ખંડ ૭

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર

જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ)

જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ) : સં. जम्बीर निम्बू; હિં. जमीरी नीबू, बडा निम्बू; મ. इडलींबु; લૅ. Citrus. limon Linn; Citrus medica varlimonium. આ લીંબુ જરા ભારે, ખાટાં, તીક્ષ્ણ, વિપાકી, ઉષ્ણવીર્ય (ગરમ), કફ અને વાતદોષશામક, રુચિકર્તા, ક્ષુધાવર્ધક, પાચનકર્તા, અનુલોમક, પિત્તસારક, હૃદય માટે હિતકર હોય છે. કફ-નિ:સારક તથા અરુચિ, તૃષા, વમન, અગ્નિમાંદ્ય,…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ)

જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) : શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ. તેનો વિષય તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપવાનો છે. આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી; પરંતુ કાળબળે નાશ પામી. ત્યારબાદ બાદશાહ અકબરને પ્રતિબોધ આપનાર આ. હીરવિજયસૂરિજીના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે ગુરુઆજ્ઞાથી વિ. સં. 1650માં પ્રમેયરત્નમંજૂષા નામે ટીકા રચી…

વધુ વાંચો >

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ)

જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ) : શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ પદ્યગ્રંથ. આ 2889 ગાથાના રચયિતા દિગમ્બર મુનિ પદ્મનંદિ છે. તે બલનંદિ પંચાચાર પરિપાલક આચાર્ય વીરનંદિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવે છે. પારિયત્ત (પારિયાત્ર) દેશ અંતર્ગત આવેલ વારા નામે નગરમાં તેમણે આ ગ્રંથની રચના કરી હતી તેવો ઉલ્લેખ ગ્રંથની પ્રશસ્તિમાં છે. જૈન વિદ્વાન સ્વ. પં. નાથુરામ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ…

વધુ વાંચો >

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર)

જંબુદ્વીપ (ભાગવત પુરાણ અનુસાર) : પ્રાચીન ભારતીય ભુવનકોશમાં અને પુરાણોમાં વર્ણવાયેલો પ્રદેશ. શ્રીમદ્ ભાગવત પુરાણના પાંચમા સ્કંધમાં ભૂગોળ-ખગોળનું વર્ણન આવે છે. તેમાં 5–1–20માં સાત દ્વીપોમાં; જંબુ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કરનો ઉલ્લેખ છે. આ જંબુદ્વીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નીધ્ર હતા. તેમાંના જંબુદ્વીપને નવ વર્ષ(ખંડ)માં વહેંચવામાં આવ્યો હતો. તેનાં…

વધુ વાંચો >

જંબુસર

જંબુસર : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું વડું મથક. નાંદીપુરીના ગુર્જર નૃપતિવંશના રાજાઓના સમયમાં બ્રાહ્મણોએ તે વસાવેલું હતું. આ વંશના રાજા દદ્દ બીજાના કલચુરિ સં. 380 અને 385 (ઈ. સ. 629 અને 634)નાં દાનશાસનોમાં દાન ગ્રહણ કરનાર જંબુસરથી આવેલ બ્રાહ્મણનો નિર્દેશ છે. મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના વલભી સં. 320 (ઈ.…

વધુ વાંચો >

જંબુવિજયજી મ. સા. :

જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન. પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ. શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય…

વધુ વાંચો >

જંબુસામિચરિઉ (ઈ. 1020)

જંબુસામિચરિઉ (ઈ. 1020) : શ્રમણ ભગવાન મહાવીરના પંચમ ગણધર સુધર્મસ્વામીના શિષ્ય જંબુસ્વામીના જીવનચરિત્રને વિષય બનાવતું અપભ્રંશ ભાષામાં 11 સંધિમાં રચાયેલું કાવ્ય. વીરકવિએ તેની રચના વિ. સં. 1076ના મહા સુદિ પાંચમના દિવસે પૂર્ણ કરી હતી. કાવ્યની પ્રશસ્તિમાં કવિએ સ્વપરિચય આપ્યો છે તેનાથી જાણી શકાય છે કે તેના પિતાનું નામ દેવદત્ત હતું.…

વધુ વાંચો >

જંબુસ્વામી

જંબુસ્વામી : વર્તમાન અવસર્પિણીના છેલ્લા કેવલી (સર્વજ્ઞ). રાજગૃહનિવાસી, મોટા સમૃદ્ધિશાળી, ઋષભદત્ત શેઠના એકના એક પુત્ર. તેમનો જન્મ આશરે વીરનિર્વાણ પૂર્વે 16 વર્ષે થયો હતો. તેમની માતા ધારિણી અને ગોત્ર કાસવ (કશ્યપ). મહાવીરના નિર્વાણ પછી તેમના 5મા ગણધર સુધર્મ પાસે જંબુએ દીક્ષા લીધી હતી. આ સુધર્મે મહાવીરનિર્વાણ પછી શ્રમણસમુદાયની રક્ષા, શિક્ષા…

વધુ વાંચો >

જાઈ (ચંબેલી)

જાઈ (ચંબેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની વળવેલ સ્વરૂપે જોવા મળતી ક્ષુપીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum officinale Linn છે. તેને ઘણી વાર રૂપભેદ (forma) grandiflorum (Linn) Kobuski, (સં. જાતિ, માલતી; હિં. ચંબેલી, જાતિ; મ. જાઈ : ક. જાજિ મલ્લિગે; તે. જાઈપુષ્પાલુ; મલા. પિચાકમ્; અં. સ્પૅનિશ જૅસ્મિન, કૉમન જૅસ્મિન)…

વધુ વાંચો >

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

Jan 1, 1996

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

Jan 1, 1996

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

Jan 1, 1996

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

Jan 1, 1996

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

Jan 1, 1996

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

Jan 1, 1996

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

Jan 1, 1996

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

Jan 1, 1996

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

Jan 1, 1996

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

Jan 1, 1996

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >