ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
જંબુસ્વામી
જંબુસ્વામી : વર્તમાન અવસર્પિણીના છેલ્લા કેવલી (સર્વજ્ઞ). રાજગૃહનિવાસી, મોટા સમૃદ્ધિશાળી, ઋષભદત્ત શેઠના એકના એક પુત્ર. તેમનો જન્મ આશરે વીરનિર્વાણ પૂર્વે 16 વર્ષે થયો હતો. તેમની માતા ધારિણી અને ગોત્ર કાસવ (કશ્યપ). મહાવીરના નિર્વાણ પછી તેમના 5મા ગણધર સુધર્મ પાસે જંબુએ દીક્ષા લીધી હતી. આ સુધર્મે મહાવીરનિર્વાણ પછી શ્રમણસમુદાયની રક્ષા, શિક્ષા…
વધુ વાંચો >જાઈ (ચંબેલી)
જાઈ (ચંબેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની વળવેલ સ્વરૂપે જોવા મળતી ક્ષુપીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum officinale Linn છે. તેને ઘણી વાર રૂપભેદ (forma) grandiflorum (Linn) Kobuski, (સં. જાતિ, માલતી; હિં. ચંબેલી, જાતિ; મ. જાઈ : ક. જાજિ મલ્લિગે; તે. જાઈપુષ્પાલુ; મલા. પિચાકમ્; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન)…
વધુ વાંચો >જાઉલેન્સ્કી, એલેક્સી વૉન
જાઉલેન્સ્કી, એલેક્સી વૉન (જ. 13 માર્ચ 1864, તોરઝોક-રશિયા; અ. 15 માર્ચ 1941, નીઝબાડેન, જર્મની) : વિખ્યાત અભિવ્યક્તિવાદી (expressionistic) જર્મન ચિત્રકાર. તેમણે લશ્કરી તાલીમ સંસ્થા તથા ચિત્રકલાની સંસ્થા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. 1889માં સેન્ટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ ગાર્ડમાં કૅપ્ટનના હોદ્દા પર નિમાયા; પરંતુ ચિત્રકલા પ્રત્યેના અસાધારણ આકર્ષણને લીધે 1889માં ઇમ્પીરિયલ ગાર્ડની કાયમી…
વધુ વાંચો >જાકાર્તા
જાકાર્તા : ઇન્ડોનેશિયાની રાજધાની, સૌથી અગત્યનું આર્થિક કેન્દ્ર. દેશનું સૌથી વધુ વસ્તીવાળું શહેર. ઇન્ડોનેશિયાના ટાપુ જાવા પર તે વસેલું છે. વસ્તી 83,89,443 (2000) તથા વસ્તીની ગીચતા 12,288 પ્રતિ ચોકિમી. છે. વસ્તીમાં દર વર્ષે 3 %નો વધારો થાય છે. જાવા ટાપુ પર પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર તરફના ભાગમાં 6° 10’ દ. અ.…
વધુ વાંચો >જાકૉમેત્તી, આલ્બર્ટો
જાકૉમેત્તી, આલ્બર્ટો (જ. 10 ઑક્ટોબર 1901, સ્ટામ્પા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1966) : સ્વિસ શિલ્પકાર તથા ચિત્રકાર. તેમના પિતા જોવાની (1868–1933) પ્રભાવશાળી ચિત્રકાર અને ભત્રીજો ઑગસ્ટો પણ ચિત્રકાર હતા. જિનીવા સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટમાં કલાશિક્ષણ લીધા પછી પૅરિસમાં બોરદેલના હાથ નીચે કલાશિક્ષણ લીધું. તેમની કલામાં આદિવાસી કલાનાં તત્વો તથા…
વધુ વાંચો >જાગતે રહો (1959)
જાગતે રહો (1959) : સમાજના નૈતિક અધ:પતનનો આબેહૂબ ચિતાર આપતી પ્રતીકાત્મક ફિલ્મ. દિગ્દર્શન : શંભુ મિત્ર તથા અમિત મોઇત્ર; નિર્માતા : આર. કે. ફિલ્મ્સ, સંવાદ : ખ્વાજા અહમદ અબ્બાસ; ગીતકાર : શૈલેન્દ્ર; સંગીતકાર : સલિલ ચૌધરી; છબીકાર : રાધુ કરમારકર; પ્રમુખ ભૂમિકા : રાજકપૂર, પહાડી સન્યાલ, મોતીલાલ, નરગિસ, છબી વિશ્વાસ,…
વધુ વાંચો >જાગીરદાર, ગજાનન
જાગીરદાર, ગજાનન (જ. 2 એપ્રિલ 1907, અમરાવતી; અ. 13 ઑગસ્ટ 1988, મુંબઈ) : બહુવિધ પ્રતિભા ધરાવતા ચલચિત્રઅભિનેતા, નિર્માતા, નિર્દેશક. પિતા તેમને અધ્યાપક બનાવવા માગતા હતા. પણ અભિનેતા બનવા માટે એમ.એ.નો અભ્યાસ પડતો મૂકી તે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની નટમંડળીમાં સામેલ થયા; પરંતુ ચલચિત્રજગતનું વિશેષ આકર્ષણ હોવાથી 1930માં દિગ્દર્શક ભાલજી પેંઢારકરના સહાયક તરીકે…
વધુ વાંચો >જાગુષ્ટે, ગોવિંદરાવ
જાગુષ્ટે, ગોવિંદરાવ (જ. 15 મે 1888, અમદાવાદ; અ. 19 સપ્ટેમ્બર 1963, અમદાવાદ) : ગુજરાતીમાં લખેલાં ધાર્મિક પુસ્તકોના જાણીતા વિક્રેતા અને પ્રકાશક. તેમના પિતા મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેએ અમદાવાદમાં બોધપ્રદ વાર્તાઓ અને ખાસ કરીને ધર્મ સાથે સંકળાયેલી નાની નાની પુસ્તિકાઓના પ્રકાશનકાર્યનો પ્રારંભ કરેલો. આ પ્રકારની પુસ્તિકાઓ ગુજરાતની આમજનતાની રુચિને અનુકૂળ આવે એવી…
વધુ વાંચો >જાટ
જાટ : ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં વસતી કૃષિકાર જાતિ. અનુશ્રુતિ પ્રમાણે દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે શિવે પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલા બે ગણો તેમના આદિપુરુષો હતા. શિવની જટામાંથી ઉત્પન્ન થયા તેથી તેમના વંશજો જાટ તરીકે ઓળખાય છે. પણ ઇતિહાસ પ્રમાણે ઈ. પૂ. 150-100 દરમિયાન આ…
વધુ વાંચો >જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર)
જાડેજા (કચ્છ અને સૌરાષ્ટ્ર) : કચ્છ ઉપરાંત ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો(આજના જામનગર અને રાજકોટ જિલ્લા)માં વસેલું રાજ્યકર્તા કુળ. જાડેજા વંશના પૂર્વજો વિશેની અનુશ્રુતિ મુજબ, કૃષ્ણચંદ્ર પછી યાદવ વંશમાં 154મી પેઢીએ સિંધમાં જાડો થયો. એણે પોતાના ભાઈ વેરૈંજીના પુત્ર લાખાને દત્તક લીધો. આ પરથી એ લાખો ‘જાડેજો’ એટલે જાડાનો પુત્ર…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >