૬(૨).૨૩

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્રથી ઘાસ

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics)

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics) ઘનપદાર્થના રાસાયણિક, ભૌતિક, પરાવૈદ્યુત, સ્થિતિસ્થાપક, યાંત્રિક, ચુંબકીય અને ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ તથા મૂળભૂત ભૌતિક નિયમોના સંદર્ભમાં તેમની સ્પષ્ટતા. ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્રમાં પદાર્થના બંધારણ ઉપર આધારિત ગુણધર્મોને બદલે સંયોજનોના વિશાળ સમૂહના સામાન્ય ગુણધર્મો ઉપર ભાર મુકાયો છે. ઘન પદાર્થના બંધારણીય ગુણધર્મોનો અભ્યાસ ઘન-અવસ્થા રસાયણ-શાસ્ત્રમાં થાય છે, જ્યારે…

વધુ વાંચો >

ઘન ઇંધનો

ઘન ઇંધનો : ઊર્જા મેળવવા માટે વપરાતાં ઇંધનોનો એક પ્રકાર. હવામાંના ઑક્સિજનના સંસર્ગથી ઉષ્મા નિપજાવનારા પદાર્થોને ઇંધન કહે છે. તે મધ્યમ ઉષ્માએ સળગે છે, ઝડપથી સળગે છે તથા પ્રમાણમાં સસ્તાં પડે છે. હાલમાં પ્રવાહી અને વાયુરૂપ ઇંધનો વધુ વપરાય છે; પરંતુ ઘન ઇંધનો આ બંને કરતાં સસ્તાં પડે છે તથા…

વધુ વાંચો >

ઘનતા (density)

ઘનતા (density) : પદાર્થના એકમ કદ(volume)માં રહેલું દ્રવ્ય (matter) કે દળ (mass). પદાર્થના દળને તેના કદ વડે ભાગવાથી ઘનતાનું મૂલ્ય મળે છે. તેથી ઘનતા માટેનું સૂત્ર : ઘનતાના આ મૂલ્યને નિરપેક્ષ ઘનતા (absolute density) કહે છે. કોઈ પદાર્થની સાપેક્ષે મેળવવામાં આવતી ઘનતાને સાપેક્ષ ઘનતા (relative density) કહે છે. S. I.…

વધુ વાંચો >

ઘનતામાપકો

ઘનતામાપકો : અન્ય પદાર્થોથી ખનિજની ભિન્નતા દર્શાવતો ભૌતિક ગુણધર્મ તે ઘનતા. તેનું માપ કરનાર ઉપકરણો તે ઘનતામાપકો. કોઈ નિયમિત આકારના પદાર્થનું દળ ભૌતિક તુલા (physical balance) અથવા કમાન કાંટા (spring balance) વડે નક્કી કરવામાં આવે છે. આકારને અનુરૂપ નિશ્ચિત ગણિતીય સૂત્રનો ઉપયોગ કરીને કદ શોધવામાં આવે છે. દળને કદ વડે…

વધુ વાંચો >

ઘનતાવાદ (Cubism)

ઘનતાવાદ (Cubism) : વીસમી સદીનો ચિત્રકલા અને શિલ્પકલા ક્ષેત્રનો એક પ્રભાવશાળી પ્રવાહ અને વાદ. કેટલાક આધુનિક ઍબ્સ્ટ્રૅક્ટ ઝુંબેશોનું આદ્ય પ્રેરણાસ્થાન બની રહ્યો છે. તે ઇમ્પ્રેશનિસ્ટ અભિગમમાંથી મુક્ત થવા તથા પ્રવૃત્તિઓની નરી ર્દશ્યાત્મકતાનું સ્થાન લેવા પિકાસો તથા બ્રાક જેવા કલાકારોએ જે ચિત્રશૈલી પ્રયોજી તેમાંથી ‘ક્યૂબિઝમ’ નામે ઓળખાતી ચિત્રશૈલીનો 1907થી 1914 દરમિયાન…

વધુ વાંચો >

ઘન દ્રાવણ (solid solution)

ઘન દ્રાવણ (solid solution) : બે કે વધુ પદાર્થોનું આણ્વિક કક્ષાએ એકબીજા સાથે મિશ્રણ કરતાં ઉદભવતો નવો ઘન પદાર્થ. સ્ફટિકરચનામાં એક ઘટકના પરમાણુઓ, આયનો કે અણુઓ, સામાન્યત: બીજા ઘટકના લૅટિસ સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. અમુક મિશ્રધાતુઓ (alloys) એક ધાતુનું બીજી ધાતુમાં આવેલું મિશ્રણ છે. સમરૂપી ક્ષારો (isomorphic salts) પણ કેટલીક…

વધુ વાંચો >

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર (bulk handling of solids) : પૅક નહિ કરેલાં, વિભાજિત દ્રવ્યોની મોટા જથ્થામાં હેરફેર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ. પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘન પદાર્થના જથ્થાને…

વધુ વાંચો >

ઘનાકારો (solid shapes)

ઘનાકારો (solid shapes) : પ્રિઝમ, બહુફલક (polyhedron), પિરામિડ, શંકુ (cone), નળાકાર અને ગોલક (sphere) વગેરે નિયમિત (regular) અને અનિયમિત ઘન પદાર્થો. પ્રિઝમ : બે સમાંતર સમતલોમાં આવેલા અને સમસ્થિતિમાં હોય (similarly situated) તેવા એકરૂપ બહુકોણનાં અનુરૂપ શિરોબિંદુઓ(vertices)ને જોડવાથી બનતી ઘનાકૃતિ પ્રિઝમ છે. તેનાં અનુરૂપ શિરોબિંદુઓને જોડવાથી બનતી રેખાઓ સમાંતર હોય…

વધુ વાંચો >

ઘરઘંટી (વીજચાલિત)

ઘરઘંટી (વીજચાલિત) : અનાજ અથવા મસાલાને બારીક દળવાનું ગૃહઉપયોગી વીજળિક સાધન. શરૂઆતમાં માનવ જંગલમાંથી ફળફૂલ વગેરે વસ્તુઓ લાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તે વસ્તુઓના ભાગ કરવા માટે અથવા તો તેને બારીક કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો અને પથ્થરથી તોડીને, દબાવીને અને કચડીને પોતાની જરૂરિયાત સંતોષતો. ત્યારબાદ મનુષ્યજાતિનો વિકાસ થતો…

વધુ વાંચો >

ઘરનો દીવો

ઘરનો દીવો : ત્રિઅંકી ગુજરાતી નાટક (1952). જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસા(1908)નું એક સફળ નાટક. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું છે. સમગ્ર નાટકમાં પ્રતીતિજનક, જીવંત અને ગંભીર કથાવસ્તુની સમાંતર નર્મ-મર્મનો પ્રવાહ નોંધપાત્ર છે. પ્રવીણ, હસમુખ, સુરેશ, પસાકાકા,…

વધુ વાંચો >

ઘરમાખી

Feb 23, 1994

ઘરમાખી : ચેપી રોગોનો ફેલાવો કરી માનવોને અત્યંત પરેશાન કરનાર, શ્રેણી દ્વિપક્ષ(diptera)ના musidae કુળનો કીટક. શાસ્ત્રીય નામ, Musca domestica. એ વિશ્વના દરેક દેશમાં જોવા મળતો અગત્યનો કીટક છે. માખીના વક્ષનો રંગ ભૂખરો અને પીળાશ પડતો હોય છે. તેના ઉપર ચાર કાળા પટ્ટા હોય છે. ઉદરપ્રદેશનો રંગ પીળાશ પડતો હોય છે.…

વધુ વાંચો >

ઘરાય

Feb 23, 1994

ઘરાય : મૈત્રકકાલીન વહીવટી વડું મથક. વલભીના મૈત્રક રાજા ધરસેન બીજા(લગભગ ઈ. સ. 570–595)ના નામના એક બનાવટી દાનશાસન(શક વર્ષ 400)નું બીજું પતરું મળ્યું છે, જે ખરેખર અનુ-મૈત્રક(ઈ. સ. 788–942) કાલના આરંભિક ભાગ દરમિયાન રાષ્ટ્રકૂટ દાનશાસનોના આધારે ઉપજાવાયું લાગે છે. એમાં ઘરાય વિષયનો ઉલ્લેખ આવે છે. આ વિષય(જિલ્લા)નું વડું મથક ઘરાય…

વધુ વાંચો >

ઘરેણાં

Feb 23, 1994

ઘરેણાં : ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યાં છે. લોકસમાજના વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવયુક્ત શણગારોને જન્મ આપ્યો છે. ‘પ્રવીણ-સાગર’ ગ્રંથમાં નારીનાં 12 આભરણ અને 16 શણગારનો ઉલ્લેખ છે. દેહને ભૂષિત કરે તે આભૂષણ. સંસ્કૃતમાં એને માટે ‘અલંકાર’, ‘આભૂષણ’, ‘ભૂષણ’, ‘શૃંગારક’ ઇત્યાદિ શબ્દો મળે છે. ગુજરાતી ભાષામાં ‘ઘરેણું’,…

વધુ વાંચો >

ઘરે ફેરાર દિન (1962)

Feb 23, 1994

ઘરે ફેરાર દિન (1962) : અમીય ચક્રવર્તી(જ. (1901)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને માટે એમને 1963નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ કૃતિનાં 72 કાવ્યો, એ યુરોપનું ભ્રમણ કરી આવ્યા તે પછી રચાયેલાં છે. એમનાં પ્રારંભિક કાવ્યોમાં રવીન્દ્રનાથના પ્રભાવને કારણે સૃષ્ટિનું રહસ્ય સમજવા માટે એમણે બાહ્ય ભૌતિક સૃષ્ટિને બદલે માનવીની…

વધુ વાંચો >

ઘરે બાહિરે (1919)

Feb 23, 1994

ઘરે બાહિરે (1919) : રવીન્દ્રનાથ ઠાકુરની બંગભંગ આંદોલનની ભૂમિકા પર રચાયેલી નવલકથા. બંગભંગ આંદોલનનો જે અંશ રવીન્દ્રનાથને અરુચિકર લાગ્યો તેનું એમાં નિરૂપણ થયું છે. નવલકથામાં ત્રણ મુખ્ય પાત્રો છે — સંદીપ, નિખિલ અને નિખિલની પત્ની વિમલા. બંગભંગ આંદોલનનું વરવું રૂપ એમણે સંદીપના પાત્ર દ્વારા આલેખ્યું છે. એ બંગભંગના આંદોલનનો ઉપયોગ…

વધુ વાંચો >

ઘર્ષણક્રિયા (abrasion)

Feb 23, 1994

ઘર્ષણક્રિયા (abrasion) : નદીજળ દ્વારા થતી વહનક્રિયામાં ખનિજકણોની પરસ્પર ભૌતિક અથડામણથી થતો ઘસારો. આ પ્રકારના પરિબળથી કણોના પરિમાણમાં ક્રમશ: ઘટાડો થતો જાય છે, કણો ગોળાકાર બને છે અને ક્યારેક તેમનું ચૂર્ણમાં રૂપાંતર પણ થાય છે. પવન દ્વારા વેગથી ઊડી આવતા કણો જ્યારે આ જ રીતે પરસ્પર અથડાઈને ઘસાય ત્યારે તે…

વધુ વાંચો >

ઘર્ષણાદિ વિદ્યા (tribology)

Feb 23, 1994

ઘર્ષણાદિ વિદ્યા (tribology) : સરકતી સપાટીઓ(sliding surfaces)ની વચ્ચે થતી પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ. તેમાં ઘર્ષણ(friction), નિઘર્ષણ (wear) અને ઊંજણ(lubrication) – એ ત્રણ વિષયોનો સમાવેશ થાય છે. ઘર્ષણનો અભ્યાસ ભૌતિકશાસ્ત્ર અથવા યાંત્રિક ઇજનેરીમાં કરવામાં આવે છે, નિઘર્ષણનો અભ્યાસ ધાતુક્રિયા (metallurgy) એટલે કે દ્રવ્યવિજ્ઞાન(material science)માં સમાવિષ્ટ છે અને ઊંજણ રસાયણશાસ્ત્રનો વિષય છે. આથી…

વધુ વાંચો >

ઘર્સીસાગર (ગડસીસર)

Feb 23, 1994

ઘર્સીસાગર (ગડસીસર) : જેસલમેરના ગઢથી પૂર્વમાં આવેલું સરોવર. તે ગઢ અને ગામના બાંધકામ વખતે બનાવવામાં આવેલ. આ સરોવરનો ઘેરાવો લગભગ 1 ચોકિમી. વિસ્તારમાં ફેલાયેલ છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે ભરાય છે ત્યારે તેમાં 3 વર્ષ સુધી વપરાય તેટલું પાણી સમાય છે. સરોવરની વચ્ચે નાની નાની બંગલી બનાવાયેલ છે અને…

વધુ વાંચો >

ઘસાઈ-યંત્ર

Feb 23, 1994

ઘસાઈ-યંત્ર : પરિભ્રમિત અપઘર્ષક (abrasive) ચક્ર અથવા પટ્ટા (belt) દ્વારા ધાતુના ખરબચડા ઢાળેલા અને ફૉર્જિંગ્સ (forgings) જેવા અપરિષ્કૃત (unfinished) ભાગોને યોગ્ય ઘાટ આપવા અથવા તેમનાં પરિમાણ (dimensions) બદલવા જેવા પરિષ્કૃત (finishing) કામ માટે વપરાતું ઓજાર (tool). વિવિધ અપઘર્ષકો પૈકી સિલિકન કાર્બાઇડ(SiC)નો ઉપયોગ ભરતર (cast) લોખંડ જેવા કઠિન અને બરડ પદાર્થો…

વધુ વાંચો >

ઘસારો (depreciation)

Feb 23, 1994

ઘસારો (depreciation) : મિલકત કાળક્રમે જીર્ણ થવાથી અથવા વેપારઉદ્યોગમાં વપરાવાથી તેના મૂલ્યની કિંમતમાં ક્રમશ: અને કાયમી ધોરણે થતો ઘટાડો અને તેના ફળસ્વરૂપે ખર્ચ તરીકે દર વર્ષે નફાનુકસાન ખાતે ઉધારવામાં આવતો નાણાકીય બોજ. મિલકત કેટલા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને તેની ઉપયોગિતાની ક્ષમતા કેટલી છે તે બંને પરિસ્થિતિને…

વધુ વાંચો >