૧૦.૦૫

નહેરુ (નેહરુ), બી. કે.થી નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation)

નંદરાય

નંદરાય (જ. 1791 સોર, કાશ્મીર; અ. 1876) : કાશ્મીરી કવિ. એમણે નાનપણથી જ ગીતા, શૈવ સાહિત્ય તથા પુરાણોનું અધ્યયન કર્યું હતું. એમણે રહસ્યવાદી તેમજ શિવભક્તિનાં કાવ્યો રચ્યાં છે. એ પરમાનંદ તખલ્લુસથી ભારતવર્ષમાં જાણીતા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં એ પરમાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા. એમનાં કાવ્યોમાં એમણે આત્મજ્ઞાનનું મહત્વ દર્શાવ્યું છે.…

વધુ વાંચો >

નંદલાલ

નંદલાલ (જ. 1909; અ. 1993) : ભારતીય શહનાઈવાદક. પિતા સુદ્ધરામ તથા દાદા બાબુલાલ તેમના જમાનાના જાણીતા શહનાઈવાદક હતા. પિતા બનારસ રિયાસતના દરબારી સંગીતકાર હતા. બનારસ ખાતે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધા પછી પિતાના માર્ગદર્શન હેઠળ શહનાઈવાદનની તાલીમ શરૂ કરી અને ત્યારબાદ દિલ્હીના શહનાઈવાદક ઉસ્તાદ છોટેખાં પાસેથી થોડો સમય શિક્ષણ લીધું.…

વધુ વાંચો >

નંદવંશ

નંદવંશ : ઈ. સ. પૂ.ની ચોથી સદીમાં ઉત્તર ભારતના મૌર્યવંશ પૂર્વેનો રાજવંશ. પુરાણો પ્રમાણે નંદવંશનો સ્થાપક મહાપદ્મનંદ હતો. આ વંશના નવ રાજાઓ થઈ ગયા. તેઓમાં છેલ્લો રાજા ધનનંદ હતો. તેણે ઈ. સ. પૂ. 364થી ઈ. સ. પૂ. 324 સુધી રાજ્ય કર્યું હતું. ગ્રીક ઇતિહાસકાર કર્ટિયસના જણાવ્યા પ્રમાણે મહાપદ્મનંદ વાળંદ (નાપિક)…

વધુ વાંચો >

નંદા ઈશ્વરચન્દર

નંદા, ઈશ્વરચન્દર (જ. 1892; લાહોર; અ. 1972) : પંજાબી નાટ્યકાર. શિક્ષણ બી.એ. સુધી લાહોરની ડી.એ.વી. કૉલેજમાં. નાનપણથી નાટકો  વાંચવાનો અને જોવાનો શોખ. નાટ્યશાસ્ત્રનો ગહન અભ્યાસ કરી, એમણે નાટકો લખવા માંડ્યાં. એમની પૂર્વે પંજાબી સાહિત્યમાં નાટ્યસાહિત્ય નહિવત્ હતું. એથી એમને પંજાબી નાટ્યસાહિત્યના જન્મદાતા માનવામાં આવ્યા છે. એમણે 1913માં પ્રથમ નાટક ‘દુલ્હન’…

વધુ વાંચો >

નંદા, ગુલઝારીલાલ

નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા.…

વધુ વાંચો >

નંદાદેવી

નંદાદેવી : ભારતના ઉત્તરાખંડ રાજ્યના કુમાઉં-ગઢવાલ ક્ષેત્રની પશ્ચિમ હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં આવેલું જોડકું શિખર. તે સમુદ્રસપાટીથી લગભગ 7,817 મી.ની ઊંચાઈ ધરાવે છે. તે રાજ્યના ચમોલી જિલ્લામાં 30° 23´ ઉ. અ. અને 79° 59´ પૂ. રે. પર આવેલું છે. તેની નજીકમાં ઉત્તરે દુનાગિરિ, દક્ષિણે નંદાકોટ, ત્રિશૂલ અને પંચ ચુલ્હી શિખરો આવેલાં…

વધુ વાંચો >

નંદિકેશ્વર

નંદિકેશ્વર : ‘અભિનયદર્પણ’, ‘ભરતાર્ણવ’ વગેરે ગ્રંથોના લેખક. ‘સંગીતરત્નાકર’ તેમને સંગીતના પ્રમાણભૂત આચાર્ય કહે છે. નાટ્યશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્ર – એ ત્રણેના જ્ઞાતા પ્રાચીન લેખક છે. (વ્યાકરણશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવે છે. તેમણે ‘નંદિકેશ્વરકારિકા’ નામનો વ્યાકરણગ્રંથ લખ્યો છે. તંત્રશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવનાર છે.) પરંપરા મુજબ તેઓ…

વધુ વાંચો >

નંદી

નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે. શિવપુરાણ તેને શિવનો અવતાર…

વધુ વાંચો >

નંદીમંડપ

નંદીમંડપ : શિવમંદિરમાં નંદીના શિલ્પ માટે બનાવાતો મંડપ. સામાન્ય રીતે તે પ્રવેશમંડપ અને ગર્ભગૃહ કે મુખ્ય પ્રાસાદની ધરી પર બંનેની  વચમાં હોય; પરંતુ દક્ષિણ ભારતનાં અને ખાસ કરીને હોયસળ શૈલીનાં મંદિરોમાં આવી ધરીની દક્ષિણ તરફ સભામંડપની ડાબી બાજુ પણ તે બનાવાયા છે. આ મંડપમાં નંદીની વિશાળ પ્રતિમા મુકાતી અને તે…

વધુ વાંચો >

નંદીસૂય (નંદીસૂત્ર)

નંદીસૂય (નંદીસૂત્ર) : જૈન આગમોમાં ‘અનુયોગદ્વાર’ નામના સૂત્રગ્રંથની સાથે ‘ચૂલિકાસૂત્ર’ તરીકે ગણના પામેલો આગમોની અપેક્ષાએ અર્વાચીન સૂત્રગ્રંથ. ‘નંદીસૂત્ર’ના લેખક દેવવાચક નામ ધરાવે છે અને તેઓ દુષ્યગણિના શિષ્ય હતા. તેમનો સમય ઈ. સ. ની પાંચમી સદીનો છે. ‘નંદીસૂત્ર’ પર જિનદાસગણિમહત્તરે ચૂર્ણિ નામની ટૂંકી સમજૂતી લખી છે, જ્યારે હરિભદ્ર તથા મલયગિરિએ ‘નંદીસૂત્ર’…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) બી. કે.

Jan 5, 1998

નહેરુ (નેહરુ), બી. કે. (જ. 4 સપ્ટેમ્બર 1909, અલ્લાહાબાદ, ઉ.પ્ર.; અ. 31 ઑક્ટોબર 2001, કસૌલી, હિમાચલપ્રદેશ) : ભારતીય રાજપુરુષ. આખું નામ બ્રિજકિશોર નહેરુ. બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર. બી.એસસી. સુધીનું તેમનું શિક્ષણ અલ્લાહાબાદ ખાતે થયું. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી હાંસલ કરી. તેઓ બેલિઓલ કૉલેજ(ઑક્સફર્ડ)માંથી પણ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), મોતીલાલ

Jan 5, 1998

નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), રામેશ્વરી

Jan 5, 1998

નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) સ્ટેડિયમ

Jan 5, 1998

નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં…

વધુ વાંચો >

નળ સરોવર

Jan 5, 1998

નળ સરોવર : અમદાવાદથી નૈર્ઋત્ય તરફ 59.55 કિમી.ના અંતરે અમદાવાદ-સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક અમદાવાદ જિલ્લામાં આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 22° 48´ ઉ.અ. અને 72° 03´ પૂ. રે.. તેનું કુલ ક્ષેત્રફળ 126.11 ચોકિમી. છે. લંબાઈ 32 કિમી. અને પહોળાઈ 6 કિમી જેટલી છે. આ સરોવર સાવ છીછરું છે. વર્ષના મોટા…

વધુ વાંચો >

નળાખ્યાન

Jan 5, 1998

નળાખ્યાન (1686) : મધ્યકાલીન ગુજરાતી કવિવર પ્રેમાનંદરચિત આખ્યાન. મૂળ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનના કથાવસ્તુનો મધ્યકાલીન જૈન કવિઓએ ઉપયોગ કર્યા પછી આખ્યાન રૂપે જૈનેતર કવિઓમાં ઈસવી સનની પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન થઈ ગયેલા ભાલણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પોતાના 30 કડવાંના ‘નળાખ્યાન’માં એણે જણાવ્યા પ્રમાણે શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’…

વધુ વાંચો >

નંગા પર્વત

Jan 5, 1998

નંગા પર્વત : પશ્ચિમ હિમાલયમાં આવેલાં ઉન્નત ગિરિશિખરો પૈકીનું એક. હિમાલયનાં ઊંચાં શિખરોમાં તેનું નવમું સ્થાન છે. તેની ઊંચાઈ 8,126 મીટર છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે.. ભૂમિતળથી ટોચ સુધીની ઊંચાઈના સંદર્ભમાં જોતાં તે સંભવત: દુનિયાભરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકીનું એક…

વધુ વાંચો >

નંદકુમાર મહારાજા

Jan 5, 1998

નંદકુમાર, મહારાજા (આશરે અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : બંગાળના નવાબ મીરજાફરનો દીવાન. બંગાળનો પ્રતિષ્ઠિત અને વગદાર બ્રાહ્મણ. સમાજના ઉચ્ચ ગણાતા લોકોનો સંપર્ક તે ધરાવતો હતો. બંગાળમાંથી મુસલમાનોના અમલનો નાશ કરવા તે ઉત્સુક હતો. બંગાળમાં સિરાજુદ્દૌલાના સમયથી થયેલા બધા રાજ્યપલટામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંગાળના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે (1772-1785) મીરકાસિમને…

વધુ વાંચો >

નંદબત્રીસી

Jan 5, 1998

નંદબત્રીસી : મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે રચેલી પદ્યવાર્તા. શામળ ‘નંદબત્રીસી’ને અંતે કહે છે : ‘કામિનીને જીતી જેહણે, જુગ બાધો જિત્યો તેહણે, છેલ્લો અક્ષર કહું છું સહી પરનારી સંગ કરવો નહીં.’ દૃઢ બદ્ધમૂલ શંકાનો કીડો એક વાર ચિત્તમાં પેઠા પછી માનવીના સત્વને કેવો તો કોરી ખાય છે તે આ કથાનો વિષય…

વધુ વાંચો >

નંદ, ભારદ્વાજ

Jan 5, 1998

નંદ, ભારદ્વાજ (જ. 1948, મદપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) : રાજસ્થાની નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર તથા હિંદી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1971થી પત્રકારત્વ અપનાવ્યું. જોધપુરથી પ્રકાશિત…

વધુ વાંચો >