૧૦.૦૫

નહેરુ (નેહરુ), બી. કે.થી નાઇટ્રોજનસ્થાપન (nitrogen fixation)

નંપુતિરિ, પૂનમ

નંપુતિરિ, પૂનમ (જ. 1540; અ. 1625) : મલયાળમ લેખક. મલયાળમમાં પ્રસિદ્ધ ચંપૂકાવ્યોની શરૂઆત કરનારા કવિ. એ કોષિક્કોડના સામુતિરી રાજાઓના રાજકવિ હતા તથા તત્કાલીન કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિનાં કાવ્યોનું પણ એમણે સંકલન કર્યું હતું. એમની મુખ્ય કૃતિ ‘ભાષા રામાયણ ચંપૂ’ છે. ‘ભારતમ્’, ‘કામદહનમ્’, ‘પારિજાતહરણમ્’ આદિ એમનાં ચંપૂકાવ્યો છે. તે પૌરાણિક કથાઓ…

વધુ વાંચો >

નંપુનરિ, વિષ્ણુનારાયણ

નંપુનરિ, વિષ્ણુનારાયણ (જ. 2 જૂન 1939, તિરુવક્કલ, કેરળ) : મલયાળમ કવિ. એમના દાદા સંસ્કૃતના પંડિત હતા. એટલે શાળાના ભણતર સાથે સાથે દાદા પાસેથી પણ સંસ્કૃતનું અધ્યયન કરતા રહ્યા. તે પછી કૉલેજમાં ઐચ્છિક વિષય અંગ્રેજી લઈ બી.એ.માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા ને તરત જ જે કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

નાઇજર (દેશ)

નાઇજર (દેશ) : પશ્ચિમ આફ્રિકામાં સહરાના રણપ્રદેશની દક્ષિણ કિનારી પર આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 12° 05´ ઉ. અ.થી 23° 30´ ઉ. અ. અને 0° 05´ પૂ. રે.થી 15° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે બધી બાજુએ ભૂમિભાગથી ઘેરાયેલો છે. સમુદ્રકિનારો તેનાથી ઉત્તરમાં આશરે 1,000 કિમી. અને…

વધુ વાંચો >

નાઇજર (નદી)

નાઇજર (નદી) : આફ્રિકાની નાઇલ અને ઝાઈર (ડેમૉક્રેટિક રિપબ્લિક ઑવ્ કૉંગો) પછીના ત્રીજા ક્રમે આવતી મોટી નદી. તે પશ્ચિમ આફ્રિકામાં આવેલી છે અને નાઇજરના નૈર્ઋત્ય ભાગમાંથી પસાર થાય છે. તેની લંબાઈ 4,185 કિમી. તથા સમગ્ર સ્રાવક્ષેત્રનો વિસ્તાર 15,54,000 ચોકિમી. જેટલો છે. તેના પ્રવાહમાર્ગમાં નદીતળ પર ઘણા પ્રવેગકારી પ્રપાત (rapids) આવેલા…

વધુ વાંચો >

નાઇજિરિયા

નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…

વધુ વાંચો >

નાઇટિંગેલ, ફ્લૉરેન્સ

નાઇટિંગેલ, ફ્લૉરેન્સ (જ. 12 મે 1820, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 13 ઑગસ્ટ 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ ઑર્ડર ઑવ્ મેરિટનાં પ્રથમ સ્ત્રી વિજેતા (1907). 1854–56ના ક્રિમિયન યુદ્ધમાંથી તેમની સેવાઓએ તબીબી વિદ્યામાંની પરિચારિકા સેવાઓ(nursing services)માં એક ક્રાંતિના જેવો ફેરફાર આણ્યો હતો. તે કામગીરીને વિશ્વમાં બધે બિરદાવાઈ છે. તેમને લોકો દીવાવાળી દેવી (lady…

વધુ વાંચો >

નાઇટ્રસ ઍસિડ

નાઇટ્રસ ઍસિડ : આછા વાદળી રંગના દ્રાવણ રૂપે મળતો નાઇટ્રોજનનો નિર્બળ (weak) ઍસિડ. તેનું સૂત્ર છે HNO2. અણુભાર 47.01 તથા સંરચનાત્મક સૂત્ર શુદ્ધ સ્વરૂપમાં નાઇટ્રસ ઍસિડ મેળવી શકાયો નથી પરંતુ તેનાં ઊંચા સંકેન્દ્રણવાળાં જલીય દ્રાવણો નાઇટ્રાઇટ ક્ષારો(દા. ત.,  બેરિયમ નાઇટ્રાઇટ)માં ઍસિડ ઉમેરીને મેળવી શકાય છે. Ba(NO2)2 + H2SO4 → 2HNO2 +…

વધુ વાંચો >

નાઇટ્રાઇટ

નાઇટ્રાઇટ : અસ્થાયી નાઇટ્રસ ઍસિડ(HNO2)માંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો  ક્ષારો તથા લવણો  પૈકીનું ગમે તે એક સંયોજન ક્ષારો. દા. ત., સોડિયમ નાઇટ્રાઇટ, NaNO2 આયનિક સંયોજનો હોઈ તેઓ નાઇટ્રાઇટ ઋણાયન (NO2-) ધરાવે છે. આ ઋણાયનમાં બંધ – કોણ (bond angle) 115° હોય છે. નાઇટ્રસ ઍસિડના એસ્ટરો (esters) સહસંયોજક સંયોજનો હોઈ R-O-N-O…

વધુ વાંચો >

નાઇટ્રાઇડ

નાઇટ્રાઇડ : નાઇટ્રોજન કરતાં ઓછી ઇલેક્ટ્રૉન-ઋણતા ધરાવતાં અથવા વધુ ધનવિદ્યુતી (electropositive) તત્ત્વો સાથે નાઇટ્રોજનનાં દ્વિ-અંગી સંયોજનો. (અપવાદ : એઝાઇડ N3–). આવર્તક કોષ્ટકમાંના સમૂહ a 1 ની ધાતુઓની નાઇટ્રોજન સાથે પ્રત્યક્ષ (direct) પ્રક્રિયાથી એઝાઇડ બને છે જેને કાળજીપૂર્વક (ધડાકો થતો અટકાવવા માટે) ગરમ કરતાં વિઘટન પામીને ઘન નાઇટ્રાઇડ, દા. ત., Li3N,…

વધુ વાંચો >

નાઇટ્રાઇડિંગ

નાઇટ્રાઇડિંગ : પોલાદના દાગીનાની સપાટી પર નાઇટ્રાઇડના પડ દ્વારા કઠિનીકરણની પ્રવિધિ. આયર્ન કાર્બાઇડની માફક આયર્ન નાઇટ્રાઇડ પણ સખત (કઠણ) હોય છે. એટલે પૃષ્ઠ કઠિનીકરણ માટે કાર્બુરાઇઝિંગની રીત ઉપરાંત નાઇટ્રાઇડિંગની રીત પણ વપરાય છે. જે દાગીના પર નાઇટ્રાઇડિંગ કરવાનું હોય તેને વાયુચુસ્ત ભઠ્ઠીમાં ગોઠવવામાં આવે છે અને 500° સે. તાપમાન સુધી…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) બી. કે.

Jan 5, 1998

નહેરુ (નેહરુ), બી. કે. (જ. 4 સપ્ટેમ્બર 1909, અલ્લાહાબાદ, ઉ.પ્ર.; અ. 31 ઑક્ટોબર 2001, કસૌલી, હિમાચલપ્રદેશ) : ભારતીય રાજપુરુષ. આખું નામ બ્રિજકિશોર નહેરુ. બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર. બી.એસસી. સુધીનું તેમનું શિક્ષણ અલ્લાહાબાદ ખાતે થયું. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી હાંસલ કરી. તેઓ બેલિઓલ કૉલેજ(ઑક્સફર્ડ)માંથી પણ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), મોતીલાલ

Jan 5, 1998

નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), રામેશ્વરી

Jan 5, 1998

નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ) સ્ટેડિયમ

Jan 5, 1998

નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ સ્ટેડિયમમાં…

વધુ વાંચો >

નળ સરોવર

Jan 5, 1998

નળ સરોવર : અમદાવાદથી નૈર્ઋત્ય તરફ 59.55 કિમી.ના અંતરે અમદાવાદ-સુરેન્દ્રનગરની જિલ્લા સરહદ નજીક અમદાવાદ જિલ્લામાં આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 22° 48´ ઉ.અ. અને 72° 03´ પૂ. રે.. તેનું કુલ ક્ષેત્રફળ 126.11 ચોકિમી. છે. લંબાઈ 32 કિમી. અને પહોળાઈ 6 કિમી જેટલી છે. આ સરોવર સાવ છીછરું છે. વર્ષના મોટા…

વધુ વાંચો >

નળાખ્યાન

Jan 5, 1998

નળાખ્યાન (1686) : મધ્યકાલીન ગુજરાતી કવિવર પ્રેમાનંદરચિત આખ્યાન. મૂળ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનના કથાવસ્તુનો મધ્યકાલીન જૈન કવિઓએ ઉપયોગ કર્યા પછી આખ્યાન રૂપે જૈનેતર કવિઓમાં ઈસવી સનની પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન થઈ ગયેલા ભાલણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પોતાના 30 કડવાંના ‘નળાખ્યાન’માં એણે જણાવ્યા પ્રમાણે શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’…

વધુ વાંચો >

નંગા પર્વત

Jan 5, 1998

નંગા પર્વત : પશ્ચિમ હિમાલયમાં આવેલાં ઉન્નત ગિરિશિખરો પૈકીનું એક. હિમાલયનાં ઊંચાં શિખરોમાં તેનું નવમું સ્થાન છે. તેની ઊંચાઈ 8,126 મીટર છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 74° 36´ પૂ. રે.. ભૂમિતળથી ટોચ સુધીની ઊંચાઈના સંદર્ભમાં જોતાં તે સંભવત: દુનિયાભરનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકીનું એક…

વધુ વાંચો >

નંદકુમાર મહારાજા

Jan 5, 1998

નંદકુમાર, મહારાજા (આશરે અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : બંગાળના નવાબ મીરજાફરનો દીવાન. બંગાળનો પ્રતિષ્ઠિત અને વગદાર બ્રાહ્મણ. સમાજના ઉચ્ચ ગણાતા લોકોનો સંપર્ક તે ધરાવતો હતો. બંગાળમાંથી મુસલમાનોના અમલનો નાશ કરવા તે ઉત્સુક હતો. બંગાળમાં સિરાજુદ્દૌલાના સમયથી થયેલા બધા રાજ્યપલટામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંગાળના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે (1772-1785) મીરકાસિમને…

વધુ વાંચો >

નંદબત્રીસી

Jan 5, 1998

નંદબત્રીસી : મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે રચેલી પદ્યવાર્તા. શામળ ‘નંદબત્રીસી’ને અંતે કહે છે : ‘કામિનીને જીતી જેહણે, જુગ બાધો જિત્યો તેહણે, છેલ્લો અક્ષર કહું છું સહી પરનારી સંગ કરવો નહીં.’ દૃઢ બદ્ધમૂલ શંકાનો કીડો એક વાર ચિત્તમાં પેઠા પછી માનવીના સત્વને કેવો તો કોરી ખાય છે તે આ કથાનો વિષય…

વધુ વાંચો >

નંદ, ભારદ્વાજ

Jan 5, 1998

નંદ, ભારદ્વાજ (જ. 1948, મદપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) : રાજસ્થાની નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર તથા હિંદી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1971થી પત્રકારત્વ અપનાવ્યું. જોધપુરથી પ્રકાશિત…

વધુ વાંચો >