથી સૂરત આવી રાષ્ટ્રીય વિદ્યાલયમાં જોડાયા. આ પહેલાં, 1924માં ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા ગાંધીજીની પ્રેરણાથી વાલોડ…

વધુ વાંચો >

ભટ્ટ, છોટાલાલ નરભેરામ

ભટ્ટ, છોટાલાલ નરભેરામ (જ. 1850, મહેમદાવાદ; અ. 1937) : કવિ, આત્મચરિત્રકાર, અનુવાદક. અલીન્દ્રાના વતની. પ્રાથમિક કેળવણી મોસાળ મહેમદાવાદમાં લઈ સૂરત ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તે પછી ભરૂચમાં શિક્ષક. દરમિયાન કોઈ વિદ્વાનના સમાગમથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદક અને પુરાણોનો અભ્યાસ. બાળપણથી જ કવિતા કરવાનો  શોખ; તેથી કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે…

વધુ વાંચો >

ભટ્ટ, જયંત

ભટ્ટ, જયંત (નવમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય ન્યાયદર્શનના વિદ્વાન લેખક. અપ્રતિમ પ્રતિભાશાળી જયંત ભટ્ટ કાશ્મીરના રાજા શંકરવર્માના રાજ્યકાળ(ઈ.સ. 885–902)માં થયા. તેઓ પોતાની ‘ન્યાયમંજરી’માં શંકરવર્માને ધર્મતત્વજ્ઞ તરીકે વર્ણવે છે અને એક સ્થળે જણાવે છે કે તે રાજાએ પોતાને કેદ કર્યો હતો અને ત્યાં રહીને જ પોતે પ્રસિદ્ધ ‘ન્યાયમંજરી’ની રચના કરી હતી.…

વધુ વાંચો >

ભટ્ટ, જ્યોતિ માનભાઈ

ભટ્ટ, જ્યોતિ માનભાઈ (જ. 1934, ભાવનગર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર, ફોટોગ્રાફર, મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત તથા કલાશિક્ષક. ભાવનગરના સંનિષ્ઠ સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટના તેઓ પુત્ર. જ્યોતિભાઈનું શાળાશિક્ષણ દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા ઘરશાળામાં થયું. ત્યાં જ પ્રારંભમાં સોમાલાલ શાહ પાસે (1942થી 1944) અને જગુભાઈ શાહ પાસે (1945થી 1949) ચિત્રકળાની તાલીમ લીધી. ભાવનગરના અભ્યાસકાળ…

વધુ વાંચો >

ભટ્ટ, જ્યોત્સ્ના

ભટ્ટ, જ્યોત્સ્ના (જ. 1940, માંડવી, કચ્છ) : ગુજરાતનાં સ્ત્રી-શિલ્પી અને સિરામિસ્ટ (ચિનાઈ માટીનાં પાત્ર-શિલ્પ બનાવનાર). વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1962માં તેમણે શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. 1965માં અને ’66નાં 2 વર્ષ દરમિયાન અમેરિકામાં ન્યૂયૉર્કની ‘બ્રુક્લિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલ’માં સિરામિક્સનો વધુ અભ્યાસ કર્યો.  આ 2 વર્ષ દરમિયાન તેમને ‘વર્કિગ સ્ટુડન્ટ્સ સ્કૉલરશિપ’ પણ મળી.…

વધુ વાંચો >

ભટ્ટ, તૌત

ભટ્ટ, તૌત (ઈ.સ. 960થી 990 દરમિયાન હયાત) : ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર ટીકા લખનારા કાશ્મીરી આલંકારિક આચાર્ય. તેઓ આચાર્ય અભિનવગુપ્તના ગુરુ હતા. સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ અભિનવગુપ્તે તેમની પાસે કર્યો હતો. ભટ્ટ તૌતે ‘કાવ્યકૌતુક’ નામનો રસ વિશેનો ગ્રંથ રચ્યો છે, જે હાલ અનુપલબ્ધ છે. અભિનવે તેના પર વિવરણ લખ્યું છે. ‘કાવ્યકૌતુક’માં શાન્ત રસને…

વધુ વાંચો >

ભટ્ટ, ઉદયશંકર

Jan 10, 2001

ભટ્ટ, ઉદયશંકર (જ. 1898, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1969) : હિન્દી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પૂર્વજો સિંહપુર(ગુજરાત)ના હતા અને ઇન્દોરનરેશના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ પામી બુલંદ શહેરના કર્ણદાસ ગામમાં વસ્યા હતા. પિતા ફતેહશંકર પાસે અંગ્રેજી તથા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વાતચીત પણ અનુષ્ટુપ, કવિત અને સવૈયા છંદમાં સંસ્કૃત તથા ક્યારેક વ્રજભાષામાં થતી…

વધુ વાંચો >

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ

Jan 10, 2001

ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં…

વધુ વાંચો >

ભટ્ટ, ઊર્મિલા

Jan 10, 2001

ભટ્ટ, ઊર્મિલા (જ. 1 નવેમ્બર 1933; અ. 22 ફેબ્રુઆરી 1997, મુંબઈ) : ગુજરાતી તખ્તા અને હિન્દી ફિલ્મોનાં જાજરમાન અભિનેત્રી. જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા અને ઇ. અલ્કાઝી જેવા દિગ્ગજો પાસેથી નાટ્યદીક્ષા મેળવનાર ઊર્મિલાબહેન નાટ્યવિદ્યાના વિષય સાથે માસ્ટર ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ(MPA)ની અનુસ્નાતક પદવી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા હતાં. તેમણે 1956થી જુલાઈ, 1958…

વધુ વાંચો >

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી

Jan 10, 2001

ભટ્ટ, કરુણાશંકર કુબેરજી (જ. 22 ઑગસ્ટ 1873, સારસા; અ. 2 ઑક્ટોબર 1943, મુંબઈ) : ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક અને રોજનીશીલેખક. સાહિત્ય અને સંસ્કારના વત્સલવાહક કરુણાશંકર ભટ્ટે પોતાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનાં પણ જીવન સંસ્કાર્યાં હતાં. 22 વર્ષની વયે પિતા કુબેરજીનું અવસાન. વિદ્યાપ્રેમી માતા દિવાળીબા અને મામા કેશવરામ દ્વારા કરુણાશંકરનું ઘડતર.…

વધુ વાંચો >

ભટ્ટ, કૃષ્ણલાલ

Jan 10, 2001

ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…

વધુ વાંચો >

ભટ્ટ, ગણપતરામ રાજારામ

Jan 10, 2001

ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના…

વધુ વાંચો >

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર

Jan 10, 2001

ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા…

વધુ વાંચો >

ભટ્ટ, ગિરીશ

Jan 10, 2001

ભટ્ટ, ગિરીશ (જ. 1931, કુન્ઢેલા) : ગુજરાતના શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1957માં ‘ડિપ્લોમા ઇન સ્કલ્પ્ટર’ સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસનાં છેલ્લાં 2 વર્ષ (1955થી 1957) દરમિયાન તેમને ભારત સરકારની કલ્ચરલ સ્કૉલરશિપ મળી. મુંબઈમાં 1965, ’67, ’72 અને ’74માં તેમણે વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. તેમને 1955માં નૅટ ઍવૉર્ડ…

વધુ વાંચો >

ભટ્ટ, ગુણવંતરાય

Jan 10, 2001

ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…

વધુ વાંચો >

ભટ્ટ, ગોકુળભાઈ

Jan 10, 2001

ભટ્ટ, ગોકુળભાઈ (જ. ફેબ્રુઆરી 1898, હાથલ, જિ. સિરોહી, રાજસ્થાન; અ. ) : સ્વાતંત્ર્યસેનાની, રાજસ્થાન લોકપરિષદના નેતા, સિરોહી રાજવાડાના મુખ્યમંત્રી. તેમના પિતા દોલતરામ વેપારી અને ખેડૂત હતા. પછી તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા. ગોકુળભાઈ 1920માં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટરમીડિયૅટમાં ભણતા હતા ત્યારે અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અભ્યાસ છોડી દીધો. તેઓ…

વધુ વાંચો >