ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ

Jan 15, 1996

ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની…

વધુ વાંચો >

ચૌર પંચાશિકા

Jan 15, 1996

ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી…

વધુ વાંચો >

ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ

Jan 15, 1996

ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 1 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની…

વધુ વાંચો >

ચૌરંગીનાથ

Jan 15, 1996

ચૌરંગીનાથ (નવમી–દસમી સદી) : ચોરાસી સિદ્ધો પૈકીના એક સિદ્ધ. સિદ્ધોના ક્રમમાં એમને ત્રીજું અને અન્ય મતે દસમું સ્થાન અપાયું છે. ચૌરંગીનાથ મત્સ્યેન્દ્રનાથના શિષ્ય અને ગોરખનાથના ગુરુભાઈ હતા. એમનો જન્મ સિયાલકોટના રાજા શાલિવાહનને ત્યાં થયો હતો પરંતુ એમની ઓરમાન માતાએ દ્વેષથી એમના પગ કપાવી નાખ્યા હતા. ડૉ. હજારીપ્રસાદ દ્વિવેદીને મતે પંજાબ…

વધુ વાંચો >

ચૌલા :

Jan 15, 1996

ચૌલા : ગુજરાતી નવલકથાકાર કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’(1937)ની નાયિકા. ચૌલાદેવી ભગવાન શિવને સમર્પિત નર્તકી હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકી વંશના બાણાવળી રાજા ભીમદેવની પ્રેમિકા તરીકે તેનું ચરિત્ર ઊપસી આવેલું છે. ગુજરાતની અસ્મિતાને જાળવવા ઝઝૂમતાં પાત્રોમાં ચૌલાનું સ્થાન પણ સ્મરણીય છે. મુનશીએ આલેખેલી ચૌલા વિલક્ષણ છે. તેની મા પણ…

વધુ વાંચો >

ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત

Jan 15, 1996

ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત : ગુજરાતના ચૌલુક્યો(સોલંકીઓ)નો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ નિરૂપતું અંગ્રેજી પુસ્તક (1956). લેખક ભારતીય વિદ્યાભવન, મુંબઈના પ્રાધ્યાપક ડૉ. અશોકકુમાર મજુમદાર. રાજકીય ઇતિહાસમાં લેખકે ચૌલુક્યોની ઉત્પત્તિને લગતા વિવિધ મતોની મીમાંસા કરી, મૂલરાજના વંશના તેમજ વાઘેલા વંશના ચૌલુક્ય રાજાઓની કારકિર્દી 9 પ્રકરણોમાં નિરૂપી છે. એ પછી એ રાજાઓની સાલવારી અલગ…

વધુ વાંચો >

ચૌલુક્ય વંશ

Jan 15, 1996

ચૌલુક્ય વંશ (942–1304) : ગુજરાતમાં શાસન કરતા ચૌલુક્યોનો વંશ. ગુજરાતીમાં જેને ‘સોલંકી’ કહે છે તેને સંસ્કૃતમાં ‘ચૌલુક્યો’ કહેતા. મૂળમાં આ કુળનું નામ ‘ચુલિક’ (કે ‘શુલિક’) નામે જાતિના નામ પરથી પડ્યું લાગે છે; પરંતુ આગળ જતાં એની વ્યુત્પત્તિ ‘ચુલુક’ (ખોબો) પરથી દર્શાવવામાં આવી છે. અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય સત્તા સ્થાપનાર મૂલરાજના પિતા…

વધુ વાંચો >

ચૌલ્ટ્રી

Jan 15, 1996

ચૌલ્ટ્રી : દક્ષિણનાં મંદિરોના સ્થાપત્યમાં મંદિરોના સંકુલમાં રચવામાં આવતો વિશાળ મંડપ. આવા મંડપોની રચના એક અથવા વધારે દાનવીરોની યાદમાં કરવામાં આવતી અને તેમાં વપરાયેલા સ્તંભો સાથે ઘણી વખત દાનવીરોની પ્રતિમાઓ જોડવામાં આવતી. આવા મંડપોમાં ધાર્મિક વિધિઓ માટે સમૂહોમાં લોકો એકઠા થતા. ખાસ કરીને મદુરા અને તાંજોરનાં મંદિરો સાથે બંધાયેલી આવી…

વધુ વાંચો >

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ

Jan 15, 1996

ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ (જ. 21 જુલાઈ 1947 બરેલી, ઉત્તર- પ્રદેશ; અ. 16 ઑગસ્ટ 2020, ગુરુગ્રામ) : ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન તથા ઑફબ્રેક ગોલંદાજ અને વિકેટની નજીકનો ચપળ ક્ષેત્રરક્ષક. ચેતન ચૌહાણના પિતા આર્મી ઑફિસર હતા. 1960માં તેમણે પૂનામાં વસવાટ કર્યો. ચેતન ચૌહાણે બી.એ.ની ડિગ્રી વાડિયા કૉલેજ પુણેમાંથી મેળવી. તેમણે રોહનટન બારિમા ટ્રોફી…

વધુ વાંચો >

ચૌહાણ, ભેરૂસિંહ

Jan 15, 1996

ચૌહાણ, ભેરૂસિંહ (જ. 27 જુલાઈ 1961) : કબીરાદિ નિર્ગુણ ગાયક-પરંપરાના પદ્મશ્રીથી પુરસ્કૃત માળવી લોકગાયક. તેમનો જન્મ મધ્યપ્રદેશના મઉ નગરમાં થયો જ્યારે ઇંદોર જિલ્લાના બજરંગપુરા નામના નાના ગામે એમનો પૈતૃક વસવાટ હતો. એમના પિતા માદૂ ચૌહાણ કબીરની વાણી ગાતા હતા. ભેરૂસિંહ નવ વર્ષે પિતાની સાથે ગામેગામ કબીરવાણી ગાવા જતા. આથી એમને…

વધુ વાંચો >