ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

જયપ્રકાશ નારાયણ

Jan 18, 1996

જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને…

વધુ વાંચો >

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ)

Jan 18, 1996

જયભિખ્ખુ (દેસાઈ, બાલાભાઈ વીરચંદ) (જ. 26 જૂન 1908, વીંછિયા, જિ. રાજકોટ; અ. 24 ડિસેમ્બર 1969, અમદાવાદ) : અન્ય ઉપનામ — ‘ભિક્ષુ સાયલાકર’. ‘વીરકુમાર’, ‘મુનીન્દ્ર’. વીસા શ્રીમાળી જૈન. માતા પાર્વતીબહેન, પિતા વીરચંદભાઈ, પત્ની વિજયાબહેન, પુત્ર કુમારપાળ દેસાઈ. પિતાશ્રી વરસોડામાં કારભારી હતા. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો વીંછિયામાં. પછી બોટાદ અને ઉત્તર ગુજરાતના…

વધુ વાંચો >

જયરામદાસ દોલતરામ

Jan 18, 1996

જયરામદાસ દોલતરામ (જ. 1891; અ. 1979) : રાષ્ટ્રીય નેતા તથા સંશોધક. મૅટ્રિકમાં સમગ્ર સિંધમાં પ્રથમ તથા એલએલ.બી.માં મુંબઈ યુનિવર્સિટીમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા હતા 1911થી તેમણે સ્વાતંત્ર્યઆંદોલનમાં ઝંપલાવ્યું. સિંધમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ‘સ્વરાજ આશ્રમ’ની સ્થાપના કરી. ‘ભારતવાસી’ના તંત્રીસ્થાનેથી અંગ્રેજ સરકારની નીતિની ટીકા કરતાં બે વરસની કેદ ભોગવી. 1925માં દિલ્હીના ‘હિન્દુસ્તાન…

વધુ વાંચો >

જયલલિતા જયરામ

Jan 18, 1996

જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ…

વધુ વાંચો >

જયવર્દને, જે. આર.

Jan 19, 1996

જયવર્દને, જે. આર. (જ. 17 સપ્ટેમ્બર 1906, કોલંબો; અ. 1 નવેમ્બર 1996, કોલંબો, શ્રીલંકા) : શ્રીલંકાના પ્રમુખ (1978-79), સર્વોચ્ચ અદાલતના વકીલ અને રાજપુરુષ. પૂરું નામ જુનિયસ રિચર્ડ જયવર્દને. પિતા ઈ. ડબલ્યુ. જયવર્દને ન્યાયમૂર્તિ હતા; માતા એ. એચ. વિજેવર્દને. તેમણે કોલંબોની રૉયલ કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને કાયદાનો અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

જયવંત, નલિની

Jan 19, 1996

જયવંત, નલિની (જ. 18 ફેબ્રુઆરી 1926, મુંબઈ; અ. 20 ડિસેમ્બર 2010, ચેમ્બુર, મુંબઈ) : રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી તથા અગ્રણી અભિનેત્રી શોભના સમર્થની પિતરાઈ બહેન. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ હતો. માત્ર 6 વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં હતા. 10 વર્ષની વયે…

વધુ વાંચો >

જયવંતસૂરિ (સોળમી સદી)

Jan 19, 1996

જયવંતસૂરિ (સોળમી સદી) : અપરનામ ગુણસૌભાગ્યસૂરિ. જૈન સાધુ. વડતપગચ્છની રત્નાકર શાખામાં વિનયમંડન ઉપાધ્યાયના સૌથી નાના શિષ્ય. ‘કાવ્યપ્રકાશ’ની ટીકાની પ્રત લખાવડાવી જ્ઞાનભંડારમાં મુકાવવાનો રસ ધરાવનાર આ સાધુકવિ કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, સમસ્યાબંધો, સંગીતશાસ્ત્ર, સંસ્કૃત-પ્રાકૃત કાવ્યપરંપરા તથા લોકવ્યવહારની ઊંડી અભિજ્ઞતા દર્શાવે છે અને પોતાની ‘પંડિત’ એવી ઓળખ સાર્થક કરે છે તથા પોતાની કૃતિઓમાં…

વધુ વાંચો >

જયશિખરી

Jan 19, 1996

જયશિખરી : (ઈ. સ.ની 8મી સદી) ઉત્તર ગુજરાતમાં પંચાસરનો શૂરવીર રાજવી તથા વનરાજ ચાવડાનો પિતા. કૃષ્ણ કવિએ હિંદી પદ્યમાં રચેલ ‘રત્નમાળ’(સત્તરમી-અઢારમી સદી)માં વનરાજનો પિતા જયશિખરી એના સોળ સામંતો સાથે પંચાસરમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આનુશ્રુતિક વૃત્તાંત અનુસાર જયશિખરીએ કનોજના રાજા ભુવડનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. ભુવડે તેની સામે સેના મોકલી;…

વધુ વાંચો >

જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ)

Jan 19, 1996

જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. અંચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. 1364માં આચાર્યપદ પ્રાપ્ત થયું. 1406 સુધીની એમની રચનાઓ મળે છે. ખંભાતની રાજસભાએ એમને ‘કવિચક્રવર્તી’નું બિરુદ આપેલું. ‘જૈન કુમારસંભવ’ નામક પોતાની રચનામાં તેમણે પોતાને ‘વાણીદત્તવર:’ તરીકે ઓળખાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃતના પ્રખર જ્ઞાતા આ સાધુકવિના અનેક વિદ્વાન…

વધુ વાંચો >

જયસિંઘાણી, શ્યામ

Jan 19, 1996

જયસિંઘાણી, શ્યામ [જ. 12 ફેબ્રુઆરી, 1937 ક્વેટા, બલૂચિસ્તાન (હાલ પાકિસ્તાનમાં)] : જાણીતા સિંધી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, કવિ અને સંપાદક. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ઝિલઝિલો’(1998) માટે 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. (ઑનર્સ) થયા. તેમણે જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, મુંબઈમાંથી ફોટોગ્રાફીના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >