૧૨.૦૬

પ્રતાપ, મહારાણાથી પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર)

પ્રતાપ, મહારાણા

પ્રતાપ, મહારાણા (જ. 1540; અ. 1597) : મેવાડના મહાન દેશભક્ત, શક્તિશાળી અને શૂરવીર રાજવી. સમગ્ર ભારતના શ્રેષ્ઠ રાજપૂત રાજવીઓમાં એમની ગણતરી થાય છે. તેઓ એમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે પ્રસિદ્ધ છે. મેવાડના સિસોદિયા વંશના રાણાઓએ મુઘલ સમ્રાટોને નહિ નમવાની અને એમને પોતાના કુળની પુત્રીઓ નહિ પરણાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેનું…

વધુ વાંચો >

પ્રતાપલંકેશ્વર રસ

પ્રતાપલંકેશ્વર રસ : પ્રસૂતા સ્ત્રીનાં દર્દોનું એક ઉત્તમ રસ-ઔષધ. સંયોજન તથા વિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ 10–10 ગ્રામ, મરી 30 ગ્રામ, અભ્રકભસ્મ 10 ગ્રામ, લોહભસ્મ 40 ગ્રામ, શંખભસ્મ 80 ગ્રામ અને જંગલી અડાયાં છાણાંની વસ્ત્રગાળ રાખ (ભસ્મ) 160 ગ્રામ લઈ, તેનું ચૂર્ણ કરી, પથ્થરની ખરલમાં બધું વિધિપૂર્વક…

વધુ વાંચો >

પ્રતાપસિંહ–2

પ્રતાપસિંહ–2 : શિવાજીના વંશજો ‘છત્રપતિ’નું બિરુદ ધારણ કરી સતારામાં રાજ્ય કરતા હતા. ઈ. સ. 1749માં શાહુ-1ના મૃત્યુ પછી તેમની સત્તા માત્ર નામની જ રહી જ્યારે તેમનો મુખ્ય પ્રધાન ‘પેશવા’ સર્વોપરી બન્યો. 1808માં શાહુ-2ના અવસાન પછી પ્રતાપસિંહ ‘છત્રપતિ’ બન્યા, 1818માં અંગ્રેજો અને પેશવા બાજીરાવ-2 વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંનેએ ‘છત્રપતિ’ના…

વધુ વાંચો >

પ્રતિઉપાપચયક (antimetabolite)

પ્રતિઉપાપચયક (antimetabolite) : ઉપાપચયક(metabolites)ના પ્રતિસ્પર્ધી તરીકે ચયાપચયી પ્રક્રિયામાં ભાગ લઈ જૈવી અણુઓ(biomolecules)ના સંશ્લેષણમાં અવરોધ ઉત્પન્ન કરતા રાસાયણિક પદાર્થો. બંધારણની ર્દષ્ટિએ આવી પ્રતિઉપાપચયી જાતો ઉપાપચયક સાથે ઘણું સામ્ય ધરાવે છે. પ્રાણીઓ તેમજ કેટલાક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે ફૉલિક ઍસિડ અગત્યનો છે; કારણ કે તે શરીરમાં આવેલો એક અગત્યનો સહઉત્સેચક છે. માનવશરીરમાં…

વધુ વાંચો >

પ્રતિઑક્સીકારક (antioxidant)

પ્રતિઑક્સીકારક (antioxidant) : આણ્વિક ઑક્સિજન દ્વારા થતા પદાર્થોના ઉપચયનને –સ્વયંઉપચયન(autooxidation)ને – અટકાવવા માટે વપરાતો પદાર્થ, નિરોધક (inhibitor). આવા પદાર્થો રબર, પ્લાસ્ટિક, કુદરતી તેલ અને ચરબી, ખાદ્ય પદાર્થો, ગૅસોલીન વગેરેમાં ઉમેરવામાં આવે છે. તેમના ઉપયોગથી પદાર્થમાં આવતી વિકૃતિ (deterioration), ખોરાશ (rancidity) તથા રાળ કે ગુંદરસમ પદાર્થો ઉત્પન્ન થતા અટકાવી શકાતા હોવાથી…

વધુ વાંચો >

પ્રતિકણ (antiparticle)

પ્રતિકણ (antiparticle) : વિરુદ્ધ વિદ્યુતભાર સિવાય, બધી જ રીતે સામાન્ય મૂળભૂત કણને મળતો આવતો કણ. ફોટૉન (પ્રકાશ અથવા વિદ્યુત-ચુંબકીય વિકિરણનો ઊર્જા-કણ) અને πo – મેસૉન (ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતા હલકો વિદ્યુતભાર વિનાનો કણ) સિવાય પ્રત્યેક મૂળભૂત કણને પ્રતિકણ હોય છે. પ્રતિકણ બેરિયૉન આંક (B) ધરાવે છે. ન્યુક્લિયૉન અને…

વધુ વાંચો >

પ્રતિકાર

પ્રતિકાર : આક્રમણ ખાળવા માટેનો સામો ઉપાય. તેમાં સામાન્ય રીતે બંને પક્ષો બળનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કોઈ એક રાજ્ય બીજા રાજ્યના પ્રદેશને બળપૂર્વક પડાવી લેવાનો પ્રયાસ કરે છે અથવા જ્યારે કોઈ એક દેશ બીજા કોઈ સ્વતંત્ર અને સાર્વભૌમ દેશની અખંડતા અને સાર્વભૌમતાને પડકારી તેના પ્રદેશ પર જબરદસ્તીથી કબજો…

વધુ વાંચો >

પ્રતિકાવ્ય

પ્રતિકાવ્ય : અંગ્રેજી શબ્દ ‘પૅરડી’ પરથી ગુજરાતીમાં પ્રતિકાવ્ય સંજ્ઞા આવી છે. મૂળમાં તો ‘પૅરડી’ એટલે એવી વાણી, લેખન કે સંગીત જેમાં તેના કર્તા કે સંગીતકારની શૈલીનું રમૂજી અને અતિશયોક્તિયુક્ત રીતે અનુકરણ કરવામાં આવેલું હોય. એ હાસ્યપ્રેરક અથવા વિડંબનારૂપ અનુકરણ હોય. આમ ‘પૅરડી’ હાસ્યાત્મક (comic) અથવા ગંભીર (critical) હોઈ શકે. ગુજરાતીમાં…

વધુ વાંચો >

પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન)

પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન) : વિશિષ્ટ ઉદ્દીપક (દા.ત., ચોક્કસ અવાજ કે ર્દશ્ય) પ્રત્યે, વિચાર કર્યા વિના, અને વિનાવિલંબે ઊપજતી સહજ, શીખ્યા વિનાની સ્વયંચાલિત ક્રિયા. પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex action) ઐચ્છિક ક્રિયાથી ભિન્ન છે. પોતાની ઇચ્છાથી, વિચારપૂર્વક કરેલી ક્રિયાને ઐચ્છિક ક્રિયા કહે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયા મનુષ્યથી આપમેળે, સભાન ઇચ્છા કે પૂર્વઆયોજન વિના, થઈ…

વધુ વાંચો >

પ્રતિક્ષિપ્ત ક્રિયા (આયુર્વિજ્ઞાન)

પ્રતિક્ષિપ્ત ક્રિયા (આયુર્વિજ્ઞાન) : સંરક્ષણના હેતુસર ઉદભવતા અનૈચ્છિક ચેતાકીય પ્રતિભાવો. ક્યારેક પણ કોઈ પ્રકારની પીડાકારક કે નુકસાનકારક સંવેદના ઉદભવે ત્યારે કેન્દ્રીય ચેતાતંત્રનાં ઉપરનાં કેન્દ્રોની મદદ અને જાણ વગર કરોડરજ્જુમાં ચેતાકોષો તાત્કાલિક પ્રતિભાવ રૂપે જરૂરી પ્રતિક્રિયા સર્જે છે. તેને ચેતાકીય પ્રતિક્ષિપ્ત ક્રિયા અથવા ટૂંકમાં પ્રતિક્ષિપ્ત ક્રિયા (neurological reflexes) કહે છે. તેમને…

વધુ વાંચો >

પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants)

Feb 6, 1999

પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants) : લોહીને ગંઠાઈ જતું અટકાવનારાં અને મોં દ્વારા અપાતાં ઔષધો. નસમાંથી જ્યારે પણ લોહી બહાર વહેવા માંડે ત્યારે તેને ગંઠાવી દઈને લોહી વહેતું અટકાવવાની કુદરતી ક્રિયા થાય છે. તેને રુધિરગંઠન (blood clotting અથવા coagulation) કહે છે. તેને માટે શરીરમાં જુદાં જુદાં 13 ઘટકો છે. તેમાંનાં ઘણાં…

વધુ વાંચો >

પ્રતિઘાત (reactance)

Feb 6, 1999

પ્રતિઘાત (reactance) : પ્રત્યાવર્તી ધારા(alternating current  A.C.)ના માર્ગમાં સંગ્રાહક(capacitor)ને કારણે થતો અસરકારક વિરોધ. પ્રત્યાવર્તી વિદ્યુતચાલક બળ ε = εo sin ωt અને માત્ર સંધારકના વિદ્યુત-પરિપથ માટે પ્રતિઘાત  સૂત્ર વડે મળે છે. જ્યાં Eo મહત્તમ વિદ્યુતચાલક બળ; ω કોણીય આવૃત્તિ, f આવૃત્તિ અને C સંધારિતા છે. લગાડવામાં આવતા વિદ્યુતચાલક બળની આવૃત્તિ…

વધુ વાંચો >

પ્રતિચુંબકત્વ (diamagnetism)

Feb 6, 1999

પ્રતિચુંબકત્વ (diamagnetism) : ઋણ ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા પદાર્થનો ગુણધર્મ. ઋણ ચુંબકીય સુગ્રાહિતાને કારણે પદાર્થની સાપેક્ષ પારગમ્યતા (premeability) μr શૂન્યાવકાશની પારગમ્યતા કરતાં ઓછી હોય છે. ન્યૂક્લિયસની આસપાસ ઇલેક્ટ્રૉનની ભ્રમણગતિને કારણે પરમાણુમાં પ્રતિચુંબકત્વ અસ્તિત્વમાં આવે છે. તારના ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. બિલકુલ તેવી જ…

વધુ વાંચો >

પ્રતિજીવકો (antibiotics)

Feb 6, 1999

પ્રતિજીવકો (antibiotics) સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ઉત્પન્ન કરાતો એવો રાસાયણિક પદાર્થ કે જે મંદ દ્રાવણમાં અન્ય સૂક્ષ્મજીવાણુઓનો વિકાસ અટકાવવાની તથા તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં આવાં સંયોજનો આંશિક અથવા પૂર્ણ રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. બૅક્ટેરિયા, ફૂગ કે બીજા પરજીવી સંક્રમણકારકો પ્રતિજીવકો કહેવાતા નથી, કારણ તેઓ…

વધુ વાંચો >

પ્રતિજીવિતા (antibiosis)

Feb 6, 1999

પ્રતિજીવિતા (antibiosis) : બે સજીવો વચ્ચે એકબીજાનો વિરોધ કરે તેવા, પ્રતિરોધાત્મક (antagonistic) પ્રકારના, અંતરજાતીય (interspecific) સંબંધો દર્શાવતો જીવવિજ્ઞાનનો એક પેટાવિભાગ. ઓગણીસમા સૈકામાં જીવવિજ્ઞાનીઓએ જોયું કે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ (microbe) બીજા પ્રકારના સૂક્ષ્મ જીવની વૃદ્ધિ(growth)ને અવરોધે છે. આમાં એક સજીવ જાતિ દ્વારા ઉત્પન્ન થતાં કેટલાંક દ્રવ્યો અથવા તેના દ્વારા સર્જાતા…

વધુ વાંચો >

પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs)

Feb 6, 1999

પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs) : વિવિધ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરાતાં રસાયણો. તે બીજા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે અને અંતે તેમને મારે છે. તેમને  પ્રતિજૈવકો (anitibotics) પણ કહે છે. જીવાણુઓ (bacteria), ફૂગ (fungus) અને ઍક્ટિનોમાયસિટીસ (actinomycetes) વગેરે સૂક્ષ્મજીવો દ્વારા આ રસાયણો ઉત્પન્ન થાય છે. હાલ વપરાશમાં તેની વ્યાખ્યામાં સલ્ફોનેમાઇડ્ઝ અને ક્વિનોલોન્સ…

વધુ વાંચો >

પ્રતિજ્ઞાપત્ર

Feb 6, 1999

પ્રતિજ્ઞાપત્ર : યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં પ્રભુની દસ આજ્ઞાઓ ચોક્કસ પાળવાનો કરાર ધરાવતો પત્ર. આવો કરાર એક વિધિ દ્વારા થતો, જેમાં એક પ્રાણીનું બલિદાન આપવામાં આવતું. પ્રાણીનું બલિદાન એ સૂચવતું કે કરારનો ભંગ કરનારના હાલ આ પ્રાણી જેવા થશે. યહૂદી ધર્મમાં પ્રભુ યહૂદીઓ અથવા ઇઝરાયલીઓ સાથે આવો કરાર કરે છે.…

વધુ વાંચો >

પ્રતિજ્ઞાયૌગંધરાયણ

Feb 6, 1999

પ્રતિજ્ઞાયૌગંધરાયણ : જુઓ ભાસ

વધુ વાંચો >

પ્રતિજ્ઞાસૂત્ર

Feb 6, 1999

પ્રતિજ્ઞાસૂત્ર : શુક્લ યજુર્વેદનું એક પરિશિષ્ટ. શુક્લ યજુર્વેદી વેદપાઠીઓમાં સંહિતાપાઠ સાથે બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગો તેમજ પરિશિષ્ટોનો પાઠ કરવો પડે છે. શુક્લ યજુર્વેદના ઉવટ અને મહીધર એ બે ભાષ્યકારોનાં ભાષ્યો સહિત પ્રકાશિત થયેલી વાજસનેયી-માધ્યંદિન શુક્લ યજુર્વેદ સંહિતા(પ્રકાશક, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, 1978)ના અંતે ‘સભાષ્ય શુક્લ યજુર્વેદ પરિશિષ્ટાનિ’ એ શીર્ષક નીચે શુક્લ…

વધુ વાંચો >

પ્રતિતૂની (પ્રતૂની)

Feb 6, 1999

પ્રતિતૂની (પ્રતૂની) : પ્રતિતૂની કે પ્રતૂની — એને આયુર્વેદવિજ્ઞાને વાતપ્રકોપજન્ય એક રોગ ગણેલ છે. ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના નિદાનસ્થાન 11માં ‘વિદ્રધિ-વૃદ્ધિ-ગુલ્મ નિદાન’ નામના અધ્યાયમાં આ રોગોનું વર્ણન ઉપલબ્ધ છે. પક્વાશય(ગ્રહણી સિવાય નાનાં તથા મોટાં આંતરડાં)માંથી ગુદા અને મૂત્રેન્દ્રિય તરફ (ઉપરથી નીચેની દિશામાં) જતા અને અટકી અટકીને વારંવાર જોરદાર તીવ્ર વેદના કરતા, વાયુદોષજન્ય…

વધુ વાંચો >