૧૦.૦૭

નાગાલૅન્ડથી નાટક

નાગાલૅન્ડ

નાગાલૅન્ડ : ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં મ્યાન્માર(બ્રહ્મદેશ)ની સરહદને સ્પર્શતું પહાડી રાજ્ય. 1962માં નાગાલૅન્ડની રચનાનો કાયદો ઘડાયો અને 1 ઑક્ટોબર, 1963માં નાગાલૅન્ડ રાજ્ય રચાયું. તે આશરે 25° 12´થી 27° ઉ. અ. અને 93° 20´ થી 95° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 16,579 ચોકિમી. છે. તે બ્રહ્મપુત્ર નદીની ઉપલી ખીણથી…

વધુ વાંચો >

નાગાસાકી

નાગાસાકી : જાપાનના નૈર્ઋત્ય ખૂણે આવેલો જિલ્લો તથા ક્યુશુ ટાપુનું વડું મથક, મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર તેમજ બારું (બંદર). ભૌગોલિક સ્થાન : 32° 48´ ઉ. અ. અને 129° 55´ પૂ. રે.. જિલ્લાનો કુલ વિસ્તાર 9,931 ચોકિમી. અને શહેરનો વિસ્તાર 4095 ચોકિમી જેટલો છે, જેમાં ત્સુશીમા, ઈકી, હિરાડો અને ગોટો રેટો(ગોટો દ્વીપસમૂહ)નો…

વધુ વાંચો >

નાગેરકોઈલ

નાગેરકોઈલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક. કન્યાકુમારીથી ઉત્તરે 16 કિમી. દૂર દરિયાકિનારાથી અંદરના ભાગમાં તિરુવનંતપુરમ–કન્યાકુમારી અને ચેન્નાઈ–તિરુવનંતપુરમ્ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું નગર. તે અરનબોલી ઘાટથી લગભગ 18 કિમી. દૂર 8° 10´ ઉ. અ. અને 77° 26´ પૂ. રે. પર આવેલું છે. નાગેરકોઈલનો અર્થ સર્પમંદિર થાય છે.…

વધુ વાંચો >

નાગેશ

નાગેશ (જ. ઈ. સ. 1650, તાસગાંવ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 1730) : પ્રસિદ્ધ સંસ્કૃત વૈયાકરણ. તે નાગોજી ભટ્ટ એવા નામે ઓળખાય છે. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતી હતું. કાશીમાં ભટ્ટોજી દીક્ષિતના પૌત્ર હરિદીક્ષિત પાસે તેઓ વ્યાકરણ ભણ્યા હતા. શૃંગવેરના (હાલનું સિંગરૌર) રાજા રામસિંહના તેઓ આશ્રિત વિદ્વાન હતા. વાગીશ્વરીની…

વધુ વાંચો >

નાગોયા

નાગોયા : ટોકિયો અને ઓસાકા પછીનું જાપાનનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10´ ઉ. અ. અને 136° 55´ પૂ. રે.. એઈચી જિલ્લાનું પાટનગર. જાપાનના મુખ્ય ટાપુ મધ્ય હોન્શુના દક્ષિણ કિનારે આઈસે (Ise) ઉપસાગરના મુખ પર તે આવેલું છે. પ્રાચીન જાપાનમાં તે ઈમાગાવા–ઓડા કૌટુંબિક કિલ્લાની આજુબાજુ…

વધુ વાંચો >

નાગોરચું

નાગોરચું : કિશોરો માટેની ભારતની તળપદી રમત. ટેનિસબૉલ જેવા દડાથી રમાતી આ રમતમાં સાઠથી સો ફૂટ જેટલા વ્યાસવાળા કૂંડાળાની મધ્યમાં લાકડાના સાત કટકાને ઉપરાઉપરી ક્રમસર ગોઠવીને નાગોરચું બનાવવામાં આવે છે. તાકનાર અને ઝીલનાર એમ નવ નવ ખેલાડીઓના બે પક્ષ હોય છે. રમતના પ્રારંભે બંને પક્ષના ખેલાડીઓ પોતપોતાના ગોળાર્ધમાં ગોઠવાઈ જાય…

વધુ વાંચો >

નાગોરી, કાઝી હમીદુદ્દીન

નાગોરી, કાઝી હમીદુદ્દીન (જ. ઈ. સ. 1071; અ. 1245, દિલ્હી) : ફારસીના પ્રસિદ્ધ કવિ. જન્મનામ મોહમ્મદ હતું. તેમના પિતા અતાઉલ્લાહ બુખારાના બાદશાહ હોવાથી તે ‘સુલતાન અતાઉલ્લાહ મહેમૂદ’ તરીકે ઓળખાયા. તેમના પિતાએ તેમના શિક્ષણમાં ઊંડો રસ લીધો હતો. પત્નીના અવસાન બાદ હમીદુદ્દીન એકાંતવાસમાં રહેતા હતા અને જીવન વિશે સતત ચિંતન કરતા…

વધુ વાંચો >

નાગૌર

નાગૌર : રાજસ્થાનની મધ્યમાં આવેલો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને જિલ્લાનું મહત્ત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 27° 12´ ઉ.અ. અને 73° 49´ પૂ.રે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,718 ચોકિમી. તથા વસ્તી 33,09,234 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં બિકાનેર અને ચુરુ જિલ્લાઓ, ઈશાનમાં સીકર જિલ્લો, પૂર્વમાં જયપુર જિલ્લો, અગ્નિમાં અજમેર જિલ્લો, દક્ષિણમાં…

વધુ વાંચો >

નાચપ્પા, અશ્વિની

નાચપ્પા, અશ્વિની (જ. 21 ઑક્ટોબર 1967, કુર્ગ) : ભારતની અગ્રણી મહિલા-દોડવીર. તેનો જન્મ ઝૂંપડપટ્ટીમાં થયેલો. બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તે સારી દોડવીર હોવાથી તેને વિજયા બૅંકે પોતાના ક્રૅડિટ કાર્ડ-વિભાગમાં સામેથી નોકરી આપી હતી. ત્યારબાદ તેણે પત્રવ્યવહારના અભ્યાસક્રમ દ્વારા બી. એ.ની પદવી મેળવી હતી. જન્મ પછીના શરૂઆતનાં થોડાંક વર્ષો…

વધુ વાંચો >

નાજેલી, કાર્લ વિલ્હેમ

નાજેલી, કાર્લ વિલ્હેમ (જ. 27 માર્ચ 1817, કિલ્ચબર્ગ, સ્વિટ્ઝરર્લૅન્ડ; અ. 20 મે 1891, મ્યૂનિક, જર્મની) : વનસ્પતિકોષો પરના સંશોધન માટે જાણીતા સ્વિસ વનસ્પતિશાસ્ત્રી. નાજેલીએ શરૂઆતમાં જર્મન પ્રકૃતિવિજ્ઞાની લૉરેન્ઝ ઑકેન પાસે તાલીમ લીધેલી. ત્યારપછી જિનીવા યુનિવર્સિટીના ઑગસ્ટિન પાયરેમ ડીર્કન્ડોલે અને જેના યુનિવર્સિટીના મેથ્યાસ જેકોબ શ્લેઇડનના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે…

વધુ વાંચો >

નાઝકી, અબ્દુલ રશીદી

Jan 7, 1998

નાઝકી, અબ્દુલ રશીદી (Nazki Rasheed) (જ. 8 સપ્ટેમ્બર 1931, બાદીપુર, કાશ્મીર; અ. 6 જાન્યુઆરી 2016, બાંદીપુર) : કાશ્મીરી કવિ, સંશોધક, પત્રકાર અને અનુવાદક. શિક્ષણ કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં ઉર્દૂ વિષય સાથે એમ.એ.. કાશ્મીરી ભાષામાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ. જમ્મુ અને કાશ્મીર અકાદમીની પત્રિકા ‘શીરાઝા’(ઉર્દૂ)ના સંપાદક. ‘એનસાઇક્લોપીડિયા કશ્મીરિયાના’ના મુખ્ય સંપાદક. કાશ્મીર વિશ્વવિદ્યાલયના…

વધુ વાંચો >

નાઝકી, એમ. ફારૂક

Jan 7, 1998

નાઝકી, એમ. ફારૂક [જ. 1940, માડર (બાંડીપુરા), કાશ્મીર] : કાશ્મીરી કવિ અને બહુભાષાનિષ્ણાત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નારહૈત્યુન કઝલ વનસ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉર્દૂમાં એમ.એ.ની પદવી અને જર્મન ભાષામાં ડિપ્લોમા મેળવ્યાં. તે પછી ઇલેક્ટ્રૉનિક માધ્યમમાં ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા. તેઓ ઉર્દૂ, કાશ્મીરી, ફારસી,…

વધુ વાંચો >

નાઝી, મુનવ્વર

Jan 7, 1998

નાઝી, મુનવ્વર (જ. 1933, કાપ્રિન્ન, જિ. પુલવામા, જમ્મુ–કાશ્મીર) : કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમની કૃતિ ‘પુરસાં’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ. (ઑનર્સ) અને બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપક તરીકેની કામગીરી કરી. તેઓ કાશ્મીરી ઉપરાંત ઉર્દૂ, અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાની જાણકારી ધરાવે…

વધુ વાંચો >

નાઝીવાદ

Jan 7, 1998

નાઝીવાદ : વીસમી સદીના ત્રીજા દશકમાં જર્મનીમાં પ્રબળ બનેલી તથા એડૉલ્ફ હિટલરની માન્યતાઓ અને નીતિઓ દ્વારા ઘડાયેલી રાજકીય વિચારધારા. વૈચારિક ભૂમિકા અને કાર્યપદ્ધતિની દૃષ્ટિએ હિટલરના કાર્યકાળ (1933–45) દરમિયાન જર્મનીમાં નાઝીવાદના નામે અને બેનિટો મુસોલિનીના કાર્યકાળ (1922–45) દરમિયાન ઇટાલીમાં ફાસીવાદના નામે પ્રસરેલી રાજકીય ચળવળમાં ઘણું સામ્ય જોવા મળે છે. નાઝીવાદી ચિંતનના…

વધુ વાંચો >

નાટક

Jan 7, 1998

નાટક સ્વરૂપ નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા. વિવિધ માનવ-અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક સર્જાય છે. ‘નાટક’ શબ્દ ‘નટ્’ ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે. ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી. આમ, નાટક કે નાટ્યને…

વધુ વાંચો >