ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
જલઊર્જા
જલઊર્જા : પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ સંચિત કરેલા પાણી સાથે સંકળાયેલી ઊર્જા. અવસ્થા કે સ્થાનને કારણે જળ સાથે સંકળાયેલી ઊર્જા સ્થિતિ-ઊર્જા(potential energy)નું સ્વરૂપ ધરાવે છે. સ્થિતિ-ઊર્જાનું આવું સ્વરૂપ ધરાવતી જલઊર્જાને, વિદ્યુતઊર્જા તેમજ અન્ય પ્રકારની ઊર્જામાં પરિવર્તિત કરી શકાય છે. જળતંત્રની કાર્ય કરવાની ગુંજાશ અથવા ક્ષમતાને ઊર્જા કહે છે. ઊર્જાનાં યાંત્રિક,…
વધુ વાંચો >જલકાચ (water glass)
જલકાચ (water glass) : પરિવર્તી સંઘટનવાળો સોડિયમ સિલિકેટ અથવા દ્રાવ્યકાચ. તેના સ્ફટિક જેવા રંગવિહીન ગઠ્ઠા સફેદથી ભૂખરા સફેદ રંગના હોય છે તથા કાચ જેવા દેખાય છે. તેને પાણીમાં ઓગાળતાં સિરપ જેવું ઘટ્ટ પ્રવાહી બને છે. તેનાં કેટલાંક સ્વરૂપો અતિ અલ્પ દ્રાવ્ય તથા કેટલાંક અદ્રાવ્ય પણ હોય છે. વધારે પાણી કરતાં…
વધુ વાંચો >જલકી પ્યાસ ના જાએ
જલકી પ્યાસ ના જાએ : પ્રસિદ્ધ પંજાબી સાહિત્યકાર કર્તારસિંહ દુગ્ગલની નવલકથા. 1984માં પ્રગટ થયેલી. એ નવલકથા ભારતવિભાજન થતાં, ભારત અને પાકિસ્તાનમાં જે અત્યાચારો થયા અને જે લોકો પર પારાવાર સિતમ ગુજર્યો તે પ્રસંગની હૃદયદ્રાવક કહાની છે. એની વિશેષતા એ છે કે એમાં કોઈ નાયકનાયિકા નથી. અથવા બીજી રીતે કહીએ તો…
વધુ વાંચો >જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere)
જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere) : તળાવ કે જળાશયોમાં પ્રારંભિક અવસ્થાથી માંડીને ચરમાવસ્થા સુધી જટિલ પર્યાવરણને અનુકૂળ બની સજીવ સમૂહમાં તથા પ્રગતિશીલ અનુક્રમિક ફેરફારો. તળાવ કે જળાશયોમાં જલાનુક્રમણનો પ્રારંભ કેટલાક વનસ્પતિ સૂક્ષ્મજીવો(phytoplanktons)ના સંસ્થાનીકરણથી થાય છે. તે સૌપ્રથમ વનસ્પતિસમાજ બનાવે છે અને અંતે વનમાં પરિણમે છે, જે વનસ્પતિના મુખ્ય ઘટકો સહિતની ચરમાવસ્થા…
વધુ વાંચો >જલતલસ્થ સજીવો
જલતલસ્થ સજીવો : જલતલસ્થ વિભાગ(benthic division)માંની વનસ્પતિસૃષ્ટિ તથા તેમાં વસતાં પ્રાણીઓ. સમુદ્ર, મીઠા પાણીનાં સરોવર કે તળાવના તલપ્રદેશમાં તટથી માંડી સૌથી વધારે ઊંડાઈ સુધી જોવા મળતા જલીય સજીવોના નિવાસને જલતલસ્થ વિભાગ કહે છે. આ વિભાગમાં વસતા જલતલસ્થ સજીવોમાં લીલ, જીવાણુઓ, ફૂગ, જલીય સપુષ્પ વનસ્પતિ, સ્તરકવચીઓ, જલીય કીટકો, નૂપુરક, મૃદુકાય અને…
વધુ વાંચો >જલતાણ
જલતાણ : વનસ્પતિમાં ભૂમિજલની અલ્પતા કે હિમપાત જેવાં બાહ્ય પરિબળોને લીધે ઉદભવતી હાનિકારક અસર. જલતાણને લીધે પ્રકાશસંશ્લેષણમાં ઘટાડો, વૃદ્ધિદરમાં ઘટાડો, ક્ષારોના પ્રમાણમાં વધારો, રંધ્રોનું બંધ થઈ જવું, સુકારો વગેરે હાનિકારક અસરો ઉદભવે છે. તેની તીવ્રતા વધારે હોય તો નાશ પણ સંભવી શકે. જલતાણનું મુખ્ય કારણ ભૂમિજલનો અલ્પ પુરવઠો છે. સાથે…
વધુ વાંચો >જલપાઇગુરી
જલપાઇગુરી : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 26 40´ ઉ. અ. અને 89 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કાલીમપોંગ જિલ્લો, ઈશાને ભુતાન દેશ, પૂર્વે અલીપુરડુઅર (Alipurduar) જિલ્લો, અગ્નિ દિશાએ કૂચબિહાર જિલ્લો, દક્ષિણે અને નૈઋત્યે બાંગ્લાદેશ, પશ્ચિમે સિલીગુરી…
વધુ વાંચો >જલપ્રાનુકૂલન (water conditioning)
જલપ્રાનુકૂલન (water conditioning) : પૃષ્ઠજળ (surface water) અને ભૂગર્ભજળ(ground water)ને માનવી તથા ઉદ્યોગો માટે વપરાશયોગ્ય બનાવવા આપવામાં આવતી માવજત (teratment). કોઈ પણ સંયંત્ર (plant) માટે સ્થળની પસંદગી કરતી વખતે પ્રાપ્ય જળની ગુણવત્તા અને તેનો જથ્થો અગત્યનાં બની રહે છે. અપરિષ્કૃત (raw) જળના મુખ્ય સ્રોતો બે છે : પૃષ્ઠજળ અને ભૂગર્ભજળ.…
વધુ વાંચો >જલમૂત્રમેહ (diabetes insipidus)
જલમૂત્રમેહ (diabetes insipidus) : સતત અને વારંવાર પુષ્કળ પેશાબ થવાનો વિકાર. તે ભાગ્યે થતો વિકાર છે અને તેમાં થતા પેશાબની સાંદ્રતા (concentration) ઓછી હોય છે, તેથી તેને મંદ (dilute) મૂત્ર કહે છે. ખૂબ પ્રમાણમાં પેશાબ થવાને કારણે ખૂબ તરસ લાગે છે. જલમૂત્રમેહના બે પ્રકાર છે : (1) ખોપરીમાંનો વિકાર અથવા…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >