૧૨.૧૪

પ્રાકૃતિક પસંદગીથી પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ

પ્રાકૃતિક પસંદગી (natural selection)

પ્રાકૃતિક પસંદગી (natural selection) : ચાર્લ્સ ડાર્વિન દ્વારા સૌપ્રથમ વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી પ્રતિપાદિત સજીવોની ઉત્ક્રાંતિના પ્રક્રમને સમજાવતો સિદ્ધાંત. ડાર્વિન (1809–1882) શરૂઆતથી પૃથ્વી પર વસતાં સજીવો, વીતી ગયેલાં કરોડો વર્ષો દરમિયાન સજૈવ ઉત્ક્રાંતિને અધીન વિકાસ પામ્યાં છે તેવી માન્યતા ધરાવતા હતા. 1831થી 1836 દરમ્યાન એચ. એમ. એસ. બીગલ દ્વારા આયોજિત બ્રિટિશ વૈજ્ઞાનિકોના…

વધુ વાંચો >

પ્રાકૃતિક પેદાશો (natural products)

પ્રાકૃતિક પેદાશો (natural products) : કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનો. પુરાણા કાળમાં પણ રંગકામ માટેના રંગકો, અત્તરો તથા ઔષધો (folk medicines) તરીકે પ્રાકૃતિક પદાર્થો વપરાતા હતા. ઔષધો તરીકે વપરાતા બધા જ પદાર્થો કાર્બનિક સંયોજનો હોય છે, જે તેમનાં કુદરતી પ્રાપ્તિસ્થાનો–વનસ્પતિમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવાતાં. પુનરુત્થાન (renaissance) ગાળા દરમિયાન 60થી વધુ અત્તરો…

વધુ વાંચો >

પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology)

પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology) : ભૂસ્તરશાસ્ત્રની એક વિષયશાખા. તેમાં ભૂપૃષ્ઠરચનાશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. પૃથ્વીનું બંધારણ, તેના વિભાગો, તેના ગુણધર્મો, જુદાં જુદાં પરિબળો દ્વારા પૃથ્વીને અસર કરતી પ્રક્રિયાઓ, ખડકો, ખનિજો અને નિક્ષેપોમાં થતા ફેરફારો, જુદી જુદી સંરચનાઓ, ખડકરચનાઓ, તેમની ઉત્પત્તિ જેવી બાબતોની વિગતવાર માહિતી આ વિજ્ઞાનશાખા દ્વારા મળી શકે…

વધુ વાંચો >

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)

પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ…

વધુ વાંચો >

પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો

પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો : કુદરતમાંથી મેળવવામાં આવતાં ક્રિયાશીલ સત્વો તથા તેમાંથી રાસાયણિક સંશ્લેષણ દ્વારા મેળવાતાં ઔષધો. પ્રાકૃતિક વનસ્પતિવૃક્ષો, છોડનાં મૂળ, પર્ણો અને અન્ય ભાગોમાં રહેલાં ક્રિયાશીલ તત્વો કે સત્વોને સામાન્ય રીતે અર્ક રૂપે મેળવવામાં આવે છે. આવા અર્ક કાં તો સીધા ઔષધ તરીકે વપરાય છે અથવા તેમને માવજત…

વધુ વાંચો >

પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ

પ્રાકૃતિક સંયોજનોનું રસાયણ અને તેમના ઔષધીય ઉપયોગ વનસ્પતિનાં મૂળ, પર્ણ વગેરેમાં કુદરતી રીતે મળી આવતાં સંયોજનોનું રાસાયણિક અન્વેષણ અને તેમની ઔષધીય ઉપયોગિતા. પ્રાચીન ભારતમાં વનસ્પતિના ઔષધીય ઉપયોગો પર આધારિત એક શ્રેષ્ઠ ચિકિત્સાપદ્ધતિ વિકસાવાઈ હતી, જે આયુર્વેદ તરીકે ઓળખાય છે. ચાર હજાર વર્ષ પુરાણી આ પદ્ધતિ વિશ્વવિખ્યાત છે. ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટ…

વધુ વાંચો >

પ્રાગ

પ્રાગ : મધ્ય યુરોપના ચેક પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌ. સ્થાન : 50° 05´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે. આ શહેર એલ્બે (હવે લેબે) નદીની ઉપનદી વલટાવા(vltava)ના બંને કાંઠા પર 290.7 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. પ્રાગ યુરોપની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર અને વિદ્યાધામ…

વધુ વાંચો >

પ્રાગનો કિલ્લો

પ્રાગનો કિલ્લો : ચેક રાષ્ટ્રનાં ઐતિહાસિક સ્મૃતિચિહ્નો પૈકી મહત્વનો ગણાતો કિલ્લો. તે એની ભવ્યતા માટે પ્રસિદ્ધ છે; એટલું જ નહિ, તે રાષ્ટ્રની ઓળખનું પ્રતીક બની રહેલો છે. તે સમયભેદે દેશનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર, પ્રાગના ધર્મગુરુના મઠનું સ્થળ, રાજવીઓ તથા પ્રમુખોના કાર્યાલયનું સ્થળ છે. પ્રાગમાં આજ સુધીમાં અવારનવાર ઘટેલી મુખ્ય…

વધુ વાંચો >

પ્રાગૈતિહાસિક કળા

પ્રાગૈતિહાસિક કળા : આપણી જાણકારીમાં હોય એવી સૌથી જૂની કળા. તે માનવજાતના ઉદગમના સમય જેટલી એટલે કે હજારો વરસ જૂની છે એ વાત હવે વૈજ્ઞાનિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. કલાસર્જન માનવજાતની સૌથી પ્રાચીન પ્રવૃત્તિઓમાંની એક હોવાના પુરાવા મળે છે. ચિત્ર અને શિલ્પની કળા વણાટકામ અને માટીનાં વાસણ બનાવવાની…

વધુ વાંચો >

પ્રાગ્-ઇતિહાસ

પ્રાગ્-ઇતિહાસ : પૃથ્વીના ગ્રહ ઉપર મનુષ્યનો ઉદભવ એ જીવસૃષ્ટિની એક રોમાંચક ઘટના છે. માણસ એ વિશે કુતૂહલ સેવતો આવ્યો છે અને વૈજ્ઞાનિક સંશોધનો પહેલાં એણે આ વિષયમાં અનેક અટકળો કરી છે. દંતકથાઓ ને ધર્મકથાઓમાં મનુષ્યજાતિની ઉત્પત્તિ વિશે રસપ્રદ કલ્પનાઓ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ઇતિહાસ વિષયક બુદ્ધિના ઉદય અને વિકાસ…

વધુ વાંચો >

પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો

Feb 14, 1999

પ્રાગ્-ઐતિહાસિક પાત્રો પરનાં ચિત્રો : પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષોમાં પ્રાપ્ત પાત્રો પર દોરાયેલાં ચિત્રો. ઈ. પૂ. આશરે 2000 વર્ષ પૂર્વે નાશ પામેલી વસાહતો હડપ્પા તેમજ લોથલના ટીંબાના ખોદકામમાંથી મળેલાં માટીનાં વાસણો તેમજ પુષ્કળ ઠીકરાં ઉપર જે ચિત્ર-આલેખો થયા છે તેનો અંકોડો થોડાઘણા ફેરફારો સાથે ગુફાકાલીન ભીંતચિત્રોની પરિપાટીમાંથી ઊતરી આવ્યાનું શક્ય લાગે…

વધુ વાંચો >

પ્રાગ્ગર્ભ નિરોપણ

Feb 14, 1999

પ્રાગ્ગર્ભ નિરોપણ : જુઓ ટેસ્ટ-ટ્યૂબ-બેબી(કૃત્રિમ ગર્ભધારણ)

વધુ વાંચો >

પ્રાગ્જીવયુગ (Proterozoic era)

Feb 14, 1999

પ્રાગ્જીવયુગ (Proterozoic era) : પ્રી-કૅમ્બ્રિયન મહાયુગના ઉત્તરાર્ધ ભાગનો સમાવેશ કરતો કાળગાળો. વર્ષોના સંદર્ભમાં જોતાં આ કાળગાળાને ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં આજથી આશરે 200 ± કરોડ વર્ષથી શરૂ કરીને 60 ± (અથવા 57) કરોડ વર્ષ અગાઉ સુધીમાં મૂકી શકાય. કેટલાક તેને આલ્ગોંકિયનને સમકક્ષ પણ ગણે છે. આધુનિક વિચારધારા ધરાવતા સ્તરવિદો આ વિભાગ માટે ‘પ્રાગ્જીવયુગ’…

વધુ વાંચો >

પ્રાગજ્યોતિષપુર

Feb 14, 1999

પ્રાગજ્યોતિષપુર : પૌરાણિક/પ્રાચીન કાળના કામરૂપ (આસામ) રાજ્યનું પાટનગર. જ્યોતિષશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનના કેન્દ્ર તરીકે તે વિકાસ પામેલું હોવાથી તેને આ નામ મળ્યું હોય એવી માન્યતા પ્રવર્તે છે. જ્યોતિષશાસ્ત્રના અઠંગ વિદ્વાનો ગણાતા શાકદ્વીપી બ્રાહ્મણોએ કાયમી વસવાટ માટે ભારતના ઈશાન પ્રદેશના જે નગરની પસંદગી કરી હતી તે નગરને તે કારણસર પ્રાગજ્યોતિષપુર નામ અપાયું હોય…

વધુ વાંચો >

પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology)

Feb 14, 1999

પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology) : ભૂસ્તરીય અતીતમાં જુદા જુદા કાળગાળાઓ દરમિયાન પૃથ્વીના પટ પર પ્રવર્તેલી આબોહવાનો અભ્યાસ. જે રીતે આજે પ્રવર્તતા હવામાન અને આબોહવાનો ખ્યાલ આપણે તાપમાપકો, ભેજમાપકો, વર્ષામાપકો અને વાયુભારમાપકો જેવાં સાધનો દ્વારા તેમજ ઉપગ્રહ આધારિત વાદળોની તસવીરો, નકશાઓ, આંકડાઓ અને કમ્પ્યૂટર દ્વારા મેળવી શકીએ છીએ તે રીતે ભૂસ્તરીય અતીતની…

વધુ વાંચો >

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893)

Feb 14, 1999

પ્રાચીન કાવ્ય ત્રિમાસિક (આશરે 1885–1893) : પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી કવિતાના પ્રકાશનના હેતુથી સ્થપાયેલું અને નવ વર્ષ ચાલેલું ત્રૈમાસિક. તેના સંપાદક-સંશોધક તરીકેની જવાબદારી હરગોવિંદદાસ કાંટાવાળા તથા નાથાશંકર શાસ્ત્રીએ ઉઠાવી હતી. આ ત્રૈમાસિકમાં પ્રગટ થયેલી કાવ્યોની સૂચિ અંકવાર નીચે પ્રમાણે છે : વર્ષ 1 : 1885 : (1) હારમાળા : લે. પ્રેમાનંદ; (2)…

વધુ વાંચો >

પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ)

Feb 14, 1999

પ્રાચીન કાવ્યમાળા (ઓગણીસમી સદીનું અંતિમ ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓને સંશોધિત-સંપાદિત કરી ક્રમિક મણકાઓ રૂપે પ્રકાશિત કરતી 1889થી 1895ના અરસામાં વડોદરાના તત્કાલીન રાજ્યની આર્થિક સહાયથી ચાલેલી કાવ્યગ્રંથશ્રેણી. ગ્રંથ–ક્રમાંક પ્રકાશિત કૃતિનું / કૃતિઓનાં નામ કર્તાનું/કર્તાઓનાં નામ પ્રકાશનવર્ષ  1 દ્રૌપદીહરણ પ્રેમાનંદ 1890  2 રસિકવલ્લભાદિ દયારામ 1890  3 રાજસૂયયજ્ઞ ગિરધર 1890  4…

વધુ વાંચો >

પ્રાચીન કાવ્યસુધા

Feb 14, 1999

પ્રાચીન કાવ્યસુધા : મધ્યકાલીન (પ્રાચીન) ગુજરાતી કવિતામાંથી પસંદ કરેલી કૃતિઓનો પાંચ ભાગમાં તૈયાર કરેલો સંચય. છગનલાલ વિદ્યારામ રાવળ (1859–1917) – તેઓ પ્રાચીન–મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક અને સંપાદક–સંગ્રાહક હતા. તેમનું મૂળ વતન લુણાવાડા હતું. વ્યવસાયે તેઓ પ્રાથમિક શિક્ષક હતા. કૌટુંબિક–આર્થિક વગેરે અનેક મર્યાદાઓ વચ્ચે તેમણે ખંત અને નિષ્ઠાથી જૂના સાહિત્ય–સંશોધન–પ્રકાશનનું દુર્ઘટ…

વધુ વાંચો >

પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (1930)

Feb 14, 1999

પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (1930) : અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થયેલ મુનિશ્રી જિનવિજયજી દ્વારા સંપાદિત મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક ગદ્યરચનાઓનો સંગ્રહ. અત્યાર સુધી બધી જ મધ્યકાલીન ગદ્યકૃતિઓનો આવો અન્ય ગ્રંથ આ પછી પ્રસિદ્ધ થયો નથી. 1920માં ગાયકવાડ ઑરિયેન્ટલ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે 14 પદ્યરચનાઓ અને ‘પૃથ્વીચંદ્રચરિત’ સહિત નાનીમોટી ગદ્યરચનાઓના…

વધુ વાંચો >

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920)

Feb 14, 1999

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920) : ઉત્તર ગૌર્જર અપભ્રંશનાં ગદ્યપદ્યનો સંગ્રહ. માત્ર પ્રથમ ભાગ જ પ્રસિદ્ધ થયો છે. ગાયકવાડ ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે એની સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત વિભાગના ગ્રંથપાલ સી. ડી. દલાલે ઉત્તર ગૌર્જર અપભ્રંશની પ્રથમ ખંડમાં 14 પદ્યરચનાઓ, બીજા ખંડમાં 7 ગદ્યરચનાઓ અને પરિશિષ્ટમાં 10 રચનાઓ આપીને ‘પ્રાચીન…

વધુ વાંચો >