૭.૨૭

જીવનો જુગારીથી જીવાણુજન્ય રોગોનાં ઔષધો

જીવાજીવાભિગમસુત્ત

જીવાજીવાભિગમસુત્ત : જૈન શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં ગણાતું ત્રીજું ઉપાંગ. તેના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગસૂત્રનું ઉપાંગ ગણાવ્યું છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપાંગ પર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી પરંતુ તે ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી દુર્બોધ હતી. આથી મલયગિરિ…

વધુ વાંચો >

જીવાણુ (bacteria)

જીવાણુ (bacteria) : ક્લૉરોફિલ વગરના વનસ્પતિજગત(plant kingdom)ના એકકોષી સૂક્ષ્મજીવો. ફૂગ અને જીવાણુ બંનેમાં ક્લૉરોફિલ હોતું નથી. જીવાણુ કદમાં લીલ(algae)થી નાના હોય છે અને તે કાર્બનનાં સંયોજનોને તૈયાર રૂપમાં મેળવે છે; કેમ કે, ક્લૉરોફિલની ગેરહાજરીમાં તે તેમનું સંશ્લેષણ (synthesis) કરી શકતા નથી. જીવાણુ ફૂગથી પણ નાના હોય છે, તેઓ આશરે 1.0થી…

વધુ વાંચો >

જીવાણુજન્ય રોગો

જીવાણુજન્ય રોગો વિવિધ પ્રકારના જીવાણુઓને કારણે પ્રાણીઓમાં અનેક રોગ ઉદભવે છે. તેની વિગતો નીચે મુજબ છે : 1. કાળિયો તાવ આ રોગ ઍન્થ્રેક્સ તથા વૂલ સૉર્ટર્સ ડિસીઝના નામે પણ જાણીતો છે. આ રોગ ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, ઘોડા, ડુક્કર, ઊંટ તથા કૂતરાંને થાય છે. આ રોગનો ચેપ પશુઓમાંથી માણસને પણ…

વધુ વાંચો >

જીવાણુજન્ય રોગોનાં ઔષધો

જીવાણુજન્ય રોગોનાં ઔષધો વ્યાખ્યા : સૂક્ષ્મ જીવાણુ અથવા બૅક્ટેરિયા, ફૂગ તથા વિષાણુ (virus) વગેરેથી થતા રોગો જીવાણુજન્ય રોગો કહેવાય છે; તેમાં કૉલેરા, ટાઇફૉઇડ, ન્યુમોનિયા, મૅનિન્જાઇટિસ, ઝાડા, દરાજ, ખરજવું, હર્પિસ, અછબડા, એઇડ્ઝ (AIDS) વગેરે ઘણા રોગોની ગણના થાય છે. જે તે રોગોના જીવાણુ શરીરમાં પ્રવેશ કરી વિભાજન/વિકાસ દ્વારા વૃદ્ધિ પામે છે.…

વધુ વાંચો >

જીવનો જુગારી

Jan 27, 1996

જીવનો જુગારી : ગુણવંતરાય આચાર્યની નવલકથા પર આધારિત ગુજરાતી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ચંદન ચિત્ર, નિર્માણવર્ષ : 1963 નિર્માતા : કુમાર દવે; પટકથા અને દિગ્દર્શન : દિનેશ રાવલ; સંવાદ : જિતુભાઈ મહેતા; છબીકલા : પ્રતાપ દવે; નૃત્યનિર્દેશક : ચેતનકુમાર તથા ગીત-સંગીત : નિનુ મઝુમદાર, મુખ્ય પાર્શ્વગાયકો : પ્રદીપજી, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર…

વધુ વાંચો >

જીવન્તી (ડોડી)

Jan 27, 1996

જીવન્તી (ડોડી) : આયુર્વેદિક ઔષધિ. સં. जीवन्ती; હિં. डोडी शाक; ગુ. ખરખોડી, શિરકસિયો, રાડારૂડી; મ. खिरखोडी, शिरदोडी; લૅ. Leptadena reticulata. આંખના રોગો ખાસ કરીને ર્દષ્ટિમંદતા, આંખના નંબરો, રતાંધળાપણું તથા નબળાઈનાં દર્દોમાં ડોડી આયુર્વેદની બહુ જ વિશ્વસનીય ઔષધિ છે. તે મધુર, સ્નિગ્ધ, શીતવીર્ય, મધુર વિપાકી, વાતપિત્તદોષશામક, હૃદ્ય, દાહશામક, વીર્યવર્ધક, બળપ્રદ, રસાયન,…

વધુ વાંચો >

જીવપેશીપરીક્ષણ (biopsy)

Jan 27, 1996

જીવપેશીપરીક્ષણ (biopsy) : સજીવ પેશીનો ટુકડો કાપીને કે તેના કોષોને સોય વડે શોષી લઈને સૂક્ષ્મદર્શક વડે નિદાન કરવું તે. મૃત્યુ પછી જો પેશીનો આવો અભ્યાસ કરવામાં આવે તો તેને મૃતપેશી-પરીક્ષણ (necropsy) કહે છે. વ્યક્તિના શંકાસ્પદ રોગગ્રસ્ત ભાગમાંથી પેશીનો ટુકડો લેવા માટે કાં તો સ્થાનિક નિશ્ચેતના દ્વારા તે ભાગ બહેરો કરાય…

વધુ વાંચો >

જીવરસાયણ ઇજનેરી (biochemical engineering)

Jan 27, 1996

જીવરસાયણ ઇજનેરી (biochemical engineering) : જૈવિક (biological) અને જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓનાં  વિકાસ, રચના, પ્રક્રમો, નિયંત્રણ અને વિશ્લેષણનો અભ્યાસ. તે જૈવપ્રાવૈધિક (biotechnology) વિજ્ઞાન પણ કહેવાય છે. તે બહુશાખીય (multidisciplinary) વિદ્યાશાખા છે અને વૈજ્ઞાનિક તેમજ ઇજનેરી ક્ષેત્રની વિશાળ અભ્યાસસામગ્રીને આવરી લે છે. જૈનરસાયણશાસ્ત્ર (biochemistry), સૂક્ષ્મજીવાણુશાસ્ત્ર (microbiology) અને ઇજનેરી વિદ્યાશાખાના સુગ્રથિત વિનિયોગથી સૂક્ષ્મ…

વધુ વાંચો >

જીવરામ ભટ્ટ

Jan 27, 1996

જીવરામ ભટ્ટ : સુધારક યુગના ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (1820–1898) રચિત ‘મિથ્યાભિમાન નાટક’ (લખાયું : 1869 પ્રકાશન : 1871)નો દંભી રતાંધળો નાયક. કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશીની ઇનામી જાહેરાતના સંદર્ભમાં, દંભ કરનાર મિથ્યાભિમાની બ્રાહ્મણ તરીકે આ પાત્રની રચના થઈ. અડતાળીસની વયે સોળેક વર્ષની યુવતીને પરણેલા જીવરામ ભટ્ટ પંચાવનની ઉંમરે…

વધુ વાંચો >

જીવવિચાર (સોળમી સદી આશરે)

Jan 27, 1996

જીવવિચાર (સોળમી સદી આશરે) : જીવવિચાર અથવા જીવવિચાર પ્રકરણ. જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં 51 ગાથાઓમાં રચાયેલ લઘુ પ્રકરણ. કૃતિની 50મી ગાથામાં કર્તાનું નામ શાન્તિસૂરિ હોવાનું શ્લેષથી સૂચિત થાય છે. તે સિવાય કર્તા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. વિન્ટર્નિત્ઝે કર્તાનો સ્વર્ગવાસ-સમય 1039 હોવાનું લખ્યું છે પરંતુ તે વિચારણીય છે. આ…

વધુ વાંચો >

જીવવિરોધ (antagonism)

Jan 27, 1996

જીવવિરોધ (antagonism) : એક સૂક્ષ્મજીવના સાન્નિધ્યમાં બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકી જવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતાં વિવિધ વૃદ્ધિઅવરોધક રસાયણો, પ્રતિજૈવો તેમજ વિષાક્ત ઉત્સેચકો તેની આસપાસ વસતા સૂક્ષ્મજીવની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હોય છે, દાખલા તરીકે; 1. સ્યૂડોમોનાસ તેમજ સ્ટેફિલોકૉક્સ જીવાણુઓ ફૂગવિરોધી (antifungal) રસાયણ ઉત્પન્ન કરતા હોવાથી તેમની હાજરીમાં…

વધુ વાંચો >

જીવવિષ (microbial toxin)

Jan 27, 1996

જીવવિષ (microbial toxin) કેટલાક જીવાણુઓ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન થાય તેવાં વિષ ઉત્પન્ન કરે છે, તેને જીવવિષ કહેવામાં આવે છે. જીવવિષના બાહ્ય વિષ અને આંતરિક વિષ – એમ બે પ્રકાર છે. (1) બાહ્ય વિષ : સૂક્ષ્મજીવો આ પ્રકારના વિષનો સ્રાવ પોતાના શરીરની બહાર કરે છે.…

વધુ વાંચો >

જીવશાસ્ત્રો

Jan 27, 1996

જીવશાસ્ત્રો : તમામ પ્રકારના સજીવોનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. પ્રત્યેક સજીવ પર્યાવરણના સંપર્કમાં રહીને જીવનાવશ્યક પદાર્થોને મેળવે છે અને પોતાનો વિકાસ સાધે છે. સજીવોનો વિગતવાર અભ્યાસ કરવો હોય તો તેમના નિવાસો ઉપરાંત શરીરની વિશિષ્ટ રચના, શરીરમાં થતી વિવિધ જૈવી ક્રિયાઓ અને સંતતિ જેવાં વિવિધ પાસાંનો અભ્યાસ કરવો પડે છે. તેના અનુસંધાનમાં…

વધુ વાંચો >

જીવસંશ્લેષણ (biosynthesis)

Jan 27, 1996

જીવસંશ્લેષણ (biosynthesis) :  સાદા અણુઓ દ્વારા જીવંત પ્રણાલીઓમાં રાસાયણિક સંયોજન નિર્માણ થવાની પ્રક્રિયા. ઉત્સેચકો દ્વારા ઉદ્દીપન પામતી આવી જીવસંશ્લેષણ પ્રક્રિયાઓને પ્રાથમિક તથા દ્વિતીયક એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાથમિક પ્રક્રિયાઓ વિવિધ જાતિ(species)ની વિશાળ સંખ્યાને લાગુ પડે છે. આનું ઉત્તમ ઉદાહરણ પ્રકાશસંશ્લેષણ છે. આ પ્રક્રિયા દ્વારા લીલા છોડ હવામાંના કાર્બન-ડાયૉક્સાઇડનું…

વધુ વાંચો >