૧૩.૦૨

બચ્ચન અમિતાભથી બદાયૂની શકીલ

બચ્ચન, અમિતાભ

બચ્ચન, અમિતાભ (જ. 11 ઑક્ટોબર 1942, અલાહાબાદ) : હિંદી સિનેમાનો લોકપ્રિય અભિનેતા. પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. માતાનું નામ તેજીજી. અમિતાભની કારકિર્દીની શરૂઆત રંગમંચથી થઈ. તેણે રેડિયો ઉપર પ્રવક્તા તરીકે પણ કામ કર્યું હતું. કલકત્તાની એક ખાનગી કંપનીમાં તે જોડાયો હતો. ખ્વાજા અહમદ અબ્બાસે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં અમિતાભને નાની ભૂમિકા આપી.…

વધુ વાંચો >

બચ્ચન, જયા

બચ્ચન, જયા (જ. 9 એપ્રિલ 1948) : હિન્દી ચલચિત્રોની ભભકભૂરકીથી બચતી રહેલી અભિનેત્રી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી બહુ થોડી અભિનેત્રીઓ જયાની જેમ ભભકભૂરકી કે નખરાંનો આશરો લીધા વિના સાહજિક અભિનયથી પ્રેક્ષકોને જીતી શકી છે. તે બંગાળી પત્રકારની પુત્રી હતી. સત્યજિત રાયના ‘મહાનગર’માં 1963માં પંદર વર્ષની વયે જયાએ નાનકડી…

વધુ વાંચો >

બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ

બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ (જ. 1907, પ્રયાગ) : પ્રસિદ્ધ હિંદી કવિ. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રયાગમાં તથા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં. કેમ્બ્રિજમાં તેમના સંશોધનનો વિષય હતો અંગ્રેજી કવિ યેટ્સ. એના પરનો એમનો ગ્રંથ ખૂબ વખણાયો. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા; ત્યારપછી થોડોક સમય આકાશવાણી સાથે રહ્યા. તે પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના…

વધુ વાંચો >

બજાજ, કમલનયન

બજાજ, કમલનયન (જ. 23 જાન્યુઆરી 1915, વર્ધા; અ. 1 મે 1972, અમદાવાદ) : ભારતના પ્રગતિશીલ ઉદ્યોગપતિ, દાનવીર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા જમનાલાલ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને પોતાને ‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે ઓળખાવતા હતા. ધનવાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં કમલનયન નાની વયે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહીને…

વધુ વાંચો >

બજાજ, જમનાલાલ

બજાજ, જમનાલાલ (જ. 4 નવેમ્બર 1889, કાસીનો વાસ, સિકર, જયપુર રાજ્ય; અ. 11 ફેબ્રુઆરી 1942, વર્ધા) :  પ્રખર ગાંધીવાદી ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્યસેનાની. જન્મ સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાં થયો હતો. પિતાનું નામ કાનીરામ અને માતાનું નામ બિરદીબાઈ. ચાર વર્ષની વયે પિતાના એક અપુત્ર સગા શેઠ વછરાજે તેમને દત્તક લીધા હતા. દત્તકવિધિના…

વધુ વાંચો >

બજાજ, જાનકીદેવી

બજાજ, જાનકીદેવી (જ. 1893, જાવરા, મધ્યપ્રદેશ; અ. 21 મે 1979, વર્ધા) : સ્વાતંત્ર્યસૈનિક, ભૂદાન કાર્યકર. તેમનાં લગ્ન આશરે નવ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. 1915માં તેઓ બંને ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. 1920થી જાનકીદેવી ગાંધીભક્ત બન્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પરદા-પ્રથા બંધ કરી, કીમતી રેશમી કપડાં તથા અલંકારોનો…

વધુ વાંચો >

બજાજ, રાહુલ

બજાજ, રાહુલ (જ. 10 જૂન 1938, કલકત્તા) : અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ. સ્વાતંત્ર્ય-સંગ્રામ અને દેશસેવા સાથે આજીવન સંકળાયેલા જમનાલાલ બજાજના પૌત્ર અને કમલનયનના પુત્ર. તેમની માતાનું નામ સાવિત્રીદેવી. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. અને એમ.બી.એ.(હાર્વર્ડ)ની ડિગ્રીઓ મેળવીને રાહુલ ઉદ્યોગક્ષેત્રે જોડાયા અને ટૂંકસમયમાં બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર થયા. બીજી અનેક કંપનીઓ…

વધુ વાંચો >

બજાણિયો

બજાણિયો : અંગકસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર ગુજરાતનો લોકકલાકાર. પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી. તેમાં નટ બજાણિયાની વિદ્યાને નવમી ગણવામાં આવી છે : ‘નટવિદ્યા નવમી કહું, ચડવું વૃક્ષ, ને વાંસ; લઘુ ગુરુ જાણવા, ગજ, ઊંટ ને અશ્વ.’ ગુજરાતના ગામડાગામમાં અઢારે વરણનું મનોરંજન કરનાર નટ બજાણિયા…

વધુ વાંચો >

બજાર

બજાર : સામાન્ય રીતે જ્યાં વસ્તુ અથવા વસ્તુઓનું વેચાણ અને ખરીદી થતી હોય તે સ્થળ. પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો અર્થ છે ખરીદનાર (ગ્રાહક) અને વેચાણ કરનાર(વિક્રેતા/ઉત્પાદક)ને વસ્તુ/સેવાના વિનિમય માટે એકબીજાના સંપર્કમાં લાવનાર તંત્ર અથવા વ્યવસ્થા. આ અર્થમાં બજારને કોઈ નિશ્ચિત સ્થાન હોવું જરૂરી નથી. વિનિમય માટે પરસ્પર સીધી અથવા પરોક્ષ રીતે…

વધુ વાંચો >

બજાર-ક્ષેત્રવિભાજન

બજાર-ક્ષેત્રવિભાજન (market-segmentation) : ઉત્પાદિત માલના વેચાણ તરફના ગ્રાહકોના પ્રતિભાવને લક્ષમાં રાખીને તેમનું સમાન લક્ષણોવાળાં જૂથોમાં કરવામાં આવતું વિભાજન. ‘બજાર’ શબ્દ ખરીદનાર અને વેચનાર વચ્ચેનાં પરસ્પર વિરુદ્ધ હિતોનો મેળ પાડીને સોદો થાય તે માટેની બધી પ્રક્રિયાઓ સૂચવે છે. આ પ્રક્રિયાઓમાં મોટા- ભાગે ઉત્પાદકો, વચેટિયાઓ અને ગ્રાહકો ભાગ લેતા હોય છે. ગ્રાહકો…

વધુ વાંચો >

બદલાના સોદા

Jan 2, 2000

બદલાના સોદા : શેરબજારમાં ઇક્વિટી શેરોનાં ખરીદવેચાણના વ્યવહારો. આ પ્રકારના સોદામાં  પતાવટના દિવસે ખરેખર ખરીદી કે વેચાણ કરવાના બદલે અનુગામી પતાવટના દિવસ સુધી આવાં ખરીદી-વેચાણ મુલતવી રખાય છે. મહદ્અંશે બદલાના સોદા સટોડિયાઓ કરે છે. વેચાણકિંમતથી ખરીદકિંમત ઓછી હોય તો કમાણી થાય. શેરબજારમાં સટોડિયો ભવિષ્યના ભાવનો અડસટ્ટો કરીને તે પ્રમાણે શેરના…

વધુ વાંચો >

બદામ

Jan 2, 2000

બદામ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus amygdalus Batsch. syn. P. communis Fritsch; Amygdalus communis Linn. (સં. वाताद, वाताम, वातांबुफल; હિં. બં., મ., ગુ., ફા., બદામ; અં. almond) છે. તેનું વૃક્ષ 8.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પુષ્પો…

વધુ વાંચો >

બદામાકાર સંરચના

Jan 2, 2000

બદામાકાર સંરચના (amygdaloidal structure) : જ્વાળામુખી ખડકોમાં રહેલાં કોટરોમાં પૂરણી થવાથી ઉદભવતી એક સંરચના. મુખ્યત્વે જ્વાળામુખી ખડકોમાં (ક્યારેક અન્ય ખડકોમાં) જોવા મળતાં મુક્ત-વાયુજન્ય કોટરો કે બખોલો જ્યારે અન્ય પરિણામી ખનિજદ્રવ્યથી પૂરણી પામેલાં મળી આવે, ત્યારે તૈયાર થતા ખડક-દેખાવને બદામાકાર સંરચના કહેવાય છે. પૂરણી પામેલાં ખનિજો બદામના આકારને મળતાં આવતાં હોવાથી…

વધુ વાંચો >

બદામી ગેરુ

Jan 2, 2000

બદામી ગેરુ : ઘઉંના પાકને નુકસાન કરનાર ત્રણ પ્રકારનો ગેરુનો રોગ. આ ગેરુ કાળો અથવા દાંડીનો ગેરુ, બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ અને પીળો ગેરુ હોય છે. ઉપરના ત્રણ ગેરુ પૈકી પીળો ગેરુ ગુજરાતમાં જોવા મળતો નથી, જ્યારે કાળો અને બદામી ગેરુ દર વર્ષે જોવા મળે છે. તે વધતાઓછા…

વધુ વાંચો >

બદાયૂની, અબ્દુલ કાદિર

Jan 2, 2000

બદાયૂની, અબ્દુલ કાદિર (જ. 2 ઑગસ્ટ 1540, તોદહ (જયપુર); અ. 1596) : મુઘલ સમ્રાટ અકબરના સમયના પ્રખ્યાત ઇતિહાસકાર.  આખું નામ અબ્દુલ કાદિર કાદરી બિન મલૂકશાહ. પણ તે મુલ્લા બદાયૂનીથી વધુ જાણીતા છે, તેઓ રબીઉલ અવ્વલ ઈ. સ. 1530(હિ. સ. 947)માં જન્મ્યા હતા. તેઓ 12 વર્ષની નાની ઉંમરે સંભલ આવ્યા. અહીં…

વધુ વાંચો >

બદાયૂની, ‘ફાની’

Jan 2, 2000

બદાયૂની, ‘ફાની’ (જ. 13 સપ્ટેમ્બર 1879, બદાયૂન, ઉત્તરપ્રદેશ; અ. 1941, હૈદરાબાદ) : ઉર્દૂ સાહિત્યના મોટા ગજાના શાયર. જાતે પઠાણ. નામ શૌકતઅલીખાન. ‘ફાની’ તેમનું તખલ્લુસ છે. કાબુલથી તેમના બાપદાદા શાહઆલમના સમયમાં હિન્દુસ્તાન આવી વસ્યા હતા. ફાનીની નોંધ મુજબ તેમના ખાનદાનના બુઝુર્ગ અસાબતખાન દિલ્હી આવ્યા અને શાહી દરબારમાં બહુમાન પામ્યા. ફાનીના પરદાદા…

વધુ વાંચો >

બદાયૂની, શકીલ

Jan 2, 2000

બદાયૂની, શકીલ (જ. 3 ઑગસ્ટ 1916, બદાયૂં, ઉત્તર પ્રદેશ; અ. 20 એપ્રિલ 1970) : હિંદી ચલચિત્રો દ્વારા બેહદ લોકપ્રિય બનેલા ઉર્દૂ શાયર. ‘શકીલ’ તખલ્લુસ. પૂરું નામ શકીલ અહેમદ. પિતાનું નામ જમીલ અહેમદ અને અટક કાદિરી. શકીલના ધાર્મિક પ્રકૃતિના પિતા મસ્જિદમાં ખતીબ અને ઇમામ હતા. જીવનની તડકીછાંયડી અનુભવતાં શકીલને દિલ્હી, લખનૌ,…

વધુ વાંચો >