૧૦.૧૫

નિપત્ર (brac)થી નિરેખણ-આકૃતિ (etching figures)

નિપત્ર (brac)

નિપત્ર (brac) : વિશિષ્ટ પ્રકારનાં પર્ણ. તેમની કક્ષમાં પુષ્પ કે પુષ્પવિન્યાસ ઉદભવે છે. કેટલીક વાર પુષ્પવિન્યાસ દંડ અથવા પુષ્પદંડ ઉપર પુષ્પ અને નિપત્રની વચ્ચે વધારાની નિપત્ર જેવી નાની અને પાતળી રચના ઉદભવે છે, જેને નિપત્રિકા (bracteate) કહે છે. પુષ્પ કે પુષ્પવિન્યાસ નિપત્ર ધરાવતાં હોય તો તે નિપત્રી (bracteate) અને નિપત્રરહિત…

વધુ વાંચો >

નિપાત

નિપાત : સંસ્કૃત વ્યાકરણ અનુસાર પદના ચાર પ્રકારોમાંનો એક. યાસ્કે આપેલી તેની વ્યુત્પત્તિ મુજબ વિવિધ અર્થોમાં આવી પડે છે, તેથી તે પદોને નિપાત કહે છે. સત્વવાચી નામ કે ક્રિયાવાચી ધાતુ (આખ્યાત) ન હોય તેવાં પદો નિપાત કહેવાય છે. એમાં જે ક્રિયાપદની પૂર્વે આવે તે ઉપસર્ગ કહેવાય. નામ વગેરેની પૂર્વે આવે…

વધુ વાંચો >

નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ

નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ (જ. 20 માર્ચ 1909, પૉર્ટ લાવેકા, ટૅક્સાસ; અ. 17 માર્ચ 2000, અર્લિગન, વર્જિનિયા) : કીટકોના વંધ્યીકરણ પરત્વે નોંધપાત્ર ફાળો આપનાર અમેરિકાના પ્રખર કીટક-વિજ્ઞાની. માનવ તેમજ ઘેટાં અને બકરાંની ત્વચાના રોગ માટે જવાબદાર ગુંજનમાખી(blow fly)ના નર પર એક્સ કિરણોના વિકિરણથી વંધ્યીકરણ સિદ્ધ થાય છે. આ પ્રયોગ માટે તેમણે…

વધુ વાંચો >

નિબંધ

નિબંધ : સાહિત્યમાં ગદ્યક્ષેત્રે વ્યાપક રીતે ખેડાતા, પ્રમાણમાં જૂના અને મહત્વના પ્રકારોમાંનો એક. આ સાહિત્યપ્રકારના ઉદભવ અને વિકાસનો વિશ્વસનીય અને કડીબદ્ધ કહી શકાય તેવો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ફ્રેન્ચ લેખક મૉન્તેઇન(1533–1592)ને ‘નિબંધના પિતા’ લેખવામાં આવે છે. તેનીયે પૂર્વે પ્લૅટો-સેનેકાનાં લખાણોમાં નિબંધનાં તત્વો અત્રતત્ર જોઈ શકાય; પરંતુ આ પ્રકારની સુરેખ રજૂઆત…

વધુ વાંચો >

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ (જ. 1776; અ. 1831) : જર્મન  ઇતિહાસકાર. નિબૂર આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો અગ્રણી હતો. તે મૌલિક તેમજ મૂળ દસ્તાવેજોને આધારે જ ઇતિહાસ લખવાના મતનો હતો. તે દસ્તાવેજોની ચકાસણી કરવામાં દૃઢપણે માનતો. આમ નિબૂરે આધુનિક ઇતિહાસવિદ્યામાં અનુભવમૂલક (empirical) તેમજ વિવેચનાત્મક (critical) ઇતિહાસલેખનનો પાયો નાખ્યો, જેનો વિકાસ પછીથી રાન્કેએ કર્યો. નિબૂરે…

વધુ વાંચો >

નિભાડો

નિભાડો : પ્રાચીન કાળથી માટીનાં વાસણો તેમજ ઈંટોને પકવવા માટે વપરાતી એક પ્રકારની ભઠ્ઠી. કુંભાર લોકો સદીઓથી માટલાં, કોઠી, નળિયાં જેવાં માટીનાં પાત્રોને પકવવા માટે નિભાડાનો ઉપયોગ કરતા આવ્યા છે અને હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં તેનો વપરાશ ચાલુ છે. નિભાડાની ખાસિયત એ છે કે તેમાં બહુ ઊંચું તાપમાન મળતું નથી,…

વધુ વાંચો >

નિમાડ (હવે પૂર્વ નિમાડ તે ખંડવા અને પશ્ચિમ નિમાડ તે ખરગાંવ)

નિમાડ (હવે પૂર્વ નિમાડ તે ખંડવા અને પશ્ચિમ નિમાડ તે ખરગાંવ) : મધ્યપ્રદેશના પૂર્વ નિમાડ અને પશ્ચિમ નિમાડ નામના બે જિલ્લા. અગાઉના ખંડવા, ખરગાંવ જિલ્લાઓનું મધ્યપ્રદેશ રાજ્યની રચના થયા બાદ ઉપર મુજબના બે અલગ જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે. 1. ખંડવા (પૂર્વ નિમાડ) : ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ.…

વધુ વાંચો >

નિમિયેર, ઑસ્કર

નિમિયેર, ઑસ્કર (જ. 15 ડિસેમ્બર 1907, રીયો–ડી–જાનેરો, બ્રાઝિલ, અ. 5 ડિસેમ્બર 2012, રિયો–ડી–જાનેરો, બ્રાઝિલ) : બ્રાઝિલના સ્થપતિ. તેમણે બ્રાઝિલના અર્વાચીન સ્થાપત્યના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો. પ્રારંભિક અભ્યાસ રિયો-ડી-જાનેરોમાં કરી 1934માં સ્થપતિની ઉપાધિ મેળવી. 1936માં તેમને લ કાર્બુઝયે સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. તેમણે…

વધુ વાંચો >

નિમ્ન તંત્ર

નિમ્ન તંત્ર : જુઓ, પાયાની સવલતો

વધુ વાંચો >

નિમ્ન તાપમાન

નિમ્ન તાપમાન : જુઓ, નિમ્નતાપિકી

વધુ વાંચો >

નિરીક્ષક

Jan 15, 1998

નિરીક્ષક (પ્ર. 15 ઑગસ્ટ, 1968) : ગુજરાતનું પખવાડિક વિચારપત્ર. લોકશાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી આ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. તેના પ્રારંભકોમાં ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, યશવંત પ્રા. શુક્લ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગ. માવળંકર, નીરુભાઈ દેસાઈ અને સુકેતુ શાહ હતા. સાપ્તાહિકનું પ્રકાશન, પ્રકાશ પબ્લિકેશન્સ લિ. તરફથી કરવામાં આવ્યું હતું…

વધુ વાંચો >

નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય)

Jan 15, 1998

નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય) : ઈશ્વરવાદીઓના મત પ્રમાણે ઈશ્વર છે અને તે છે તેવું નિશ્ચિત રીતે જાણી શકાય છે. નિરીશ્વરવાદીઓ (atheists)ના મત પ્રમાણે ઈશ્વર નથી એટલું જ નહિ પણ ઈશ્વર નથી તે અંગેનું નિશ્ચિત જ્ઞાન મળી શકે છે. અજ્ઞેયવાદીઓ(agnostics)ની માન્યતા પ્રમાણે ઈશ્વર છે તેવું જાણી શકાય તેમ નથી અને ઈશ્વર નથી…

વધુ વાંચો >

નિરીશ્વરવાદ (ભારતીય)

Jan 15, 1998

નિરીશ્વરવાદ (ભારતીય) : ઈશ્વરને નહિ સ્વીકારનારો સિદ્ધાંત. સામાન્ય રીતે ‘ઈશ્વર’ શબ્દનો અર્થ અનન્તજ્ઞાની (સર્વજ્ઞ), અનન્તસુખમય, અનન્તવીર્યમય, નિત્યમુક્ત (ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળમાં મુક્ત), જગતકર્તા પુરુષ એવો કરવામાં આવે છે. આવો ઈશ્વર જૈન, બૌદ્ધ, સાંખ્ય, પ્રાચીન ન્યાય-વૈશેષિકો (કણાદ, અક્ષપાદ ગૌતમ અને વાત્સ્યાયન) અને મીમાંસા સ્વીકારતાં નથી. એટલે તેમને નિરીશ્વરવાદી ગણવામાં આવે…

વધુ વાંચો >

નિરૂપ્ય–નિરૂપક ભાવ

Jan 15, 1998

નિરૂપ્ય–નિરૂપક ભાવ : નવ્યન્યાયમાં સ્વીકારેલા કેટલાક સંબંધોમાંનો એક સંબંધ. નવ્યન્યાયના સ્વરૂપસંબંધનો આ એક ઉપ-પ્રકાર છે. સ્વરૂપ-સંબંધ એટલે જે સંબંધ, સંબંધી પદાર્થોથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો નથી તે. ટેબલ અને પુસ્તકનો સંયોગ થાય ત્યારે, સંયોગ નામના ગુણપદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ ન્યાયમાં સ્વીકારાય છે. તંતુ-પટ એ બંને સંબંધી પદાર્થોથી, સમવાય સંબંધનું, ભિન્ન અસ્તિત્વ માનેલ…

વધુ વાંચો >

નિરેખણ-આકૃતિ (etching figures)

Jan 15, 1998

નિરેખણ-આકૃતિ (etching figures) : સ્ફટિક ફલકો પર અમુક પ્રક્રિયકો (reagents) દ્વારા વિકસાવવામાં આવતા લાક્ષણિક આકારો અને સ્વરૂપોવાળી રેખાકૃતિઓ સહિતના ખાડા. સ્ફટિક ફલકો પર યોગ્ય પ્રક્રિયક લગાડવામાં આવે ત્યારે ફલકસપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, પરિણામે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા આકારો અને સ્વરૂપોમાં નાના ખાડા ઉદભવે છે. આવાં સ્વરૂપોને નિરેખણ-આકૃતિ…

વધુ વાંચો >