૧૧.૧૬

પૂછવાલે, રાજાભૈયાથી પૂષા

પૂર્વમીમાંસાદર્શન

પૂર્વમીમાંસાદર્શન : પ્રાચીન ભારતનાં છ આસ્તિક દર્શનોમાંનું એક દર્શન. પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્યમાં કર્મકાંડ અને તત્ત્વજ્ઞાન એ બે વિષયની ચર્ચા પ્રાય: જોવા મળે છે. આમાં કર્મકાંડ વિશેની સૂક્ષ્મ વિચારણા પૂર્વમીમાંસાદર્શનમાં અને તત્ત્વજ્ઞાનવિષયક સૂક્ષ્મ વિચારણા ઉત્તરમીમાંસાદર્શન કે વેદાંતદર્શનમાં પ્રાપ્ત થાય છે. પૂર્વમીમાંસાદર્શનમાં કર્મકાંડની વાત હોવાથી તેને ‘કર્મમીમાંસાદર્શન’ કહે છે. આ દર્શનમાં…

વધુ વાંચો >

પૂર્વ યુરોપીય ચલચિત્ર

પૂર્વ યુરોપીય ચલચિત્ર : પૂર્વ યુરોપના દેશોમાં વિકસેલી ચલચિત્રની પ્રવૃત્તિ. ચલચિત્રક્ષેત્રે અગ્રણી યુરોપના મોટાભાગના દેશો બીજા ઘણા દેશોની જેમ વીસમી સદીના પ્રારંભથી જ ચલચિત્રોનું નિર્માણ કરવા માંડ્યા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ યુરોપના દેશોમાં રાજકીય સ્થિતિ એકદમ પલટાઈ અને આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવૅકિયા (હાલના ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયા), પૂર્વ જર્મની,…

વધુ વાંચો >

પૂર્વી

પૂર્વી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-પદ્ધતિનો એક થાટ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ જે દસ થાટની રચના કરી છે તેમાં તેનો સમાવેશ થાય છે. પૂર્વી થાટમાં ત્રણ સ્વર વિકૃત (રે – ધ અને મધ્યમ) આવે છે. રિષભ અને ધૈવત કોમલ (રે – ધ કોમળ) અને શુદ્ધ અને તીવ્ર – બંને મધ્યમનો…

વધુ વાંચો >

પૂર્વી-ગંગ શિલ્પશૈલી

પૂર્વી-ગંગ શિલ્પશૈલી  : જુઓ ઓડિશાની શિલ્પકલા.

વધુ વાંચો >

પૂર્વીય પ્રશ્ન

પૂર્વીય પ્રશ્ન : યુરોપના દક્ષિણ-પૂર્વના વિસ્તારોમાં ઓગણીસમી સદી દરમિયાન તુર્કી સત્તા નબળી પડવાને કારણે અને યુરોપીય મહાસત્તાઓ વચ્ચેની સત્તાની સાઠમારીમાંથી ઊભી થયેલી રાજકીય સમસ્યા. મધ્યયુગ દરમિયાન તુર્કી સુલતાનોએ દક્ષિણપૂર્વીય યુરોપના બાલ્કન પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. ત્યાં વંશીય અને ધાર્મિક વિભિન્નતા ધરાવતી અનેક પ્રજાઓ વસતી હતી. અઢારમી…

વધુ વાંચો >

પૂર્વીય રોમન સામ્રાજ્ય

પૂર્વીય રોમન સામ્રાજ્ય : પ્રાચીન રોમન સામ્રાજ્યનો પૂર્વ વિભાગ. તેનું રોમન સામ્રાજ્યના પતન પછી એક સ્વતંત્ર સામ્રાજ્ય તરીકે પંદરમી સદી સુધી અસ્તિત્વ ટકી રહ્યું. મધ્યયુગમાં તે બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું હતું. છઠ્ઠી સદી દરમિયાન તેની સત્તાની પરાકાષ્ઠાએ પશ્ચિમમાં દક્ષિણ સ્પેનથી પૂર્વમાં ઈરાનની સરહદ સુધીના ભૂમધ્યકાંઠા, ઉત્તર આફ્રિકા અને એશિયા…

વધુ વાંચો >

પૂષા

પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ…

વધુ વાંચો >

પૂછવાલે, રાજાભૈયા

Jan 16, 1999

પૂછવાલે, રાજાભૈયા (જ. 12 ઑગસ્ટ 1882, લશ્કર–ગ્વાલિયર; અ. 1 એપ્રિલ 1956, લશ્કર–ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. મૂળ નામ બાળકૃષ્ણ આનંદરાવ અષ્ટેકર. રાજાભૈયાના પિતા આનંદરાવ સારા સિતારવાદક હતા તથા તેમના કાકા નિપુણ ગાયક હતા, જેને લીધે રાજાભૈયાને ગળથૂથીથી જ સંગીતનું શિક્ષણ મળ્યું હતું. તે જમાનાના વિખ્યાત…

વધુ વાંચો >

પૂજા

Jan 16, 1999

પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન…

વધુ વાંચો >

પૂજાલાલ

Jan 16, 1999

પૂજાલાલ : જુઓ દલવાડી પૂજાલાલ રણછોડદાસ

વધુ વાંચો >

પૂઝો મારિયો

Jan 16, 1999

પૂઝો, મારિયો (જ. 15 ઑક્ટોબર 1920, ન્યૂયૉર્ક; અ. 8 જુલાઈ 1999, ન્યૂયૉર્ક) : અમેરિકામાં અતિ લોકપ્રિય બનેલા ઇટાલિયન નવલકથાકાર. તેમનાં માતાપિતા કેટલાક નિરક્ષર ઇટાલિયનોની જેમ અમેરિકામાં જઈ વસેલાં. તેથી ન્યૂયૉર્કમાં જન્મેલા મારિયોએ કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન વાયુદળમાં સેવા આપી. એમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કલમનો…

વધુ વાંચો >

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)

Jan 16, 1999

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants) સૂક્ષ્મજીવોને મારતાં કે તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવતાં દ્રવ્યો તે પૂયરોધકો અને સૂક્ષ્મજીવોને મારીને ચેપ લાગતો અટકાવતાં દ્રવ્યો તે ચેપરોધકો. પૂયરોધકો સજીવ પેશી પર લગાડવામાં આવતાં દ્રવ્યો છે. ચેપરોધકો નિર્જીવ પદાર્થ પર લગાવાય છે, જેથી તેના સંસર્ગમાં આવવા છતાં ચેપ લાગતો નથી. નિર્જીવ પદાર્થોને સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterilized)…

વધુ વાંચો >

પૂર

Jan 16, 1999

પૂર : પાણીના ઊંચા અધિપ્રવાહ(overflow)ને કારણે સામાન્યત: શુષ્ક ભૂમિ પર થતું આપ્લાવન (inundation). મોટાભાગનાં પૂર નુકસાનકર્તા હોય છે. તેના દ્વારા મકાનો અને બીજી સંપત્તિનો વિનાશ થાય છે અને ભૂમિનું ઉપરનું પડ ઘસડાઈ જતાં ભૂમિ ખુલ્લી થાય છે. લોકોની તૈયારી ન હોય ત્યારે એકાએક આવતાં પ્રચંડ પૂરથી પુષ્કળ પ્રમાણમાં હાનિ પહોંચે…

વધુ વાંચો >

પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle)

Jan 16, 1999

પૂરકતાનો સિદ્ધાંત (complementarity principle) : ઇલેક્ટ્રૉન જેવી સૂક્ષ્મ પ્રણાલીની કણ-પ્રકૃતિ અથવા તરંગ-પ્રકૃતિનું વર્ણન કરતો સિદ્ધાંત. નીલ બ્હોરના મત મુજબ ઇલેક્ટ્રૉન-પ્રણાલીની કણ અને તરંગ-પ્રકૃતિના ખ્યાલ એકબીજાને પૂરક છે. જે પ્રયોગ વડે ઇલેક્ટ્રૉનની કણ-પ્રકૃતિનું વર્ણન કરી શકાય છે તેના વડે તરંગ-પ્રકૃતિનું વર્ણન કરી શકાતું નથી અને તેથી ઊલટું પણ સાચું છે. પ્રયોગની…

વધુ વાંચો >

પૂરકો (fillers)

Jan 16, 1999

પૂરકો (fillers) : રંગ, કાગળ, પ્લાસ્ટિક, રબર અથવા પ્રત્યાસ્થલકો (elastomers) જેવા ઘન, અર્ધઘન કે પ્રવાહી પદાર્થોના ગુણધર્મો સુધારવા તથા ખર્ચ ઘટાડવા માટે વપરાતા અક્રિય (inert), ઊંચું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા અને બારીક ભૂકારૂપ પદાર્થો. પૂરક એ નીપજનો મુખ્ય કે ગૌણ ઘટક હોઈ શકે. ઔષધો, સૌંદર્યપ્રસાધનો અને પ્રક્ષાલકો (detergents) જેવા પદાર્થોનો સ્થૂળ…

વધુ વાંચો >

પૂરણસિંહ

Jan 16, 1999

પૂરણસિંહ (જ. 17 ફેબ્રુઆરી, 1881, અબોટાબાદ, હાલનું પાકિસ્તાન અ. 31 માર્ચ, 1931 દહેરાદૂન) : પંજાબી લેખક. એમનું માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ લાહોરમાં. એ જાપાનના પ્રવાસે ગયા ત્યાં બૌદ્ધ ધર્મનો એમની પર એટલો પ્રભાવ પડ્યો કે એમણે તેનો અંગીકાર કર્યો; એટલું જ નહિ, પણ એ બૌદ્ધભિક્ષુ બની ગયા. પછી સ્વામી રામતીર્થના સંપર્કમાં…

વધુ વાંચો >

પૂરનિયંત્રણ

Jan 16, 1999

પૂરનિયંત્રણ : પૂરથી થતી જાનહાનિ તથા માલમિલકતોનું થતું નુકસાન અટકાવવા અમલમાં મુકાતી કાર્યવહી. નદીનો પ્રવાહ તેના કાંઠાની માઝા વટાવી ઉપર થઈને વહે ત્યારે તેને પૂર કહે છે. એ પૂરનાં પાણી નદીકાંઠાનાં ગામો, ખેતરો, તથા કારખાનાંઓ વગેરેમાં ભરાઈ જાય છે. ઓચિંતા પૂરથી માલમિલકત, રસ્તાઓ, ખેતરોમાંનો ઊભો પાક, સંદેશાવ્યવહાર, રેલવે વગેરેને નુકસાન…

વધુ વાંચો >