૧૦.૧૧

નાયક, અમૃત કેશવથી નારંગ, ગોપીચંદ

નાયર, ગોપીનાથન્

નાયર, ગોપીનાથન્ : (જ. 1918, ત્રિવેન્દ્રમ્; અ. 1999) : મલયાળમ નાટકકાર. 1943માં ત્રિવેન્દ્રમ્ આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી તથા મલયાળમ વિષય લઈને બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા અને સુવર્ણચન્દ્રક મેળવ્યો. તે પછી ‘મલયાળમ રાજ્યમ્’ દૈનિકના તંત્રી થયા. સાથે સાથે ‘સખી’ અને ‘વીરકેસરી’ માસિક પત્રિકા પણ એમણે શરૂ કરી. તે પછી ત્રિવેન્દ્રમ્ આકાશવાણીના…

વધુ વાંચો >

નાયર, પી. કે. (ટિક્કોડિયન)

નાયર, પી. કે. (ટિક્કોડિયન) (જ. 15 ફેબ્રુઆરી 1916, ટિક્કોડી, કોઝીકોડ, કેરળ; અ. 28 જાન્યુઆરી 2001, કોઝીકોડ, કેરળ) : મલયાળમ ભાષાના નાટ્યકાર અને નવલકથાકાર. એમનો જન્મ કેરાળના ટિક્કોડી ગામમાં થયો. ગામના નામ પરથી ‘ટિક્કોડિયન’ તખલ્લુસ રાખ્યું હતું. આનંદ ઉપનામથી એમણે લખવાનું શરૂ કરેલું. બાલ્યાવસ્થામાં એમનાં માતાપિતાનું અવસાન. 1942માં લગ્ન પછી પાંચમા…

વધુ વાંચો >

નાયર, પ્યારેલાલ

નાયર, પ્યારેલાલ (જ. 1899, દિલ્હી; અ. 27 ઑક્ટોબર 1982, દિલ્હી) : સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક. ગાંધીજીના અંતેવાસી અને મંત્રી. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે 1915 માં તેમના પિતાનું અવસાન થતાં કાકાની આજ્ઞાથી લાહોરમાં રહી ત્યાંની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી. એ.(ઑનર્સ)ની ઉપાધિ મેળવી અને એ જ કૉલેજમાં એમ. એ.નાં સત્ર ભરવા…

વધુ વાંચો >

નાયર, રાઘવન્

નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર…

વધુ વાંચો >

નાયર વી. કે. એન. કુટ્ટી

નાયર, વી. કે. એન. કુટ્ટી (જ. 6 એપ્રિલ 1932; તિરુવિલ્વમાલા, કેરળ; અ. 25 જાન્યુઆરી 2004) : મલયાળમ ભાષાના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પય્યાનકથકલ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. 1955થી તેમણે વાર્તાઓ…

વધુ વાંચો >

નાયર, (સર) સી. શંકરન્

નાયર, (સર) સી. શંકરન્ (જ. 11 જુલાઈ 1857, મંકારા, પાલઘાટ, મલબાર; અ. 24 એપ્રિલ 1934) : પ્રતિભાશાળી ન્યાયવિદ, સમાજસુધારક અને રાષ્ટ્રીય નેતા. આખું નામ (સર) ચેત્તુર શંકરન્ નાયર. જન્મ ચેત્તુર કુટુંબમાં થયો હતો. એ પાલઘાટથી પશ્ચિમે લગભગ 25 કિમી.ને અંતરે આવેલા મંકારાનું જાણીતું માતૃવંશી કુટુંબ હતું. તેમની માતાનું નામ ચેત્તુર…

વધુ વાંચો >

નાયર, સુશીલા

નાયર, સુશીલા (જ. 25 ડિસેમ્બર 1914, કુંજાહ, જિ. ગુજરાન, પશ્ચિમ પંજાબ, હવે પાકિસ્તાનમાં; અ. 3 જાન્યુઆરી 2000, સેવાગ્રામ) : ગાંધીજીનાં તબીબી સલાહકાર, જીવનચરિત્રલેખક અને રચનાત્મક કાર્યકર. ખત્રી કુટુંબમાં જન્મ. પિતાનું લોહીના ઊંચા દબાણથી 1915માં અવસાન થતાં તેમનાથી બે મોટા ભાઈઓ સાથે બાળક સુશીલા માતાના આશ્રયે મોટાં થયાં. 12 વર્ષની વયે…

વધુ વાંચો >

નાયલૉન

નાયલૉન : પૉલિએમાઈડ વર્ગના સંશ્લેષિત રેસાઓના એક સમૂહનું સામાન્ય નામ. 1930માં ડ્યૂ પોંટ કંપનીના સંશોધન-વિભાગે વૉલેસ કૅરોથર્સના માર્ગદર્શન નીચે સૌપ્રથમ કૃત્રિમ રેસા તૈયાર કર્યા. 1939માં આ કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલાં મોજાં બજારમાં મુકાયાં ત્યારે ખૂબ સનસનાટી મચી ગઈ હતી. સ્ત્રીઓનાં કપડાં જે અત્યાર સુધી રેશમમાંથી તૈયાર કરાતાં તે નાયલૉનનાં થવા લાગ્યાં.…

વધુ વાંચો >

નાયાધમ્મકહાઓ

નાયાધમ્મકહાઓ : શ્વેતાંબર જૈનોના આગમ ગ્રંથોમાં છઠ્ઠા અંગ તરીકે નાયાધમ્મકહાઓ (સં. જ્ઞાતાધર્મકથા) જાણીતી છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં વાર્તાઓ વણી લીધી છે. તેના નાયા અને ધમ્મકહાઓ એવા બે સુયકખંધ(સં. શ્રુતસ્કંધ)માંથી નાયા નામે  વધારે વિસ્તારવાળા પહેલા શ્રુતસ્કંધમાં નીતિપરક વાર્તાઓનો અને ધમ્મકહાઓ નામે બીજા શ્રુતસ્કંધમાં કાલ્પનિક વાર્તાઓનો સમાવેશ કર્યો છે. નાયામાં અનુક્રમે ઉક્ખિત્ત,…

વધુ વાંચો >

નાયાસ

નાયાસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા નાયાડેસી કુળની નિમજ્જિત (submerged) જલજ પ્રજાતિ. તેનું વિતરણ ધ્રુવપ્રદેશ સિવાય સર્વત્ર થયેલું છે. આ પ્રજાતિ લગભગ 40 જાતિઓ ધરાવે છે. તેનું પ્રકાંડ શાખિત, તંતુરૂપ (filiform), લીસું અથવા રુક્ષવર્ધ (muricate) હોય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક (adventitious) મૂળ ઉત્પન્ન થાય છે. તેનાં પર્ણો સાંકડાં, રેખાકાર,…

વધુ વાંચો >

નાયક, અમૃત કેશવ

Jan 11, 1998

નાયક, અમૃત કેશવ (જ. 1877, અમદાવાદ; અ. 18 જુલાઈ 1907, મુંબઈ) : વ્યવસાયી રંગભૂમિના તેજસ્વી યુવા-અભિનેતા, દિગ્દર્શક તથા નાટ્યકાર. અમૃતભાઈએ ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં કર્યો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાની ફરજ પડી અને 11…

વધુ વાંચો >

નાયક, કનુ ચુનીલાલ

Jan 11, 1998

નાયક, કનુ ચુનીલાલ : (જ. 9 ડિસેમ્બર, 1930, પાનસર, જિલ્લો મહેસાણા) : ગુજરાતી ચિત્રકાર, કલાશિક્ષક, કલાવિષયક લેખો આપનાર, પત્રકાર. ઉપનામ : ‘અંકન’.  પિતા ચુનીલાલ નાયક દેશી નાટકમંડળીઓમાં ખલનાયકની ભૂમિકા ભજવવામાં નિષ્ણાત હતા. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1954માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1956માં આર્ટ-માસ્ટરનો…

વધુ વાંચો >

નાયક, કે. જી.

Jan 11, 1998

નાયક, કે. જી. (જ. 1 ઑગસ્ટ 1885, કતારગામ, જિ. સૂરત; અ. 19 નવેમ્બર 1974, વડોદરા) : ગુજરાતના અગ્રણી વૈજ્ઞાનિક. આખું નામ કુંવરજી ગોસાંઈજી નાયક. સામાન્ય ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કતારગામમાં, માધ્યમિક શિક્ષણ સૂરત ખાતે મિશન સ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કૉલેજમાં. 1901માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા અઢારમા નંબરે, 1905માં…

વધુ વાંચો >

નાયક, ચુનીલાલ જીવરામ

Jan 11, 1998

નાયક, ચુનીલાલ જીવરામ (જ. 23 સપ્ટેમ્બર 1903, અમદાવાદ; અ. 1977) : રંગભૂમિ-ક્ષેત્રના અભિનેતા. તેમણે અમૃત કેશવ નાયકે સ્થાપેલી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. પછી તેઓ સંગીતવર્ગમાં જોડાયા. અવાજની મીઠાશ અને એકનિષ્ઠ લગનને કારણે સંગીતશિક્ષકની પ્રશંસા પામ્યા. તેમના પિતાએ જરૂર પૂરતું શિક્ષણ આપી કરિયાણાની દુકાને તેમને બેસાડ્યા; પરંતુ કાવ્યરસને કારણે 11 વર્ષની…

વધુ વાંચો >

નાયક, છોટુભાઈ રણછોડજી

Jan 11, 1998

નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ…

વધુ વાંચો >

નાયક, ડાહ્યાભાઈ જીવણજી

Jan 11, 1998

નાયક, ડાહ્યાભાઈ જીવણજી (જ. 26 મે 1901, ભાંડુત, જિ. સૂરત; અ. 29 મે 1994, દાહોદ) : સ્વાતંત્ર્યસૈનિક અને પંચમહાલના આદિવાસીઓના નિ:સ્પૃહી મૂક સેવક. મધ્યમ વર્ગના અનાવિલ પરિવારમાં જન્મ. પિતા ડુમ્મસની પ્રાથમિક શાળાના આચાર્ય. ડાહ્યાભાઈએ ડુમ્મસ અને ધરમપુરમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન આદિવાસીઓ પરના અત્યાચારો જોઈ તેમનું હૃદય દ્રવી જતું. મૅટ્રિકની…

વધુ વાંચો >

નાયક, પન્ના ધીરજલાલ

Jan 11, 1998

નાયક, પન્ના ધીરજલાલ (જ. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવયિત્રી. જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યાં હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ…

વધુ વાંચો >

નાયક, પુંડલિક નારાયણ

Jan 11, 1998

નાયક, પુંડલિક નારાયણ (જ. 21 એપ્રિલ 1952, વળવઈ, તા. પોન્ડા, ગોવા) : કોંકણીના કવિ, નાટકકાર. માછીમાર કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષકની નોકરી કરતાં કરતાં સ્નાતક સુધીનું શિક્ષણ લીધું. પણજી ખાતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું. 1984માં પૂર્ણ સમયના લેખક બન્યા. એમનાં પત્ની હેમા નાયક પણ લેખિકા છે. ‘રાનસુંદરી’ નામની ગીતકથાને ગોવા…

વધુ વાંચો >

નાયકપ્રભેદો

Jan 11, 1998

નાયકપ્રભેદો : રૂપકનું ફળ લઈ જનારા, અર્થાત્ નાયક તરીકે ઓળખાતા મુખ્ય પાત્રના પ્રકારો. તે નીચે પ્રમાણે છે : (1) સ્વભાવભેદથી નાયકના ચાર પ્રકાર છે : ધીરોદ્ધત : શૂરવીર, ગર્વિષ્ઠ, કૂટનીતિકુશળ અને આત્મશ્લાઘી. ધીરોદાત્ત : ગંભીર, ન્યાયી, ક્ષમાશીલ અને સ્થિરપ્રકૃતિયુક્ત. ધીરલલિત : વિલાસપ્રિય, નિશ્ચિંત અને મૃદુ સ્વભાવનો. ધીરશાન્ત : વિનમ્ર, નિરહંકારી…

વધુ વાંચો >

નાયક, પ્રાણસુખ મણિલાલ

Jan 11, 1998

નાયક, પ્રાણસુખ મણિલાલ (જ. 23 એપ્રિલ 1910, જગુદણ, જિ. મહેસાણા; અ. 12 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્યરસિક અભિનેતા. નટમંડળ દ્વારા ભજવાયેલા ‘મિથ્યાભિમાન’ નાટકમાં તેમની જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી તેઓ જીવરામ ભટ્ટ તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટનો અભિનય તેમણે એવો…

વધુ વાંચો >