ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >

જૈવરાસાયણિક જનીનવિદ્યા

Jan 31, 1996

જૈવરાસાયણિક જનીનવિદ્યા : જૈવરાસાયણિક પ્રતિક્રિયાઓનો જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તેવી જનીનવિદ્યાની શાખા. આનુવંશિક લક્ષણોના સંચારણમાં જનીનો અગત્યનો ભાગ ભજવે છે. વારસા રૂપે માતા-પિતાનાં શરીરમાં આવેલા જનીનો સંતાનોમાં ઊતરે છે. જનીનોમાં આનુવંશિક લક્ષણો સાથે સંકળાયેલી માહિતી સંકેત રૂપે આવેલી હોય છે. ગર્ભની વિકાસાવસ્થા દરમિયાન સંકેતોના લિપ્યંતરથી, કોષો વિશિષ્ટ જૈવરસાયણોનું સંશ્લેષણ…

વધુ વાંચો >

જૈવરાસાયણિક નિક્ષેપો

Jan 31, 1996

જૈવરાસાયણિક નિક્ષેપો (biochemical deposits) : જીવંત જીવનસ્વરૂપોની પ્રવૃત્તિઓ દ્વારા થતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે તૈયાર થતા નિક્ષેપો. જીવનસ્વરૂપોની ક્રિયાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સીધી કે આડકતરી રીતે પરિણમતા અવક્ષેપિત નિક્ષેપોનો પણ આ પર્યાય હેઠળ સમાવેશ થાય છે; જેમ કે, બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજનિક્ષેપો અને ચૂનાખડકો. પાણીમાં રહેલા દ્રાવ્ય ઘટકો વચ્ચે અવક્ષેપણ થવાના સંજોગો હેઠળ પ્રક્રિયાઓ…

વધુ વાંચો >

જૈવ વર્ણપટ

Jan 31, 1996

જૈવ વર્ણપટ (biological spectrum) : કોઈ પણ પ્રકારના પર્યાવરણમાં અથવા નિયત નિવસનતંત્રની પરિસીમામાં વિકાસ પામતા વનસ્પતિ અને પ્રાણીના સમુદાય. ઉદાહરણ તરીકે, જંગલમાં આવેલાં વૃક્ષો, ક્ષુપ, છોડ, વેલી-મહાકાય લતા, પરરોહી છોડ તથા આ વનસ્પતિઓ પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, જીવ-જંતુઓ, ફૂગ તથા જીવાણુઓ વગેરે એકકોષી સજીવોથી માંડી બહુકોષી મહાકાય સજીવો જૈવ…

વધુ વાંચો >

જૈવરાસાયણિક શ્વસન

Jan 31, 1996

જૈવરાસાયણિક શ્વસન (biochemical oxidation) : સજીવોમાં શક્તિ ઉત્પન્ન કરતી અગત્યની જૈવરાસાયણિક પ્રક્રિયા. સજીવો વૃદ્ધિ દરમિયાન આ ક્રિયા દ્વારા વિવિધ પોષક દ્રવ્યોનું ઑક્સિડેશન-વિઘટન કરી શક્તિદાતા અણુ-એટીપી (ATP) ઉત્પન્ન કરે છે. ઑક્સિડેશન દરમિયાન પોષક દ્રવ્યના અણુમાંથી હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે, જેનું પરિવહન વિશિષ્ટ શૃંખલા દ્વારા થઈ, અંતે શૃંખલાના અંતિમ ઘટક…

વધુ વાંચો >

જૈવ-સમાજો

Jan 31, 1996

જૈવ-સમાજો (biotic communities) : વિશિષ્ટ પર્યાવરણમાં સ્થાયી જીવન પસાર કરનાર સજીવોનો સમૂહ. મોટા ભાગના સજીવો માત્ર વિશિષ્ટ નિવસનતંત્રમાં રહેવા અનુકૂલન પામેલા હોય છે. સફેદ રીંછ માત્ર ઉત્તર ધ્રુવપ્રદેશમાં, જ્યારે પૅંગ્વિન પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. સામાન્ય રીતે હાથી ગીચ જંગલમાં અને ઊંટ રણમાં રહેવાનું પસંદ કરે છે. સમુદ્ર,…

વધુ વાંચો >

જૈવ-સંશ્લેષણ

Jan 31, 1996

જૈવ-સંશ્લેષણ (biosynthesis) : સજીવોના શરીરમાં થતી ચયીન (anabolic) પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓને અનુક્રમે (1) અકાર્બનિક તત્વોમાંથી ઉત્પાદન પામતાં પ્રાથમિક સ્વરૂપનાં કાર્બનિક સંયોજનો, (2) અકાર્બનિક અને પ્રાથમિક કાર્બનિક રસાયણોમાંથી બહુશર્કરા (polysaccharides), સંકીર્ણ સ્વરૂપનાં લિપિડો, પ્રોટીનો, ન્યૂક્લિઇક ઍસિડો, વિટામિનો જેવા સંકીર્ણ સ્વરૂપના જૈવરસાયણિક પદાર્થોનું નિર્માણ અને (3) અન્યોન્ય રૂપાંતરણથી ઉત્પન્ન થતા પ્રાથમિક ખાદ્ય…

વધુ વાંચો >

જૈવિક અંકશાસ્ત્ર (vital statistics)

Jan 31, 1996

જૈવિક અંકશાસ્ત્ર (vital statistics) : જન્મ, મૃત્યુ વગેરે જીવનના અગત્યના બનાવોની માહિતીનું એકત્રીકરણ અને અર્થઘટન કરતી વિદ્યાશાખા. વસ્તીગણતરી (census) – એ લગભગ દશકા પછી થતી સમયાંતરિત પ્રક્રિયા છે; જ્યારે જન્મનોંધણી, મૃત્યુનોંધણી વગેરે વિવિધ પ્રકારની નોંધણીઓ વસ્તીઆલેખન(demographic)ના કાર્યને સરળ, ચોક્કસ, સંપૂર્ણ અને વિશ્વસનીય બનાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જૈવિક પ્રસંગો(vital events)ની…

વધુ વાંચો >