૧૨.૧૫

પ્રાચીન ચુંબકત્વ અને પ્રાચીન ચુંબકીય સમયાંકનથી પ્રાદેશિક ખડકો

પ્રાચીન ચુંબકત્વ અને પ્રાચીન ચુંબકીય સમયાંકન

પ્રાચીન ચુંબકત્વ અને પ્રાચીન ચુંબકીય સમયાંકન : પૃથ્વી સ્વયં એક વિરાટ લોહચુંબક છે અને ચુંબક તરીકે વર્તે છે, પરંતુ તેના ચુંબકત્વની દિશા અને તીવ્રતા કાળક્રમે બદલાતાં રહે છે. પૃથ્વીના ચુંબકીય ધ્રુવત્વમાં થતા આ પ્રકારના ફેરફારોનું વૈશ્વિક કાળચક્ર જાણીતું હોવાથી જળકૃત નિક્ષેપોના સમયાંકન માટે તેનો ઉપયોગ કરી શકાય છે. નિક્ષેપકણો પણ…

વધુ વાંચો >

પ્રાચીનપ્રવાહો (Palaeocurrents)

પ્રાચીનપ્રવાહો (Palaeocurrents) : ભૂસ્તરીય ઇતિહાસના જુદા જુદા કાળગાળા દરમિયાન રચાયેલા નિક્ષેપોની જમાવટ વખતે અસ્તિત્વ ધરાવતા જલપ્રવાહો. પ્રવાહપ્રસ્તર, તરંગચિહ્નો જેવી જળકૃત સંરચનાઓમાં ખનિજકણોની ગોઠવણી વિશિષ્ટ પ્રકારની હોય છે. કણ-ગોઠવણીના નિર્ધારણ પરથી તે સંરચના ઉદભવતી વખતે જલપ્રવાહોની ગતિ અને દિશાકીય સ્થિતિ કયા પ્રકારની હતી તેની જાણ મેળવી શકાય. જે તે સ્થળની સંરચનાઓનાં…

વધુ વાંચો >

પ્રાચીન ભૂચુંબકત્વ (Paleomagnetism)

પ્રાચીન ભૂચુંબકત્વ (Paleomagnetism) : પૃથ્વીના પ્રાચીન ચુંબકીય ક્ષેત્રના ઇતિહાસનો અભ્યાસ. સમગ્ર ભૂસ્તરીય કાળ દરમિયાન અમુક અમુક ગાળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા અને તીવ્રતામાં ફેરફારો થયેલા છે અને તેને કારણે ચુંબકીય ધ્રુવોની સ્થિતિ બદલાતી રહી છે. જુદા જુદા ભૂસ્તરીય કાળગાળાઓ દરમિયાન થયેલા આ પ્રકારના ફેરફારોનાં અન્વેષણો પ્રાચીન ભૂચુંબકત્વની ક્ષેત્રમર્યાદામાં આવે છે.…

વધુ વાંચો >

પ્રાચીન ભૂસ્તરશાસ્ત્ર (Paleogeology)

પ્રાચીન ભૂસ્તરશાસ્ત્ર (Paleogeology) : અતીત(ભૂતકાળ)નું ભૂસ્તરશાસ્ત્ર. વિષયશાખાના સંદર્ભમાં જોતાં, તે વિશેષે કરીને તો અસંગતિ સાથે સંપર્કમાં રહેલા જૂના-નવા વયની ખડકશ્રેણીઓના તેમજ નિક્ષેપવિરામના કાળગાળાના અર્થઘટન માટે ઉપયોગમાં લેવાય છે, અર્થાત્ જૂના વયના ઘસાયેલા ખડકોની સમતળ કે ખરબચડી સપાટી પર નવા વયના સ્તરોની નિક્ષેપક્રિયા થઈ હોવાનો ખ્યાલ આપે છે. આ પ્રકારના સંજોગોનો…

વધુ વાંચો >

પ્રાચીન ભૌગોલિક સ્થિતિ (paleogeography)

પ્રાચીન ભૌગોલિક સ્થિતિ (paleogeography) : ભૂસ્તરીય અતીતના અમુક ચોક્કસ કાળ દરમિયાનની કોઈ વિસ્તારની પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિ કે પર્યાવરણના સંજોગોને લગતો અભ્યાસ. તેમાં તે વિસ્તારનાં ભૂમિ-જળ-આબોહવાના સંજોગોની ભૌગોલિક સંદર્ભમાં મુલવણી કરવામાં આવે છે. ખંડો-સમુદ્રોનું વિતરણ, તેમની ઊંચાઈ-ઊંડાઈ, જીવન અને તેમનાં સ્વરૂપો વગેરે કેવાં હતાં તેનું ચોકસાઈપૂર્વક અનુમાન કરવામાં આવે છે. અનુમાન-આધારિત…

વધુ વાંચો >

પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)]

પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)] : ભારતીય પ્રાચીન સાહિત્યનાં દુર્લભ પુસ્તકો તથા હસ્તપ્રતોનો સંગ્રહ, તેમનું સંરક્ષણ અને પ્રકાશન કરતી સંસ્થા. એવાં પુસ્તકોનો વિદ્વાનો અને સામાન્ય પ્રજા સુધી પ્રચાર-પ્રસાર કરવો એ આ સંસ્થાનો પ્રમુખ ઉદ્દેશ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (1863–1939) પોતાની પ્રજા અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા…

વધુ વાંચો >

પ્રાણ

પ્રાણ (જ. 12 ફેબ્રુઆરી 1920, દિલ્હી; અ. 12 જુલાઈ 2013) : હિંદી ફિલ્મના અભિનેતા. પૂરું નામ પ્રાણકિશન સિકંદ. અભિનયકલા પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતા પ્રાણની અભિનય-કારકિર્દી છ દાયકા જેટલી સુદીર્ઘ છે. લાહોરમાં છબિકાર તરીકે નોકરીનો આરંભ કરનાર પ્રાણનો સંપર્ક ભાગ્યવશાત્ સંવાદલેખક વલીસાહેબ સાથે થયો, જેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું;…

વધુ વાંચો >

પ્રાણ, કિશોર

પ્રાણ, કિશોર (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી રંગમંચના જાણીતા કલાકાર અને નવલકથાકાર. તેમની ખૂબ જાણીતી નવલકથા ‘શીન તે વતપોદ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 30થી વધુ વર્ષો સુધી આકાશવાણીમાં કામગીરી સંભાળેલી. કાશ્મીરી, ઉર્દૂ અને હિંદી ભાષામાં સંખ્યાબંધ નાટકો…

વધુ વાંચો >

પ્રાણદા ગુટી

પ્રાણદા ગુટી : બધી જાતના હરસની આયુર્વેદિક ઔષધિ. સૂંઠ 120 ગ્રામ, મરી 40 ગ્રામ, પીપર 60 ગ્રામ, ચવક 40 ગ્રામ, તાલીસપત્ર 40 ગ્રામ, નાગકેસર 20 ગ્રામ, પીપરીમૂળ 80 ગ્રામ, તમાલપત્ર 6 ગ્રામ, નાની ઇલાયચી 10 ગ્રામ, તજ 6 ગ્રામ, સુગંધી વાળો 6 ગ્રામ લેવામાં આવે છે. (નોંધ : હરસમાં જો…

વધુ વાંચો >

પ્રાણનાથ (મહામતિ) (1618–1694)

પ્રાણનાથ (મહામતિ) (1618–1694) : શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના મહત્વના આચાર્ય. શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ કે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના સત્તરમી સદીના પૂર્વાર્ધમાં જામનગરમાં નિજાનંદાચાર્ય દેવચંદ્રજીએ કરેલી. તેને વ્યાપક ફલક પર મૂકવાનું કાર્ય તેમના અગ્રણી શિષ્ય મહામતિ સ્વામી પ્રાણનાથે કર્યું. ઔરંગઝેબના અન્યાયી શાસનના કપરા કાળમાં એમણે સર્વધર્મઐક્યનો નવો મંત્ર આપી, ધર્મો પર છવાયેલી ધૂળને…

વધુ વાંચો >

પ્રાણવાયુ

Feb 15, 1999

પ્રાણવાયુ : જુઓ ઑક્સિજન

વધુ વાંચો >

પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન)

Feb 15, 1999

પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન) : ઑક્સિજન તત્ત્વના 2 પરમાણુથી બનતો વાયુરૂપ પદાર્થ. તેની શાસ્ત્રીય સંજ્ઞા O2 છે. તેમાંના ઑક્સિજન નામના તત્વની સંજ્ઞા ‘O’ છે, તેનો પરમાણુક્રમાંક 8 છે અને તેનો પરમાણુભાર 15.999 છે. તે પૃથ્વીની સપાટી પર અને તેની આસપાસનું સૌથી વધુ વ્યાપક તત્વ છે. તે અન્ય તત્વો સાથે ઝડપથી સંયોજાઈને ‘ઑક્સાઇડ’…

વધુ વાંચો >

પ્રાણવાયુ-અલ્પતા

Feb 15, 1999

પ્રાણવાયુ-અલ્પતા : જુઓ પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન)

વધુ વાંચો >

પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન)

Feb 15, 1999

પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન) : જૈવિક પ્રયોગો (biological experimentation) માટે કામમાં આવતાં પ્રાણીઓનાં પાલનપોષણ માટે ખાસ બંધાયેલાં પ્રાણીગૃહો. દવાઓ (drugs), ઝેરી દ્રવ્યો, પીડક-નાશકો (pesticides), પ્રાણીઓનાં વિવિધ અંગો પર સારી-માઠી અસર કરતાં રસાયણો, સૌંદર્ય-પ્રસાધનો (cosmetics) તેમજ અન્ય જૈવી અણુઓ (bio-molecules) જેવાના પરીક્ષણાર્થે વિવિધ પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. આયુર્વૈજ્ઞાનિક કાર્યવિધિ (medical…

વધુ વાંચો >

પ્રાણીચર્મપૂરણ (taxidermy)

Feb 15, 1999

પ્રાણીચર્મપૂરણ (taxidermy) : મૃત પ્રાણીની ખાલ ઉતારી, તેમાં વિવિધ પદાર્થો ભરીને, પ્રદર્શન હેતુ માટે તેને જીવંત અને સક્રિય લાગે તેવી રીતે તૈયાર કરવાની કલા. પ્રાણી-ઉદ્યાનોમાં જીવંત પ્રાણીઓને તેમના પ્રાકૃતિક પર્યાવરણમાં રાખવામાં આવે છે. પ્રાકૃતિક સંગ્રહાલયોમાં મૃત પ્રાણીઓને ચર્મપૂરણકલા દ્વારા તૈયાર કરીને પ્રાકૃતિક પરિવેશમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચર્મપૂરણકલા કેટલીક વિશેષ…

વધુ વાંચો >

પ્રાણીજન્ય ઔષધો

Feb 15, 1999

પ્રાણીજન્ય ઔષધો પ્રાણીઓનાં વિવિધ અંગો કે અવયવોમાંથી મેળવાતાં ઔષધો. મોટાભાગની (~90%) ઔષધિઓ વનસ્પતિમાંથી, 5%થી 7% પ્રાણીઓમાંથી અને બાકીની ખનિજ પદાર્થોમાંથી મેળવાય છે. પ્રાણીઓમાંથી મુખ્યત્વે ઇન્સ્યુલિન, ઑક્સિટૉક્સિન જેવા અંત:સ્રાવો (hormones) મળે છે. પ્રાણીઓના વિભિન્ન અવયવોમાંથી પેપ્સિન, પૅન્ક્રિયાટીન, રેનિન, ટ્રિપ્સીન જેવા ઉત્સેચકો (enzymes) મેળવી શકાય છે. તે ઉપરાંત કૉડલિવર ઑઇલ, મધ, કસ્તૂરી…

વધુ વાંચો >

પ્રાણીજ રેસાઓ

Feb 15, 1999

પ્રાણીજ રેસાઓ : પ્રોટીનના વિકરણ(denatured)થી પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત તંતુમય પદાર્થો, જેમાં કેટલાંક સંધિપાદોએ બનાવેલા વાળ જેવા રેસાઓ, રેશમ-ફૂદાંના કોશેટાને ફરતે વીંટાયેલા ચળકતા સૂક્ષ્મ તાંતણા, કરોળિયાનાં જાળાં, પક્ષીઓનાં કોમલ પીંછાં (plumules) અને સસ્તનોના વાળનો સમાવેશ થાય છે. આ બધા રેસાઓ નિર્જીવ ઘટકો છે. રેશમ-ફૂદાંએ નિર્માણ કરેલા રેશમના નામે ઓળખાતા તંતુઓ માનવ…

વધુ વાંચો >

પ્રાણીપૂજા

Feb 15, 1999

પ્રાણીપૂજા : માનવ-સંસ્કૃતિના વિકાસમાં અગ્નિ, ખેતી, ચક્ર અને શઢવાળી નાવ – એ ચાર મહત્વની શોધ ગણાય છે. આ ચાર શોધોને કારણે માનવજીવનમાં ક્રાંતિકારી આર્થિક પરિવર્તન આવ્યું. ખેતીની શોધના કારણે ખોરાકની શોધમાં આદિ માનવ જે ભટકતું જીવન ગુજારતો હતો તે સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. ખેતીને કારણે તે પશુઓને પાળવા લાગ્યો. ખોરાક…

વધુ વાંચો >

પ્રાણીભૂગોળ

Feb 15, 1999

પ્રાણીભૂગોળ : પ્રાણીસૃષ્ટિના ભૌગોલિક વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ. જૈવભૂગોળના બે મુખ્ય વિભાગો પૈકીનો એક વિભાગ. રણો, પર્વતો અને મહાસાગરો જેવા કુદરતી અવરોધોથી અલગ પડતા અનેક પ્રાણીભૌગોલિક વિસ્તારો પ્રાણીઓના મુખ્ય જાતિસમૂહોના વિતરણની સમજ સ્પષ્ટ કરવામાં ઉપયોગી બની રહે છે. દુનિયાભરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓનું વિતરણ આ વિષય સાથે સંકળાયેલું છે. આ સંદર્ભમાં…

વધુ વાંચો >

પ્રાણીશાસ્ત્ર

Feb 15, 1999

પ્રાણીશાસ્ત્ર : પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું પ્રાકૃતિક (natural) વિજ્ઞાન. વનસ્પતિ અને પ્રાણી – આમ બે સૃષ્ટિમાં સજીવો વહેંચાયેલા છે. એ બંનેનો અભ્યાસ એટલે સજીવવિજ્ઞાન (biology). માનવ-પ્રાણીનાં ઘણાં લક્ષણો અન્ય પ્રાણીઓ સાથે મળતાં આવે છે; તેથી અન્ય પ્રાણીઓના અભ્યાસ પરથી પણ માનવ-સ્વાસ્થ્ય માટે અગત્યની ઘણી માહિતી મેળવી શકાય છે. વનસ્પતિસૃષ્ટિનાં…

વધુ વાંચો >