ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૈવિક એકમો

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

ઠંડું યુદ્ધ

Jan 15, 1997

ઠંડું યુદ્ધ (Cold War) : 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારપછી સામ્યવાદી અને બિનસામ્યવાદી રાષ્ટ્રજૂથો વચ્ચે ઊભો થયેલો તીવ્ર સ્પર્ધાત્મક સંઘર્ષ. બીજા વિશ્વયુદ્ધના અંતે એક તરફ અણુયુદ્ધના ભયને લીધે સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેની સાથી સત્તાઓ તથા બીજી બાજુએ સોવિયેત સંઘ અને અન્ય સામ્યવાદી દેશો વચ્ચે જે વ્યૂહાત્મક (પ્રચારાત્મક, આર્થિક…

વધુ વાંચો >

ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી

Jan 15, 1997

ઠાકર, જયકૃષ્ણ ઇન્દ્રજી (જ. 1849, લખપત; અ. 1929) : ગુજરાતના સર્વપ્રથમ અને પ્રખર વનસ્પતિશાસ્ત્રી. જન્મ કચ્છના લખપત ગામે ગિરનારા બ્રાહ્મણ કુટુંબમાં. ગરીબાઈને કારણે તેઓ ઉદાર સખી ગૃહસ્થોની મદદથી માંડ અંગ્રેજીના ચાર ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 14 વર્ષની વયે અભ્યાસ તજી આજીવિકા મેળવવા દલાલી, ગ્રંથવિક્રય તથા રસોઇયા તરીકેનું…

વધુ વાંચો >

ઠાકર, જશવંત

Jan 15, 1997

ઠાકર, જશવંત (જ. 5 મે 1915, મહેળાવ, જિ. ખેડા; અ. 25 ડિસેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના સુપ્રસિદ્ધ નટ, દિગ્દર્શક, નાટ્યકાર અને નાટ્યવિદ. તે દયાશંકર ઠાકરના પુત્ર. નાટ્યક્ષેત્રે નાનપણથી જ એમનામાં રાષ્ટ્રભાવનાનું બીજ રોપાયેલું, વ્યાયામશાળાની પ્રવૃત્તિએ તેને વિકસાવ્યું. પંદરમા વર્ષથી જ સ્વાતંત્ર્યલડતમાં જોડાઈને તેમણે ‘અભેદ્યમંડળ’ની સ્થાપના કરી. ખાદીની ટોપી પહેરવા બદલ…

વધુ વાંચો >

ઠાકર, ધનંજય નર્મદાશંકર

Jan 15, 1997

ઠાકર, ધનંજય નર્મદાશંકર (જ. 30 જૂન 1912, જેતલસર, જિ. રાજકોટ; અ. 17 નવેમ્બર 2009, અમદાવાદ) : ગુજરાતી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યશિક્ષક. મૂળ વતન વીરમગામ. પિતા અમદાવાદમાં સ્થાયી થયેલા તેથી અમદાવાદમાં શિક્ષણ લીધેલું. ગુજરાત કૉલેજમાં બી.એસસી. સુધી અભ્યાસ કરીને (1928–1932) 1936માં મુંબઈની એસ.ટી. કૉલેજમાંથી બી.ટી. થયા. ગુજરાત કૉલેજમાં હતા ત્યારે…

વધુ વાંચો >

ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર

Jan 15, 1997

ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર (જ. 27 જૂન 1918, કોડીનાર, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 24 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ‘સવ્યસાચી’. વિવેચક–સંશોધક–સંપાદક અને નાટ્યવિદ. ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક. વતન વીરમગામ. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. પિતા તલાટી, વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો, પ્રાકૃતિક સૌંદર્યનો…

વધુ વાંચો >

ઠાકર, રમેશ

Jan 15, 1997

ઠાકર, રમેશ (જ. 27 જૂન 1931, વડોદરા) : ગુજરાતના તસવીરકાર-ચિત્રકાર અને કલાસંગ્રાહક; ટપાલ-ટિકિટસંગ્રાહક, હસ્તાક્ષરસંગ્રાહક તેમજ સંગીત-સંગ્રાહક. ગુજરાતના વઢવાણ શહેરના વતની. ફોટોગ્રાફર પિતા તથા કલાચાહક દેશપ્રેમી વડીલ બંધુ ભૂપતભાઈની પ્રેરણાથી માત્ર અગિયાર વર્ષની વયે ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો. 1943માં કરાંચી રહેવા જવાનું થતાં અનેક રાષ્ટ્રીય નેતાઓને મળવાનું અને સાંભળવાનું બન્યું.…

વધુ વાંચો >

ઠાકર, લાભશંકર જાદવજી

Jan 15, 1997

ઠાકર, લાભશંકર જાદવજી (જ. 14 જાન્યુઆરી 1935, સેડલા, જિ. સુરેન્દ્રનગર; અ. 6 જાન્યુઆરી 2016, અમદાવાદ) : સાહિત્યસર્જક. ઉપનામ ‘પુનર્વસુ’. દોઢ-બેની વયે સેડલાથી પાટડીમાં સ્થળાંતર. પાટડીમાં 8 ધોરણના અભ્યાસ પછી નવમાથી છેક એમ.એ. (1959) અને ડિપ્લોમા ઑવ્ શુદ્ધ આયુર્વેદિક કોર્સ (1964) સુધીનો અભ્યાસ અમદાવાદમાં. 1962નો ‘કુમાર’ ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક. 1981માં રણજિતરામ…

વધુ વાંચો >

ઠાકર, વિનાયક જે.

Jan 15, 1997

ઠાકર, વિનાયક જે. (જ. 23 ડિસેમ્બર 1920, જોડિયા, જિ. જામનગર) : ભારતના આયુર્વેદક્ષેત્રના એક પ્રસિદ્ધ ગુજરાતી વિદ્વાન. તેઓ વેદ, વ્યાકરણ, સંસ્કૃત. સાહિત્ય અને આયુર્વેદના સમર્થ પંડિત તથા ચિંતક છે. તેમણે પ્રાપ્ત કરેલી ઉપાધિઓ આ મુજબ છે : વ્યાકરણ મધ્યમાના સાહિત્યશાસ્ત્રી. કાવ્યતીર્થ એ.એમ.એસ. ડી.લિટ.(આયુ.), એફ.એન.એ.આઇ.એમ. (ઑનર્સ) (વારાણસી), એફ.આર.એ.વી.એમ. (નવી દિલ્હી), ચરકસંહિતાના…

વધુ વાંચો >

ઠાકરશી, પ્રેમલીલા (લેડી)

Jan 15, 1997

ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

ઠાકરશી, સર વિઠ્ઠલદાસ દામોદર

Jan 15, 1997

ઠાકરશી, સર વિઠ્ઠલદાસ દામોદર (જ. 30 નવેમ્બર 1873, મુંબઈ; અ. 1921) : મુંબઈના લબ્ધપ્રતિષ્ઠ ઉદ્યોગપતિ, જાહેર કાર્યકર્તા અને દાનવીર. (સર) વિઠ્ઠલદાસનો જન્મ ભાટિયા જ્ઞાતિના શ્રીમંત વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ નાથીબાઈ હતું. 1879થી 1891માં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરીને ડિસેમ્બર, 1891માં તેમણે મુંબઈ…

વધુ વાંચો >