ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण)

Jan 25, 1996

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण) : 1953માં સિંઘી જૈન ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી વિશિષ્ટ પ્રાકૃત રચના. તેના કર્તા સુમતિસૂરિ પાડિચ્છયગચ્છીય આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય હતા. ગ્રંથનો સમય નિશ્ચિત નથી. એક પ્રાચીન પ્રતમાં તે અણહિલવાડ પાટણમાં સં. 1246માં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે આની રચના તે પહેલાં થઈ હોવી જોઈએ. તેમાં જિનદત્તનાં બે આખ્યાનો છે.…

વધુ વાંચો >

જિન દ થેવેનો

Jan 25, 1996

જિન દ થેવેનો (જ. 1633, પૅરિસ; અ. 28 નવેમ્બર 1667, નૈના, તબરીઝ) : જગતનો નામાંકિત પ્રવાસી. ગુજરાતમાં એ 1666માં આવ્યો હતો. તેણે કરેલું સૂરત અને અમદાવાદનું વર્ણન ઘણું બારીક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 18 વર્ષે પૅરિસ યુનિવર્સિટીની નવારે કૉલેજમાંથી ભણી ઊતરેલો થેવેનો જગતપ્રવાસનાં સ્વપ્નાં સેવતો હતો. આ ઉપક્રમમાં એણે…

વધુ વાંચો >

જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ)

Jan 25, 1996

જિનદાસ મહત્તર (આશરે આઠમી સદીનો પૂર્વાર્ધ) : જૈન આગમના એક વ્યાખ્યાકાર. જૈન આગમના વ્યાખ્યાકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા જિનદાસ મહત્તર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન હતા. ચૂર્ણિ સાહિત્ય અનુસાર પિતાનું નામ નાગ અને માતાનું નામ ગોપા. વજ્રશાખીય મહાન વિદ્વાન આચાર્ય ગોપાલગણિ મહત્તર તેમના ધર્મગુરુ અને પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ તેમના વિદ્યાગુરુ હતા. ગુરુ…

વધુ વાંચો >

જિનપ્રભસૂરિ

Jan 25, 1996

જિનપ્રભસૂરિ : જિનપ્રભ નામના ઘણા આચાર્યો થયા છે. પ્રસ્તુત જિનપ્રભ ‘વિવિધ તીર્થકલ્પ’ નામક પ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિના રચનાકાર છે અને સ્તોત્રસાહિત્યના વિશિષ્ટ નિર્માતા છે. જિનપ્રભસૂરિ જિનેશ્વરસૂરિના પ્રશિષ્ય અને લઘુ ખરતરગચ્છ—અપર નામ શ્રીમાલગચ્છના સંસ્થાપક આચાર્ય જિનસિંહસૂરિના શિષ્ય હતા. જિનપ્રભસૂરિ વૈશ્ય વંશના હતા. એમનું ગોત્ર તામ્બી હતું. તે હિલવાડીનિવાસી શ્રેષ્ઠી મહિધરના પૌત્ર અને…

વધુ વાંચો >

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી)

Jan 25, 1996

જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિક્રમની સાતમી સદી) : નિવૃત્તિ કુળના મહાન આચાર્ય. તેમના બે ભાષ્યગ્રંથ હાલ ઉપલબ્ધ છે : (1) જિતકલ્પ ભાષ્ય તથા (2) વિશેષાવશ્યક ભાષ્ય. ‘જિતકલ્પ ભાષ્ય’માં જ્ઞાનપંચક, પ્રાયશ્ચિત્ત વગેરે અનેક આવશ્યક વિષયોનું વર્ણન છે. આવશ્યક સૂત્ર ઉપર 3 ભાષ્ય છે. તેમાં ‘વિશેષાવશ્યક ભાષ્ય’ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યયન સામાયિક સૂત્ર ઉપર…

વધુ વાંચો >

જિનવિજયજી

Jan 25, 1996

જિનવિજયજી (જ. 27 જાન્યુઆરી 1888, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. 3 જૂન 1976) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ…

વધુ વાંચો >

જિનસેંગ

Jan 25, 1996

જિનસેંગ : તે દ્વિબીજલાના કુળ Araliaceaeનો 50 સેમી. ઊંચો છોડ છે. તેના સહસભ્યોમાં Schefflera, Oreopanax, Polyscias, Hedera વગેરે છે. તેને ભારતમાં ઉગાડવામાં આવે છે. જિનસેંગનાં લૅટિન નામ Panax ginseng C. A. Mey અને P. quinquefolium Linn છે. હિમાલયનાં ઊંચાં શિખરો પર P. pseudoginsengL મળે છે. જિનસેંગ તે Panaxનાં મૂળ છે.…

વધુ વાંચો >

જિનાન

Jan 25, 1996

જિનાન : ચીનના શાડોંગ પ્રાંતનું પાટનગર. વૅન્ગ હો નદીની દક્ષિણે બેજિંગથી 370 કિમી. દક્ષિણે આવેલું આ શહેર 36° 40’ ઉ. અ. અને 116° 57’ પૂ. રે. પર આવેલું છે. શાડોંગ પ્રાંતના મહત્ત્વના ઉદ્યોગ-વ્યાપાર કેન્દ્રમાં તેની ગણના થાય છે. ત્યાં ખાદ્ય પદાર્થોની પ્રક્રિયા, રસાયણો, લોખંડ અને પોલાદ, મશીન ટૂલ્સ, વીજળીનાં ઉપકરણો,…

વધુ વાંચો >

જિનીવા

Jan 25, 1996

જિનીવા : સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 46° 12’ ઉ. અ. અને 6° 09’ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર 18…

વધુ વાંચો >

જિનીવા ઘોષણા

Jan 25, 1996

જિનીવા ઘોષણા : તબીબી આચારસંહિતા(code of medical ethics)ને આવરી લેતી જાહેરાત. તે સારણી 1માં દર્શાવી છે. ઈ. પૂ. 460માં જન્મેલા હિપૉક્રટીઝે રચેલી આ પ્રતિજ્ઞા દરેક તબીબને તેના વ્યવસાયમાં નીતિ જાળવવા માટેની આચારસંહિતા (code) બની રહેલ છે. ભારતમાં મેડિકલ કાઉન્સિલે પણ એક તબીબી આચારસંહિતા બનાવેલી છે. 1975માં સુધારેલી હેલસિન્કી જાહેરાતમાં જૈવ-તબીબી…

વધુ વાંચો >